Opinion Magazine
Number of visits: 9569959
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, જાતને સવાલો કરીએ (4)

સુમન શાહ|Opinion - Literature|20 April 2022

સાહિત્યકૃતિ વાંચીએ એટલે તેના પાઠ – text – સાથે જોડાઇએ છીએ. પરન્તુ એ સાથે જ આપણી જાણ બહાર આન્તરપાઠ – intertext – સાથે જોડાઇએ છીએ. એટલે કે એ કૃતિ આપણને તેના જેવા અંશ ધરાવતી બીજી કૃતિ કે કૃતિઓ સાથે જોડે છે.

કામચલાઉ દાખલો : પ્રેમાનન્દ-રચિત “નળાખ્યાન” ભાલણ-રચિત સાથે, મૂળ “નલોપાખ્યાન” સાથે, શ્રીહર્ષના “નૈષધીયચરિતમ્” સાથે તેમ જ ચિનુ મોદીકૃત “બાહુક” સાથે જોડે છે.

સવાલ એ છે કે આ આન્તરપાઠત્વ – Intertextuality – વિશે આપણે શું જાણીએ છીએ, અને તેને સાહિત્યઅધ્યયનોમાં તુલનાર્થે પ્રયોજીએ છીએ ખરા -? તેમ જ સાહિત્યના તુલનાત્મક અધ્યયનમાં કેવુંક સ્થાન આપીએ છીએ?

એ વિશે થોડીક વાતો કરું :

Intertextuality – આન્તરપાઠત્વ – સંજ્ઞાનો ચોકસાઈપૂર્વકનો પ્રયોગ-વિનિયોગ ૧૯૬૬ આસપાસ જુલિયા ક્રિસ્તેવાએ (1941 -) ભલે કર્યો, તેના પાયામાં મને કેટલાક પૂર્વસૂરીઓ અને તેમના કેટલાક મહાન વિચારો યાદ આવે છે :

અર્થ પરત્વે આપણે પાઠની સંરચનાને જોતા થયા તે સંરચનાવાદના પિતા સૉસૂરને (1857-1913) આભારી છે. સંજ્ઞાને એમણે સંકેતક–સંકેતિતના બે ભાગમાં જોઈ, પરન્તુ બંને વચ્ચેના સમ્બન્ધને યાદૃચ્છિક (મરજી મુજબનો) કહ્યો. નોંધવાનું એ છે કે આ યદૃચ્છાતત્ત્વ સમગ્ર ભાષાતન્ત્રમાં અને બધા જ ભાષિક આવિષ્કારોમાં વ્યાપ્ત છે.

પરિણામે, વસ્તુજગત = ભાષા એમ કદી સંભવતું નથી. છતાં જો દરેક પાઠને અર્થ છે તો તે ભાષાતન્ત્રને પ્રતાપે છે; સાહિત્યકૃતિને છે, તો તે સાહિત્યતન્ત્રને આભારી છે. તન્ત્ર નિયમોથી હોય છે અને તેથી નિયમો જાણવાનું હંમેશાં ઉપકારક નીવડતું હોય છે.

એટલે, અર્થમાં ‘મૂળિયાં’ શોધવામાં પરોવાયેલું પાણ્ડિત્ય કેવું તો વિપથગામી હતું તે સમજાઈ ગયું.

પરન્તુ સૉસૂરની આ સંરચનાપરક દૃષ્ટિમતિનું એક મોટું પરિણામ નોંધવા જેવું છે : એમણે શાબ્દી ભાષાના શબ્દને સંકેત કહ્યો એ ન્યાયે નાદ રેખા રંગ ફૅશન વગેરેનાં સંયોજનોથી નીપજેલા ન-શાબ્દી આવિષ્કારોને પણ ‘ભાષાઓ' ગણવાનું થયું – વર્બલ-લૅન્ગ્વેજીઝ તેમ નૉન-વર્બલ લૅન્ગ્વેજીઝ.

આને પ્રતાપે ભાષાવિજ્ઞાન પોતે જ જેનો સંવિભાગ હોય તેવા વ્યાપક સંકેતવિજ્ઞાનની સંભાવનાને આકાર મળ્યો. આન્તરપાઠત્વ આજે ન-શાબ્દી આવિષ્કારો લગી વિસ્તર્યું છે ત્યારે એ વ્યાપક વિજ્ઞાનની સૂઝબૂઝને ખાસ્સી લેખે લગાડી શકાય.

પાઠકર્તાને પાઠનો અશેષ સ્વામી ગણનારું મન્તવ્ય આધિપત્યવાચી હતું. એનો ધ્વંસ થયો બખ્તિનને (1895-1975) કારણે. એમનું ‘ડાયલૉજિઝમ' – સંવાદપરક વિચારધારા – બોલાતી ભાષામાત્રને, અરે વિચારમાત્રને, સંવાદાત્મ અને સંવાદાત્મક ગણે છે. આપણને સમજાય છે કે સંવાદ આન્તરપાઠત્વનું પ્રેરકચાલક બળ છે : એક ઉક્તિ બીજીને નોતરે, એક પાઠ બીજાને. સાહિત્યિક પાઠ સામાન્ય પાઠને અને એ જ રીતે, શબ્દ-પાઠ ન-શબ્દ પાઠને.

બખ્તિન ભાષાને અનેક અવાજોનો સમવાય કહે છે. પણ કેવો? સતત ફંટાતો રહેતો. ઉક્ત આન્તરસમ્બન્ધની ભાળ મળે એવી આ રહી એમની સમજ, તેઓ કહે છે : દરેક વાક્-ક્રિયા તેની પૂર્વવર્તી ઉક્તિઓનું ફળ છે. વળી તે એવી રીતે સંરચિત થઈ હોય છે કે એને તરતમાં કે પછીના કોઈ પણ ભવિષ્યમાં એનો પ્રતિભાવ સાંપડે. બોલાયા પૂર્વે ભાષા હોતી નથી ને બોલાય છે ત્યારે વિવક્ષા અને સ્વરભારથી લિપ્ત હોય છે. એનો અર્થ એ થયો કે શબ્દને ન્યૂટ્રલ – અતડો કે નિર્લેપ – ગણવા જતાં ભૂલ થાય છે જેમ એને નિત્ય અવિકારી અને અચલ કહેવાથી થાય છે.

સાહિત્યકૃતિઓને બખ્તિને સંવાદપરાયણ – ડાયલૉજિકલ – અને એકોક્તિપરાયણ – મૉનોલૉજિકલ – જેવા પ્રકારોમાં જોઈ. એકોક્તિપરાયણને પીઠબળ પૂરું પાડતા કર્તૃલક્ષી એકાધિકારની ટીકા કરી. આન્તરપાઠત્વ એકમાંથી અનેકમાં દોરી જનારું તત્ત્વ છે અને તેથી એકહથ્થુવાદનો ભાર નથી વેઠતું. વળી એથી હાંસિયામાં ચાલી ગયેલા આવિષ્કારોને એ ઝટ શોધી કાઢે છે, વ્હાલા કરે છે. પ્રસરણશીલ અનુ-આધુનિક દૃષ્ટિદોરને આન્તરપાઠત્વનો એ તરીકો ખાસ્સો માફક આવેલો, એ સમજાય એવું છે.

બખ્તિને દૉસ્તોએવ્સ્કીની નવલકથાસૃષ્ટિને ‘પોલિફોનિક' કહી – બહુધ્વનીય – એમનાં પાત્રો, એમને લેખકની પ્રતિભાનો ભાર વૅંઢારતાં ‘પાત્રો' નથી લાગ્યાં પણ વિવિધ વિચારો / મન્તવ્યોને જીવતાં સ્વાયત્ત ચરિત્ર લાગ્યાં છે. એવા દૃષ્ટિદોરે એમણે એપિક, લિરિક તેમ જ ટ્રેજેડીને કેન્દ્રવર્તી મહત્તા આપતી રેઢિયાળ સાહિત્યમીમાંસાને ઠમઠોરી છે અને નવલકથા તથા કૉમેડીનું નવેસરથી ગૌરવ કર્યું છે.

પાઠ પ્રકાશિત થતાં તેના કર્તાથી વિમુક્ત થાય છે. એ પછીનું એનું જી-વ-ન ખાસ વિચારણીય છે : દરેક પાઠને પોતાનો સંદર્ભ હોય છે. ટૅક્સ્ટમાત્રને પોતાનો કૉન્ટેક્સ્ટ હોય છે. એના અવતારને પ્રગટાવનારા પૂર્વવર્તી સંદર્ભો : દાખલા તરીકે : ‘સમૂળી કાન્તિ’, કિ. ઘ. મશરૂવાળા, ગાંધીયુગીન ગુજરાતી સાહિત્ય, ગુલામ ભારત …

Pic Courtesy : Medium

માન્યતા એવી છે કે એ પૂર્વવર્તી સંદર્ભનો જાણે કે લય થઈ ગયો. જેટલો કંઈ એ દેશકાળ હતો તે જાણે કે ભૂતકાળ થઈ ગયો. પણ એવું માનીએ ત્યારે ‘સમૂળી ક્રાન્તિ-પાઠ' સ્વરૂપે એ દેશકાળ જેટલો / જેવો હાજર છે એ હકીકતનું વિસ્મરણ થાય છે. પાઠના અવતારને ઝીલનારો પશ્ચાત્‌વર્તી સંદર્ભ; વર્તમાન અને ભવિષ્ય; બંને વખતે એને મળનારો ભાષકસમાજ; ભાષકસમાજમાંથી એને મળનારા પાઠકો … આ બધા જ વાનાં નિર્ણાયક હોય છે ને તેથી  ધ્યાનપાત્ર ગણાય.

આ બીજા સંદર્ભે થનારાં પાઠઝીલણ – સંક્રમણ – બહુવિધ હોવાનાં. કેમ કે પાઠકો બહુવિધ હોવાના – ગરજવાળા કે બેતમા – શ્રમસેવી કે પ્રમાદસેવી. એ જરૂર જરૂરી છે કે પાઠકો સહૃદયધર્મી હોય. હકીકત એ છે કે એવું ક્યારે ય હોતું નથી. પાઠકમાત્રને સાહિત્યધર્મે જોડી તેને તેનો ક્રિયાકાણ્ડી નથી કરી શકાતો.

જોડાયેલાઓમાં પણ વૈવિધ્ય છે – કેટલાક સહૃદયીઓ સુસજ્જ હોય છે તો કેટલાક નામના જ – વચ્ચેની દશાના, અધકચરા પણ ખરા. આ વાસ્તવિકતા છે તેથી સંક્રમણ-વૈવિધ્ય છે :

પાઠકર્તાને અભિપ્રેત અર્થ પાઠક ન પકડે.

પાઠ ન આપે પાઠકને અભિપ્રેત અર્થ એ પણ ખરું.

ક્યારેક પાઠક અતિ અર્થ કરે, ક્યારેક અલ્પ.

ના ચિત્તમાં કોઈ વાર અન્ય પાઠો જોડેની તુલનાઓ શરૂ થઈ જાય, ક્યારેક વિ-તુલનાઓ.

પાઠ-પઠનથી ક્યારેક એ સુખી થાય, ક્યારેક દુઃખી.

ક્યારેક એને સમાધાનો મળે, ક્યારેક વાંધા પડે.

વાતનો સાર એ છે કે વાસ્તવમાં પાઠ = પઠન તથા પાઠ = સંક્રમણ છે નહીં; એ માત્ર વિશફુલ થિન્કિન્ગ છે. અભરા અભરખા.

= = =

(April 19, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

प्रधानमंत्री संग्रहालय

कुमार प्रशांत|Opinion - Opinion|19 April 2022

कई बार तीनमूर्ति भवन गया हूं. जवाहरलाल की स्मृतियों को हर बार कई कोणों से निहारा है. हर बार यह पछतावा गहरा ही हुआ है कि इतना बड़ा परिसर, इतनी बड़ी कोठी और इतना सारा तामझाम आजाद भारत के सर पर थोप कर जवाहरलाल ने देश का क्या उपकार किया ? वह तामझाम देश के माथे लदा रह गया, जवाहरलाल नहीं रहे. 

