Opinion Magazine
Number of visits: 9448947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છત્તીસગઢમાં આદિવાસીઓએ મોટા પ્રમાણમાં મતદાન કરીને બતાવી આપ્યું છે કે તેઓ નક્સલવાદીઓના પ્રભાવમાં નથી અને તેઓ તેમનો સાચો ચહેરો પણ જાણે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 November 2018

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકો માટે થયેલા પહેલા તબક્કાના મતદાને સુખદ આશ્ચર્ય પેદા કર્યું છે. સરેરાશ ૭૬.૨૮ ટકા મતદાન થયું છે જે ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ જેટલું જ છે અને કેટલાક મતદારક્ષેત્રોમાં તો તેનાથી પણ વધુ છે. ખાસ નોંધવા લાયક વાત એ છે કે આ વખતે નકસલવાદીઓએ મતદાનનો બહિષ્કાર કરવાના આપેલા કોલની આદિવાસીઓએ અવગણના કરી હતી અને મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. સાધારણપણે એવું માનવામાં આવે છે કે જ્યારે મતદાન મોટા પ્રમાણમાં થતું હોય છે, ત્યારે રાજકીય આશ્ચર્યો સર્જાતાં હોય છે. આ વખતની ચૂંટણીમાં છત્તીસગઢમાં થયેલું ભારે મતદાન કઈ રીતનાં આશ્ચર્યો સર્જશે એ ૧૧મી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. બીજું, હજુ બીજા મતદારક્ષેત્રમાં મતદાન થવાનું બાકી છે. ત્યાં પણ આટલી સરેરાશ જળવાઈ રહે છે કે કેમ એ હવે પછી ખબર પડશે. જો દરેક જગ્યાએ બહોળા પ્રમાણમાં મતદાન થશે તો આ વખતે આશ્ચર્ય સર્જાઈ શકે છે.

ચર્ચાનો વિષય મતદાનનું પ્રમાણ અને પરિણામ નથી, પરંતુ નક્સલવાદીઓના પ્રભાવનો છે. સાધરણ રીતે નકસલવાદીઓ ચૂંટણીની પ્રક્રિયામાં વચ્ચે આવતા નથી. તેઓ ચૂંટણી લડતા નથી અને કોઈને ચૂંટણી લડતા રોકતા પણ નથી. ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ ઘણું કરીને તેમણે પહેલી વાર આપ્યો છે. આનો અર્થ એવો નથી કે તેઓ લોકતંત્રમાં વિશ્વાસ ધરાવે છે. આના બીજા જે અર્થ થાય છે એ અહીં સમજવા જેવા છે.

બસ્તરમાં, ઝારખંડમાં, તેલંગણામાં, ગડચિરોલીમા જ્યાં પણ નકસલવાદીઓનો પ્રભાવ છે ત્યાં પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણી નિર્વિઘ્ને થાય છે અને તેમાં નકસલવાદીઓ કોઈ અવરોધ પેદા કરતા નથી. કોઈક પ્રકારની રાજકીય સમજૂતી નક્સલીપ્રભાવ ક્ષેત્રોમાં જોવા મળે છે. રાજકીય પક્ષો નક્સલી પ્રભાવક્ષેત્રમાં સક્રિય છે, લોકોની વચ્ચે જાય છે, રાજકીય કામ કરે છે અને ચૂંટણી પણ લડે છે. જો લોકતંત્ર ક્રાંતિ વિરોધી બુર્ઝવા સંસ્થા છે તો તેની સામે નકસલવાદીઓ આદીવાદીઓને પ્રશિક્ષિત કેમ નથી કરતા અને લોકતાંત્રિક પ્રક્રિયાથી દૂર રહેવાની સલાહ કેમ નથી આપતા? આદિવાસી ક્ષેત્રોમાં ચૂંટણી લડનારા ઉમેદવારો મોટાભાગે આદિવાસીઓ જ હોય છે. તેઓ આદિવાસીઓની વચ્ચે રાજકીય પ્રચાર કરે છે અને મત મેળવે છે. આ વખતે પહેલીવાર તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે.

આનો અર્થ એટલો જ થાય કે આદિવાસી ક્ષેત્રોમાં બુર્ઝ્રવા લોકતંત્ર કાયમ રહે અને આદિવાસીઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં રાજકારણી તરીકે કે મતદાર તરીકે ભાગ લે તેની સામે તેમને વાંધો નથી. શા માટે? એક શક્યતા એવી છે કે તેમને ચૂંટણીમાં વિઘ્નો પેદા નહીં કરવા માટે પૈસા મળતાં હશે અને બીજી શક્યતા એવી છે કે તેઓ જેટલો દાવો કરે છે એટલો તેમનો આદિવાસીઓમાં પ્રભાવ નથી. કાયદો હાથમાં લઈને હિંસા કરવી એ જુદી વાત છે અને લોકોની વચ્ચે જઇને લોકમાન્યતા મેળવવી એ જુદી વાત છે. હિંસા કરવા માટે હિંસક માનસથી વિશેષ કોઈ ચીજની જરૂર પડતી નથી, જ્યારે લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે ઘણા પાપડ વણવા પડતા હોય છે.

કોઈ પણ પ્રકારની મોટી વ્યાપક હિંસક ક્રાંતિ કર્યા વિના પાંચ દાયકાથી નક્સલવાદી આંદોલન ભારતમાં ચાલી રહ્યું અને તેમાં ઓટ આવતી નથી એ એક રહસ્ય છે. પ્રત્યક્ષ પરિણામ વિના કોઈ અંદોલન દાયકાઓ સુધી ચાલતું નથી. નિષ્ફળતા પછી કેડર મળતી નથી. નેતાઓ અને કાર્યકરો આંદોલનનું પરીક્ષણ (રિવ્યુ) કરવા લાગે છે અને તેમાંથી મતભેદ પેદા થઈને આંદોલન વિભાજીત થઈને ખતમ થઈ જાય છે. આવું બધું નક્સલવાદીઓમાં પણ બન્યું છે, પરંતુ એ શરૂઆતનાં વર્ષોમાં. છેલ્લા બે દાયકાથી નક્સલવાદી આંદોલન મૂળ નક્સલવાદી આંદોલનના અવશેષ તરીકે ટકી રહ્યું છે અને તેમાં ભરતી-ઓટ આવ્યા વિના સમયાંતરે હિંસાની ખબર આવ્યા કરે છે. જ્યારે પણ હિંસક ઘટના બને ત્યારે આપણા કેટલાક રાજકીય સમીક્ષકો શોષણ કરનારી મૂડીવાદ વ્યવસ્થાને નક્સલવાદીઓના અસ્તિત્વ પાછળનું કારણ ગણાવીને વિવેચન કરે છે.

આમાં ક્યાંક ભૂલ થાય છે. જો નકસલવાદીઓનો આદિવાસીઓમાં તેઓ દાવો કરે છે એટલો પ્રભાવ હોત અથવા તો શોષણમુક્ત સામ્યવાદ માટે તેઓ દાવો કરે છે એટલા પ્રામાણિક હોત તો તેઓ જંગલમાં; લોકતંત્રને, મૂડીવાદને અને શોષણ કરનારી વ્યવસ્થાના એજન્ટ અર્થાત  ઠેકેદારોને પ્રવેશતા રોક્યા હોય. આખું જગત જાણે છે કે શાસક, શેઠ અને દલાલની ધરી છે અને એ ધરી મળીને ભાગીદારીમાં શોષણ કરે છે, એ પછી જંગલ હોય કે શહેરો હોય. નક્સલીપ્રભાવ ક્ષેત્રોમાં કાગળ બનાવવાનાં કારખાનાં છે. ખનીજ ધાતુ, બીડી પત્તા, બાંબુ એમ જંગલમાં મળતી ચીજ બહાર વેચાણ માટે જાય છે. ક્યારે ય કોઈ ચીજને જંગલની બહાર જતી નક્સલવાદીઓએ રોકી નથી. ક્યારે ય કોઈ કારખાનાને નક્સલવાદીઓને નુકસાન પહોંચાડ્યું નથી. તેઓ તો સામ્યવાદી હોવાનો દાવો કરે છે તો શું તેમને શોષણના અને લૂંટના સ્વરૂપની જાણ નથી? મારો તો એવો સ્પષ્ટ મત છે કે નક્સલી આંદોલન એ પરિવર્તન માટેનું, ગરીબો તરફી, ન્યાય માટેનું આંદોલન નથી; પરંતુ ગુનેગારી છે. શાસક, શેઠ અને દલાલ પછીનો માફિયાગીરીનો ચોથો ખૂણો છે. શોષણની ધરી ત્રણની નથી, ચારની છે.

આ વખતે બસ્તરમાં નકસલવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો હતો. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં મતદાન કરીને બતાવી આપ્યું છે કે તેઓ નક્સલવાદીઓના પ્રભાવમાં નથી. આદિવાસીઓ નક્સલવાદીઓનો સાચો ચહેરો જાણે છે એ પણ આમાંથી ફલિત થાય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 16 નવેમ્બર 2018

Loading

16 November 2018 admin
← રક્ષા કરો જગદંબા ભવાની
કલાકારોએ અને વિચારકોએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved