લાગે છે.
શુષ્ક તારો સ્વભાવ લાગે છે
પાનખરનો પ્રભાવ લાગે છે.
પ્યાસ મારી-બને નહીં પાગલ,
પાસ કોઈ તળાવ લાગે છે.
ઘેલછા જળની આટલી શાને ?
ડૂબવાની જ નાવ લાગે છે.
આપણે વર્ષો પૂર્વે મળ્યા'તા,
સાવ તાજો બનાવ લાગે છે !
મારી આંખો બની હરખઘેલી,
સ્વપ્નનો ત્યાં પડાવ લાગે છે.
મોત એમાં 'પ્રણય' કદી આવે ?
હાડમાં ઝીણો તાવ લાગે છે.
24-12-1998
•
જેવો જેનો સ્વભાવ
રોજ શાને સતાવ ગારુડી ?
ખેલ ગમતો બતાવ ગારુડી.
એક-બે ગમતી ક્ષણનો લ્હાવો છે,
સોને-રુપે મઢાવ ગારુડી.
ઝાંઝરી ઝાંખરામાં ખોવઇ ગઇ,
સેજ ગમતી સજાવ ગારુડી.
હું સજાવું તને સુગન્ધોમાં,
ફૂલમાં તું સમાવ ગારુડી.
થાય ઘર તારું-ખરેખર ઘરનું,
એ ઘરેણું ઘડાવ ગારુડી.
કેદ કર તું કરંડિયા માંહે,
તારી મુજને બનાવ ગારુડી.
કો'ક ડંખે-કોઈક પ્યાર કરે,
જેવો જેનો સ્વભાવ ગારુડી.
બાદશાહી છે એ ય બડભાગી,
પાદરે હો પડાવ ગારુડી.
ઓડિયા તારાં- ઝુલ્ફ તારી આ,
બીન પાછું બજાવ ગારુડી.
ખેલ તારો ખરાખરીનો છે,
હાલે ત્યાં લગ હલાવ ગારુડી.
એક સરખી “પ્રણય" મજા લઇશું,
હો ભલે ઘૂપ-છાંવ ગારુડી.
08-10-2006
•
મન હવે મારું
છે ઘણી અજ્ઞાત-થોડી જ્ઞાત છે
દોસ્ત, આ જનમોજનમની વાત છે.
રોજ ઊગે છે સુનહરી શક્યતા,
રોજ મારા માથે વસમી ઘાત છે.
હોય ઈચ્છા- તો તું મળવા આવજે,
મારી પાસે-મારું બસ! એકાન્ત છે.
સ્રોવરો વિષે ન ધારી લો કશું,
જળ ઉપર-ઉપરથી આહીં શાન્ત છે.
આમ તો સહુને મળું છું, હું "પ્રણય"
મન હવે મારું બહુ નિર્ભ્રાન્ત છે.
18-07-2002
![]()


છેલ્લાં થોડાં વર્ષોમાં લગભગ બધે જ પાત્રતા વગરના લોકો નાની મોટી જગ્યાએ ગોઠવાયેલા જોવા મળે છે. આ અગાઉ પણ હતું, પણ અત્યારે એનું પ્રમાણ અગાઉ ન હતું એટલું છે. આવું થવાના ઘણાં કારણો હોઈ શકે, પણ તેનું પ્રમુખ કારણ રાજકારણ છે. અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ અંગ્રેજી અધિકારીઓની ખુશામત કરીને નાની મોટી જગ્યાઓ પર લોકો ગોઠવાઈ જતા હતા. એ પછી ભારત સ્વતંત્ર થયું ને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કે લાલબહાદુર શાસ્ત્રી જેવા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દેશને મળ્યા ને એમની પ્રમાણિકતા ઉદાહરણરૂપ આજે પણ રહી છે. શાસ્ત્રી જેવાની તો સ્થિતિ એ હતી કે એ વડા પ્રધાન તરીકે ગુજરી ગયા ત્યારે તેમને માથે દેવું હતું. રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધી વિષે ભલે જે કહેવાતું હોય તે, પણ એ માણસે વર્ષો સુધી પોતડીભેર જ જીવન કાઢ્યું તે એટલી હદે કે પોતાના સુપાત્ર સંતાનોની પણ કદી તરફેણ ન કરી ને એની પ્રતિક્રિયારૂપે હરિલાલને પ્રગટ થવાનું બન્યું. સરદારે પણ પોતાને માટે કે સંબંધીઓ માટે કૈં ભેગું ન કર્યું. એવાં ઉદાહરણો પછી અપવાદરૂપે જ જોવાં મળે છે. બન્યું છે એવું કે સત્તા પર પરિવાર છવાયેલો રહ્યો છે. જો કે, અત્યારે પરિવાર નહીં, પણ પરિવારવાદ વધારે છવાયેલો છે. ગાંધી પરિવારનાં સૌથી નબળાં પરિણામો અત્યારે પ્રજા રાજકારણમાં જોઈ રહી છે. એવું નથી કે પરિવારવાદ કાઁગ્રેસમાં જ હાવિ થયેલો છે, અન્ય પક્ષોમાં પણ એની અસરો જોવા મળે જ છે.
પીઢ પત્રકાર સઈદ નકવીએ લખેલું નાટક ‘ધ મુસ્લિમ વૅનિશીસ’ (વિન્ટૅજ, ૨૫૬ પાનાં, ₹ ૪૯૯/-) ચોટદાર નાટક છે. વાચકને લગભગ વાસ્તવિક લાગે એવી મનહૂસ વાસ્તવિક્તા આ નાટક રજૂ કરે છે. વર્તમાન સમયમાં આપણા વહાલા રાષ્ટ્રનો રોજીંદો ખોરાક બની ગયેલા ધિક્કાર અને ધાર્મિક ધ્રુવીકરણ પર ધારદાર રાજકીય ભાષ્ય છે.