तीनमूर्ति जाने पर इसके अलावा भी कुछ दिखाई देता था. सारे तामझाम के बीच जवाहरलाल के निजी जीवन की सादगी हैरान करती थी. वहां जो झलकता था वह था भारत को नया बनाने की दिशा में की गई  उनकी बेहिसाब जद्दोजहद. वह इतिहास ले कर हम वहां से लौटते थे. वह किसी व्यक्ति का या किसी पद का संग्रहालय नहीं था, एक दौर की दुनिया थी जिससे जुड़ने का अहसास वहां होता था.

अब तीनमूर्ति से जवाहरलाल की उस मूर्ति को प्रधानमंत्री की मूर्ति में बदल दिया गया है. ऐसा बताने की कोशिश की जा रही है कि जवाहरलाल कुछ विशेष नहीं थे, देश के प्रधानमंत्रियों में एक थे. ऐसी कोशिश करने वाले यह सीधी-सी बात भूल जाते हैं कि प्रधानमंत्री कोई भी बन सकता है, बनता ही रहा है लेकिन जवाहरलाल कोई भी नहीं बन सकता है.

मुझे पता नहीं है कि दुनिया में कहीं किसी पद का कोई संग्रहालय बना हुआ है या नहीं. संग्रहालय विस्मृत प्रकृति-प्राणियों के होते हैं; बीते जमाने के वैभव के होते हैं; ऐतिहासिक घटनाअओं के होते हैं या फिर उनके होते हैं जिनके ईर्द-गिर्द इतिहास आकार लेता है. कुर्सियों के संग्रहालय में संग्रह करने लायक और उससे आज के वक्त को मिलने लायक क्या होगा, मैं समझ नहीं पाता हूं.

सरकारी अधिकारियों/प्रशासकों के दफ्तरों में आप देखते होंगे कि एक तख्ती लगी होती है जिस पर वर्षानुक्रम से दर्ज होता है कि इस कुर्सी पर कौन, कब से कब तक बैठा; और आज उस पर जो महाशय विराजमान हैं उनका प्रारंभ-काल दर्ज होता है और अंतकाल की जगह खाली छोड़ी होती है जो इन महाशय को याद दिलाती रहती है कि आप भूतपूर्व बनने से कितनी दूर हैं. उस तख्ती का न तो दूसरा कोई मतलब होता है और न वह दूसरा कोई भाव जगाती है. काठ की वह तख्ती, काठ हो गए इतिहास का भी कोई संदेश नहीं दे पाती है. कुर्सियां इससे अधिक न कुछ जानती हैं, न कह सकती हैं.

प्रधानमंत्री की कुर्सियों का संग्रहालय क्या कहेगा हमसे ? यही न कि कौन, कब से कब तक इस कुर्सी पर बैठा ? इससे प्राइमरी स्कूल के बच्चों की किताब का एक पन्ना तैयार हो सकता है, देश का इतिहास नहीं जाना जा सकता है. यह संग्रहालय यह तो नहीं बताएगा कि कौन, किस परिस्थिति में, किस तिकड़म से इस कुर्सी पर बैठा और कितना अक्षम साबित हुआ ? इस बड़ी कुर्सी पर पहुंचने के लिए किसने कितने छोटे उपक्रम किए, क्या इस संग्रहालय में यह भी दर्ज होगा ? इतिहास में आपकी जो जगह नहीं है,उस पर काबिज होने की कोशिशों का यह खतरा है. आप बौने और कुर्सियां आदमकद हो जाती हैं.

किसी के मन में यह हीन भाव या अहंकार बैठा हो कि हमें जवाहरलाल के समकक्ष माना जाए, तो यह कैसे इतिहासप्रमाणित हो सकता है ? बहादुरी में, ज्ञान में, इतिहास-बोध में कोई पासंग तो हो ! देश के दूसरे सभी प्रधानमंत्रियों से जवाहरलाल अलग हैं तो इस अर्थ में कि उन्होंने बला कि दीवानगी से इस देश का इतिहास बनाया और उतनी ही शिद्दत से इसका वर्तमान सजाया. आजादी लाने व आजाद भारत बनाने का ऐसा योग सबके हिस्से में तो आ भी नहीं सकता है. जवाहरलाल ने परिवार और परिस्थिति, दोनों के विरुद्ध जा कर औजादी का सिपाही बनना चुना था. वे उसके सबसे चमकीले सिपाही-नायक रहे, अथक संघर्ष किया. दस वर्ष से ज्यादा की जेल काटी. प्रधानमंत्री की कुर्सी पर पहुंचने के कारण वे बड़े या चमकीले नहीं हुए बल्कि वे इतने बड़े व चमकीले थे इसलिए उन्हें वह जगह मिली.

गांधी की कसौटी इतनी सख्त थी कि उस पर खरा उतरना किसी के लिए भी, कहीं से भी आसान नहीं था. जवाहरलाल बार-बार उस कसौटी पर विफल भी होते हैं, फिसलते भी हैं लेकिन कभी हार नहीं मानते हैं. उनका यह हार नहीं मानना ही उन्हें गांधी का प्रिय बनाता गया. दोनों के बीच मतभेद थे. दोनों ने ही उन मतभेदों को कभी छिपाया या दबाया नहीं. गांधी अंतत: यहां तक गए कि नाता तोड़ लेने और दुनिया को यह भेद बता देने की बात कह दी. वह सारा इतिहास अभी यहां दर्ज नहीं किया जा सकता है. लेकिन यह तो दर्ज हो ही सकता है कि जद्दोजहद के उसी काल में कभी गांधी के पास राममनोहर लोहिया यह तीखी शिकायत ले कर गए कि आपने जवाहरलाल को सबसे अच्छा कैसे कह दिया ? गांधी ने बेझिझक, सीधा जवाब दिया : मैंने उसे सबसे अच्छा नहीं कहा; इतना ही कहा है कि मेरे पास जो हैं उनमें वह सबसे अच्छा है ! जवाहरलाल के बारे में गांधी का यही आकलन अंतिम था; और इतिहास का भी यही आकलन है.

आजाद भारत के पहले प्रधानमंत्री जवाहरलाल नेहरू से हमारे भी कई मतभेद हैं – गहरे व बुनियादी ! उनकी गलतियों को हम क्षमा कर सकते हैं जैसे किसी की भी गलतियों को क्षमा कर सकते हैं, करना चाहिए लेकिन जो अक्षम्य है वह यह है कि बगैर समझे-जाने-बूझे देश को गांधी की दिशा से उल्टी दिशा में वे ले गए जिसकी गहरी कीमत हम आज भी अदा कर रहे हैं. जिस देश में एक नई दुनिया बनाने की संभावना दुनिया ने देखी थी, वह धीरे-धीरे देशों की भीड़ में शामिल हो गया. लेकिन क्या यह अकेले जवाहरलाल की गलती थी ? तब तो देश का सारा तथाकथित बौद्धिक वर्ग, वैज्ञानिक व पंडित सब वाह-वाह कर रहे थे कि जवाहरलाल गांधी की दकियानूसी दिशा को छोड़ कर देश को आधुनिकता की तरफ ले जा रहे हैं. वैसे ही लोग आज भी तालियां बजा रहे हैं. अकेले जवाहरलाल नहीं थे जो ब्रितानी फौजी कमांडर की कोठी में रहने लगे थे, राष्ट्रपति से ले कर सारे राज्यपालों ने, मंत्रियों से ले कर नौकरशाही के सारे आला अधिकारियों ने अंग्रेजों के छोड़े जूते में आराम से पांव डाल लिये थे. गांधी दिल-दिमाग से निकाल कर दफ्तरों की दीवारों पर टांग दिए गए. यह सब भी है जो देखने वालों को तीनमूर्ति के नेहरू-संग्रहालय में दिखाई देता था. इतिहास को देखने की आंख भी और उसे सुनने के कान भी बनाने पड़ते हैं. यह अंधों का तोतारटंट नहीं है.

अब कुर्सियों का यह संग्रहालय न इतिहास बयान कर सकता है, न उसकी फिसलन, न उसकी कमजोरियां. वह ऐसा फोटो अलबम बना दिया गया है जिसमें किसी एक को उभारने की फूहड़ कोशिश की गई है. जितने ज्यादा फोटो उतना बड़ा आदमी; जितना ज्यादा शोर उतना गहरा ज्ञान जैसा समीकरण हमें भी और समाज को भी खोखला बनाता जा रहा है. ऐसी फूहड़ता किसी देश को विश्वगुरू नहीं बना सकती. वैसे विश्वगुरु बनने की आकांक्षा भी कैसी फूहड़ व खोखली आकांक्षा है !

