બંદૂકની અણીએ
કોઈ અવાજને દબાવવામાં આવે છે,
ગળામાં જ
મારી નાખવામાં આવે છે
ત્યારે એ –
દબાતો નથી કે મરતો નથી.
સદીઓ સુધી પડઘાયા કરે છે.
વડલા હેઠળથી પસાર થતા
કોઈ એકલદોકલ વટેમાર્ગુ પાસે
બીડી સળગાવવા,
દીવાસળી માગ્યા કરે છે
અવગત આત્માની જેમ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 03
![]()


ટ્વીટર પર એક ઉડતી ટિપ્પણી વાંચીઃ ‘નિષ્ફળતાને સફળતા તરીકે રજૂ કરવામાં વડાપ્રધાન મોદીનો જવાબ નથી.’ તેનો સંદર્ભ વડાપ્રધાનનું સ્વાતંત્ર્ય દિનનું ભાષણ હતું. આશરે દોઢ કલાકનું તેમનું રાષ્ટ્રજોગ ભાષણ સાંભળ્યા કે વાંચ્યા પછી થાય કે કાં આપણે પરગ્રહથી આવીએ છીએ કે પછી આ ભાઈ પરગ્રહથી આવતા લાગે છે. કોઈ પણ માણસ વાસ્તવિકતાથી આટલા સુખપૂર્વક વિમુખ રહીને શી રીતે વાત કરી શકે? વિશેષ પ્રતિભા જોઈએ તેના માટે. જૂઠાણાં અને આત્મમુગ્ધતાના આસવનું સંયોજન થાય, તો જ આ સિદ્ધ અવસ્થા શક્ય બને.
આ પત્ર તમને આદર તેમ જ વ્યથાથી લખી રહ્યો છું. જે રીતે વધુને વધુ લોકોનો ભારતની અદાલતો પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે, એ બાબતે હું એક ઇતિહાસકાર તરીકે તથા એક નાગરિકની હેસિયતથી પણ ચિંતિત છું. એટલી ચોખવટ કરી દઉં કે આ અવિશ્વાસ ભારતમાં લોકશાહીની વ્યાપક પડતીનો એક ભાગમાત્ર છે, અને સુપ્રીમ કોર્ટ તેનું મુખ્ય પાત્ર નથી. લોકશાહી માટે (કદાચ વધારે) ખતરારૂપ પરિબળો અમલદારશાહી અને પોલીસનું રાજકીયકરણ; વ્યક્તિત્વવાદ, સ્વતંત્ર મીડિયાનું દમન, ટીકાકારો સામે કરવેરાની તથા તપાસની સંસ્થાઓનો અન્યાયી ઉપયોગ, અંગ્રેજી રાજ વખતના કાળા કાયદા નાબૂદ કરવાને બદલે તેમને મજબૂત કરવાનું વલણ, રાજ્યો પાસેની સત્તાઓ ઝૂંટવાઇ જવાથી ભારતના સમવાયી તંત્રનું જોખમાયેલું સંતુલન વગેરે છે.