(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)
મને યાદ આવ્યું કે બાળપણમાં ચિત્રમાં ડુંગરાની પાછળ સૂરજ બતાવવો હોય તો હું એ વર્તુળની ચોપાસ કિરણ બતાવનારી લીટીઓ ફેલાવી દેતો. હું ધારું છું કે એ વયે અન્ય મિત્રો પણ એમ જ કરતા’તા.

એ યાદને કારણે આજકાલ મને એમ લાગ્યા કરે છે કે સૂર્ય પ્રસરણશીલ છે; એનું તેજ દસે દિશામાં પ્રસરેલું છે; જો સૂર્ય એમ ફેલાયેલો ન હોત તો પોતાના તેજથી પ્રગટેલી ગરમીથી ક્યારનો ઑગળીને ઑલવાઈ ગયો હોત.
મારા “અનુ-આધુનિકતાવાદ અને આપણે” (૨૦૦૮) પુસ્તકમાં અનુ-આધુનિકતાને મેં પ્રસરણશીલ કહી છે.
મુદ્દો ગ્રાન્ડ નૅરેટિવના – મહા વૃતાન્તના – નિરસનનો છે, લિટલ નૅરેટિવના – લઘુ વૃતાન્તના – સર્જન અને પ્રાગટ્યનો પણ છે. જે વિચારધારા જામી પડી હોય અને સૈકાઓ કે દસકાઓ લગી ખૂબ ઝિલાયા કરતી હોય, એને વિશે પ્રશ્ન થવો જોઈએ. કેમ કે એ કેન્દ્રસ્થ આચારવિચારે સંલગ્ન વસ્તુઓને હાંસિયામાં ધકેલી દીધી હોય છે.
દેરિદા એમ કહેતા હતા કે એવી સૅન્ટ્રલાઈઝ્ડ અને માર્જિનાલાઇઝ્ડ સિચ્યુએશનનું ડિકન્સ્ટ્રક્શન થવું જોઈએ – વિઘટન. સાદી રીતે એમ કહેવાય કે એકમેવવાદનું – મૉનિઝમનું – વિઘટન થવું જોઈએ. ચિરકાલીન સંઘટ્ટનને તળેઉપર કરી નાખવું જોઈએ.
સાહિત્યમાં આધુનિકતાવાદ એક મહા વૃતાન્ત હતો, કેટલાકને મતે હજી છે. લ્યૉતાર્ જેવા ફિલસૂફો અને અનુ-આધુનિક સંવેદનાથી વિકસેલા સમાજો મહા વૃતાન્તને આધુનિકતાનું ક્વિટેન્શયલ ફીચર ગણે છે – સારતત્ત્વરૂપ લક્ષણ.
પ્રયોગોના અપવાદે મોટા ભાગનું આધુનિકતાવાદી સાહિત્ય એની હકૂમત હેઠળ વિકસ્યું હતું.
હું ઉદાહરણ આપું કે ‘ચાળીસી દરમ્યાનના “નવ્ય વિવેચકો” સામાન્યપણે એવી જ કૃતિઓની શોધમાં રહેતા હતા, એવી જ કૃતિઓનો મહિમા કરતા હતા, જેમાં એ સારતત્ત્વની સમ્પુષ્ટિ થતી હોય. એઓએ કૃતિની સ્વાયત્તતા સિવાય કશાયનો સ્વીકાર નહીં કરેલો, હમેશાં કૃતિલક્ષી રહેલા, એમને કર્તાના ઐતિહાસિક કે સામાજિક સંદર્ભોની પરવા ન્હૉતી કરી. રચનાની વાત કરનારી એમણે અખત્યાર કરેલી વિવેચનાત્મક પ્રવૃત્તિ પણ ‘ઑન ધ પેજ’ હતી – એટલે કે પેજ પર છપાયેલી કૃતિના જ વિશ્વમાં રહેવું, શબ્દ શબ્દ વચ્ચેના સમ્બન્ધોથી જન્મતા અર્થોની જ શોધમાં રહેવું, ‘ઑફ્ફ ધ પેજ’ જવું જ નહીં, વગેરે.
સંરચનાવાદે અને અનુ-આધુનિકતાવાદે એ એકમેવવાદને, એ મૉનિઝમને, તોડ્યું.
કોઈ પણ મહા વૃતાન્ત એકહથ્થુવાદ સરજે છે. રાજાશાહીમાં, સામન્તશાહીમાં કે સ્ટાલિનના સામ્યવાદમાં એકહથ્થુવાદ બેશુમાર હતો. કાળક્રમે એ બધી શાસનપ્રણાલિઓ સદાને માટે અસ્ત થઈ ગઈ.
લોકશાહીય પ્રણાલિમાં એકહથ્થુવાદને પ્રવેશ નથી, કેમ કે લોકશાહીનું મૂળભૂત રસાયન વૈયક્તિક મત છે અને મત પ્રસરણ કે બદલાવ બાબતે હમેશાં નિર્ણાયક હોય છે. લોકશાસકો, પાર્ટી અને મેઇન લીડર્સ એકહથ્થુ બની જતા હોય છે પણ એનું હલ મત છે. પાર્ટીસિપન્ટ મતભિનન્તાને મુદ્દે પાર્ટી છોડી દઈ શકે છે, પ્રજામત શાસન બદલી શકે છે. એ જુદી છતાં ગમ્ભીર વાત છે કે મત કુશાગ્ર એવી વિવેકબુદ્ધિ માગે છે; એ ન હોય તો લોકશાહી પણ નિષ્ફળ થવા માંડે છે.
કોઈ પણ જ્ઞાનધારા સ્વકેન્દ્રિત થઈ જાય છે, સ્વમહિમામાં જ વિકસે છે, ત્યારે પોતાના જ ભારથી બેસી પડે છે. સમજાય એવું છે કે પગ અને બાહુ ફેલાવીને ઊભેલો માણસ પોતાના ભારને ખમી શકે છે, ભેગા હાથ-પગવાળો થાકી જાય છે.
મેં એક મિત્રને પણ આ પ્રસરણની વાત કરી. મેં કહ્યું : પૃથ્વી પરના દરેક મનુષ્યની આસપાસ બે પરિસ્થિતિઓ હોય છે – સુખદ – દુ:ખદ. દિવસ દરમ્યાન એના જીવનમાં બન્નેની આવનજાવન ચાલુ હોય છે. પણ માણસ જો એકલી સુખદ વાતોને જ વળગ્યો રહે તો ત્યાં જ અટકી પડે, વળી એને દેખાય નહીં કે ગોકળગાયની ગતિએ પાછળ દુ:ખ પણ આવી રહ્યું છે. દુ:ખો દરેકને હોય જ. જો એ દુ:ખોનું જ ગાણું ગાયા કરે, દુ:ખદાયક ઘટનાઓને તેમ જ એ ઘટનાના કર્તાઓને જ યાદ કર્યા કરે, તો એનો દિવસ તો ખરાબ જાય જ પણ રાતે એને ઊંઘ પણ સરખી ન આવે. મન હૃદય અને આત્માથી એ દુ:ખો સાથે જ ચૉંટેલો રહે. એને એ સંભવની ખબર ન પડે કે નવી સવાર તે દિવસનાં સુખો લઈને આવવાની હોય !
સાર એ છે કે સુખદ, દુ:ખદ, એ બન્ને પરિસ્થતિઓમાં માણસની મુક્ત હરફર ચાલુ રહેવી જોઈએ. એના ચિત્તે કોઈ એકમાં નહીં પડી રહેવાનું.
આખો વિચારવિમર્શ સ્થૈર્ય અને પ્રસરણના નિદર્શન પર – મૉડેલ પર – ઊભો છે. એની સહાયથી વાતને વિકસાવીને વિઘટનના અને લઘુ વૃતાન્ત-સર્જનના મુદ્દાનું નિરૂપણ કરવું બાકી છે, હવે પછી.
(September 21, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


21 ડિસેમ્બર 1991ના રોજ, સોવિયત સંઘના અગિયાર રાજ્યોના વડાઓ કઝાકિસ્તાનની રાજધાનીમાં ભેગા થયા હતા. તેમની સામે બે કામ હતાં; સોવિયત સંઘની કેન્દ્રિય નેતાગીરીમાંથી આઝાદ થવાની ઘોષણા પર હસ્તાક્ષર કરવા અને સંઘના અંતિમ પ્રેસિડેન્ટ મિખાઈલ ગોર્બાચેવની નિવૃત્તિની યોજના બનાવવી. એ યોજનામાં, તેમને રહેવા માટે ઘર, તેમના ફાઉન્ડેશન માટે જગ્યા અને દર મહિને 140 ડોલરનું પેન્શન આપવાનો સમાવેશ થતો હતો.
એંસીના દાયકાથી જે લોકો પરિચિત હશે, તેમને તે વખતનાં વર્તમાનપત્રો અને પત્રિકાઓમાં આવતા બે શબ્દો યાદ હશે; ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા. આ બે રશિયન શબ્દોમાં ગોર્બાચોવની બહુ ચર્ચીત રાજકીય કારકિર્દીનો સમાવેશ થાય છે. 1985માં ગોર્બાચેવ સોવિયત સંઘની કમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી બન્યા, તેના થોડા જ વખતમાં તેમણે આ બે શબ્દોને પ્રચલિત બનાવ્યા હતા. ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું અને પેરિસ્ત્રોઈકા એટલે પુનર્નિર્માણ.
गांधी सारी दुनिया में हैं – मूर्तियों में ! एक जानकारी बताती है कि कोई 70 देशों में गांधीजी की प्रतिमा लगी है. भारतीय सामाजिक-राजनीतिक जीवन में गांधी 1917 में प्रवेश करते हैं और फिर अनवरत कोई 31 सालों तक, अहनिर्श संघर्ष की वह जीवन-गाथा लिखते हैं जिसे हिंदुत्व की धारा में कु-दीक्षित नाथूराम गोडसे की तीन गोलियां ही विराम दे सकीं. लेकिन एक हिसाब और भी है जो हमें लगाना चाहिए: कितने देशों में गांधी-प्रतिमा को खंडित करने की वारदात हुई है ? संख्या बड़ी है. गांधी के चंपारण में, मोतिहारी के चर्खा पार्क में खड़ी गांधी की मूर्ति पिछले दिनों ही खंडित की गई है. ऐसे चंपारण दुनिया भर में हैं. अमरीका में अश्वेतों ने भी, ‘ब्लैकलाइफ मैटर्स’ जुंबिश के दौरान गांधी-प्रतिमा को नुकसान पहुंचाया था. ऐसी घटनाओं से नाराज या व्यथित होने की जरूरत नहीं है. फिक्र करनी है तो हम सबको अपनी फिक्र करनी है जो लगातार गहरी फिक्र का बायस बनती जा रही है.
जब मैं हिंदुत्व की बात कहता हूं तब मेरा आशय अंध-संकीर्णता से है. यह संकीर्णता भी दुनिया भर में फैली है, बढ़ रही है. इंग्लैंड ने ऋषि सुनक की जगह लिज़ ट्रस को प्रधानमंत्री चुनना ऐसी ही संकीर्णता का ताजा उदाहरण है. कंजरवेटिव दल के सदस्य श्वेत चमड़ी व ब्रिटिश मूल की अवधारणा से चिपके हैं जबकि ब्रिटिश जनता ज्यादा उदारता से सोचती व बरतती है. सभी जानते हैं कि यदि ब्रिटेन में आज आम चुनाव हो जाए तो सुनक की जीत होगी. सुनक अच्छे प्रधानमंत्री होंगे कि ट्रस, सवाल यह है ही नहीं. सवाल यह है कि संकीर्णता फैल रही है कि उदारता ? लगता है कि सारी दुनिया में यह दौर संकीर्णता को सर पर उठाए घूम रहा है. यह संकीर्णता सत्ता की ताकत पा कर ज्यादा हमलावर व ध्वंसकारी होती जा रही है. इसी ने तो गांधी को गोली भी मारी थी न ! गोली से गांधी मरे नहीं; बहुत व्यापक हो गए. उनकी सांस्कृतिक व सामाजिक-राजनीतिक स्मृतियां भारतीय मन में जड़ जमा कर बैठ गईँ. संकीर्ण सांप्रदायिकता ने ऐसे परिणाम की आशा नहीं की थी. इसलिए अब सत्ताप्रेरित संकीर्णता उनकी उन सारी स्मृतियों को पोंछ डालना चाहते हैं जिससे उसकी क्षुद्रता-विफलता सामने आती है. गांधी के खिलाफ तब वामपंथियों ने चेयरमैन माओ का प्रतीक खड़ा किया था, हिंदुत्व वाले नाथूराम गोडसे का प्रतीक खड़ा करने में जुटे हैं. हम याद रखें कि इन सबके अपने-अपने गोडसे हैं. सब अपने प्रतीक को खड़ा कर रहे हैं लेकिन जो खड़ा नहीं हो पा रहा है और जिसे खड़ा करने में किसी की दिलचस्पी भी नहीं है वह है लोकतंत्र का आम नागरिक. गांधी इसी की हैसियत बनाने व बढ़ाने में जीवनपर्यंत लगे रहे.