યવતમાલમાં મળનારાં ૯૨માં મરાઠી સાહિત્ય સંમેલનનાં નિમંત્રિત ઉદ્ઘાટક નયનતારા સેહગલને આયોજકોએ જાણાવ્યું છે કે તેમની સામે એવા કેટલાક સંજોગો પેદા થયા છે કે જેથી તેમણે આપેલું આમંત્રણ રદ્દ કરવું પડે એમ છે. નયનતારા સેહગલે અત્યંત ઋજુતાપૂર્વક ખાનદાની બતાવીને પ્રત્યુત્તર આપ્યો છે કે કાંઈ વાંધો નહીં, તમે પોતાનું ધ્યાન રાખજો! ‘તમે પોતાનું ધ્યાન રાખજો’, એ ત્રણ શબ્દોમાં એક વિદુષી નારીએ આજના યુગનું ભાષ્ય કર્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હાજર રહેવાના છે અને તેમને મારું ભાષણ નહીં ગમે અને નારાજ થશે એવું આયોજકોને લાગ્યું હશે. નયનતારા સેહગલે પોતાનું ભાષણ લખીને આયોજકોને મોકલી આપ્યું હતું.

મરાઠી સાહિત્ય સંમેલન અને વિવાદો વચ્ચે નાભીનાળ સંબંધ છે. મને યાદ નથી કે છેલ્લાં ચાર દાયકા દરમિયાન એક પણ સંમેલન વિવાદ વિના યોજાયું હોય. આનું કારણ ગાંધીજીએ કહ્યું હતું એમ વિતંડાનો મરાઠી સ્વભાવ છે. આ સિવાય મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કરનાર મરાઠી સાહિત્ય મહામંડળ અને જ્યાં સંમેલન ભરાવાનું હોય એ ગામની હંગામી ધોરણે રચવામાં આવેલી સ્વાગત સમિતિના અધિકારો વિશેનો ગુંચવાડો અનેક દાયકાથી વણઉકલ્યો છે. સ્વાગત સમિતિમાં રાજકારણીઓ હોય છે, સ્થાપિત હિત ધરાવનારા સ્થાનિક શેઠિયાઓ હોય છે, શિક્ષણનો ધંધો કરનારા શિક્ષણસમ્રાટો હોય છે અને સ્થાનિક ગુંડાઓ પણ હોય છે. તેમના પોતાના એજન્ડા હોય છે, હિતસંબંધો હોય છે, ભય પણ હોય છે અને આપસમાં ટકરાવ હોય છે. આવી સ્થિતિમાં સાહિત્યકારો થોડી સાહિત્યચર્ચા કરીને અને શીરો આરોગીને પાછા ફરે છે, અને જ્યારે નયનતારા સેહગલ જેવી ઘટના બને છે ત્યારે નાક કપાવીને પણ આવે છે.
૧૯૭૫માં મરાઠી વિદુષી સાહિત્યકાર દુર્ગા ભાગવતની અધ્યક્ષતામાં કરાડમાં ૫૧મું સાહિત્ય સંમેલન મળ્યું હતું. કરાડ એટલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણનું વતન. યશવંતરાવ ચવાણ એ સમયે કેન્દ્રના વિદેશ પ્રધાન હતા અને જ્યારે તેમના વતનના ગામમાં સંમેલન મળવાનું હતું એટલે તેમને સ્વાગત સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. યશવંતરાવ ચવાણ આજ જેવા અભણ અને અસંસ્કારી રાજકારણી નહોતા. મરાઠી સાહિત્યની ઊંડી સમજ ધરાવતા હતા. ગ.દી. માડગુલકરનું ‘ગીત રામાયણ’ તેમને કંઠસ્થ હતું અને જાહેરમાં તેનું પઠન કરતા. મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સાંસ્કૃતિક મંડળ જેવી સંસ્થાઓ તેમણે સ્થાપીને તેમણે મહારાષ્ટ્રનું સાંસ્કૃતિક સંવર્ધન કર્યું હતું. રાજકારણી હોવા છતાં સ્વાગત સમિતિના અધ્યક્ષ બનવાની તેઓ તમામ લાયકાત ધરાવતા હતા.
એક લાયકાતમાં તેઓ ઊણા ઉતર્યા હતા. દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હોય અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવામાં આવતું હોય ત્યારે સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે એવા માણસને કેમ સાંખી લેવાય જે તાનાશાહી સામે ચુપકીદી સેવે અને તાનાશાહના પ્રધાનમંડળમાં બની પણ રહે. દુર્ગા ભાગવતે મંચ પરથી યશવંતરાવ ચવાણની હાજરીમાં આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને કેન્દ્રના વિદેશ પ્રધાનને મંચ પરથી ઊતરી જવા કહ્યું. બોમ્બ વિસ્ફોટ જેવી એ ઘટના હતી, પરંતુ એ દુર્ગાબાઈ હતાં. સામે પક્ષે યશવંતરાવ ચવાણની ખાનદાની જુઓ. તેઓ ચૂપચાપ મંચ પરથી નીચે ઊતરી ગયા હતા. ગુસ્સો કરીને જતા નહોતા રહ્યા, પરંતુ સામે સભાગૃહમાં બેસીને દુર્ગાબાઈનું સંપૂર્ણ અધ્યક્ષીય ભાષણ સાંભળ્યું હતું. તેઓ તેમની સાથે ‘ચવાણ, ચવાણ’ કરનારા ભાડૂતી સમર્થકોને પણ નહોતા લાવ્યા કે કૉન્ગ્રેસીઓએ કોઈ દેખાવો કર્યા.
મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતાનું અપમાન થવા છતાં સંમેલન કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પાડ્યું હતું. જો કે દુર્ગાબાઈ ભાગવતની ઈમરજન્સીમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મને ગળા સુધી ખાતરી છે કે એમાં યશવંતરાવ ચવાણનો હાથ નહીં હોય. યશવંતરાવ ચવાણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી કે નહોતી ક્યારે દુર્ગાબાઈની નિંદા કરી. એ ઘટના પછી લોકોની અને સાહિત્યકારોની નજરમાં સુદ્ધાં યશવંતરાવ ચવાણ પ્રત્યેના આદરમાં ઉમેરો થયો હતો. યશવંતરાવની માણસાઈ સામે દુર્ગા ભાગવત થોડાં ઝંખવાયાં હતા એમ કહી શકાય. અહીં દુર્ગા ભાગવતની હિંમતને અને યશવંતરાવ ચવાણની માણસાઈને નમન કરવા પડે.
આજનો યુગ જુદો છે અને આજના માણસો જુદા છે. નાના માણસોએ મોટાં સાહસો નહીં કરવાં જોઈએ. સ્વાગત સમિતિના સભ્યોએ અંગ્રેજી ભાષામાં લખનારા નયનતારા સેહગલ કોણ છે એ કોઈકને પૂછી લેવું જોઈતું હતું. સનાતની હિન્દુત્વવાદીઓએ કન્નડ સાહિત્યકાર ક્લ્બુર્ગીની હત્યા કરી અને આપણા મહાન વડા પ્રધાને મોઢું ખોલવાની પણ નિસ્બત નહીં દાખવી, ત્યારે નયનતારા સેહગલે વ્યથિત થઈને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પાછો કર્યો હતો. એ પછી તો આપણી ભાષાના કવિ અનિલ જોશી સહિત ચાળીસ જેટલાં સાહિત્યકારોએ એવોર્ડ પાછા કર્યા હતા. આ એ નયનતારા સેહગલ છે જેમણે ઈમરજન્સીનો પણ વિરોધ કર્યો હતો. મામા (જવાહરલાલ નેહરુ) પાસેથી મૂળભૂત માનવીય મૂલ્યોનું શિક્ષણ મળ્યું હતું. એ શિક્ષણ તો ઇન્દિરા ગાંધીને પણ મળ્યું હતું, પરંતુ પુત્રી કરતાં ભાણીએ એ વધારે પચાવ્યું હતું. નયનતારા સેહગલ મામાની દીકરી ઇન્દિરા ગાંધી સામે બાખડ્યાં હતાં.
આયોજકોએ કે સ્વાગત સમિતિના સભ્યોએ નયનતારા સેહગલને આમંત્રણ આપતાં પહેલાં આ બધું જાણી લેવું જોઈતું હતું. તેઓ કયા યુગમાં જીવી રહ્યા છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈતું હતું. કોઈ બે બદામનો માણસ આવીને કહે કે મરાઠી ભાષાના સંમેલનમાં અંગ્રેજીમાં લખનારાને બોલાવશો તો અમે સંમેલનને રોળી નાખશું અને આયોજકો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આમંત્રણ રદ્દ કરે એવું આ યુગમાં બની રહ્યું છે. કેટલાક લોકો કહે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો વિરોધ તો એક બહાનું છે, બાકી સાચું કારણ નયનતારા સેહગલનું સ્વાતંત્ર્યની હિમાયત કરનારું પ્રવચન છે. લખેલું પ્રવચન મળ્યું અને ગાત્રો ઢીલાં થવાં લાગ્યાં. આ ત્રિશૂળધારી, તિલકધારી, ભગવાધારી, શિખાધારી, ધનુષધારી અને ગદાધારીઓનો યુગ છે.
આયોજકોના નિર્ણય સામે મહારાષ્ટ્રમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકોએ સંમેલનનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે. દુ:ખની વાત એ છે કે આ વખતે સંમેલનના અધ્યક્ષા અરુણા ઢેરે છે, જે તેમનાં પિતા રા.ચિ. ઢેરેની પરંપરાના વિદ્વાન સંશોધક છે. ટકોરાબંધ અસ્સલ વિદ્વાન. સંમેલનને ઘણાં વરસ પછી આદર થાય એવા માંડ સાહિત્યકાર વિદ્વાન અધ્યક્ષ મળ્યાં ત્યારે અપશુકન થયું.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2019
![]()




હિન્દીમાં ૧પ૦ ગ્રંથોની રચના કરનાર રાહુલ સાંકૃત્યાનને પૂરી દુનિયા ઘુમક્કડ તરીકે ઓળખે છે. ભારત ઉપરાંત તિબેટ, સોવિયત સંઘ, યુરોપ અને શ્રીલંકાની ખાનાબદોશી બાદ રાહુલે એના અનુભવ પરથી 'ઘુમક્કડ શાસ્ત્ર’ની રચના કરી છે. તેમાં એ લખે છે, 'મારા મતે દુનિયામાં સર્વશ્રેષ્ઠ વસ્તુ ઘુમક્કડી છે. રખડપટ્ટી કિતાબોથી પણ આગળ જાય છે. ઘુમક્કડ દુનિયાની સર્વશ્રેષ્ઠ વિભૂતિ છે કારણ કે એમણે જ દુનિયા બનાવી છે. દુનિયાના અધિકાંશ ધર્મનાયક ઘુમક્કડ રહ્યા છે. ભગવાન બુદ્ધ ઘુમક્કડ-રાજા હતા. એક વ્યક્તિ માટે ઘુમક્કડીથી વધીને બીજો કોઇ ધર્મ નથી.’
તમે 'ન્યૂર્યોક ટાઇમ્સ’ના પત્રકાર થોમસ ફ્રાઇડમેનનું નામ સાંભળ્યું છે? કોલંબસે એની યાત્રામાં અકસ્માતે અમેરિકાની શોધ કરી, તેના ૫૦૦ વર્ષ પછી, ૨૦૦૫માં આ અમેરિકન પત્રકારે ભારત આવીને ગ્લોબલાઇઝેશન પરનું પહેલું અદ્દભુત પુસ્તક, 'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ: અ બ્રિફ હિસ્ટરી ઓફ ધ ટ્વેંટીએથ સેન્ચુરી' લખ્યું હતું. ફ્રાઇડમેન એના પ્રથમ પ્રકરણનો આ રીતે આરંભ કરે છે:
ઈંગ્લિશ લેખક-વિચારક આલ્ડસ હક્સ્લેએ કહ્યું હતું કે, "યાત્રાથી એટલી ખબર પડે કે લોકો બીજા દેશ માટે જે જાણો છો, એ જૂઠ છે." ૧૩મી સદીના વેનિસનો સોદાગર માર્કો પોલો ચીન, પર્સિયા અને ઇન્ડોનેશિયામાં બે દાયકા સુધી ભટકીને વતન પાછો ગયો, અને સમૃદ્ધિની કહાનીઓ સંભળાવી, તો લોકોએ એને ગપગોળા કહીને ખારીજ કરી નાખી. વાર્તા એવી છે કે, માર્કો અને એના બે ભાઈઓએ એમનાં કપડાંનાં સાંધા ખોલીને ધરી દીધા અને એમાંથી હજારો રત્નો જમીન પર વરસાદની જેમ વરસી ગયાં.
ઇસ્લામિક પંડિતો દાવો કરે છે કે, ૧૪મી સદીનો ઘુમક્કડ ઈબ્ન બત્તુતા આફ્રિકા, એશિયા અને ચીનની આસપાસ પોલો કરતાં ત્રણ ગણો વધારે (૩૦ વર્ષ, ૪૪ દેશો અને ૭૫,૦૦૦ માઈલ) ફર્યો હતો, જેમાંથી એનું સુંદર પુસ્તક 'રિહલા' (પ્રવાસ) આવ્યું હતું, જે ૧૯મી સદી સુધી પશ્ચિમની આંખોમાં આવ્યું ન હતું. બત્તુતાએ ભારતમાં એણે સગી આંખે એક સ્ત્રીને સતી થતી જોઈ હતી. પુસ્તકમાં એ લખે છે, "હું આ હૃદયવિદારક દ્રશ્ય જોઇને બેભાન થઇ ઘોડા પરથી પાડવાનો જ હતો કે મારા દોસ્તોએ મને સાંભળી લીધો અને મારું મોઢું પાણીથી ધોવડાવ્યું. એ હિંદુ સ્ત્રીને મેં સજી-ધજીને ઘોડા પર જતી જોઈ હતી. હિંદુ અને મુસલમાન એની પાછળ ચાલતા હતા. આગળ નોબત વાગતી અને સાથે બ્રાહ્મણ હતો. ઘટના સ્થળ સમ્રાટના રાજ્યની સીમામાં આવતું હોવાથી એમની આજ્ઞા વગર સ્ત્રીને સળગાવાય તેમ ન હતી. રાજાની આજ્ઞા મળી પછી જ એને સળગાવી."