(18.04.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

એક અવનવો પ્રકાશન પર્વ

દીપક મહેતા|Opinion - Opinion|19 April 2022

રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૨ની સવારે યોજાયેલ વર્ષા અડાલજાની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’ના પ્રકાશન પર્વ વખતે રજૂ કરેલું પ્રાસ્તાવિક વક્તવ્ય

આજથી ૫૩ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂન મહિનાનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે. વાદળાં ઘેરાયાં છે પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઓફિસેથી ઘરે આવે છે. પત્નીના મોં સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો બહાર કરતાં અહીં વધારે છે.

કેમ, શું ચાલે છે?

આ ભંગાર ચોપડી વાંચું છું, ટાઈમ પાસ કરવા, બીજું શું?

એના કરતાં તું જ એક સારી ચોપડી લખ ને!

હું? મને લખતાં ક્યાં આવડે છે?

પ્રખ્યાત લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.

અને બીજે દિવસે સાંજે પતિ મોંઘી દાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.

પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું, પણ પછી તો ધીમે ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી. થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું : એક નવલકથા લખી છે. પ્રકાશકે છાપી. ‘પાંચ ને એક પાંચ’ ૧૯૬૯માં પ્રગટ થઈ. જો કે બીજી લખાયેલી ‘શ્રાવણ તારાં સરવડાં’ તેની પહેલાં પ્રગટ થયેલી. અને પછી તો અંગ્રેજીમાં કહે છે એમ, The rest is history, sorry, the rest is HER story.

સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રોસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. વચમાંનાં ૪૮ વરસમાં બીજાં ૫૦ કરતાં વધારે પુસ્તકો પ્રગટ થયાં. અને હવે આવે છે ‘પગલું માંડુ હું અવકાશમાં.’ અત્યાર સુધીમાં સર્જનાત્મક ગદ્યના બધા પ્રકારો – નવલકથા, વાર્તા, રંગભૂમિ, રેડિયો, અને ટી.વી. માટેનાં નાટક અને એકાંકી, નિબંધ, પ્રવાસ વર્ણન – આ બધાંનાં અઢળક પુસ્તકો વર્ષાબહેને આપણને આપ્યાં. ખોટ હતી તો એક આત્મકથાની. હવે તેમણે એ ખોટ પૂરી કરી છે.

પહેલ કરવાનું તો વર્ષાબહેનને ગળથૂથીમાંથી મળ્યું છે. મરાઠી, બંગાળી, હિન્દી જેવી ભાષાઓની સરખામણીમાં ગુજરાતીમાં બહુ ઓછી સ્ત્રીઓએ આત્મકથા લખી છે. અને આજ પહેલાં આપણી કોઈ મોટા ગજાની લેખિકાએ તો આત્મકથા લખી નથી જ. બીજી પહેલ એ કે છાપેલા પુસ્તક રૂપે પ્રગટ થાય તે પહેલાં વર્ષાબહેનનું આ ‘પગલું’ ‘આપણું આંગણું’ બ્લોગની ડિજિટલ ભૂમિ પર પડ્યું અને ભારત ઉપરાંત અનેક દેશોમાં છવાઈ ગયું. ત્રીજી પહેલ, આપણી ભાષાની આત્મકથાઓમાં ચિત્રો, ફોટા, ભાગ્યે જ હોય છે. જ્યારે વર્ષાબહેનની આત્મકથા સચિત્ર છે. માત્ર પોતાના ફોટા નહિ, બીજી વ્યક્તિઓ, સંસ્થાઓ, સ્થાનો, પ્રસંગો વગેરેના ફોટાને કારણે વાચક લખાયેલા શબ્દ સાથે વધુ સહેલાઈથી સંકળાઈ શકે છે અને એક વીતેલો કાળખંડ તેની નજર સામે ઊભો થાય છે.

