
રમેશ ઓઝા
મંગળવારે સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને યોજેલા એક કાર્યક્રમમાં બોલતા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે દેશના અદના નાગરિકને ન્યાય મળે એ માટે ન્યાયમંદિરો ઉપલબ્ધ હોવાં જોઈએ, ખુલ્લાં હોવાં જોઈએ અને સહજપ્રાપ્ત હોવાં જોઈએ. અત્યારે દેશના ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર ન્યાય મેળવવામાં વચ્ચે આવતાં અવરોધ છે અને એ અવરોધોની દીવાલોને તોડવી પડશે.
ઘણીવાર નિરાશા અને ગ્લાનિની સ્થિતિમાં કોઈક સાંભળવી ગમે એવી ડાહી વાત કરે તો સારું લાગે. કાનને સુખ મળે અને સાંત્વના મળે. આ દેશમાં કાયદો, કાયદાનું રાજ અને ન્યાય સહજસાધ્ય નથી અને નાના માણસ માટે તો તે બિલકુલ નથી. દાયકાઓ સુધી ન્યાય મળતો નથી, ન્યાય નાના માણસને પરવડે નહીં એટલો મોંઘો છે અને હવે તો જજો પણ વેચાયેલા અને કરોડરજ્જુ વિનાના આવી રહ્યા છે. જેમ કે રાહુલ ગાંધીની ગુજરાતની વડી અદાલતમાં અપીલ સાંભળનારા જજને સર્વોચ્ચ અદાલતમાં પ્રમોશન મળ્યું છે. હજુ અઠવાડિયા પહેલા સ્વયં સર્વોચ્ચ અદાલતે એ જજની કારણ આપ્યા વિના રાહુલ ગાંધીને કરવામાં આવેલી બે વરસની પૂરેપૂરી સજા બહાલ રાખવા માટે ટીકા કરી હતી. જે ટીકાને પાત્ર છે અને એ બઢતીને પાત્ર પણ છે.
તો આવી નિરાશાજનક સ્થિતિમાં દેશના વિદ્વાન મુખ્ય ન્યાયમૂર્તિ ઊહાપોહ કરે તો થોડી સુવાણનો અનુભવ થાય, પણ એનાથી આગળ? અલગ અલગ ભાષામાં, અલગ અલગ ન્યાયમૂર્તિઓના મોઢે આની આ જ વાત હું દાયકાઓથી સાંભળતો આવ્યો છું. જો દેશના અદના નાગરિકને હેરાનગતી વિના સહેજે, ઝડપી અને તેનાં ખિસ્સાને પરવડે એ રીતે ન્યાય મળે એની સાચી ખેવના હોત અને તેમાં રહેલા અવોરોધોને દૂર કરવાની બાબતે ગંભીર હોત તો આ સમસ્યા દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગઈ હોત અને મુખ્ય ન્યાયમૂર્તિએ સંભવતઃ તેમના મુખ્ય ન્યાયમૂર્તિ પિતાએ સુદ્ધાં ચાલીસ વરસ પહેલાં કહેલી વાત દોહરાવવી ન પડી હોત. જો પડકારને પહોંચી વળતા જેટલી તાકાત ન હોય તો કમ સે કમ મહાન વાત તો કરો. લોકોને એ સાંભળીને પણ સારું લાગશે. પહેલાં મને પણ સારું લાગતું હતું, પણ હવે ગુસ્સો આવે છે.
સભ્ય સમાજમાં અદના નાગરિકને ન્યાય હેરાનગતી વિના, સહેજે, ઝડપી અને સસ્તામાં મળવો જોઈએ એ તો શાળાઓમાં નાગરિકશાસ્ત્રમાં ભણાવાય છે. ખરું પૂછો તો આ જ સભ્ય હોવાની પ્રાથમિક જરૂરિયાત છે. આમાં નવું શું છે? પણ આપણા દેશમાં સભ્ય સમાજ માટેની પ્રાથમિક જરૂરિયાત ઉપલબ્ધ નથી અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને બીજા કાયદાવિદો દાયકાઓથી એની જરૂરિયાત સમજાવે છે.
કોઈ પણ ચીજ જો આસાનીથી અને સોંઘી ન મળે તો સમજી લેવું કે કાં તો તેની અછત છે અથવા તે ન મળે એમાં કોઈનો સ્વાર્થ છે. ભારતમાં આ બન્ને છે. અછત હોય તો ન્યાય મોંઘો પડે, મેળવવો અઘરો પડે અને ન્યાય મોંઘો અને મેળવવો અઘરો પડે તો સામાન્ય આદમી અન્યાયને અને ગેરરીતિને પડકારી ન શકે. શાસકવર્ગનું આમાં સ્થાપિત હિત છે. માટે જેની દાયકાઓથી જરૂરિયાત બતાવવામાં આવે છે તેના પર અમલ કરવામાં આવતો નથી. ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યામૂર્તિ હતા ત્યારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રડતા રડતા, અક્ષરસ: ડુસકા ભરતા કહ્યું હતું કે સાહેબ દેશમાં અદાલતોની સંખ્યા વધારો, જજોની સંખ્યા વધારો, ન્યાય પ્રક્રીયા સરળ કરો અને જો એમ કરવામાં નહીં આવે તો આ દેશમાં સામાન્ય માણસનું જીવવું દુષ્કર થઈ જશે. એને અદાલત સિવાય સહારો કોનો છે? વડા પ્રધાને તેમના ભાષણમાં ન્યાયમૂર્તિ ઠાકુરની આજીજીનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. જેમાં શાસકોએ જવાબ આપવો પડે એવું જવાબદાર રાજ્ય કોઇને જોઈતું નથી. વખત છે ને જેલમાં જવું પડે.
ભારતનાં ન્યાયતંત્રને ચૂસ્ત દુરસ્ત કરવા માટે શું કરવું જોઈએ એની ભલામણ કરતાં અનેક અહેવાલો છેલ્લા પાંચ દાયકા દરમ્યાન બહાર પડ્યા છે અને એમાંથી એક પણ ભલામણને સ્વીકારવામાં નથી આવી. એવો ઈરાદો જ નથી. હા, વખતોવખત કાયદાના રાજાની વાત કરતા રહેવું જોઈએ, અભ્યાસ પંચો રચતા રહેવું જોઈએ કે લોકોને એમ ન લાગે કે શાસકો અસંવેદનશીલ છે.
આ વખતે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સર્વોચ્ચ અદાલતનું નવું મકાન બાંધવાની, અદાલતોની અને જજોની સંખ્યા વધારવાની વાત કરી છે. એવું બને તો પણ નીચલા સ્તરે ન્યાયદાનનું શું? અદનો નાગરિક સર્વોચ્ચ અદાલતમાં તો ત્યારે જશે ને જ્યારે નીચલી અદાલતમાં તેને સાચો કે ખોટો ન્યાય મળે. નીચે જ જો ન્યાય ન મળવાનો હોય તો સર્વોચ્ચ અદાલતમાં ગમે તેટલા જજો હોય તેને માટે તેનો કોઈ ખપ નથી. હા, કોર્પોરેટ કંપનીઓની તેમ જ પૈસાદારોની સ્પેશિયલ લીવ પિટિશન સાંભળવા માટે નવું મકાન, વધુ અદાલતો તેમ જ જજોને તજવીજ કરવામાં આવી રહી હોય તો જુદી વાત છે. આમ પણ સર્વોચ્ચ અદાલત આજકાલ તેનો ૯૦ ટકા સમય એસ.એલ.પી. સાંભળવા પાછલ ખર્ચી રહી છે.
લગે હાથ મુખ્ય ન્યાયમૂર્તિએ આજના શાસકોની મનમાની અને બુલડોઝર કલ્ચરની પણ ટીકા કરી છે. આનાથી તમને અહેસાસ થશે કે દેશમાં ન્યાયતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર છે. બાકી ઇલેક્શન બોન્ડ સામેની પિટિશન સર્વોચ્ચ અદાલત છ વરસથી હાથ ધરતી નથી. આ જોગવાઈ દ્વારા નરેન્દ્ર મોદીની સરકારે વિરોધ પક્ષોને બી.જે.પી. સામે પ્રચંડ માત્રામાં આસમાન સ્તરે મૂકી ધકેલી દીધા છે. ભારતનાં લોકતંત્રને સુરંગ ચાંપનારી આ જોગવાઈને પ્રાથમિકતા આપવી જોઈએ એ મુખ્ય ન્યાયમૂર્તિ નથી જાણતા?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑગસ્ટ 2023
![]()



પરન્તુ હરારીએ નથી ભાળી કે નથી ચર્ચી એક બીજી થ્રેટ, જે હવે થ્રેટ પણ નથી રહી, તે છે, સૅક્સરોબૉટ્સ – મનુષ્યની જાતીય વાસનાના ‘તોષ’ માટે કામ આપતાં સ્વયંસંચાલિત મશીનો.
સૅક્સરોબૉટના ઉત્પાદનને રોબૉટિક્સની આ પ્રકારની બહુમુખી સગવડનો પૂરો લાભ મળ્યો છે. મનુષ્યનાં કોઈક લક્ષણો કે કશીક વર્તણૂક કોઈ પ્રાણી કે કોઈ વસ્તુના જેવી હોય તેને ઍન્થ્રોપોમૉર્ફિઝમ કહેવાય છે. જેમ કે, ડિઝની કૅરેક્ટર્સ મિકી અને મિની માઉસ; જ્યૉર્જ ઑર્વેલની લઘુનવલ “ઍનિમલ ફાર્મ”-નાં પ્રાણીઓ કે આપણા બકોર પટેલ અને શકરી પટલાણી જેવાં મનુષ્યારોપણ પામેલાં અસ્તિત્વો એનાં ઉદાહરણો છે. પુરુષદેહ કે સ્ત્રીદેહના આકારનાં રોબૉટ્સ સૅક્સ માટેનાં ક્રીડનકો કે ઉપકરણો છે, એને એટલે જ ઍન્થ્રોપોમૉર્ફિક રોબૉટિક સૅક્સડોલ્સ કહેવાય છે. એને સૅક્સબોટ્સ પણ કહે છે.
આ ઉપકરણો, સૅક્સરોબૉટ્સ, હ્યુમનોઇડ એટલે કે મનુષ્યસદૃશ હોય છે. પુરુષસદૃશ હોય એને ‘મેલબોટ’ કહેવાય અને એની પાસે પુરુષસમ બધું જ હોય. સ્ત્રીસદૃશ હોય એને ‘ફીમેલબોટ’ કહેવાય અને એની પાસે સ્ત્રીસમ બધું જ હોય. આ ઉપકરણોના સંગે જાતીય આનન્દ મેળવતી વ્યક્તિને ‘રોબૉસૅક્સ્યુઅલ’ કહેવાય છે.
શ્યામ સુંદર! તમારા પૌરુષથી ભરેલા રૂક્ષ ચહેરાની નીચે મહિલાઓ માટે અપાર પ્રેમ છલકાય છે! પણ કેવી મહિલાઓ માટે? ઉછરતી કળીઓ જેવી, આવતીકાલની મહિલાઓ માટે જ તો! તમે નાના હતા ત્યારે તમને તમારી બહેનો સાથે રમવાનું વધારે પસંદ હતું. પાંચિકાઓ ઉછાળવા અને દોરડાં કૂદવા જેવી છોકરીઓની રમતો તમને વધારે પસંદ આવતી હતી. બધાં તમારી મશ્કરી કરતાં કે ‘આ તો છોકરી થતાં થતાં છોકરો બની ગયો છે!’ તમારા બાળક મનમાં એ વખતે પણ સંશય પેદા થતો હતો કે, ‘ગામમાં છોકરીઓની સંખ્યા કેમ બહુ ઓછી રહે છે?’
શ્યામ સુંદર પાલીવાલ! ૨૦૦૬ની સાલમાં તમને જેમાં અખૂટ શ્રદ્ધા હતી તેવી તમારી કૂળદેવીની કૃપા તમારા એ નિર્ધારના અમલીકરણ માટે વરસી. પિપલાન્ત્રી ગામના સરપંચ તરીકે તમે ચુંટાઈ આવ્યા. ગામના પંચની પહેલી સભામાં જ તમારા જિન્સમાં ધરબાઈને પડેલી વેપારી કુનેહ અને ચિત્તમાં સતત ઘુમરાઈ રહેલા આ આક્રોશના બળે તમે એક પ્રસ્તાવ પંચના સભ્યો સમક્ષ મૂક્યો, ‘દરેક બાલિકાના જ્ન્મને વધાવી લેવા આપણે ગ્રામજનોને પ્રેરીએ, મદદ કરીએ તો?’ અમુક અપવાદો સિવાય મોટા ભાગના સભ્યોએ તમારા સૂચનને ટેકો આપ્યો. એ જ દિવસે ઠરાવ કરવામાં આવ્યો કે, ‘જન્મ લેતી દરેક બાલિકાના નામે તેનાં કુટુમ્બીજનો ૧૧૧ વૃક્ષો રોપશે. પંચાયત એમને જાળવી રાખશે. બાલિકા યુવતી બને અને તેનાં વિવાહ થાય તે વખતે આ વૃક્ષો કાપીને એમાંથી થતી આવક એનાં માબાપને આપવામાં આવશે. આ ધરતી પર પગ મુકનાર એ લક્ષ્મીના આગમનને આમ સત્કારી લેવામાં આવશે.’
‘ભામાશા યોજના’ પણ તમે આમ જ શરૂ કરી દીધી ને? જન્મ લેનાર છોકરીના નામે બેન્કમાં ખાતું ખોલાવવાનું અને તેમાં દાન આપનાર ભામાશાઓ તેમ જ બાલિકાનાં માબાપ જોગવાઈ થાય તેમ રકમ જમા કરાવતા રહે. જ્યાં સુધી એ કન્યા પુખ્ત વયની ના થાય, ત્યાં સુધી એમાંથી રકમ ઊપાડી ન શકાય. આમાંથી જ તેનાં લગ્ન માટે દહેજની રકમ મળી જાય. ભામાશા કાર્ડ પણ બાળકીની માતાનાં નામે જ તો. અન્ના હજારેના વિચારો મુજબ, અને તમારી સ્વ. દીકરી કિરણના નામને ચિરંજીવ કરતી ‘કિરણ નિધિ યોજના’ પણ બધાંને સાથે રાખીને કામ કરવાની તમારી કુનેહના પ્રતાપે જ શરૂ થઈ ગઈ ને? આ યોજના હેઠળ, જન્મ લેનાર બાળકીના નામે પંચાયતમાં ફિક્સ ડિપોઝિટ રાખવાની શરૂઆત પિપલાન્ત્રી ગામે કરી દીધી.