હાલ ગુજરાતી સાહિત્યમાં કોઇ INTJ છે?
ટૂંકમાં, એને મેધાવી યોજક, સર્જક કહેવાય – માસ્ટરમાઈન્ડ.
મનોવિજ્ઞાનીઓએ માણસોની વ્યક્તિમત્તાના ૧૬ પ્રકાર સૂચવ્યા છે. એમાં આ પ્રકાર વિરલ છે. ૨-૩ ટકા જ મળે.
I એટલે Introversion. એ વ્યક્તિ અન્તર્મુખી હોય છે.
N એટલે Intuition. સહજસ્ફુરણાને વરેલી હોય છે – અન્તર્જ્ઞાની.
T એટલે Thinking વિચારશીલ હોય છે.
J એટલે Judgement. સારાસારનો વિવેક કરી શકે છે.
જો કે એ ટોચે બેસેલો એકાકી હોય છે. એને સમાનરુચિ ધરાવનાર કોઇ ભાગ્યે જ મળે છે. છતાં, એવું કોઇ મળી જાય તો એના પર વરસી પડે છે કેમ કે મૂળે ખૂબ પ્રેમાળ બલકે વળકુળા સ્વભાવનો હોય છે.
જ્ઞાનનો પિપાસુ હોય છે. નાનપણથી પુસ્તકો ખૂબ વાંચે, મિત્રો ‘ગ્રન્થકીટ’ કહીને ચીડવે પણ કદી ચીડાય નહીં બલકે એ વાતનો ગર્વ કરે.
પ્રવાસમાં એકલો હોય ત્યારે વિચારે ઘણું.
કદી પણ ગેરસમજોનો સહભાગી ન થાય.
પોતાના ક્ષેત્રે પોતાની સમજ અનુસારનાં આયોજનો કરે.
પોતાનાં શક્તિ-સામર્થ્ય કદી પણ ગાંડાની જેમ ન ખરચે.
ધાર્યું નિશાન પાર પાડે જ પાડે.
એનો બુદ્ધિવાદ ક્રૂર ભાસે. એ વાર્યો વળે નહીં.
સિદ્ધાન્તને વિશે અવિચળ હોય છે.
સામાજિક રીતરસમો એને સદંતરની મૂરખામીભરી લાગે, ગણકારે નહીં, અમસ્તી ઝાકઝમાળથી છેટો રહે.
પોતાના દેશકાળે નવસર્જન કાજે ઘણુંક ઘણું ભાંગે, તોડે-ફોડે.
પોતાની વાતને સમ્પન્ન કરીને જંપે, હંમેશાં પૂર્ણતાએ પ્હૉંચાડે
એની વ્યક્તિતા વિરોધાભાસી હોય છે :
– આમ ભોળિયો આદર્શવાદી પણ એટલો જ સખત ટીકાકાર.
– કશું અશક્ય છે એમ ન માને – માને કે બુદ્ધિ અને પરિશ્રમથી દુનિયાની કોઇ પણ ચીજ હાંસલ કરી શકાય છે. પણ એમ પણ સમજીને ચાલે કે લોક મૂર્ખ હોય છે, કશું પણ સિદ્ધ કરવાને વિશે આળસુ ને બાઘ્ઘા હોય છે.
– કલ્પનાશીલ, પણ એટલો જ નિશ્ચલ – તરત નિર્ણય લઇ શકે.
— મહત્ત્વાકાંક્ષી, પણ એટલો જ મનસ્વી અને બધી બાબતે આતુર.
– પોતાની સૂઝબૂઝ પર એનું પ્રભુત્વ ઘણું. છતાં, પોતાને લાધેલા જ્ઞાનમાં બીજાઓને સહભાગી કરવા ઝંખે.
છેલ્લી મજાની વાત. જીવન એને ચેસની રમત લાગે. પ્યાદાં અહીંથી તહીં ખસતાં રહે કેમ કે બુદ્ધિ એની સતત એમને ખસેડ્યા કરે. સામાવાળો કે સામાવાળી જીતે તો દુ:ખી ન થાય, હારને પ્રેમથી પચાવી જાણે કેમ કે એને ફરીથી ને સતત રમવાના અભરખા હોય.
કોઇ છે આટલાતેટલામાં? હોય તો કહેજો. બાકી સમજી લેજો કે હું બેચૅન કેમ છું.
![]()


આ બાળક તે ઍડોલ્ફો પેરિસ એસ્કિવિયેલ – Adolfo Pérez Esquivel. જન્મ 26 નવેમ્બર 1931 – બેનેસ એરિસમાં. માત્ર ત્રણ વર્ષની કુમળી વયે માતાનું છત્ર ગુમાવ્યું. ગરીબીના સંકજામાં સપડાયેલ હોવા છતાં માનુએલ બેલગ્રાનો ફાઈન આર્ટસ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને નેશનલ યુનિવર્સિટી ઓફ લા પ્લાટામાં ઉચ્ચ શિક્ષણ મેળવી એક સુંદર ચિત્રકાર અને શિલ્પી પણ બન્યો. વર્ષો વીતતાં માત્ર આર્જેન્ટિના જ નહીં પણ સારાયે વિશ્વમાં તેની ઓળખ એક કર્મશીલ, ચિત્રકાર, લેખક, શિલ્પી અને સામાજિક કાર્યકર તરીકે ઉપસી આવી, એટલું જ નહીં, તેમને આર્જેન્ટિનાની આપખુદ સત્તા સામે જંગ ખેલવા બદલ 1980માં શાંતિ નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. જો કે એ દરમ્યાન જ (1976-1983) તેમણે 14 મહિના સુધી કેસ ચલાવ્યા વિના જેલવાસ ભોગવ્યો અને તેમના પર દમન કરવામાં આવ્યું. જોવાનું એ છે કે એ ગાળા દરમ્યાન જ તેમને બીજાં અનેક પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં જેમાંનું એક પૉપ જ્હોન XXIII તરફથી પણ હતું! માનવ અધિકારની રક્ષા માટેનું નોબેલ પારિતોષિક ઍડોલ્ફોએ પોતાના ‘ગરીબમાં ગરીબ અને નાનામાં નાના ભાઈઓ અને બહેનો વતી’ સ્વીકારેલ જેની પૂરેપૂરી રકમ એ સંસ્થાને દાનમાં આપી દીધી. 
આર્થિક અને અન્ય નીતિઓના ઘડતર અને તેમની અસરકારકતા તપાસવા માટે સંબંધિત ક્ષેત્રના વિશ્વાસપાત્ર આંકડા આધારસામગ્રી બની રહે છે. એ જ રીતે સામાજિક શાસ્ત્રોમાં રજૂ થતા સિદ્ધાંતોની ચકાસણી માટે ભરોસાપાત્ર આંકડાઓની ઉપલબ્ધિ જરૂરી થઈ પડે છે. આ માટે સ્વતંત્ર કે સ્વાયત્ત સંસ્થાઓ એ કામગીરી બજાવતી હોય તે આવશ્યક છે. તેથી દેશમાં આયોજનના આરંભ સાથે નૅશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન(એન.એસ.એસ.ઓ.)ની રચના કરવામાં આવી હતી. એ પછી નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાઓ પોતાની રીતે કામ કરવા અને એના આધાર પર પ્રાપ્ત થતી માહિતી પ્રગટ કરવા મુક્ત હતી. ‘હતી’ એમ લખવું પડે છે કેમ કે સરકારે તેમની કામગીરીમાં હસ્તક્ષેપ શરૂ કર્યો છે. એની શરૂઆત જી.ડી.પી.ના વૃદ્ધિદરથી થઈ.