શતરંજ પર આવતી આવતી કવિતા
અટકીને પડી છે
ઘોડાથી માંડ અઢી ડગલાં છેટે.
ચોસઠ યોજનના ઘેરાવામાં
ઊતરી આવી છે કશાક માતમની કાલિમા.
કાળા ઘોડાની ત્રાંસમાં
પહેલેથી જ ગોઠવાયેલું છે ધોળું ઊંટ.
ધોળા હાથીને કાળા વજીરની ધાક છે
નહીં તો ક્યારનું ચગદી નાખ્યું હોત કાળા ટટ્ટુને.
કાળા ઘોડાની આજુબાજુ આસ્તેથી
ગોઠવાઈ ગયાં ધોળાં પ્યાદાં.
ફિકરમાં ને ફિકરમાં ભૂલી બેઠો છે કાળો ઘોડો
એની ખદડુક ચાલ.
વજીરની આડમાંથી આ બધું
જોયું ન જોયું કરતો રાજા
હમણાં તો સલામત છે.
____________
*શતરંજનો રાજા જ્યારે સંકટમાં ઘેરાઈ જાય છે ત્યારે ‘દુર્ગાશ્રય’ (કેસલિંગ) નામની એક ચાલ ખેલાડી ચાલે છે. શેતરંજની ડાબી કે જમણી બાજુએ ખૂણામાં રાજાને ગોઠવી તેને હાથી અને ઊંટની આડશમાં વજીરના સંરક્ષણમાં મુકવામાં આવે છે. આ કાવ્ય કેસલિંગ ચાલની એક છબી છે.
____________________
‘ એતદ્’ : 235 : સપ્ટેમ્બર 2022માં પ્રગટ.
સૌજન્ય : રમણીકભાઈ અગ્રાવતની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિન તા.18-10-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવા જઈ રહેલા આચાર્ય દેવવ્રતની એક લાંબી મુલાકાત છપાઈ છે. આ આખી મુલાકાત મોટે ભાગે પ્રાકૃતિક ખેતી, ગાય અને પર્યાવરણના મુદ્દા પર કેન્દ્રિત છે. જો કે, આ મુલાકાતમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી વિષે પણ થોડાક મુદ્દા છે. તેમણે આ બંને વિષે જે કંઈ કહ્યું છે તેને વિષે સહેજ ટિપ્પણ :