ભર બજારમાં
ધોળા દિવસે
નબળા માણસ પર
શેતાન જેવા માણસનો વાર
લોહીઝાણ મારામારી, ગુંડાગર્દી
ને
આપણે
અવાચક, બબૂચક બની
નિહાળી રહ્યાં છીએ
થઈ રહ્યો છે
યુક્રેન પર
રશિયાનો સતત
અત્યાચાર, હિંસક બળાત્કાર,
ને
વિશ્વના બધા દેશો
મૂક પ્રેક્ષકો બની
નિહાળી રહ્યાં છે …
(યુનો ત્રાજવું લઈ બેઠો છે વાંદરો થઈ.)
એક જેવું નથી લાગતું??
આપણામાં
ને
વિશ્વના દેશોમાં
ફરક કેટલો?
17/4/2022
e.mail : naranmakwana20@gmail.com
![]()


અશોક વાજપેયી સનદી અધિકારી, હિંદી કવિ, વિવેચક, નિબંધકાર, અનુવાદક તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ફેલાવા અને વિકાસમાં એઓ ખૂબ સક્રિય રહ્યા છે. તેમણે ઘણી સાંસ્કૃતિક સંસ્થાઓનાં નિર્માણમાં અને એને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે, જેમાં ભોપાલ સ્થિત મલ્ટિઆર્ટ સેન્ટર, ભારત ભવન સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમણે કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં પ્રચુર પ્રદાન કર્યું છે. અને આ દરમિયાન તેમણે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની રાષ્ટ્રીય કલા અકાદમી, લલિત કલા અકાદમીના અધ્યક્ષ, ભારત ભવન ટ્રસ્ટના અધ્યક્ષ, ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ઑફ આર્ટ્સના ટ્રસ્ટી, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના સભ્ય તેમ જ સંગીત-નાટ્ય અકાદમીના બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી છે.
હું રામલાલ પરીખજીના પરિચયમાં હતો. અમે બે-ચાર વાર મળ્યા પણ હતા. જે હિંદી વિશ્વવિદ્યાલયનો હું પ્રથમ કુલપતિ બન્યો હતો, એની સ્થાપના માટે સક્રિય રહેલા લોકોમાં રામલાલભાઈ પણ હતા. તેઓ હિંદી ભાષાના પ્રેમી હતા. વળી તેઓ દેશના જાણીતા શિક્ષણવિદોમાં સામેલ હતા. એ દિવસોમાં હું મધ્ય પ્રદેશમાં શિક્ષણસચિવ હતો અને શિક્ષણ સંબંધિત કામ પણ કરતો હતો. આ દરમિયાન એમની સાથે મુલાકાતો થતી હતી.
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુવાનોને સલાહ આપી છે કે તેમણે અંગ્રેજીની જગ્યાએ હિન્દી ભાષામાં વાતચીત કરવી જોઈએ. તેઓ સંઘસુત છે એટલે એક દેશ એક ભાષા વગેરે એક એક એકનું વળગણ ધરાવે છે. આ સિવાય આ ઘેટાંઓને સમયે સમયે નીરવામાં આવતો ચારો પણ છે કે જેથી મોંઘવારી, બેરોગારી, સંતાનોનું ભવિષ્ય વગેરે વિષે વિચારીને આડુંઅવળું વિચારે નહીં અને અન્યત્ર તો જરા ય જુએ નહીં. તેમણે વળી ફ્રાંસ, જર્મની અને જપાનના દાખલા પણ આપ્યા છે અને કહ્યું છે કે જુઓ તેઓ કેવી રીતે પોતાની જ ભાષામાં વાત કરે છે.