૨૧મી જુલાઈ-૨૦૧૮ના રોજ અમદાવાદમાં કવિ ઉમાશંકર જોશીના ૧૦૮મા જન્મદિન પ્રસંગે એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં રઘુવીર ચૌધરીએ ૧૯૬૩માં ઉમાશંકર જોશી વિશે પોતે લખેલા સૉનેટનો પાઠ કરીને તેમ જ કવિ ઉમાશંકરનાં છેલ્લાં કાવ્યનું પણ પઠન કરીને સંસ્મરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. પ્રો. સતીશ વ્યાસ તેમની અભ્યાસપૂર્ણ વક્તવ્યકલા માટે ઘણા જાણીતા છે. તેમણે કવિનાં જાણીતાં કાવ્યો અને તેમની સામાજિક નિસબતને આગળ કરીને સોદાહરણ રજૂઆત કરી. શિરીષ પંચાલ આપણા જાણીતા વિવેચક છે. તેમને ગુજરાતના વિવેચકોની એક આખી શ્રેણી કરવી હતી. પ્રત્યેક વિશે એક ગ્રંથ કરવાનું આયોજન હતું, પરંતુ કવિ ઉમાશંકરના વિવેચન લેખો એટલા નીકળ્યા કે પરાણે તે સમાવવા બે ગ્રંથ કરવા જ પડ્યા! ગુજરાતી સાહિત્યના ઉત્તર-દક્ષિણ ધ્રુવ મનાયેલા ઉ.જો. – સુ. જો. વિશે પણ તેમણે સ્પષ્ટતામૂલક કેટલીક વાતો કરી.
સાહિત્યકારોની કંઈક ને કંઈક ઉજવણીના પ્રસંગો અને અન્ય સાહિત્યિક કાર્યક્રમો તો અમદાવાદમાં અને ગુજરાતમાં યોજાતા જ રહેતા હોય છે. તેમાં અધ્યાપકો પોતાની અધ્યાપકીય વિદ્વત્તા પણ પ્રગટ કરતા હોય છે. આપણે ત્યાં સાહિત્યનું ક્ષેત્ર મોટે ભાગે અધ્યાપકોના કબજામાં રહ્યું છે. તેના કેટલાક ફાયદા પણ છે, તો વધુ ગેરફાયદા પણ છે. નરોત્તમ પલાણ જેવા અધ્યાપક ક્યારેક આ બાબતે તિર્યક નુક્તેચીની કરતા હોય છે.
આ કાર્યક્રમ કદાચ એ માટે યાદ રહેશે કે ઉમાશંકરનાં પુત્રી સ્વાતિબહેને ગુજરાતી સાહિત્યની આવી પ્રવર્તમાન સ્થિતિ વિશે ઘણો બળાપો ઠાલવ્યો. વક્તાઓમાં તે કદાચ સૌથી નાની વયનાં હતાં, છતાં (કદાચ) કોઈ શારીરિક મુશ્કેલી હશે તેથી તેમણે બેસીને વક્તવ્ય આપવાનું પસંદ કર્યું. તેમના વક્તવ્યનો મુખ્ય ભાર ઉમાશંકર જાહેરજીવનની અગ્રણી વ્યક્તિ હતા અને ક્યારે ય બોલવાની જરૂર હોય, ત્યારે કદી મૌન સેવ્યું નથી, એ હતો.
આપણે ત્યાં બૌદ્ધિક પ્રવૃત્તિ કહેવાય છે ખરી, પણ બહુ થતી નથી. બૌદ્ધિક હોવું એ ઘણી જવાબદારીભર્યું કામ છે. બૌદ્ધિક જાહેરજીવનનો અગ્રણી છે, તે વ્યાપક સમાજના સંદર્ભમાં સદાય વિચારતો હોય છે. સારા અર્થમાં તે સમાજહિતચિંતક હોય છે. પોતાની બુદ્ધિનો, અભ્યાસનો, સંશોધનનો, વિવેકપૂર્વક તે દિશામાં ઉપયોગ કરતો હોય છે. આવા બૌદ્ધિકો (જો) હોય (તો) તેમને માટે ‘પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ’ શબ્દ વપરાયો છે, જેની બહુ મોટી પરંપરા યુરોપના દેશોમાં રહી છે. આપણે એનો તરજુમો ‘જાહેર બૌદ્ધિક’ તરીકે કર્યો છે.
આજે ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ને કારણે ખુલ્લા વિચારજગત પર ભય ઝળૂંબી રહ્યો છે, ત્યારે આ મુદ્દા પર દાયકાઓ પૂર્વે લખનારા ઉમાશંકર હતા, એમ સ્વાતિબહેને જણાવ્યું. સ્વાયત્તતા શી ચીજ છે એ ઉમાશંકરને કિશોરવયે ખબર હતી. ૧૭ વર્ષની વયે મામાને અને પિતાને અલગ-અલગ તબક્કે પત્રો લખીને ઉમાશંકર કહે છે કે હડતાલમાં ભાગ લેવો કે નહીં અને વિકલ્પે ભણવામાં ધ્યાન આપવું કે નહીં, તેનો ‘આત્મનિર્ણય’ હું પોતે કરીશ, બીજા નહિ કરે. આટલી સમજ અને આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો હશે, એની પણ સ્વાતિબહેને જિકર કરી.
ઉમાશંકર બામણા ગામમાં બાળવયે જે કંઈ જોતા હતા, અનુભવતા હતા, વાંચતા હતા, તે પછી આઝાદી-આંદોલનમાં ગયા હતા, આ બધાંની અસર તેમના માનસપટ પર બરાબર ઝિલાઈ હતી. આ વખત આવ્યે તે ઉચિત રીતે પ્રગટ થયા વિના રહેતી ન હતી. જરૂર પડી ત્યારે લોકશાહી મૂલ્યોના જતન માટે રાજસભામાં ઊભા થઈને નેહરુની, વડાપ્રધાન પુત્રી ઇન્દિરા સામે વિરોધ કરતાં તેમણે સંકોચ અનુભવ્યો ન હતો. કનૈયાલાલ મુનશી તો તે જમાનામાં દિગ્ગજ હતા. સાહિત્ય પરિષદનાં તાળાકૂંચી તમે એકલા ખિસ્સામાં રાખીને ફરો. એવું તેમને ૧૯૫૫માં કહેનાર ઉમાશંકર જોશી હતા. ૧૯૩૨-૩૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે ગાંધીજી જવાના હતા, ત્યારે ગાંધીજીએ ત્યાં કેમ ન જવું જોઈએ, એવો પત્ર લખનાર ઉમાશંકર હતા. ઉમાશંકરે ત્યારે ગાંધીજીને એવું લખેલું કે સાહિત્ય પરિષદ તો ઉચ્ચવર્ણની કેટલીક જ્ઞાતિઓથી કેદ થઈ ગઈ છે, ત્યાં તમારાથી કેવી રીતે જવાય?
સ્વાતિબહેનનું કહેવું એમ હતું કે ગુજરાતમાં માત્ર સાહિત્યનો પ્રભાવ અને સાહિત્યના પ્રદાનની વાત બહુ ચગાવાય છે અને એવું કહેવાય છે કે અમુક સાહિત્યકારે તે ઉપરાંત આમ પણ કર્યું હતું. એમનો આક્રોશ આવી વ્યાપક માનસિકતા સામે હતો. આવું મનોવલણ સંકીર્ણ ગણાય એવી પણ તેમની સમજ હતી. આવા મનોવલણથી ખોટો સંદેશ જાય છે, જાહેરજીવન વિશેની ખોટી સ્થાપના થાય છે, એમ પણ એમનું કહેવું હતું. સાહિત્યનો સમાજ સાથેનો અનુબંધ સાહિત્ય ન ગણાય તો તે વિનાનો બૌદ્ધિક બૌદ્ધિક પણ ન ગણાય. સમાજ તો મહત્ત્વનો છે જ. રાજકારણ, સાહિત્ય અને શિક્ષણ તેના ભાગરૂપ છે. સાહિત્યકારની સમાજલક્ષિતા કે સમાજધર્મિતા એ તો એનું અવિભાજ્ય અંગ છે. કદાચ આઝાદીની લડતે તેમનામાં આવાં કેટલાંક મૂલ્યો પ્રત્યેનો લગાવ કાયમી કર્યો હોય એવી સંભાવના ખરી. સાહિત્યકાર એ દૃષ્ટિએ એકાંગી ન હોય તે અનિવાર્ય છે. આથી જ ઉમાશંકર રાજકારણ વિશે પણ બોલ્યા, જરૂર પડી ત્યારે (વા.ચા.ની) ચૂંટણી પણ લડ્યા અને સરકારી ઇનામોનો અસ્વીકાર કરતા રહ્યા. (પદ્મશ્રી, પદ્મવિભૂષણ વગેરે)
ઉમાશંકરનાં આ મજબૂત પાસાં વિશે અન્ય વક્તાઓએ જિકર નહોતી કરી એમ ન હતું. પ્રત્યેક વક્તાએ એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો અને પોતપોતાને સૂઝ્યા તેવાં, યાદ હોય તેવાં ઉદાહરણો પણ આપ્યાં હતાં. વક્તાગણમાંથી એક સ્વાતિબહેન જોશીએ માત્ર ને માત્ર આ એક મુદ્દાને જ તારસ્વરે રજૂ કર્યો હતો. તેમ કરવું એમને બરાબર અભિપ્રેત હતું. કદાચ તેમના મતે સાહિત્યકાર વર્ગમાં અને આજના બૌદ્ધિક વર્ગમાં જે ખૂટે છે, તે બાબત જ આ છે, એ એમને અભિપ્રેત હતું.
ઉમાશંકર જોશીના કુટુંબીજન તરીકે એમનું કહેવું એ હતું કે ઉમાશંકરનું કોઈ જુદું કુટુંબજીવન હતું જ નહીં. ઘરમાં લોકોની આવન-જાવન એટલે ઊભરાતો અને ઓળખાતો સમાજ. તો વળી બહાર એમનું વ્યાપક કુટુંબ. આમ કહેતાં તેમણે પોતે આસામમાં, ગોવામાં, દક્ષિણનાં રાજ્યોમાં પિતા સાથે પ્રવાસે ગયાં હોય અને અન્ય સાહિત્યકારોને ત્યાં ઊતર્યાં હોય, તેવા કિસ્સાઓ પણ ટાંક્યા.
સ્વાતિબહેનનો એક મહત્ત્વનો મુદ્દો ભારતીયતા અને ભારતીય સાહિત્યનો રહ્યો. આપણે વિદેશી ભાષાઓના સાહિત્ય અને વાદોની ઝીણી-ઝીણી વિગતો જાણીએ છીએ, પરંતુ પ્રાદેશિક સાહિત્ય વિશે ઓછું જાણીએ છીએ તે બદલ ખેદ અનુભવતા નથી, વધુ જાણવાની કોશિશ કરતા નથી. જાણકારીના અભાવના આવા માહોલમાં ભારતીયતાનો સાચો વિચાર વિકસે કેવી રીતે, એ મુદ્દો એમને મન ઘણા મહત્ત્વનો હતો.
આવું પહેલી વાર બન્યું નથી. ક્યારેક-ક્યારેક સાહિત્યની સરહદ પર ઊભેલી આવી વ્યક્તિઓએ આવા બળાપા કાઢ્યા પણ છે, સીમોલ્લંઘનની જિકર પણ કરી પણ છે, પરંતુ કોણ જાણે કેમ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતનું બૌદ્ધિક જગત આ દિશામાં બહુ અંતર કાપી શક્યાં નથી!
E-mail : dankesh.oza@rediffmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 07 અને 11
![]()


૧૯૮૦ના દાયકામાં આસામમાં વિદેશીઓ વિરોધી આંદોલન શરૂ થયું હતું એની કદાચ નવી પેઢીને જાણ નહીં હોય અને જેને જાણ હશે તેમને ૧૯૮૫ની આસામસમજૂતી શા માટે નિષફળ નીવડી એની પૂરી જાણકારી નહીં હોય. એની જો પૃષ્ઠભૂમિ સમજી લેવામાં આવે તો અત્યારે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ(NRC)ના નામે રાષ્ટ્રવાદની જે નવી ક્રાન્તિ આકાર લઈ રહી છે એની મર્યાદા ધ્યાનમાં આવશે. અહીં આવો એક પ્રયાસ કરવાનો ઇરાદો છે.
અત્યારે ત્રણ દાયકા પછી એમ લાગે છે કે અમારું એ ભોળપણ હતું. સમાજવાદી વિચારક મધુ લિમયેએ મને કહ્યું પણ હતું કે તમે પ્રશ્નને સાંગોપાંગ સમજ્યા વિના કૂદી પડ્યા છો અને આસામનાં છોકરાંવની નાહક આશા વધારી રહ્યા છો. હું આસામના વિદ્યાર્થીનેતાઓને લઈને મધુ લિમયેને મળવા ગયો હતો ત્યારે મધુ લિમયેએ અમારી ઠીક-ઠીક ધુલાઈ કરી હતી. મધુ લિમયેએ કરેલા પ્રબોધનના પરિણામે અને એ પછી ઈશાન ભારતને સમજવાનો જે કોઈ પ્રયાસ કર્યો છે એ પછી હું એવા તારણ પર પહોંચ્યો છું કે આસામની અને એકંદર ઈશાન ભારતની વિદેશીઓની સમસ્યાનો કોઈ ઉપાય નથી. મધુ લિમયેએ અમારી સાથેની વાતચીતમાં આસામને દેશના અત્યંત કમનસીબ રાજ્ય તરીકે ઓળખાવ્યું હતું.
ઉત્તર કોરિયાનાં અણુશસ્ત્રો બાબત તેની અમેરિકા જોડે જૂન મહિને શિખર સ્તરે મંત્રણા થઈ. તેમાં નિર્ણય શું થયા તે તો તુરત બહાર નથી આવ્યું. પરંતુ તેના પૂર્વાપર સંદર્ભ રસભર્યા છે. સામસામાં ઘૂરકિયાં કરતાં બે નેતા કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા એ જ મોટી વાત. જેમ આ મંત્રણા થશે કે નહીં થાય તેવાં બે અંતિમ વચ્ચે ઝોલાં ખાતી હતી, તેવો જ ઇતિહાસ ઉત્તર કોરિયા અને આંતરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સંસ્થા (IAEA) વચ્ચેના સંબંધોનો રહ્યો છે. ક્યારેક એ નમીને ચાલે. માફી માગે તો ક્યારેક આક્રમક બની અણુ પરીક્ષણ કરી નાખે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જોડેના તેના સંબંધો ઉપર નીચે થતા રહ્યા છે, કારણ કે ત્યાંના સમ્મુખત્યાર પિતા-પુત્ર કંઈક અંશે તરંગી લાગે છે. તેમાં એક કારણ અમેરિકા જ છે.
આ ટીમ ઉત્તર કોરિયા જાય તે અગાઉ અમેરિકા પોતા તરફથી યોંગબ્યોંગ પરમાણુ કેન્દ્રમાંનાં બે બિલ્ડિંગોનાં નામ એજન્સીને આપે છે, જેનું ઇન્સ્પેક્શન તેને જરૂરી લાગે છે. ઉપગ્રહોથી મેળવાયેલ આ માહિતી હોવાથી IAEAને તેનો ઉપયોગ પણ હતો જ. પરંતુ આ પગલું એક રીતે ચાડી ખાવાની પ્રક્રિયા હતી, જેનાથી ૨૫ વર્ષની દુશ્મનીનાં બીજ રોપાયાં. વૈજ્ઞાનિકોને પણ લાગ્યું કે આમાંથી એક બિલ્ડિંગને જમીન નીચે એક માળ હશે, જે દાટી દેવાયો છે ! બગીચાથી તેનું સુશોભિત કરી દેવાથી રજ પણ ભય નહીં; પરંતુ રેડિયોધર્મી રસાયણ પ્રયોગશાળામાંથી બે નાળીઓ તેમાં દાખલ થતી હતી. એટલે દટાયેલો માળ કિરણોત્સર્ગ કચરાને સંઘરવા માટે વપરાતો હોય તેની શક્યતા હતી. અણુકેન્દ્રો અણુ ભઠ્ઠીઓના કિરણોત્સર્ગી કચરાને સામાન્ય ગટરમાં મેળવવાની મનાઈ છે. તેને જુદો સાચવવાનો હોય છે.