ભારતની આઝાદીના અમૃતપર્વનું આ વર્ષ છે. એક આખી પેઢી સ્વતંત્રતા મળ્યા પછી જન્મીને આથમી ગઈ છે, તેમ કહીએ તો પણ ચાલે. આજના નવયુવાનોને એ સમયની ખાસ કોઈ ઝાંખી નથી, તેમ તે સમયની વાત કરી શકે તેવાં લોકો પણ હવે દિવસે-દિવસે ઓછાં થતાં જાય છે. ત્યારે એ સમયને ફરી ત્વદૃશ કરવો હોય તો આપણે ફોટોગ્રાફી અને ચિત્રકળા જેવાં કલામાધ્યમો પાસે જવું પડે છે. આ નિમિત્તે આપણા કલાકારોએ આ આદોલનમાં શું યોગદાન આપેલું, તે જાણવું અને વિચારવું રહ્યું.
ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ગાંધીજીનું બહુ મોટું પ્રદાન હતું અને એમનો પ્રભાવ જનમાનસ ઉપર પણ બહુ મોટો હતો. જ્યારે સમગ્ર જન એમનાથી પ્રભાવિત થયું હોય ત્યારે કલાકારો તે પ્રભાવથી મુક્ત રહી જ ન શકે, પછી તે કોઈ પણ માધ્યમનો કલાકાર હોય. આપણે ત્યાં એવી એક માન્યતા છે કે ગાંધીજીને કલામાં રસ નહોતો, પણ એ વાત ખોટી છે. ગાંધીજીને કલામાં રસ તો હતો જ, પણ કલાની એમની વ્યાખ્યાઓ સાથે આજના કલાકારો સહમત ન થઈ શકે. ગાંધીજીએ બિથોવનના સંગીતને સાંભળેલું. અને એમને ચિત્રોમાં પણ રસ હતો. અને વિશ્વના કેટલાક મોટા અને પ્રસિદ્ધ ગણાયેલા ફોટોગ્રાફરોને એમણે ફોટા પાડવા માટે અનુમતિ આપેલી. જેનું ઉદાહરણ હેન્રી કાર્ટિયર બ્રસોના ફોટાઓમાં જોઈ શકાય છે.
હરિપુરામાં જ્યારે કાઁગ્રેસનું અધિવેશન ભરાયેલું, ત્યારે મંચ અને પંડાલના સુશોભનનું કાર્ય નંદલાલ બોઝને સોંપવામાં આવેલું. એમની સાથે જ સહાયમાં ગુજરાતના રવિશંકર રાવળ પણ કાર્યરત હતા. ૧૯૪રના 'ક્વિટ ઇન્ડિયા’ આંદોલન સમયે ફ્રાન્સીસ ન્યૂટન સેઝાએ તેમાં ભાગ લીધેલો, જેના પરિણામે એમને જે.જે. સ્કૂલ ઑફ આટ્ર્સમાંથી કાઢી મૂકવામાં આવેલા. સેઝાએ એ પછી કોઈ આટ્ર્સ સ્કૂલની કે અન્ય કોઈ ડિગ્રી લીધી નહીં અને તો પણ પછીથી તેઓ એક ચિત્રકાર તરીકે વિશ્વપ્રસિદ્ધ થયા.
કલાનું એવું એક પણ માધ્યમ નહોતું, જે એ સમયથી પ્રભાવિત નહોતું. ગાંધીજી એમના આશ્રમમાં રોજ બંને સમય પ્રાર્થના ગવડાવતા હતા. એ પ્રાર્થના વ્યવસ્થિત રીતે ગવાય ને રજૂ થાય એ માટે ગાંધીજીએ સંગીતકાર વિષ્ણુ દિગંબર પલુસ્કરજીની પાસેથી એક માણસ માગેલો, જે આશ્રમવાસીઓને આ પ્રાર્થના તૈયાર કરાવી શકે. અને પલુસ્કરજીએ એમના શિષ્ય નારાયણ મોરેશ્વર ખરેને ગાંધીજીની સેવામાં મોકલેલા. ખરેજીએ ગાંધીજીએ પસંદ કરેલાં અનેક ભજનોને સ્વરબદ્ધ કરેલાં. અત્યારના સમયમાં જે 'વૈશ્ણવજન તો તેને રે કહીએ’નો ઢાળ પ્રચલિત છે, તે ખરેસાહેબે સ્વરબદ્ધ કરેલો છે. ખરેજી દાંડીયાત્રામાં પણ ગાંધીજીની સાથે રહૃાા હતા.
ફિલ્મી દુનિયામાં પણ અનેક લોકો આ બધા સમયથી પ્રભાવિત હતા. કેટલીક ફિલ્મોનું નિર્માણ અને સર્જન આ આંદોલનના પ્રભાવમાં થયેલું. 'કિસ્મત’ને બ્રિટિશ સરકારે પ્રતિબંધિત જાહેર કરેલી. અને પછીથી એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સ્વતંત્રતાની સાથે-સાથે જ ભાગલાની દારુણ વેદના પણ આવી. આ વેદનાથી સૌથી વધુ પ્રભાવિત ચિત્રકારો થયા.
સાહિત્યમાં આ બધી ઘટનાઓનું નિરૂપણ ખાસ્સું થયું છે. સાથે જ ચિત્રકળાને પણ યાદ કરી શકાય. ખાસ તો, બે મહત્ત્વના ભારતીય ચિત્રકારોમાં તૈયબ મહેતા અને સતીષ ગુજરાલનાં ચિત્રોમાં આ ભાગલાની વેદના ખાસ ધ્યાન ખેંચે છે.
સી.વી.એમ. કૉલજ ઑફ ફાઇન આટ્ર્સના દ્વારા યોજાયેલા વેબિનાર 'આઝાદીની ચળવળમાં કલાકારોની ભૂમિકા’માં વ્યક્ત કરેલા વિચારો. વક્તાઓ સર્વશ્રી નટુ પરીખ, કનુ પટેલ, મનહર કાપડિયા, રાજેન્દ્ર થાનકી અને અભિજિત વ્યાસ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 05 તેમ જ 12
![]()


આમ તો જન્મતાંની સાથે બાળક રડવાનું શીખે છે. એ ન રડે તો એને રડાવવામાં આવે છે, જેથી તેની જીવંતતાની પ્રતીતિ થાય. એ પછી એ બાળક સ્કૂલે અક્ષરજ્ઞાન ને અંકજ્ઞાન મેળવે છે ને એ પછી તે જુદા જુદા વિષયો શીખે છે. તેને ભાષા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ જેવા વિષયો ભણાવવામાં આવે છે. પછી એ વિદ્યાર્થી કોઈ ચોક્કસ વિષયમાં રસ લેતો થાય છે ને એનો ઊંડો અભ્યાસ કરી સ્નાતક, અનુસ્નાતક કે પીએચ.ડી. જેવી ડિગ્રી મેળવે છે ને એમ તે જે તે ક્ષેત્રમાં પારંગત થાય છે.
સેવાગ્રામ-સાબરમતી સંદેશયાત્રાની પૂર્ણાહુતિના વળતે અઠવાડિયે આ લખી રહ્યો છું ત્યારે છાપામાં જોઉં છું કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઈકૉર્ટની દેવડીએ આશ્રમ નવીકરણ પ્રોજેક્ટ સબબ ‘રુક જાવ’ની ધા નાખી છે. તુષારભાઈ મોહનદાસ કરમચંદ ગાંધીના પ્રપૌત્ર છે એ અલબત્ત જોગાનુજોગ છે. સ્વાભાવિક જ એમણે લીધેલી ભૂમિકા કોઈ કથિત ‘વારસ’ તરીકેની નથી પણ નેતાજીએ જેમને રાષ્ટ્રપિતા કહ્યા તે ગાંધીજી પરત્વે નાગરિક સમાજના દાયિત્વમાંથી એ આવેલી છે. એમની જનહિતયાચિકા(પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન)ની બાકી વિગતોમાં નહીં જતાં અહીં એક જ વિગતમુદ્દો ટાંકું કે ગાંધીજીના ગયા પછી જ્યારે ગાંધી સ્મારક નિધિની રચના થઈ ત્યારે સ્પષ્ટ ભૂમિકા લેવાઈ હતી કે અહીં સરકારી અંકુશ નહીં હોય. અધિકૃત દસ્તાવેજને આધારે પ્રસ્તુત જનહિતયાચિકામાં ટંકાયેલા કેટલાક શબ્દો યથાવત્ અંગ્રેજીમાં જ ઉતારું : “The deed of the Trust “clearly lays out its objectives” and that “government … were never allowd any control / Caubrz fzut authority over the institutions, monuments, memorials.” ભારત સરકાર કે રાજ્ય સરકારનો રોલ ફંડ આપવાનો હોઈ શકે છે. “But the execution of the project … has always been directly within / the purview of respective Trust.”
હતી, અને સત્તાવાર સરકારી વલણ એને વશવર્તી હતું. આશ્રમના કથિત નવીકરણની હાલની સરકારી પહેલ આ પૃષ્ઠભૂમિ લગારે દરકાર વગર આવી પડેલી છે.