કાવ્યકૂકીઝ
હું પ્રાઈમરીનો ઈ-સ્ટુડન્ટ છું. મારા માસ્તરે વરહાદ પર નિબંધ લખવાનું કીધું છે તે લખતો છું. હાચું તો એ છે કે મને વરહાદ ગમતો નથી ને વરહાદ પર લખવાનું હો ગમતું નથી. તે એટલે કે હું મારો વરહાદ પાડું તે માસ્તરને ગમતું નથી. હું 2022નો વરહાદ પાડું તો એ મને માર્ક ની આપે. એને તો 1950ની નિબંધમાળામાં જે વરહાદ છે તે જ કાગળ પર પડવો જોઈએ, પણ હું તો મારો જ વરહાદ પાડા. ઢોર, તું શીદને ચિંતા કરે? માસ્તરે કરવું હોય તે કરે – એવું મારા ફાધર મને કે'તા હોય છે. શું છે કે મને વરહાદ દીઠો ગમતો નથી, પણ નિબંધ લખવો હોય તો ગમાડવો પડે છે ને લખવું પડે છે કે ભીના થવાની મઝા પડે. અમણાં કઉં તે મઝા પડે !
ઉપરવાળો લીંબું પીધું હોય તેમ બધું ભીનું કરે તેમાં મઝા હું પડે? મને તો કડાકા ભડાકા થાય તે હો ની ગમે. આપણામાં ને પેલા ચૂંટણી સરઘસમાં કોઈ તો ફેર હોય કે ની? આ વીજળી થાયને તે હો મને તો સિલિન્ડર ફાટતું હોય તેવું જ લાગે છે, જો ! વરહાદથી અનાજ પાકે તેવું કે'ય છે, પણ એ કૈં હાચું નથી. અનાજ ચોમાહામાં જ પાકતું હોય તો ઉનાળામાં હો ડોઝરું તો ભરાય જ છેને ! એટલે એવું કૈં નથી કે બધું વરહાદમાં જ થાય છે. મને બઉ વરહાદ પડે તે બે જ વાર ગમે. એક તો સ્કૂલે જતાં પહેલાં પડે તો ! ને બીજીવાર સ્કૂલમાં હોઉં ત્યારે પડે તો, કારણ રજા પડી જાયને ! આમ તો તેલ લેવા હું જ જાઉં છું, પણ વરસતા વરહાદમાં મધર કાંદાના ભજિયાં બનાવે તે ફાધરના ખાતાં વધે તો મને હો મળે છે. મને બઉ ભાવે. મારા ફાધરને હો વરહાદ ની ગમે. એ તો ઘરની બા'ર હો ની નીકળે, તો હો ભગવાનને બે હાથ જોડીને કે'ય કે પાણી પાડતો જ રે’જે. જોઈએ તો બે લીંબું વધારે પીજે, પણ વરસતો રે’જે, હમયજો? ફાધરને એક ખોટી ટેવ એ છે કે એ બારે મહિના રસ્તા પર પાણી રેડતા જ રે'ય છે. ચોમાહામાં વરહાદ ધોધમાર પડતો હોય તો હો સડક પર પાણી છાંટવાનું ચૂકતા નથી ને જેટલું કીચડ થાય તેટલી એમને ખુશી વધારે થાય છે, તેમાં જો કોઈ પઈડું તો, તો બઉ દાંત કાઢે ને ભગવાનને કે'તા ફરે કે વરહાદ બઉ પાડ ને માણહોને હો પાડ !
તે એટલા માટે કે એ હાડવૈદ છે ..
000
('સંદેશ'ની મારી હળવી કોલમ)
e.mail : ravindra21111946@gmail.com
![]()


હું ત્રિવેણી – ત્રિવેણી આચાર્ય, ગરવી ગુજરાતણ. ત્રણ ત્રણ દિવસથી હું રાતે ઊંઘી શકી ન હતી. બહુ મુશ્કેલીથી અને પોલિસની સહાયથી મૂળ ભુતાનની અને કમાટીપુરામાં સડતી, બે છોકરીઓ માંડ માંડ એ દોજખમાંથી બહાર આવવા કબૂલ થઈ હતી. પણ રાતોરાત એ ગાયબ થઈ ગઈ હતી. ‘કેટલી માસૂમ છોકરીઓ અને કેવા નરકમાં? હવે એમનો પત્તો શી રીતે મેળવવો?’



ચીનની વાત આવે, ત્યારે સામાન્ય રીતે તેની આર્થિક અને લશ્કરી તાકાત માટે અહોભાવ વ્યકત થતો હોય છે, પરંતુ તેના ઇતિહાસમાં અંધાધૂંધી અને તબાહીનો એક ગાળો જો તપાસવામાં આવે, તો તેની વર્તમાન પ્રગતિ કેટલી ઇચ્છનીય છે તેવો પ્રશ્ન થાય. સાંસ્કૃતિક ક્રાંતિ(કલ્ચરલ રિવોલ્યુશન)ના નામે ચીનનો એક દાયકો એવો હતો, જેમાં તેનું અર્થતંત્ર નષ્ટ થઇ ગયું હતું, લાખો લોકોની જિંદગી તબાહ થઇ ગઈ હતી. એ એક આવું ગૃહયુદ્ધ હતું જેના પરિણામે દેશ ભૂખમરા તેમ જ ખૂનામરકીમાં સરકી ગયો હતો.
સાદી ભાષામાં કહીએ તો ચીનના ખેડૂતોએ સરકારના દિશાનિર્દેશો પ્રમાણે સહકારી ધોરણે ખેતી કરવાની અને દેશના ઔધોગિકરણમાં આર્થિક યોગદાન આપવાનું. આ સુધાર ઉપરથી નીચે, જબરદસ્તી લાગુ કરવામાં આવ્યો હતો. માઓની ગણના વિશ્વ ઇતિહાસના સૌથી દૃઢ નેતા તરીકે થાય છે. દૃઢ નેતાની સમસ્યા એ છે કે તમને એ ખબર ન પડે તે એ નાયક છે કે ખલનાયક. તેનું આકલન તેના ગયા પછી ભાવિ પેઢીઓ કરે છે. આપણે હિટલર અથવા સ્ટાલિનની તાનાશાહીના અનેક કિસ્સા સાંભળ્યા છે, પરંતુ ચીનના માઓ તેમનાથી ચાર પગલાં આગળ હતા.