આકાશી વાદળીનાં મંદીલ પહેર્યાં ને ડુંગરના સાદ મને આવે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
ક્ષણિત નદીઓ જ્યાં જ્યાં વહી રહી, વાળે જૂની પ્યાસ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
આંખોમાં આહ પ્યાસી નિગાહ ચમકતાં નથી અશ્રુઓ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
કસુંબલ આંખની છાયા પ્યાલામાં ને અસલ મસ્તી મદિરામાં આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
નજરની મોર દોડે આંધી જેવું કંઈ આંખમાં ઊઠી શમી ગયું આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
કિરણની આંચથી ફૂલોનાં મનમાં વજ્જરનાં ઘાવ વધાવ્યા આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
પાંગરે છે પુષ્પ પેઠે પથ્થરો ને બગીચામાં પમરતો પ્રાણ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


પામુલાપતિ વેંકટ નરસિંહ રાવ, ભારતના 9મા પ્રધાન મંત્રી, 17 ભાષાઓ બોલતા હતા; 10 ભારતીય ભાષાઓ – (માતૃભાષા) તેલુગુ, હિન્દી, સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, કન્નડ, તમિલ, ઉર્દૂ અને 7 વિદેશી ભાષાઓ – ઇંગ્લિશ, ફ્રેંચ, અરેબિક, સ્પેનિશ, જર્મન, પર્સિયન, અને લેટિન.
એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય છે.
અમદાવાદમાં જૂના શૅઅરબજારવાળાનું ચવાણું એટલા માટે વખણાય છે કે વરસોથી એ એકધારું એટલું જ સરસ વેચે છે, માગો એટલું પૂરું પાડે છે. પણ આપણી વાત તો મહામૂલના સાહિત્યપદાર્થની છે. ચવાણાથી થયેલું નુક્સાન ફીટી શકે છે પણ સાહિત્ય નામે નિકૃષ્ટ લેખનોથી થનારું નુક્સાન અદૃશ્ય હોય છે, દેખાશે નહીં, પણ હશે જરૂર. દેખાશે ત્યારે ઘણું મૉડું થઈ ગયું હશે. નુક્સાન ભરપાઈ કરવાની તક જ નહીં જડે.