“Migratory species connect the planet and together we welcome them home.”
જાહેરાતમાં
ઉષ્માભર્યું આ વાક્ય વાંચી થયું
નસીબદાર છો,
નાગરિકતાનો પ્રશ્ન તમને નડતો નથી.
વિહરવાની આઝાદી
તમે ઠાઠથી માણો છો.
શિયાળુ વતન છોડી
ઉનાળુ વતન ભણી
સીધા નીકળી પડો છો.
જ્યારે જ્યાં હોવ એ તમારું વતન
ના પાસપોર્ટ ના વિઝાની ઝંઝટ
ના NRC કે CAAનું સંકટ,
એક દેશથી બીજા દેશ તરફની ઉડાનમાં
કોઈ દેશની ઍર-સ્પેસનો ઇનકાર નહીં.
આપણા ગ્રહની કડી માની
તમને ઘરમાં આવકાર
વિના કોઈ ભેદભાવ
ને અમારા હિજરતી વિશ્વબંધુઓ સાથે
જાતપાતના ભેદભાવ
તમને વૈશ્વિક નાગરિકતા
ને અમને નહીં
આ તે ક્યાંનો ન્યાય ?
[ગુજરાત રાજ્ય જંગલખાતા અને પર્યાવરણ, વન અને ઋતુ પરિવર્તન મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં 17થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત COPB(Conference of the Parties to the Convention on Migratory Species)ની દૈનિકમાં પ્રકાશિત જાહેરાત પરથી પ્રેરિત.]
e.mail : rupaleeburke@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 14
![]()


ભારત સરકારે પણ કોરોના વાઈરસની તક ઝડપીને મીડિયાનું મોઢું બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન રઝળી પડેલા લોકોને રાહત મળવી જોઈએ એવી માગણી કરતી બે પિટિશન સર્વોચ્ચ અદાલતે દાખલ કરી છે અને સુનાવણી ચાલી રહી છે. અરજકર્તાઓએ અદાલત સમક્ષ માગણી કરી છે કે કાં તો ભારતનાં શહેરોમાં સ્થાયી રહેણાક અને રોજગાર નહીં ધરાવતા પ્રવાસી મજદૂરોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે અને કાં તેમને કોરોનાનો ચેપ ન લાગે તેવી સુરક્ષિત જગ્યાએ ભોજન અને બીજી દવા જેવી જીવનજરૂરિયાતની ચીજો પૂરી પાડવામાં આવે.
બિહાર વિધાનસભાના જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના તાજેતરના સર્વસંમત પ્રસ્તાવ પછી ફરી એકવાર આ મુદ્દે ચર્ચા ઊઠી છે. આ વરસે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિ પ્રમુખ મુદ્દો હોય ત્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવનું સમર્થન કરવું તે રાજ્યના તમામ રાજકીય પક્ષોની મજબૂરી હતી.