કાગડો કયાં સરરાર બોલે છે.
બાગમાં કળીનું મૌન બોલે છે.
પ્રભાતે પ્રસ્સરી જાય બાગમાં
ભમરો, ફૂલો, ટહુકો, ઘાસ બોલે છે.
તારા દીધેલ ફૂલ તુજને અર્પણ,
ફૂલમાં સુંગધ પાંદડીએ ઝાકળ બોલે છે
સૂરજને ચાંદમાંથી રોશની મળી છે
ચમનમાં ચાંદની ચમક બોલે છે.
નથી આ જગ્યા પ્રણય પ્રેમપ્રકરણની,
પંખીનો કલરવ બાંકડા બોલે છે.
બાગમાં લહેરાય ભીના પવનના ઝોકા,
સહજ માટીની મીઠી મહેક બોલે છે
અમે બેસી ગયા નવાં સપનાં રોપવાં,
જિંદગી સહેલી નથી કાંટા બોલે છે.
મહેકે છે રોમે રોમ, શ્વાસ સુગંધી,
ધબકતી ખુશ્બૂ ભીતર ઉજાસ બોલે છે
જિંદગી તે મીઠો છાયડો મને આપી,
માથે લકીર, વર્ષોનાં તડકા બોલે છે
પડી છે ગતિ મારા શ્વાસોની ધીમી,
થકાવટ નહિ મારી ઉંમર બોલે છે.
આ મૌન માત્ર એટલા માટે ઉપાડીએ,
મધદરિયે ઊભો આ “સાગર” બોલે છે
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ચીનના સામ્યવાદી પક્ષની ૨૦મી કાઁગ્રેસ અત્યારે બીજિંગમાં ચાલી રહી છે જેમાં ચીનના નેતા શી ઝિંગપીંગે અખંડ ચીનની રચના કરવાનું વચન આપ્યું હતું. શી ઝિંગપીંગની કલ્પનાના અખંડ ચીનમાં તાઈવાનનો અને ભારતનાં બે પ્રદેશ લડાખ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચીનના નકશાઓમાં પણ તાઈવાન ઉપરાંત ભારતના આ બે પ્રદેશોને ચીનના પ્રદેશ તરીકે બતાવવામાં આવ્યા છે. આ સિવાય શી ઝિંગપીંગે એમ પણ કહ્યું હતું કે ચીનનું સૈન્ય વિશ્વનું સૌથી તાકાતવાન સૈન્ય હશે અને ૨૦૩૫ સુધીમાં ચીન વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતે મોખરે હશે. તેમણે આજના યુગમાં ત્રણ તાકાત બતાવી હતી; આર્થિક તાકાત, લશ્કરી તાકાત અને વિજ્ઞાન અને ટેકનોલોજીની તાકાત. ચીનમાં આ ત્રણેયનો સંગમ જોવા મળે છે એટલે ચીનની હરણફાળને હવે કોઈ રોકી શકે એમ નથી. તેમણે વિશ્વદેશોને ચીનની કૂચમાં ભાગીદાર બનવાનું પણ ઈજન આપ્યું હતું.
ચીનની અંદર અશાંતિનો ચરુ ખદબદી રહ્યો છે અને ગમે ત્યારે તેનો વિસ્ફોટ થઈ શકે છે. ચીનના સામ્યવાદી પક્ષની કાઁગ્રેસ ચાલી રહી છે ત્યારે ચીનનાં કેટલાંક શહેરોમાં શી ઝિંગપીંગ વિરુદ્ધ પોસ્ટરો ફૂટી નીકળ્યાં છે અને પ્રત્યક્ષ વિરોધપ્રદર્શનોની ઘટના પણ બની રહી છે. શી ઝિંગપીંગ જાણે છે કે આવનારાં વર્ષોમાં ચીન જો પછડાટ ખાશે તો એ આંતરિક વિદ્રોહનાં કારણે અને એવી શક્યતા પૂરી છે. ક્યાં સુધી લોકોને ડરાવી-દબાવી રખાશે? ક્યાં સુધી વાસ્તવિકતાઓ છુપાવી શકાશે? ક્યાં સુધી પોતાનાં અને ચીનના ઐશ્વર્યનાં પ્રદર્શનો યોજીને લોકોને કેફમાં રાખી શકાશે? ક્યાં સુધી? જેનો આરંભ હોય એનો અંત તો આવે જ છે. એ સંભવિત સંકટને બને એટલું આગળને આગળ ઠેલવવા માટે ચીનાઓને અને વિશ્વને આંજી નાખનારા તાયફાઓ યોજવામાં આવે છે અને શી ઝિંગપીંગના તેમ જ ચીનના ઐશ્વર્યનું પ્રદર્શન કરવામાં આવે છે.
હમણાં દર્શકવિષયક બળવંત તેજાણીની હસ્તપ્રતમાંથી પસાર થતાં સ્વાભાવિક જ દર્શકની એ કેફિયતનુમા ઉક્તિનું સ્મરણ થયું કે એમણે પોતાની આરંભિક રચનાઓ – જેમ કે ‘બંદીઘર’ – પર ર.વ. દેસાઈની અસર હોવાનું નોંધ્યું છે. અહીં આ ક્ષણે ‘બંદીઘર’ (‘કબ્રસ્તાન’) કે ‘જલિયાંવાલા’ની ચર્ચામાં જવાનો ખયાલ અલબત્ત નથી. માત્ર, મુનશીમુગ્ધ ગુજરાતમાં ર.વ.ના પ્રવેશ સાથે જે paradigm shift તરેહના સંકેતો સમજાય છે એની જિકર જરૂરી સમજું છું. (મુનશીથી દર્શક એવી જે એક પર્યેષણા, બંકિમ-રવીન્દ્રને સમાંતર કરી રહ્યા છીએ, એથી સ્તો!)