Opinion Magazine
Number of visits: 9449349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીનને લાગે છે તેના દિગ્વિજયને કોઈ રોકે તેમ નથી, ભારત પાસે છે જવાબ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2020

૨૦૧૦ની સાલ સુધીમાં ચીન અને ભારતનાં નામ સાથે લેવામાં આવતાં હતાં. આ બન્ને દેશોને એશિયન ટાઈગર્સ તરીકે ઓળખાવવામાં આવતા હતા. પરંતુ ૨૦૧૦ પછીથી ભારતની ગાડી પાટેથી ઊતરી ગઈ. એક કારણ હતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન. ડરના માર્યા શાસકો અને અધિકારીઓ નિર્ણયો લેવાનું ટાળવા માંડ્યા હતા. ૨૦૧૦થી લઈને ૨૦૧૪ સુધીમાં ભારતમાં જાણે કે કોઈ સરકાર જ નહોતી. એમ કહી શકાય કે શાસનનો અક્ષરશ: શૂન્યાવકાશ હતો. એ તો તમે જાણો જ છો કે જે જે બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને આંદોલન થયાં હતાં એ બાબતે કોઈ ભ્રષ્ટાચાર અદાલતોમાં સાબિત થયો જ નથી. એક પણ આરોપ સાચો સાબિત નથી થયો પછી તે સ્પેક્ટ્રમ હોય કે કોલસાની ખાણોની ફાળવણીનો મુદ્દો હોય. અત્યારે એમ લાગે છે કે એ કૉન્ગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતે ચાર વરસ વેડફી નાખ્યાં અને ચીનને મોકળું મેદાન મળી ગયું.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સ્થિર સરકાર આવી ત્યારે એમ લાગતું હતું કે હવે વેડફાયેલાં વર્ષોનું સાટું વાળવામાં આવશે, પરંતુ અનુભવ એનાથી જુદો થયો. ચીન અને ભારત વચ્ચેનું અંતર દૂર કરવાની વાત બાજુએ રહી, તેમણે નોટબંધીનું દુસાહસ કરીને અંતર ઊલટું વધાર્યું. આટલું ઓછું હતું એમ જટિલ જી.એસ.ટી. લાગુ કરીને ભારતના અર્થતંત્રની ગતિ હતી એ પણ તોડી નાખી. આ સિવાય અનુભવ એમ કહે છે કે બી.જે.પી.ની વર્તમાન હિંદુ રાષ્ટ્રવાદી સરકારને હિંદુ રાષ્ટ્રવાદ સિવાય બીજા કશામાં રસ નથી અને બીજી કશી આવડત પણ નથી. ૨૦૧૦ અને ૨૦૨૦. એક દશકને અંતે સ્થિતિ એવી છે કે ભારત હવે ચીનને નજીકના ભવિષ્યમાં આંબી શકે એમ નથી. ટૂંકમાં એશિયન ટાઈગર તરીકેની ભારતની સ્ટોરી નિષ્ફળ સ્ટોરી છે આને માટે ભારતના શાસકો જવાબદાર છે.

જગત આખાના વિકસિત દેશો મંદીના શિકાર છે અને વિકાસશીલ દેશોમાં જેના ઉપર આખા જગતની આશા હતી એ ભારત શિવધનુષ ઊંચકવામાં નિષ્ફળ નીવડ્યું છે. આની હવે અણધાર્યી પ્રતિક્રિયા પેદા થઈ છે. જગત આખાને એમ લાગવા માંડ્યું છે કે ચીનની સક્સેસ સ્ટોરી લોકતંત્રના અભાવની સ્ટોરી છે. હવે જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રજાને એમ લાગવા માંડ્યું છે કે આપણે લોકતાંત્રિક રીતરસમોને કારણે ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી અને આપણે પાછળ રહી ગયા છીએ અને ચીન આગળ નીકળી ગયું છે. જે ચીનની એક સમયે લોકતંત્રના અભાવ માટે નિંદા કરવામાં આવતી હતી એનું હવે અનુકરણ કરવામાં આવી રહ્યું છે.

ઓછું લોકતંત્ર ચાલશે, ઓછા નાગરિક અધિકારો ચાલશે, અંકુશિત-નિયંત્રિત સમાજ ચાલશે; પણ ઝડપી, આક્રમક અને હિંમતભર્યા નિર્ણયો જોઈએ. જુઓ આપણે મૂલ્યોનું જતન કરતા રહ્યા અને ચીન આગળ નીકળી ગયું. ભારતે હમણાં જમીનના અને મજદૂરીના કાયદામાં જે સુધારો કર્યો એ બીજું કાંઈ જ નથી પણ ચીનનું અનુસરણ છે. લોકતંત્ર જાળવી રાખીને વિકાસનું સક્સેસફૂલ મોડલ શક્ય છે અને ભારત એ જગતને આપી શકે એમ છે એવી ભારત પાસેથી જગતની અપેક્ષા હતી, પણ એની જગ્યાએ ભારત આજે કુંઠિત લોકતંત્રના ચીનના મોડેલને અપનાવે એ શરમની વાત છે. 

જો ભારતે અમૂલ્ય વર્ષો સંસદ નહીં ચાલવા દેવામાં, ભ્રષ્ટાચારના ખોટા ગોકીરામાં અને વિકાસની જગ્યાએ હિન્દુ રાષ્ટ્રવાદની પાછળ વર્ષો ન બગાડ્યાં હોત અને લોકતંત્ર અને લોકતાંત્રિક જીવનમૂલ્યો જાળવી રાખીને એક આદર્શ સક્સેસ સ્ટોરીનો જગતને પરિચય કરાવ્યો હોત તો મને એમ લાગે છે કે ભારતની પ્રતિષ્ઠા ક્યાં ય હોત. ભારતની પ્રતિષ્ઠા હતી જ. ભારત તરફ જગત આશાની નજરે જોતું પણ હતું, પરંતુ આપણે ઊણા ઉતર્યા. સત્તાંધ સંસદીય રાજકારણે ભારતને પરાજીત કર્યું. દેશ ભલે પાછળ રહી જાય પણ સત્તા બીજાને ન મળવી જોઈએ કે પછી કોઈ પ્રકારની સિદ્ધિનો જશ બીજા કોઈને ન જવો જોઈએ.

અર્થતંત્રની દોડમાં જપાન ક્યારનું ય પરાજીત થયું છે. ભારતે સામે ચાલીને આત્મઘાત કર્યો અને હવે અમેરિકા અને યુરોપના દેશો પણ પરાજીત થયા છે. ચીનની અત્યારની હરકતો જોતાં એમ લાગે છે કે ચીન મદમાં છે. ચીન ઉતાવળમાં છે. ચીનને અત્યારે એમ લાગવા માંડ્યું છે કે હવે ચીનના દિગ્વિજયને કોઈ રોકી શકે એમ નથી. ચીને એક સાથે અનેક મોરચા ખોલ્યા છે. ચીનની અંદર હોંગકોંગની પ્રજાને લોકતંત્રનું આપેલું વચન પણ ચીન તોડી રહ્યું છે. આમાં કોરોના વાઈરસનું રહસ્ય શંકા પેદા કરે એવું છે. વાઈરસ ચીનમાં પેદા થયો હતો અને જ્યાં વાઈરસ પેદા થયો એ દેશ અત્યારે લગભગ વાઈરસમુક્ત છે અને જગત આખાને પરેશાન કરી રહ્યો છે. ચીન એનો લાભ લઈ રહ્યું છે.

લાગ જોઇને ચીને લડાખમાં ભારતની ભૂમિમાં પ્રવેશ કર્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2020

Loading

5 November 2020 admin
← રાજનીતિનું અપરાધીકરણ, અપરાધની રાજનીતિ
મરી નથી જતાં ત્યાં સુધી તો વૃદ્ધોને જીવવા દો ! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved