શત્રુ અદૃશ્ય હોય ત્યારે, છુપાઈને લડવું સારું કહેતા‘તા,
ને શત્રુ ભૂરાંટો થયો, ત્યારે જ ધકેલ્યો મેદાને મને ?
ભૂલી ગયા પેલું ? ‘જાન હૈ તો જહાન હૈ’, કહેતા‘તા તે !
હવે જાન અને જહાન બંને સાચવવાનું કહો છો મને ?
બહુ ખખડાવી, બહુ સળગાવી, કરી નૌટંકી કેવી ?
અઢાર દિ‘માં જીત્યા’તા, જીતશું યુદ્ધ, મારી’તી ફિશિયારી એવી !
‘ઘરમાં રહો સુરક્ષિત રહો’ કહેતા‘તા તે,
સઘળું ખોલી બેઠા? છોડી દીધા છુટ્ટા સૌને ફોડવા તમતમારું !
નથાયો નહિ કાળીનાગ, ને તોયે નાચવા લાગ્યા ?
શું મારી’તી ધાડ? તે ખાલી વાદળાં જેવું ગાજવા લાગ્યા !
પીઠ થપથપાવી પોરસાવાનું, પાડી દીધો છાકો !
ઊઠ ઊંઘણશી, જાગીને તું જો જરા, રાડો પાડે રાંકો !
મનની વાતમાં મેલ પૂળો, વડાં કરે તું વાતે,
આજીવન છે યુદ્ધ અહીં, લડવાનું બસ જાતે.
![]()


ભારત સામે એક સમસ્યા છે. એમાં ઓછામાં ઓછા બે અને કેટલીકવાર તો પાંચ કે છ પક્ષકાર છે. પક્ષકાર દેશી છે, વિદેશી છે, એક સમયના દેશી પણ હવે વિદેશી છે. જે દેશી છે એ ધર્મ, ભાષા, પ્રદેશ અમે દરેક પ્રકારના દેશી છે. એ સમસ્યા સો વરસ, દોઢસો વરસ અને એનાથી પણ જૂની છે અને દરેક પક્ષકારને સમાધાન થાય એ રીતે તેનો હજુ નિકાલ આવતો નથી. સમસ્યા અંગ્રેજોને પણ વારસામાં મળી હતી, અંગ્રેજોએ તેનો લાભ લઈને વધારે અઘરી કરીને વારસામાં આપી છે અને અંગ્રેજોએ પેદા કરીને સ્વતંત્ર ભારતને વારસામાં આપી હતી. અને આવી સમસ્યા એક-બે-પાંચ નથી; પણ પચાસ છે. આ ભારત દેશ છે. આવી જે પચાસ જેટલી સમસ્યા છે એમાં એક ચીન સાથેનો સરહદી વિવાદ છે.
માનવજાતને મહામારીથી સુરક્ષા બક્ષનાર અને આજે ભૂલાઈ જનારમાં વાલ્ડેમર હાફકિનનું નામ મોખરે લઈ શકાય. આઝાદી પૂર્વે ભારતને બે મહામારીમાં લાખોનાં જાન બચાવનાર વાલ્ડેમર હાફકિનનું નામ ભાગ્યે જ ક્યાંક દેખા દે છે. વાલ્ડેમરનું આ યોગદાન અપૂર્વ હતું અને તેમની સ્મૃતિરૂપે આજે પણ મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ઊભું છે. અંગ્રેજોની ગુલામી કાળ દરમિયાન કેટલીક જે મહામૂલી વ્યક્તિઓ હિંદુસ્તાનના સંપર્કમાં આવી તેમાં એક વાલ્ડેમર હતા. વાલ્ડેમરનું ભારત આવવું એક માત્ર સંયોગ હતો અને પછી તેઓ બે દાયકા સુધી અહીં રહ્યા. અહીંયા તેમણે કોલેરા અને પ્લેગની મહામારીમાં વેક્સિન શોધીને લાખોનાં જીવનને સુરક્ષિત બનાવ્યા.
1902માં એક એવી ઘટના બની તેનાથી હાફકિનની તમામ ખ્યાતિ પર પાણી ફરી વળ્યું. બન્યું હતું એમ કે પંજાબના મુલ્કોવલ ગામમાં પ્લેગ પ્રસર્યો હતો. આ ગામમાં હાફકિનના દેખરેખ હેઠળ 107 લોકોને રસી આપવામાં આવી. આ રસી આપ્યા બાદ અહીંયા લોકો મૃત્યુ પામવા લાગ્યા અને પછી તેના આરોપ હાફકિન પર લાગ્યો. હાફકિન પર તપાસ બેસાડવામાં આવી અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા. અંતે તપાસમાં એ નિષ્કર્ષ આવ્યું કે રસી આપવામાં થયેલી ગેરરીતિનાં કારણે લોકોના મૃત્યુ થયા, તેમાં હાફકિનની કોઈ ભૂલ નહોતી.
હાફકિનનો ભારત સાથેનો નાતો 1915 સુધી રહ્યો, પછી તેઓ કાયમ માટે યુરોપમાં રહ્યા. 1918માં ભારતમાં સ્પેનિશ ફ્લૂ પ્રસર્યો ત્યારે તેમને યાદ કરવામાં આવ્યા. પરંતુ હાફકિનના જીવનમાં વિજ્ઞાન સાથે હવે યહૂદી ધર્મ પ્રત્યે અપાર આસ્થા પ્રગટી હતી. તેમનું પાછલું જીવન મહદંશે ધાર્મિક રહ્યું. 1925માં તેમની સ્મૃતિમાં મુંબઈમાં તેમના નામે ‘વાલ્ડેમર હાફકિન ઇન્સ્ટિટ્યુટ’ નિર્માણ પામી. ભારત સરકારે તેમના સન્માન અર્થે 1960માં પોસ્ટલ સ્ટેમ્પ પણ પ્રકાશિત કરી.