ગઝલ "લાઈક" કરીને શું કરે છે!
રજીસ્ટ્રેશન એ વાંચનનું કરે છે.
અહીં યાદોની નગરીમાં વસીને,
મને 'ડિસ્ટર્બ' કોઈ નહિ તું કરે છે.
હિસાબોમાં અભણ કરતાં વધારે,
ખાતાઓ તો જરા સમજું કરે છે.
મગજમારી અહીં તુંની નથી, દોસ્ત,
મગજમારી ફકત બસ 'હું' કરે છે.
કરે કામણ તું ફૂલો પર ઓ શબનમ,
ઈબાદત ભૂખની આંસુ કરે છે.
અમારા શહેરમાં ઈન્સાન નીરખી,
પશુઓ રોજ મન ખાટું કરે છે.
e.mail : siddiq948212@gmail.com
![]()


ગયા મહિનાના (ફેબ્રુઆરી, ર૦ર૦) ‘અભિદૃષ્ટિ’ના પ્રથમ પાને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું હૃદયંગમ કાવ્ય ‘Where the mind is without fear’ મૂક્યું છે. હમણાં ભુજમાં એક હૉસ્ટેલમાં સમગ્ર નારીજાતિની જે નાલેશી કરવામાં આવી છે તેના સંદર્ભમાં આ કાવ્યની બે પંક્તિઓ નોંધીએઃ
ખરેખર તો આ બંને ઘટનાઓમાં એક અત્યંત આછી પણ આશાસ્પદ ભેદરેખા દોરી આપી છે. બંને બાબતો અત્યાર સુધી ‘વ્યવસ્થા’ના ભાગ રૂપે હતી. પણ બંનેમાંથી આછો-પાતળો-જરાક ખમચાતો પણ તીવ્ર નારીવાદ ગુંજ્યો છે. જેમણે પણ પોતપોતાની પરેશાનીઓ છતાં આ ગંદી માનસિકતાને પિછાની અને તેની સામે અવાજ ઉઠાવ્યો, તેમને સલામ ! આ અવાજ કરસનદાસ મૂળજીનો છે. કરસનદાસ મૂળજી એક પત્રકાર હતા છે અને ૧૮પપમાં ‘સત્યપ્રકાશ’ નામનું એક ગુજરાતી સાપ્તાહિક તેમણે શરૂ કર્યું હતું. આ સાપ્તાહિકમાં ૧૮૬રમાં, તેમણે ‘હિંદુઓનો અસલ ધર્મ અને હાલનાં પાખંડ’ એ મથાળા હેઠળ એક લેખ લખી વૈષ્ણવ મહારાજાના વ્યવહારોની ટીકા કરી હતી. આ બદલ ‘મહારાજ લાયબલ કેસ’ થયો હતો. જે એ સમયની સુપ્રીમ કોર્ટ ગણાય તેવી પ્રિવી કાઉન્સિલ સુધી લડાયો હતો અને કરસનદાસનો તેમાં વિજય થયો હતો.
શું કહીશું, છોરો કે’દીનું પૈણું પૈણું કરતો’તો, એમ જ ને? કૉંગ્રેસના અગ્રણી યુવા નેતા, ટીમ રાહુલના સભ્ય તરીકે એક તબક્કે મધ્ય પ્રદેશના વરાયેલા મુખ્યમંત્રી લેખે પોતાની અને બીજા કેટલાકની નજરે જોવાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનું પક્ષ છોડવું અને ભા.જ.પ.માં પ્રવેશવું એ તો, માનો કે, એમણે કલમ ૩૭૦ની નાબૂદીને ધરાર ટેકો કીધો ત્યારથી સામી ભીંતે લખાયા બરોબર હતું. પણ જે સરળતાથી આ આખી ઘટનાને કેટલાંક વર્તુળોએ ‘ઘરવાપસી’માં ખતવી દીધી એ વાનું કેવી રીતે ઘટાવીશું એ એક સવાલ છે. ખરું જોતાં, બીજે છેડેથી જોઈએ તો છેલ્લાં અઢાર અઢાર વરસથી એમનું કૉંગ્રેસમાં હોવું પણ, એમ તો, કોઈક તબક્કે ‘ઘરવાપસી’ જ હતું ને? જનસંઘ-ભા.જ.પ.માં લાંબો સમય શીર્ષ નેતૃત્વમાં રહેલાં રાજમાતા સિંધિયા ક્યારેક કૉંગ્રેસવાસી હતાં, અને પછી જનસંઘભેગાં થયાં હતાં. પણ આજે રાજમાતા નથી અને ભા.જ.પ.માં યશોધરા તેમ જ વસુંધરા બેઉ પોતપોતાની રીતે ઓછાંવત્તાં તિલકાયત રહ્યાં છે એટલે એ ભત્રીજા જ્યોતિરાદિત્યને એક તિલકાયત પેઠે આવકારે એ સ્વાભાવિક છે.