હરારી માનવજાત અને માનવતાનું જે ભવિષ્ય ભાખે છે તેને સમજવાનો આ લેખમાળા એક નમ્ર પ્રયાસ છે.
તેઓ ઇતિહાસવિદ છે તેથી ભૂતકાળને સંભારે અને ભવિષ્ય કલ્પીને વર્તમાનની ચિન્તા કરે તે મને સયુક્તિક લાગે છે. પણ એનો અર્થ એ નથી કે તેઓ કહે છે એ પ્રમાણે જ બધું થશે. તેઓ પોતે પણ એવું નથી જ માનતા; તેમ છતાં, એક ઇતિહાસવિષયક ફિલસૂફ તરીકે પોતાનું કર્તવ્ય સમજીને વર્તમાનની એમણે જે પરિકલ્પના કરી છે તેને જાણીએ એ આપણું પણ કર્તવ્ય છે.
સૌ પહેલાં હું એમના સમગ્ર તર્કને અને તેની ભૂમિકામાં રહેલા એમના વિચાર-જ્ઞાન-જગતને સમજી લેવા માગું છું. એ પછી હું જરૂરી નુક્તેચિની કરીશ અને ખાસ તો હું સાહિત્ય અને કલાઓના માનવીય પુરુષાર્થ વિશે તેઓ શું કહેવા માગે છે, તેના મૂળમાં રહેલી માનવીય સર્જકતાને તેઓ શું મૂલ્ય આપે છે, સર્જનાત્મક કલાઓ માનવજાતને તેમ જ માનવતાને ઘડે છે એ હકીકતને તેઓ કઈ રીતે ઘટાવે છે, વગેરે વિશે જિજ્ઞાસાપૂર્વક ચર્ચા કરીશ.
4 નમ્બરના લેખમાં આપણે એ વીગત પાસે કે અટકેલા કે હરારી QAnon cult-ની વાત કરે છે.
આ QAnon શું છે? ૨૦૧૭-થી ઑનલાઈન શરૂ થયેલી ગૂઢ સંકેતાર્થોના ટુકડા આપતી, ક્રિપ્ટિક ક્લૂઝ આપતી, એક થીયરીમાંથી QAnon-નો જન્મ થયો હતો. પછી એનો પ્રો-ટ્રમ્પ કૉન્સ્પિરસી થીયરી રૂપે ઉપયોગ થવા માંડ્યો. એ દ્વારા ટ્રમ્પના એ સમયે ઘણાં જૂઠાણાં વહેતાં કરવામાં આવેલાં.
એક પોલિટિક્સ રીપોર્ટરે લખી જણાવેલું કે ત્યારે આવી આવી થીયરીઝ વહેતી કરાયેલી :
Plotters in the deep state tried to shoot down Air Force One and foil President Trump’s North Korea summit.
A cabal of global elites, including top figures in Hollywood, the Democratic Party, and the intelligence agencies, are responsible for nearly all the evil in the world.
And now Trump is going to fix it all with thousands of sealed indictments, sending the likes of Hillary Clinton and Barack Obama straight to Guantanamo Bay.
ટ્રમ્પભક્તો અને આ સમાચારશ્રેણીના શ્રદ્ધાળુઓ QAnon-થી પ્રભાવિત થતા અને સત્ય ભાસતાં એ જૂઠ ખૂબ ચાલેલાં. સામાન્ય જનો પણ પ્રભાવિત થઈ ગયેલા. સમજો, ટ્રમ્પના વિજયની આશામાં સૌ ગાંડા થઈ ગયેલા.
આમાં, Q એટલે ઊંચા દરજ્જાની સરકારી વ્યક્તિ તેમ જ તે સ્વરૂપનો કોઇપણ રાજકીય સંદર્ભ. Anon એટલે Q-ના અનામી ટેકેદારો, વફાદાર મળતિયાઓ.
Q પેલાં ઑનલાઇન મોકલાયેલાં જૂઠાણાંને જાણે કે ‘ઉઘાંડાં’ પાડી બતાવે, અને, રીપોર્ટરનો જ શબ્દ પ્રયોજીને કહું કે QAnon-ભક્તો એને ‘બ્રેડક્રમ્બ્સ’ ગણીને એ પર તૂટી પડતા ! એ હતું podcast પણ કોઈને એની ગન્ધ ન્હૉતી આવતી કેમ કે એ હતું anonymous, ન-નામું.
Q કોઈપણ હોઈ શકે, ઇન્ટરનેટના સહારે આ કાવતરાં પ્રસરતાં હોય, QAnon-નાં બધાંને બધું સાચું જ લાગે ! રીપોર્ટર લખે છે :
In April, hundreds of QAnon believers staged a march in downtown Washington, D.C. with a vague demand for “transparency” from the Justice Department.
“Q” shirts have become frequent sites at Trump rallies, with one QAnon believer scoring VIP access.
In June, an armed man in an homemade armored truck shut down a highway near the Hoover Dam and held up signs referencing QAnon.
And celebrities like comedian Roseanne Barr and former Red Sox pitcher Curt Schilling have signed on.
હરારી કહે છે કે આ ન-નામી ઑનલાઇન સંદેશાઓને QAnon સમ્પ્રદાયીઓ Q Drops કહેતા. એને પવિત્ર વાચના ગણતા, તેનાં અર્થઘટન કરતા. સત્યને નામે જૂઠની રાજનીતિ અને ભ્રષ્ટાચાર ખાસ્સાં નભી ગયેલાં. એમની ચિન્તા એ છે કે ૨૦૨૪-ની ચૂંટણી વખતે આવાં જૂઠ કેટલાં ફેલાશે ને કોનું શું થશે.
હરારી કહે છે કે -મારીઅમારી જાણકારી અનુસાર ભૂતકાળમાં સરજાયેલાં બધાં Q Drops માણસે સરજેલાં અને તેની સમજણ માટે bots ભાગ્યે જ કામયાબ વરતાયેલાં.
(bot સ્વયંસંચાલિત સૉફ્ટવેઅર ઍપ્લિકેશન છે. નેટવર્ક પર પુનરાવર્તનીય કાર્યો કર્યે જાય છે. ચૉકક્સ સૂચનાનુસાર એ માનવર્તનની નકલો કરે છે, પણ સરખામણીએ વધુ ત્વરાથી અને વધુ ચૉક્ક્સાઇથી કરે છે. મનુષ્યવ્યક્તિની દરમ્યાગીરી વગર પણ એ સ્વતન્ત્રપણે વરતી શકે છે, એ સ્વાયત્ત પણ છે.)
હરારી કહે છે કે ભવિષ્યમાં આપણી જાણમાં આવનારા સમ્પ્રદાયોની – કલ્ટ્સની – પૂજનીય વાચનાઓ, રીવર્ડ ટૅક્સ્ટસ, ન-માનુષ્યિક બુદ્ધિમતિએ સરજી હશે. ઇતિહાસોને આધારે હરારી ટૉણો મારે છે કે બધા ધર્મો પોતાની પવિત્ર વાચનાઓના આધારસ્રોતને ન-માનુષ્યિક લેખે છે, અપૌરુષેય ! ઉમેરે છે કે પરન્તુ હવેના વર્તમાનમાં બહુ ઝડપથી એ એક વાસ્તવિકતા બની જવાની છે.
કહે છે કે ગદ્યાળુ એવા શુષ્ક સ્તરે વાત કરું : બહુ ઝડપથી આપણે આપણને ગર્ભપાત, ક્લાઈમેટ ચેન્જ કે રશિયા-યુક્રેન યુદ્ધ વિશે લાંબી લાંબી ચર્ચાઓ અને ચર્ચાઓનું સંચાલન કરતા ભાળીશું. આપણને લાગશે કે એ બધી વાતો કરનારા આપણે છીએ, માણસો, પરન્તુ એ હશે ‘એ.આઈ.’.
ભાષાને વિશેના પોતાના પ્રભુત્વથી ‘એ.આઇ.’ હવે લોકો સાથે પાક્કા, અંતરંગ – ઇન્ટિમેટ – સમ્બન્ધો સાધશે અને એવી અંતરંગતાને જોરે આપણા વિવિધ અભિપ્રાયોને અને વર્લ્ડ-વ્યૂઝને વિશેની આપણી સમજોને બદલી નાખશે.
અલબત્ત, હજી સુધી એવા સંકેત નથી મળ્યા કે ‘એ.આઇ.’ પાસે એની પોતાની ચેતના છે કે કેમ, એ કશું ભાવજગત ધરાવે છે કે કેમ; એ બરાબર છે, એથી મનુષ્યો સાથે ભ્રાન્ત અંતરંગતા ઊભી થાય ને વિકસે, પણ પર્યાપ્ત એ કહેવાશે કે ‘એ.આઈ.’ મનુષ્યોને એ સાથે ભાવનાત્મકતાથી જોડી આપે.
= = =
(07/18/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર