કઠિન છે રાહ જિંદગીની, ચાલ્યા વગર છૂટકો નથી
મોત મંઝિલ છે એની, પામ્યા વગર છૂટકો નથી
…. કઠિન છે રાહ
પ્રશ્નો છે ઘણા જિંદગીમાં,
જવાબ આપ્યા વગર છૂટકો નથી
….. કઠિન છે રાહ
મારગે મળ્યા તમે, સાથે ચાલ્યા વગર છૂટકો નથી
પ્રેમની રમત જીતવા, દિલ હાર્યા વગર છૂટકો નથી
…. કઠિન છે રાહ
પ્રેમ છે તમને, તો સમજ્યા વગર છૂટકો નથી
આદત છે તમારી તો પામ્યા વિના છૂટકો નથી
…. કઠિન છે રાહ
એકલા આવ્યા અને, જવાનું એકલા નિશ્ચિત છે
સાથ તમારો છોડ્યા વગર છૂટકો નથી
…. કઠિન છે રાહ
મૃદુલ મન ઘણું મજબૂત છે,
મોત ને હાથ હેઠા મૂકયા વગર છૂટકો નથી
….. કઠિન છે રાહ
e.mail : mruduls.ms@gmail.com
![]()


હાલમાં જ ઈઝરાયૅલ-પૅલૅસ્ટાઈન વચ્ચેના સંઘર્ષમાં વિરામ આવ્યો છે. અહીં બન્ને દેશોના કવિઓની અભિવ્યક્તિ દ્વારા આ અટકવાનું નામ નહીં લેતા સંઘર્ષની આંટીઘૂંટી સમજવાનો પ્રયાસ છે. બન્ને પક્ષોને સ્પષ્ટ જુદા પાડવા અઘરા છે. કવિઓના પરિચય વાંચતા ખ્યાલ આવશે કે ઈઝરાયૅલમાં રહેતા યહૂદી કવિ સમાધાનના હિમાયતી બને છે તો પૅલૅસ્ટાઈનના કવિ પણ સંઘર્ષનો ઉકેલ લાવવા થતી વાતાઘાટોમાં મહત્ત્વનો અવાજ બને છે.
૧. યેહુડા આમીકાઈ
૨. ઍડી કાઇસર
૩. ઍલમૉગ બેહાર
૪. સલમાન મસાલહા 
૧. મેહમુદ ડાર્વિશ
હેનન આશરાવીનો જન્મ ૧૯૪૬માં વૅસ્ટ બૅન્કના રામાલ્લાહ નગરમાં, વિખ્યાત પ્રૉટૅસ્ટન્ટ ખ્રિસ્તી પૅલૅસ્ટિનિયન કુટુંબમાં થયો. એમના પિતા દાઉદ મિખાયૅલ પૅલૅસ્ટાઈન લિબરેશન ઑર્ગનાઈઝેશનના સ્થાપકોમાંના એક હતા. એમની માતા વાડિયા અસદ લૅબનીઝ વંશનાં ધર્મનિષ્ઠ ખ્રિસ્તી હતાં. હેનન આશરાવી અગ્રણી પૅલૅસ્ટિનિયન કેળવણીકાર, નેતા અને માનવ અધિકાર કર્મશીલ છે. એમણે ઈઝરાયૅલ-પૅલૅસ્ટાઈન સંઘર્ષની આંતર-રાષ્ટ્રીય વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે.