ભારતમાં ઇસ્લામના આગમનથી શરૂઆત કરીએ તો હમણાં કહ્યું એમ પરસ્પર પ્રેમ, સંઘર્ષ અને સહિયારાપણાનું શું કરવું? એમાં ગળણાં બાંધીને માત્ર મુસલમાનોનો ઇતિહાસ ભણાવીએ તો મુસલમાન શાસકોએ પરસ્પર કરેલી ગદ્દારી અને નાપાક કૃત્યોનું શું કરવું? જો ચારે બાજુથી દરજીકામ (ટેલરિંગ) કરવામાં આવે તો તાજા સ્થપાયેલા પાકિસ્તાનનો એવો કોટ સિવાશે જે પહેરવા યોગ્ય તો નહીં હોય, પણ પ્રશ્નો પેદા કરશે અને એ એવા પ્રશ્નો હશે જેનો ઉત્તર આપતાં-આપતાં હજી વધુ અસત્યનો અને વિકૃતિઓનો સહારો લેવો પડશે
મહારાષ્ટ્ર સરકારના સાતમા અને નવમા ધોરણનાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી મુગલકાલીન ઇતિહાસ જ હટાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં રાજસ્થાનની સરકારે નિર્ણય લીધો હતો કે રાણા પ્રતાપનો હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે પરાજય થયો જ નહોતો. રાણા પ્રતાપનો વિજય થયો હતો અને એ જ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવશે. હિન્દુ રાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં હિન્દુને પરાજિત થતો કેમ બતાવી શકાય? સત્ય આનાથી જુદું છે એવી દલીલના જવાબમાં તેઓ કહે છે કે સત્ય ગયું ભાડમાં, હિન્દુને પરાજિત થતો બતાવવો એ દેશદ્રોહ કહેવાય. હિન્દુ મહાન અને બીજા કનિષ્ઠ એ ઇતિહાસલેખનનો અત્યારે અંતિમ માપદંડ છે. જે લોકો વર્તમાનમાં કંઈ કરી શકતા નથી અને ભવિષ્ય વિષે વિચારી શકતા નથી એવા લોકો ઇતિહાસમાં આયખું વિતાવી શકે છે.
એટલે તો જગતના કેટલાક દેશોમાં સ્કૂલોમાં ઇતિહાસ ભણાવવામાં જ નથી આવતો. જ્ઞાનશાખાઓમાં ઇતિહાસ એકમાત્ર વિષય એવો છે, જેનો ઉપયોગ લડવા માટે અને લડાવી મારવા માટે કરી શકાય છે અને રાજકારણીઓ માટે એ હાથવગું ઓજાર છે. આખેઆખી પ્રજા ઇતિહાસના હિસાબકિતાબ ચૂકતે કરવામાં આયખું વિતાવે અને ભવિષ્ય ચૂકી જાય એના કરતાં આ ઇતિહાસ નામની બીમારી જોઈએ જ નહીં. જેમ દીક્ષા માત્ર પુખ્ત વયે જ આપવી જોઈએ એમ ઇતિહાસ પણ માત્ર પુખ્ત વયે જ ભણાવવો જોઈએ. આ કોઈ વિજ્ઞાન કે ગણિત નથી, જેમાં વિષયનું જ્ઞાન પ્રાથમિકથી શરૂ કરીને ક્રમશ: અઘરું થતું જતું હોય છે અને વયની સાથે વિદ્યાર્થી એ સમજતો જતો હોય. ઇતિહાસ ગમે તે ઉંમરે ભણાવી શકાય છે અને વગર સ્કૂલ-કૉલેજે પોતાની જાતે જ ભણી શકાય છે. એટલે ઇતિહાસ નામની બીમારીને કેટલાક દેશો સ્કૂલ-કૉલેજોમાં પ્રવેશ આપતા જ નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં જ્ઞાન મેળવીને જ્ઞાનવૃદ્ધ થયેલાઓની ઇતિહાસ મીમાંસા વિશે વાત કરતાં પહેલાં પાડોશમાં પાકિસ્તાનમાં શું બન્યું એના પર એક નજર કરી લેવી જોઈએ. પાકિસ્તાનની સ્થાપના થઈ એ પછી સવાલ આવ્યો કે વિદ્યાર્થીઓને પાકિસ્તાનનો ઇતિહાસ કેવી રીતે ભણાવવો? પાકિસ્તાન તો હજી તાજું સ્થપાયેલું રાષ્ટ્ર છે, જેનો કોઈ ઇતિહાસ જ નથી? જે કોઈ ઇતિહાસ છે એ અવિભાજિત ભારતનો ઇતિહાસ છે અને એ ઇસ્લામ ધર્મ ભારતમાં આવ્યો એ પહેલાથી શરૂ કરીને ઇસ્લામનું ભારતમાં આગમન, મુસ્લિમ શાસન, અંગ્રેજોનું શાસન, આઝાદી માટેની માગણીથી લઈને પાકિસ્તાનની સ્થાપના સુધી આવે છે. આમાં હિન્દુ અને મુસલમાનોનો ઇતિહાસ જય-પરાજયનો, પરસ્પર પ્રેમનો, પરસ્પર દ્વેષનો, સંઘર્ષનો, સહયોગનો એમ રસશાસ્ત્રમાં જેટલા રસ છે એનાથી ભરપૂર છે. વળી અવિભાજિત ભારતમાં મુસલમાનોનો પોતાનો પણ ઇતિહાસ એકધારો ઉજ્જવળ નથી. મુસલમાને મુસલમાન સાથે દગાખોરી કરી હોય, મુસલમાને મુસલમાન પર આક્રમણ કર્યું હોય, મુસલમાને મુસલમાનોનું લોહી રેડ્યું હોય એવી બે-પાંચ નહીં અનેક ઘટનાઓ છે.
આ તો રાજકીય ઇતિહાસની વાત થઈ. સંસ્કૃિત પણ ક્યાં એકધારી મુસ્લિમ છે? ભાષાઓ સહિયારી છે, સંગીત સહિયારું છે, જમણની વાનગીઓ સહિયારી છે, વેશભૂષા સહિયારી છે, વાસ્તુશૈલી સહિયારી છે, આરોગ્યવિજ્ઞાન સહિયારું છે, નૃત્યશૈલી સહિયારી છે, રાજ્યશાસ્ત્ર સહિયારું છે, દંડસંહિતા સહિયારી છે વગેરે. એવી એક ચીજ બતાવો જે શુદ્ધ ઇસ્લામિક મુસલમાની હોય. ખુદ ઇસ્લામ પણ ભારતમાં સહિયારો છે, જેના પર હિન્દુ ધર્મનો પ્રભાવ છે અને એમાંથી સૂફી-ભારતીય ઇસ્લામ વિકસ્યો છે.
તો પાકિસ્તાનના શાસકો સામે પ્રશ્ન હતો કે કયો ઇતિહાસ ભણાવવો, કેવો ઇતિહાસ ભણાવવો અને એની શરૂઆત ક્યાંથી કરવી? ભારતમાં ઇસ્લામના આગમનથી શરૂઆત કરીએ તો હમણાં કહ્યું એમ પરસ્પર પ્રેમ, સંઘર્ષ અને સહિયારાપણાનું શું કરવું? એમાં ગળણાં બાંધીને માત્ર મુસલમાનોનો ઇતિહાસ ભણાવીએ તો મુસલમાન શાસકોએ પરસ્પર કરેલી ગદ્દારી અને નાપાક કૃત્યોનું શું કરવું? જો ચારે બાજુથી દરજીકામ (ટેલરિંગ) કરવામાં આવે તો તાજા સ્થપાયેલા પાકિસ્તાનનો એવો કોટ સિવાશે જે પહેરવા યોગ્ય તો નહીં હોય, પણ પ્રશ્નો પેદા કરશે અને એ એવા પ્રશ્નો હશે જેનો ઉત્તર આપતાં-આપતાં હજી વધુ અસત્યનો અને વિકૃતિઓનો સહારો લેવો પડશે.
મારા દેશપ્રેમી હિન્દુ વાચકોને જણાવી દઉં કે મુસલમાનોમાં પણ ડાહ્યા લોકો હોય છે, જે દૂરનું વિચારી શકે છે અને વિવેકનો પક્ષ લે છે. આ જણાવવું એટલા માટે જરૂરી છે કે હવે પછી ભારતમાં જે ઇતિહાસ ભણાવવામાં આવશે એમાં આ સત્ય નહીં હોય. પાકિસ્તાનનાં પાઠ્યપુસ્તકોમાં જે ચહેરો હિન્દુઓનો છે એ ચહેરો ભારતીય પાઠ્યપુસ્તકોમાં મુસલમાનોનો હશે. અહીં હિન્દુ અને મુસલમાનોના ઇતિહાસની નકારી ન શકાય એવી જે કેટલીક હકીકતો કહી છે એ તમારી આવનારી પેઢી માટે નોંધી રાખજો, કારણ કે તમારે તમારા સંતાનને ત્રાસવાદી કે ત્રાસવાદનું સમર્થક બનતું અટકાવવાનું છે. આ હકીકતો એટલા માટે પણ કામમાં આવશે કે તમે તમારા બાળકને જણાવી શકશો કે માણસ આખરે માણસ હોય છે અને તેનામાં સારા-નરસાપણું બન્ને હોય છે. માણસ હોવાપણાને ધર્મ સાથે સંબંધ નથી હોતો, વિવેક સાથે હોય છે. વિવેક વિકસાવવા માટે સારું અને નરસું બન્ને તેની સમક્ષ મૂકવું પડે. પાપ શું કહેવાય એની સમજ વિકસે તો જ પુણ્ય શું કહેવાય એની સમજ વિકસશે. એટલે તો નીરક્ષીર વિવેક કહેવામાં આવે છે. ધર્મના આધારે આપણે સદૈવ પુણ્યવાન અને મુસલમાન સદૈવ પાપી એવું હવે પછી ભણાવવામાં આવશે. આને કારણે તમારું બાળક ધર્મઝનૂની અથવા ધર્મઝનૂનનું સમર્થક બની શકે છે.
જો તમે તમારા સંતાનને ધર્મઝનૂની બનતું બચાવવા માગતા હો તો અહીં જે ઇતિહાસ મીમાંસા કરી છે એને તમારી આવનારી પેઢી માટે સાચવી રાખજો. આ સલાહ હું એટલા માટે નથી આપતો કે આ વાત મેં કહી છે. આ વાત જગતભરમાં સમજદાર માણસો કહેતા ગયા છે અને હજી કહી રહ્યા છે. આમાં જ તમારા બાળકનું કલ્યાણ છે, કારણ કે આમાં માનવકલ્યાણ છે. માથે શિખા, ખિસ્સામાં ૐકાર અને હાથમાં ૫૭ધારી તમારા યુવાન પુત્રની તસ્વીર કલ્પવામાત્રથી જો તમારા શરીરમાંથી લખલખું પસાર થઈ જતું હોય તો આ લેખ મઢાવીને સાચવી રાખજો, કારણ કે પાકિસ્તાનમાં આની શરૂઆત પાઠ્યપુસ્તકોથી કરવામાં આવી હતી અને ઇસ્લામ તેમ જ દેશપ્રેમી પાકિસ્તાનીઓએ એમાં મૂક સંમતિ આપી હતી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2017
![]()


ઉમાશંકર જોશીના પ્રદાન વિશે તાજેતરમાં થયેલું બહુ મહત્ત્વનું કામ એટલે ‘સંસ્કૃિત’ સામયિકના ચારસો સોળ જેટલા અંકોમાં પ્રસિદ્ધ થયેલાં પાંચ હજારથી વધુ લખાણોની સૂચિ. તેનું નામ છે ‘સંસ્કૃિત-સૂચિ’, પેટા નામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંનો આ ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્ર્સ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કર્યો છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે. સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કીમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ
‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે. તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. ત્રીજા કે ચોથા પૂંઠા પર મોટે ભાગે કવિતા કે ફકરો છે તેની નોંધ છે. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાન્ત/ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ. ‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેરજીવનનાં સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે, જે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાં હોય. પત્રમ્પુષ્પમ્, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોનાં નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.
આપણા સાહિત્યિક વિમર્શની આવી મર્યાદાનો દાખલો એ ઉમાશંકરના ‘સમયરંગ’ અને ‘શેષ-સમયરંગ’ પુસ્તકો છે. તેમાં પ્રકટતા લેખક ઉમાશંકર આવશ્યક અને ઉપેક્ષિત બંને છે. આ બંને પુસ્તકો ‘સંસ્કૃિત’માં ઉમાશંકરે ખુદ લખેલાં લખાણોના સંચય છે. ‘સમયરંગ’ ૧૯૭૮માં મુંબઈના ચીમનલાલ લિટરરી ટ્રસ્ટે પ્રસિદ્ધ કર્યું. તેનું પુનર્મુદ્રણ ૨૦૦૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું. સાથોસાથ તેણે ‘શેષ સમયરંગ’ પણ બહાર પાડ્યું. સ્વાતિ જોશી સંપાદિત આ સંચયમાં ‘સંસ્કૃિત’ના ‘સમયરંગ’ વિભાગનાં બાકીનાં લખાણો ઉપરાંત ‘નિરીક્ષક’ના અગ્રલેખો અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે ઉમાશંકરે લખેલી નોંધોનો સમાવેશ થાય છે. આ બંને પુસ્તકોનાં કુલ ૯૮૦ પાનાંમાં ૧૦૬૩ લખાણો છે. તેમાં આ મુજબની બાબતો આવે છે : રાજકારણ, શિક્ષણ, અર્થકારણ, ભાષા સાહિત્ય, કલા, સંસ્કૃિત જેવાં વિવિધ ક્ષેત્રનાં ‘ચાલુ બનાવો પરની નોંધો’, અગ્રલેખો, ભાષણો, સંસદીય પ્રવચનો, મુલાકાતો, ટૂંકા અહેવાલો, વ્યાખ્યાન-સંક્ષેપો અને અંજલિલેખો. નાનામાં નાની નોંધ એક વાક્યની છે : ‘‘પથેર પાંચાલી’ પરદા પર જોયું?’ (‘સમયરંગ’, પાનું ૨૧૭), લાંબામાં લાંબા લેખ પાંચ પાનાંના છે. જેમ કે, ‘સોવિયેત-દોસ્તી ભલે, સોવિયેત-પરસ્તી હરગિજ નહીં’, અથવા નવનિર્માણ આંદોલન પછી રાજ્યસભામાં આપેલું પ્રવચન ‘વિસર્જન અનિવાર્ય છે, તો વિલંબ શા માટે ?’ આંતરરાષ્ટ્રીય તથા એતદ્દેશીય રાજકારણ વિશેનાં મોટા ભાગનાં લખાણો વિસ્તૃત અને વિપુલ છે. બંને ગ્રંથોનાં કુલ લખાણોના ચોથા ભાગનાં એટલે કે અઢીસો જેટલાં લખાણો રાજકારણને લગતાં છે, એ હકીકત ઉમાશંકરનો અગ્રતાક્રમ સૂચવે છે. ‘સમયરંગ’ની પ્રસ્તાવનામાં તે લખે છે : ‘રાજકારણ પણ મનુષ્યના જીવનની એક અત્યંત મહત્ત્વની રગ છે, કહો કે રાજકારણ પ્રાણવાયુ સમાન છે. જાગ્રત નાગરિક રાજકારણથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ હું રાજકારણ કરતાં જાહેર બનાવો(પબ્લિક અફેર્સ)માં રસ લઉં છું એમ જ કહેવાનું વધુ પસંદ કરું.’ રાજકારણની સભાનતાનું ઉમાશંકરને મન કેટલું મહત્ત્વ છે તે ‘સમયરંગ’નાં અન્ય બે અવતરણોમાં પણ બહાર આવે છે : ‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે. મારા જેવો કવિતાનો માણસ પણ રાજકારણ વગર શ્વાસ લઈ શકે નહીં’ (પૃ.૩૩૫). અને ‘પોલિટિક્સનો છોછ રાખ્યે નહીં ચાલે. યા તો બુદ્ધ યા તો બુદ્ધુ સમાજની બહાર રહી શકે, પણ આપણે સમાજના બધા વ્યવહારમાં રહેનાર રાજકારણનો છોછ રાખીએ તે ન ચાલે, કેમ કે આપણે રાજકારણને છોડીએ ભલે, રાજકારણ આપણને છોડશે નહીં’ (પૃ ૩૭૪).
વિદ્યાર્થીઓ માટેની લાગણી સહુથી વ્યાપક રીતે વ્યક્ત થઈ હોય, તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિનાં જાણે ઓવારણાં લે છે. તે બધાંના સાર સમો ગદ્યાંશ ‘શેષ સમયરંગ’ના એક લેખમાં મળે છે : ‘બધા વિચારકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજનેતાઓ ચિંતા વ્યક્ત કરતા હતા કે આજના વિદ્યાર્થીના ભણતરનો દેશના દેશમાં જિવાતા જીવન સાથે મેળ નથી. એકાએક એવું બન્યું કે વિદ્યાર્થીના જીવનનો તાર જિવાતા જીવન સાથે બરાબર સંધાઈ ગયો. વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે, એટલે સહેજે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે. નૈતિકતામાં તેઓ વડેરા કરતાં વડા નીવડી શકે એમ છે. ગુજરાતના-ભારતના જાગેલા વિદ્યાર્થીઓ આગળથી ભ્રષ્ટાચારે હવે ભાગવું પડશે’ (પૃ. ૪૦૩). વિદ્યાર્થીઓનું આવું ઉદાત્તીકરણ ઉપરછલ્લુંનથી.એટલે જ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. અનામતના પ્રશ્ને તબીબી શાખાના વિદ્યાર્થીઓને આંદોલન ન કરવા સમજાવતાં બે લેખો ‘શેષ સમયરંગ’માં આપે છે – ‘સાંકડાં હૃદય ન રાખશો’ (પૃ. ૫૧૯) અને ‘માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયનો તકાજો’ (પૃ. ૫૨૧). નવનિર્માણમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારથી ઉમાશંકર વ્યથિત થાય છે. કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં ૧૯૭૪ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’, તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત ?’ એવા વેધક લેખમાં એ કહે છે : ‘છેલ્લાં વરસોમાં દેશના યુવાનો-વિદ્યાર્થીઓમાં સમાજના શોષિત વર્ગ અંગે જાગૃતિ વધતી રહી છે … તેઓની અકળામણ ક્યાંક માઝા વટાવતી હોય તેમ બને … પણ શાસકોએ ચેતી જઈને સામાજિક ન્યાયની પ્રક્રિયાને વેગીલી બનાવવાને બદલે એ પ્રક્રિયાને શક્તિમતિ પ્રમાણે ધપાવવા મથતા જુવાનો પર શી ગુજારી છે, એનો ખ્યાલ પણ કમકમાં ઉપજાવે એવો છે … યુવક-યુવતીઓ શોષિત જનતાને માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય અને તેમને જે દેશની નેતાગીરી રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિ વિશે, તેની નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ?’