લાગે છે.
શુષ્ક તારો સ્વભાવ લાગે છે
પાનખરનો પ્રભાવ લાગે છે.
પ્યાસ મારી-બને નહીં પાગલ,
પાસ કોઈ તળાવ લાગે છે.
ઘેલછા જળની આટલી શાને ?
ડૂબવાની જ નાવ લાગે છે.
આપણે વર્ષો પૂર્વે મળ્યા'તા,
સાવ તાજો બનાવ લાગે છે !
મારી આંખો બની હરખઘેલી,
સ્વપ્નનો ત્યાં પડાવ લાગે છે.
મોત એમાં 'પ્રણય' કદી આવે ?
હાડમાં ઝીણો તાવ લાગે છે.
24-12-1998
•
જેવો જેનો સ્વભાવ
રોજ શાને સતાવ ગારુડી ?
ખેલ ગમતો બતાવ ગારુડી.
એક-બે ગમતી ક્ષણનો લ્હાવો છે,
સોને-રુપે મઢાવ ગારુડી.
ઝાંઝરી ઝાંખરામાં ખોવઇ ગઇ,
સેજ ગમતી સજાવ ગારુડી.
હું સજાવું તને સુગન્ધોમાં,
ફૂલમાં તું સમાવ ગારુડી.
થાય ઘર તારું-ખરેખર ઘરનું,
એ ઘરેણું ઘડાવ ગારુડી.
કેદ કર તું કરંડિયા માંહે,
તારી મુજને બનાવ ગારુડી.
કો'ક ડંખે-કોઈક પ્યાર કરે,
જેવો જેનો સ્વભાવ ગારુડી.
બાદશાહી છે એ ય બડભાગી,
પાદરે હો પડાવ ગારુડી.
ઓડિયા તારાં- ઝુલ્ફ તારી આ,
બીન પાછું બજાવ ગારુડી.
ખેલ તારો ખરાખરીનો છે,
હાલે ત્યાં લગ હલાવ ગારુડી.
એક સરખી “પ્રણય" મજા લઇશું,
હો ભલે ઘૂપ-છાંવ ગારુડી.
08-10-2006
•
મન હવે મારું
છે ઘણી અજ્ઞાત-થોડી જ્ઞાત છે
દોસ્ત, આ જનમોજનમની વાત છે.
રોજ ઊગે છે સુનહરી શક્યતા,
રોજ મારા માથે વસમી ઘાત છે.
હોય ઈચ્છા- તો તું મળવા આવજે,
મારી પાસે-મારું બસ! એકાન્ત છે.
સ્રોવરો વિષે ન ધારી લો કશું,
જળ ઉપર-ઉપરથી આહીં શાન્ત છે.
આમ તો સહુને મળું છું, હું "પ્રણય"
મન હવે મારું બહુ નિર્ભ્રાન્ત છે.
18-07-2002
![]()


આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(‘આપ’)ને ભવ્ય વિજય મળ્યો એ પછી આ બે પ્રશ્ને અત્યારે દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી રીતે કહીએ તો કેવો પક્ષ બી.જે.પી.નો વિકલ્પ હોઈ શકે અને હોવો જોઈએ અને ‘આપ’ આવો હોવો જોઈએ એવો વિકલ્પ બની શકશે?
પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે. મૂળ આ દિવસ સુધી પહોંચવા માટે દુનિયાનો સર્વનાશ થવો જરૂરી છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે જોતાં આ દિવસ ભણી માણસ જાત ધીમા (ક્યાંક ઝડપી) પણ મક્કમ પગલાં ભરી રહી છે. વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ, રશિયા યુક્રેન, પાકિસ્તાન અને હવે એમાં શ્રીલંકાનો ઉમેરો થયો છે. ૫ એપ્રિલે, મધરાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં કટોકટી જાહરે કરી. આર્થિક સંકટના બોજમાં પડી ભાંગેલા શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી વિરોધની પકડ મજબૂત બની છે. ૧૯૪૮માં શ્રીલંકાના આઝાદી મળી, પછી પહેલીવાર આ રાષ્ટ્રએ આટલા ખરાબ દા’ડા જોયા છે. ૧૩ કલાક સુધી વીજળી ન હોય, ખાવા-પીવાનાં સાંસાં હોય, આવામાં આકળી થયેલી પ્રજા કંઇ પણ કરી બેસે અને એવું જ થઇ રહ્યું છે.
શ્રીલંકાની આ હાલત આખરે કેવી રીતે થઇ? શ્રીલંકામાં બેવડી અછત છે. બેવડી અછત એટલે કે જેટલી રાષ્ટ્રીય આવક છે તેના કરતા કંઇ ગણો વધારે રાષ્ટ્રીય ખર્ચ છે. આ સાબિત કરે છે કે એવી માલ-મત્તા અને ઉત્પાદનો જેની પર વ્યાપાર થઇ શકે તથા સેવાઓ જે રાષ્ટ્રની કમાણીમાં ઉમેરો કરે તેવી સેવાઓની શ્રીલંકામાં ભારે અછત છે. જો કે હાલમાં જે સંજોગો ખડા થયા છે તેનું સીધું કારણ છે ૨૦૧૯ની ચૂંટણીમાં મોટી કર છૂટના કરાયેલાં ઠાલાં વચનો. આ પછી ૨૦૨૦માં કોરોનાવાઇરસ રોગચાળાએ શ્રીલંકાના પગ નીચેથી ચાદર ખેંચી લીધી. આ દેશના અર્થતંત્ર પર પાણી ફરી વળ્યું. રોગચાળાને કારણે સહેલાણીઓ આવવાના બંધ થઇ ગયા અને ટુરિઝમ જેની જીવા દોરી હતી તેવા દેશને ક્રેડિટ એજન્સીઝે તળિયો મુક્યો. આખરે શ્રીલંકા આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટની સર્કિટમાંથી બહાર ફેંકાઇ ગયો. છેલ્લાં બે વર્ષમાં શ્રીલંકાનાં વિદેશી નાણાં ભંડોળનું પણ તળિયું દેખાવા માંડ્યું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કટોકટી સર્જાઇ તેની પાછળ ૨૦૨૧માં કૃત્રિમ – રાસાયણિક ખાતરના ઉપયોગ પર મુકાયેલા પ્રતિબંધને પણ કારણભૂત ઠેરવી શકાય. જો કે આ પ્રતિબંધ પછી હટાવી લેવાયો હતો, પણ ત્યાં સુધીમાં તો શ્રીલંકા માટે અગત્યના ગણાતા ચોખાના પાકમાં નોંધાપાત્ર ઘટાડો થઇ ચુક્યો હતો.