વર્ષાબહેનની આત્મકથા ગાંધીજીની આત્મકથાની વારસદાર છે? ના. એ વારસો લેવાનું કોઈ માટે શક્ય નથી. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’ના કુળની છે? ના, અહીં એવું કાવ્યાત્મક ગદ્ય નથી. ‘પગલું માંડું હું અવકાશમાં’ને  નજીકનું સગપણ હોય તો તે છે  કનૈયાલાલ મુનશીની આત્મકથા સાથે. મુનશીની આત્મકથાની જેમ જ વર્ષાબહેનની આત્મકથા પણ પાત્રો, પ્રસંગો, ભાવો, અનુભવોથી ભરપૂર છે. આ એક નખશિખ story tellerની આત્મકથા છે. અહીં ‘કથાકારની આત્મકથા’ એમ જાણી જોઈને નથી બોલ્યો. કારણ અત્યારે ગુજરાતીમાં સ્થિતિ એવી છે કે ‘કથાકાર’ શબ્દ સાંભળતાં વેંત ઘણાને ‘તલગાજરડા’ સાંભરી આવે છે.

છેલ્લે થોડી અંગત વાત. ગયું વરસ અમારી મૈત્રીની ષષ્ટિપૂર્તિનું હતું. વર્ષાબહેન સાથેનો પહેલો પરિચય ૧૯૬૧ના જૂનમાં અમે બંને જૂદી જૂદી કોલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારે થયેલો. વિલ્સન કોલેજની બહારના એચ રૂટના બસ-સ્ટોપ પર પહેલી વાર પરિચય થયેલો, બલકે અમારા બંનેના common friend રાજેન્દ્ર નાણાવટીએ કરાવેલો. વખત જતાં રાજેન્દ્ર સંસ્કૃતનો મોટો સ્કોલર બન્યો. વર્ષાબહેન મોટાં લેખિકા. પરિચય ક્યારે મૈત્રીમાં પરિણમ્યો એની તો ખબરે ન પડી. ફરકણો ફોન હાથવગો થયો તે પહેલાં ઘરમાં ડાઈનિંગ ટેબલથી થોડે દૂર ટેલિફોનનું કાળું ડબલું રહેતું. ફોન ઉપાડ્યા પછી ખુરસી ખેંચીને બેસું એટલે વંદના અચૂક પૂછે : ‘કોનો, વર્ષાબહેનનો ફોન છે ને?’ હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર વર્ષાબહેન સાથે ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. અલબત્ત, આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે.

આજનો આ કાર્યક્રમ એ પુસ્તકના ‘વિમોચન’નો નથી, ‘લોકાર્પણ’નો નથી. પણ પ્રકાશન પર્વનો છે. ‘વિમોચન’ શબ્દ સાંભળતાં મને તો જાણે ગાયને કસાઈવાડેથી છોડાવવાની હોય એવું લાગે છે. ‘લોકાર્પણ’માં તો નકરો દંભ છે. એ વખતે લોકોને પુસ્તકની નકલો મફતમાં થોડી મળે છે? આપણા શીખ ભાઈ-બહેનો ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ દિવસ ‘પ્રકાશપર્વ’ તરીકે ઊજવે છે. તેમાંથી પ્રેરણા લઈને ‘પ્રકાશન પર્વ.’ અને પર્વ એટલે ઉજવણી. આજનો આ કાર્યક્રમ એ મુલાકાત કે પ્રશ્નોત્તરીનો નથી. પણ ‘ગોઠડી’નો છે. અને ગોઠડીમાં વર્ષાબહેન સાથે જોડાયાં છે ઇલાબહેન અને ખેવના. આજના આ પ્રસંગ માટે જ ખાસ ચિંતનભાઈ અમદાવાદથી આવ્યા છે. ચિંતનભાઈ એટલે છેલ્લાં પચાસેક વરસથી વર્ષાબહેનનાં પુસ્તકોના પ્રકાશક આર.આર. શેઠની કંપનીની આજ. અને હંમેશની જેમ અડખેપડખે ઊભા રહ્યા છે લલિતભાઈ. આ સૌનો અને આપ સૌનો આભારી છું.

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...1,5221,5231,5241,525...1,5301,5401,550...

Search by

Opinion

  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved