ગત સંસદ સત્રમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે અત્યારે દેશમાં ન્યૂક્લિઅર પાવરથી 6,780 મેગાવોટ વીજળી ઉત્પાદીત થઈ રહી છે; અને 2031 સુધી આ ક્ષમતા વધીને 22,480 કરવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકનો અર્થ આવનારાં નવ વર્ષમાં ન્યૂક્લિઅર દ્વારા વીજળી ઉત્પાદન ચાર ગણું થશે. ન્યૂક્લિઅર આધારિત વીજળીનું
ઉત્પાદન વિવાદિત મુદ્દો છે. પણ કટોકટીમાં લાંબા ગાળાના નુકસાનના અવેજમાં ટૂંકા ગાળાના લાભનો જ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દેશમાં વીજળીનો પ્રશ્ન અતિ વિકટ છે અને આજે ય અંધારપટ ધરાવનારાં વિસ્તારો શોધવામાં ઝાઝી મશક્કત કરવી પડતી નથી. ઉનાળામાં તો વીજળીની બૂમો દિલ્હી જેવાં શહેરોમાં પણ પડે છે. ગામડાંઓમાં વીજળી હજુ ય સરળતાથી ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ધીરે ધીરે સુધરી જરૂર રહી છે અને તેમાં અલગ-અલગ સ્રોત આધારિત વીજળી ભાગ ભજવે છે.
વર્તમાનમાં દેશમાં સૌથી વધુ વીજળી કોલસા દ્વારા ઉત્પન્ન થાય છે. આ ટકાવારી પચાસની આસપાસ છે. તે પછી રિન્યૂએબલ એનર્જી છે, જે પવન, સોલર અને અન્ય માધ્યમથી ઉત્પન થાય છે. આ વીજળી કુદરતના જોરે ઉત્પન્ન થાય છે. હાલ આપણા દેશમાં 26 ટકાની આસપાસ રિન્યૂએબલ આધારિત વીજળી છે. તે પછી હાઇડ્રો વીજળી છે. તેની ટકાવારી 11 ટકાની આસપાસ છે. તે મહદંશે પાણી દ્વારા ઉત્પાદિત થાય છે અને ડેમ સાઈટ પર આવા હાઈડ્રો પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવે છે. ગેસ દ્વારા છ ટકા અને ન્યૂક્લિઅર દ્વારા અત્યારે કુલ વીજળીની દોઢ ટકા વીજળી ઉત્પન્ન થાય છે.
ન્યૂક્લિઅરનો હિસ્સો હાલમાં ખૂબ ઓછો છે પણ સરકાર હવે તે વધારવામાં માંગે છે અને માટે દેશમાં નવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરી રહી છે. અત્યારે દેશમાં એક્ટિવ ન્યૂક્લિઅર પ્લાન્ટ સાત છે. તેમાંથી બે તમિલનાડુમાં, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક છે. તે સિવાય ચાર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણાધિન છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થશે. તેમાં એક તમિલનાડુમાં આવેલો કલ્પકમ્મ અને કુન્ડુકુલ્લમ છે, બીજો ગુજરાતમાં કાકરાપાર ખાતે યુનિટ-4 છે, તે પછી હરિયાણાના ગોરખપુર, રાજસ્થાનમાં યુનિટ 7 અને 8 છે. નિર્માણાધિન સિવાય અન્ય નવ ન્યૂક્લિઅર પ્લાન્ટનાં આયોજન થઈ રહ્યાં છે. આ રીતે ન્યૂક્લિઅર બેઝ્ડ વીજળી આપણે મહત્તમ સ્તરે લઈ જવા પ્રયત્નશીલ છે.

હવે એ વિચારવું રહ્યું કે દેશ કેમ ન્યૂક્લિઅર વીજળી તરફ આગળ વધી રહ્યો છે. તેનું સૌથી મહત્ત્વનું કારણ કે દેશમાં આજે ખૂણે ખૂણે વીજળી પહોંચી રહી છે અને વીજળીના સંસાધનો પણ વધી રહ્યા છે. વ્યક્તિદીઢ વીજળી વપરાશ વધ્યો છે. 2019-20ના આંકડા મુજબ આપણી વ્યક્તિદિઠ વીજળીની ખપત 1208 કિલોવોટ છે. 2012ના જ મુકાબલે આ આંકડો ત્રણસો કિલોવોટ વધ્યો છે. આગળ પણ તે વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. બીજું કે કોલસા આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં પ્રદૂષણ ખૂબ વધે છે. ‘સેન્ટર ફોર સાયન્સ એન્વાયર્મેન્ટ’ દ્વારા થયેલાં અભ્યાસ મુજબ તો કોલસા આધારિત વીજળી ઉત્પાદનને વિશ્વનું સૌથી પ્રદૂષિત કરનારું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. આનું એક કારણ એ પણ છે કે ભારતમાં મળતા કોલસાની ગુણવત્તા નબળી છે. અને એટલે જ હવે કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા સરકારે માપદંડ વધુ સખ્ત કર્યા છે. હાઇડ્રો પાવર એક સારો વિકલ્પ છે, પણ તેમાં મસમોટા ડેમ નિર્માણ કરવાનો જંગી ખર્ચ છે. આ વિકલ્પના પર્યાવરણીય જોખમો વધુ છે. અને એટલે જ રિન્યૂએબલ એનર્જી તરફ દેશનું વીજળી સેક્ટર આગળ વધી રહ્યું છે. રિન્યૂએબલ એનર્જી માટે ભારત પ્રતિબદ્ધ છે અને એટલે 2016માં ‘પેરિસ એગ્રીમેન્ટ’માં ભારત સરકારે એમ સ્વીકાર્યું છે કે 2030 સુધી દેશની કુલ વીજળી ખપતમાં ભારતની અડધો અડધ વીજળી રિન્યૂએબલ હશે.
રિન્યૂએબલ એનર્જીમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ, સોલર, વીન્ડ, વેસ્ટ ટુ પાવર આવે છે. તદ્ઉપરાંત તેમાં જ ન્યૂક્લિઅર આધારિત વીજળીનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ન્યૂક્લિઅર એનર્જીનું ચિત્ર શું છે તે પહેલાં સમજી લઈએ. જેમ કે, હાલમાં વિશ્વમાં 32 દેશો ન્યૂક્લિઅર આધારિત વીજળીનો ઉપયોગ કરે છે. તેમાં સૌથી વધુ યુરોપ, નોર્થ અમેરિકા, ઇસ્ટ એશિયા અને સાઉથ એશિયા છે. આ ખંડના હિસ્સા પરથી ખ્યાલ આવી જાય કે જ્યાં સૌથી વધુ વિકસિત દેશો છે તેઓ ન્યૂક્લિઅર એનર્જી તરફ વળ્યા છે. અમેરિકા ન્યૂક્લિઅર આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં સૌ પ્રથમ આવે છે અને ફ્રાન્સ તેની 70 ટકા વીજળી ન્યૂક્લિઅરથી જ પેદા કરે છે. ચીન પણ એ તરફ જ આગળ વધી રહ્યું છે.

ભારતના વીજળીની જરૂરિયાત અર્થે ન્યૂક્લિઅર એનર્જી સરળ વિકલ્પ છે. પહેલાં તો વિશ્વભરમાં ન્યૂક્લિઅર એનર્જીથી વીજળીનું ઉત્પાદન સામાન્ય થઈ રહ્યું છે. હા, તેમાં કેટલાંક હવે અપવાદ છે. જેમાં ઇટાલી, ઓસ્ટ્રિયા, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ગ્રીસ, આઈરલેન્ડ અને નોર્વે જેવાં દેશો છે. આ બધા જ દેશો ધીરે ધીરે ન્યૂક્લિઅર એનર્જીથી પોતાને વેગળા કરી રહ્યા છે. હવે એક તરફ ન્યૂક્લિઅર એનર્જીનો ઉપયોગ કરવા અમેરિકા, ચીન અને ભારત જેવાં દેશો ઉત્સુક છે જ્યારે યુરોપના નાનાં દેશો તેમાંથી બહાર નીકળી રહ્યા છે. આનું મુખ્ય કારણ તેનાથી ફેલાતું પ્રદૂષણ છે, તેમાં ન્યૂક્લિઅર વેસ્ટનો પ્રશ્ન પણ મોટો છે. અન્ય વિકલ્પો જોતાં ન્યૂક્લિઅર વધુ લાભકારક લાગે છે, પણ તે ત્યાં સુધી જ જ્યાં સુધી તેમાં કોઈ અકસ્માત ન થાય. અન્ય કોઈ પણ વિકલ્પમાં અકસ્માતની વેળાએ પણ જોખમને ઘટાડી શકાય છે. પણ ન્યૂક્લિઅર એનર્જીના કિસ્સામાં જ્યારે પણ કોઈ અકસ્માત થાય તો તેનો તોડ કોઈની પાસે નથી. જેમ કે ચર્નીબોલ અને જાપાનમાં ભૂકંપ વખતે ફૂકુશિમા ન્યૂક્લિઅર પ્લાન્ટમાં જોવા મળ્યું હતું. રશિયા અને જાપાન ટેકનોલોજીની દૃષ્ટિએ સજ્જ દેશો છે તેમ છતાં જ્યારે ન્યૂક્લિઅરના અકસ્માત થયા ત્યારે તેમની પાસે કોઈ તોડ નહોતો. આવે વખતે ભારતમાં કોઈ અકસ્માત થાય તો તે કેવી રીતે તેનો ઉકેલ લાવે તે સવાલ છે.
આ ઉપરાંત જે ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ છે તેમાંથી નિકળતા રોજબરોજનું પ્રદૂષણ પણ ખૂબ મોટો સવાલ તેના સામે ઊભો કરે છે. અને તે માટે જ અમેરિકામાં અને જ્યાં આવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે ત્યાં તેનું બાંધકામ કેવી રીતે થવું જોઈએ તે નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે પછીનો સવાલ ન્યૂક્લિઅર પ્લાન્ટ માટે જોઈતા યુરેનિયમનો છે. યુરેનિયમ વિશ્વમાં કઝાકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવાં જૂજ દેશોમાં છે. તે પછીનો ન્યૂક્લિઅર વીજળી પ્રશ્ન કેન્સર સંબંધિત છે. અત્યાર સુધીના અનેક અભ્યાસોમાં એવું ફલિત થયું છે કે, ન્યૂક્લિઅર વીજળીથી કેન્સરનું જોખમ ઊભું થાય છે. તેના સૌથી મોટા શિકાર પ્લાન્ટમાં કર્મચારીઓ અને આસપાસની વસતી છે. આવાં અનેક જોખમો છે, પણ અલ્ટીમેટલી તેમ છતાં વીજળી ઉત્પાદનના વિકલ્પ તરીકે તે સૌથી સરળ માર્ગ છે.
સરકાર એટલે ન્યૂક્લિઅર માર્ગે આગળ વધી રહી છે, પણ જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે તે તરફ ફરીથી વિચારણા થાય છે. દેશમાં મહારાષ્ટ્રના જેતપુર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો વિરોધ સ્થાનિક લોકોએ ખૂબ કર્યો હતો. એ રીતે તમિલનાડુના કોન્ડાકુલ્લમ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો પણ વિરોધ સ્થાનિકોએ કર્યો છે. બંગાળ સરકારે એ રીતે કેન્દ્ર સરકારની ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ સ્થાપવાની માંગને ઠુકરાવી છે. સુપ્રિમ કોર્ટમાં પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઈલ થઈ હતી કે જ્યાં સુધી ન્યૂક્લિઅર પ્લાન્ટમાં સુરક્ષાના માપદંડને યોગ્ય ન હોય ત્યાં સુધી મંજૂરી આપવી નહીં અને તે માટે નિષ્ણાતોની સમિતિને કામ સોંપવું. જો કે સુપ્રિમ પોતાની પાસે આ અંગે કોઈ જ નિષ્ણાત નથી તેમ કહીને સરકાર પર પૂરો મામલો છોડી દીધો છે.
આ પૂરું ચિત્ર જોતાં તો ન્યૂક્લિઅરનું જોખમ મસમોટું હોવા છતાં સરકારને તે જ સૌથી સરળ લાગવાનું છે અને તેનો અમલ આપ્યા સમય કરતાં વધુ ઝડપથી થાય તો નવાઈ નહીં.
e.mail : kirankapure@gmail.com
![]()


‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”
અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”
૨૦૧૫ની સાલમાં શરદ પવાર ૭૫ વર્ષના થયા, ત્યારે તેમનો અમૃતમહોત્સવ ઉજવવા પૂનામાં જાહેર મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આને ‘ગપ્પા’ તરીકે ઓળખવામાં આવે છે અને ગપ્પા માત્ર રાજકારણીઓ સાથે નથી યોજવામાં આવતા, સાહિત્યકારો, કલાકારો અને રમતવીરો સાથે પણ ગપ્પાના કાર્યક્રમ યોજવાની પરંપરા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો તેને સાંભળવા ઉપસ્થિત રહે છે. એમાં આ તો શરદ પવાર. મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતા. વળી તકવાદી તરીકે ઓળખાતા હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં આદરણીય. ગપ્પાનું સંચાલન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે કરવાના હતા જેઓ સંભાષણ કલા અને વાક્ચાતુર્ય માટે ખ્યાતિ ધરાવે છે. પૂનામાં ખુલ્લા મેદાનમાં યોજવામાં આવેલા ગપ્પામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. રાજ ઠાકરેએ પવારને સવાલ પૂછ્યો હતો કે તમે રાજકારણના ખેલાડી હોવાની ખ્યાતિ ધરાવો છો. અવિશ્વસનીય અને વિશ્વાસઘાત કર્યો હોવાના પણ તમારા ઉપર આરોપ છે અને છતાં ય પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને દેશની સમગ્ર રાજકીય જમાતમાં તમે આદરણીય ગણાઓ છો તો એનું શું રહસ્ય?