Opinion Magazine
Number of visits: 9448740
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2023

રમેશ ઓઝા

ચૂંટણી જાહેર થાય એ પછી કયા પક્ષ માટે, કે ગઠબંધન માટે, કેટલી અનુકૂળતા છે અને કેટલી પ્રતિકૂળતા છે એનું આખું તર્કશાસ્ત્ર જો ચૂંટણીનું પ્રત્યક્ષ પરિણામ ધારવા કરતાં વિપરિત આવે તો એ પછી બદલાઈ જતું હોય છે. આવો અનુભવ ભારતના પત્રકારોને અને રાજકીય નિરિક્ષકોને ૧૯૮૯થી થઈ રહ્યો છે. મંડલ, કમંડલ અને એ બન્નેમાં મધ્યમવર્ગની વગ વિસ્તરી એ પછીથી ચૂંટણીકીય પરિણામો વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ બની ગયું છે. ૧૯૮૯ પહેલાં સર્વે અને એક્ઝીટ પોલ સાચા પડતાં હતાં કારણ કે સમાજ આજ જેટલો સંકુલ નહોતો. લોકોની આકાંક્ષાઓ અને સ્વાર્થને અનુલક્ષીને સમીકરણો બદલાતા રહે છે. માટે ચૂંટણી પહેલા મલ્લીનાથી કરનારા પત્રકારો અને રાજકીય સમીક્ષકોને શીર્ષાસન કરવું પડે છે.

સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે કૉંગ્રેસ ભારે બહુમત સાથે તેલંગાણા મેળવશે, પાતળી બહુમતી સાથે મધ્ય પ્રદેશ મેળવશે, ઠીક ઠીક બહુમતી સાથે છત્તીસગઢ જાળવી રાખશે અને રાજસ્થાનમાં પરાજિત થશે. એ પછી વળી અનુમાન કરવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં કાઁગ્રેસ ભારે મુકાબલો કરી રહી છે અને લડાઇ હિન્દીભાષી પત્રકારોનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીએ તો લડાઇ કાંટે કી હોગી.

પણ એવું બન્યું નહીં. એક માત્ર તેલંગાણા છોડીને કૉંગ્રેસ નિષ્ફળ નીવડી અને બધાં અનુમાનો ખોટાં પડ્યાં. તેલંગણામાં વિદાય લેતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવનો ભદ્દી રીતે નજરે પડે એવો ઉઘાડો પરિવારવાદ અને ઊપરથી ભ્રષ્ટાચાર એવો હતો કે લોકોની અંદર અભાવ પેદા થયો હતો. સામે બી.જે.પી.એ કાઁગ્રેસને હરાવવા કે.સી.આર.ને નકલી લડાઇ દ્વારા છૂપો ટેકો આપ્યો હતો જેનો લાભ કાઁગ્રેસને મળ્યો હતો. હવે કે.સી.આર.ના બી.જે.પી. અને ઇન્ડિયા એલયાન્સથી સમાન અંતર રાખીને રાષ્ટ્રીય નેતા બનવાનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. કે.સી.આર. પોતે બેમાંથી એક બેઠક પર પરાજિત થાય છે. કે.સી.આર. દેવગોવડાના માર્ગે લોકસભાની ચૂંટણી માટે બી.જે.પી. સાથે સમજૂતી કરશે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

રાજસ્થાનમાં કૉંગ્રેસ ભલે જીતે નહીં, પણ જબરદસ્ત લડત આપશે એવા અનુમાનનું કારણ એ હતું કે રાજસ્થાનમાં બી.જે.પી.નાં કદાવર નેતા વસુંધરા રાજે સિંધિયાને બી.જે.પી.ના કેન્દ્રીય નેતૃત્વએ કિનારે કર્યાં હતાં અને તેને કારણે તેઓ નારાજ હતાં. તેઓ અંદરખાનેથી મુખ્ય પ્રધાન ગેહલોતને મદદ કરી રહ્યાં છે એમ માનવામાં આવતું હતું. બીજું કાઁગ્રેસના કેન્દ્રીય નેતાઓએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે સમજૂતી કરાવી હતી અને તેઓ બન્ને જાહેરમાં તો રામ લક્ષ્મણની માફક બંધુભાવનું પ્રદર્શન કરતા હતા. પણ પરિણામ જોતાં બે ચીજ નજરે પડી રહી છે. વસુંધરા રાજે કાં તો એટલાં નારાજ નહોતાં જેટલાં માનવામાં આવતું હતું અથવા તેમની વગ નરેન્દ્ર મોદીની લોપ્રિયતા અને અમિત શાહની રણનીતિ સામે ઝાંખી પડી છે. બી.જે.પી. કોને મુખ્ય પ્રધાન બનાવે છે એના પરથી આનો જવાબ મળી રહેશે. બીજું રાજસ્થાનની ત્રણ દાયકા જૂની પરંપરા છે કે કોઈ પક્ષને રાજસ્થાનના મતદાતાઓ બીજી મુદ્દત આપતા નથી. એટલે પણ બી.જે.પી.નો વિજય આશ્ચર્યજનક નથી.

મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના પરાજયનું કારણ વધારે પડતો વિજયનો ભરોસો લાગે છે. પ્રારંભથી જ પક્ષ એમ માનીને ચાલતો હતો કે મધ્ય પ્રદેશમાં વિજય નિશ્ચિત છે. કાઁગ્રસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ તો એવી રીતે વર્તતા હતા કે જાણે મુખ્ય પ્રધાનપદની વરમાળા તેમના ગળામાં છે. આ સિવાય ભલે મોડે મોડેથી પણ નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું હતું કે મામા ઉર્ફે શિવરાજ સિંહ ચૌહાણ વિના વૈતરણી પાર ઉતરે એમ નથી. બી.જે.પી.એ મામાને રાજી કરીને તેમને સુકાન સોંપી દીધું હતું અને મામાએ નૈયા પાર ઊતારી હતી. પણ વિજય મેળવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કે કેમ એ સવાલ છે. જો ન બનાવે તો આશ્ચર્ય નહીં પામતા.

છત્તીસગઢનાં પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. રાજ્યના મુખ્ય પ્રધાનનું શાસન પ્રસંશનીય હતું. ખરું પૂછો તો આજના યુગમાં દાખલારૂપ હતું. ત્યાં બી.જે.પી.નો વિજય થયો છે. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં બી.જે.પી.ને મત આપ્યા છે એ બતાવે છે કે હિન્દુત્વનું રાજકરણ જંગલ સુધી પહોંચ્યું છે.

એકંદરે જોઈએ તો કાઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ. આત્મવિશ્વાસનો દેખાવ અને આત્મવિશ્વાસ પર ભરોસો એ બે જૂદી વસ્તુ છે. બી.જે.પી. આત્મવિશ્વાસનો દેખાવ કરે છે પણ તેનાં પર ભરોસો રાખીને પક્ષ સુસ્ત નથી રહેતો. હાર નજરે પડતી હોવા છતાં છેલ્લા બોલ સુધી પૂરી તાકાત સાથે લડવામાં તે માને છે. કર્ણાટકમાં આ જોવા મળ્યું હતું અને મધ્ય પ્રદેશ તેમ જ છત્તીસગઢમાં તેણે હારને વિજયમાં ફેરવી દીધી. બી.જે.પી. પાસે આર.એસ.એસ.ની કેડર છે અને કાઁગ્રેસ પાસે ગ્રામીણસ્તરે સંગઠનનો અભાવ છે. કાઁગ્રસે નીચેથી પક્ષબાંધણી કરવી પડે એમ છે.

રહી વાત ૨૦૨૪ની તો ૨૦૨૪ની લડત ઇન્ડિયા એલયન્સ માટે ધારે છે એટલી આસાન નહીં હોય એ આ પરિણામોએ બતાવી આપ્યું છે. વિરોધીઓએ નરેન્દ્ર મોદીની ત્રીજી મુદ્દત માટે મનોમન તૈયારી કરવી રહી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 ડિસેમ્બર 2023

Loading

10 December 2023 Vipool Kalyani
← આપણે  
શિક્ષકો વગર શિક્ષણ આપવામાં ગુજરાત મોખરે છે …  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved