
હેમંતકુમાર શાહ
આજકાલ સૌની નજર બીજી એપ્રિલ પર છે. કારણ કે એ દિવસે અમેરિકા ભારતની નિકાસ પર વધુ આયાત જકાત નાખશે એવી ધારણા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની દલીલ એ છે કે ભારત અમેરિકાની ચીજો પર સરેરાશ ૧૨.૫ ટકા આયાત જકાત નાખે છે અને અમેરિકા તો ભારતની ચીજો પર સરેરાશ માત્ર ૨.૨ ટકા જ આયાત જકાત નાખે છે. એટલે અમેરિકાને ભારત સાથેના વેપારમાં વરસેદહાડે ૪,૫૬૦ કરોડ ડોલરની ખોટ જાય છે.
હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમ સમજે છે કે મોદીના રાજમાં ભારતનો વિકાસ થઈ ગયો છે એટલે ભારતને આયાત જકાતમાં રાહત આપવાની જરૂર નથી. એટલે ટ્રમ્પ ભારતની ચીજો પર આયાત જકાત વધારવા અધીરા થયા છે.
ભારત જે નિકાસ અમેરિકામાં કરે છે તે આને પરિણામે ઘટે એમ બને. એટલે એ બચાવવા માટે મોદી સરકાર હવાતિયાં મારી રહી છે. પરિણામે મોદી સરકાર દારૂ અને બાઈક સહિતની અનેક અમેરિકન ચીજો પરની આયાત જકાત પણ ઘટાડી રહી છે અને હજુ વધારે ઘટાડે એમ પણ બને.
અમેરિકાની હાર્લી ડેવિડસન સહિતની વિદેશી બાઈક પરની આયાત જકાત ગઈ પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાને તેમના બજેટ પ્રવચનમાં, એટલે કે ૨૦મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પદગ્રહણ કર્યું તેના ૧૩ જ દિવસમાં, ૫૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા અને કેટલાક કિસ્સામાં ૨૦ ટકા કરી નાખી હતી. તે હજુ વધારે ઘટાડવામાં આવે એમ પણ બને.
એ જ રીતે, અમેરિકાની બર્બોન વ્હિસ્કી પરની આયાત જકાત ૧૫મી ફેબ્રુઆરીના રોજ ૧૫૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરી નાખવામાં આવી હતી! ૨૦૨૩-૨૪માં ૨૫ કરોડ રૂપિયાની આ વ્હિસ્કીની આયાત અમેરિકાથી ભારતમાં કરવામાં આવી હતી.
હવે જો અમેરિકન ચીજો પરની આયાત જકાત મોદી સરકાર ઘટાડે તો ભારતનાં બજારોમાં અમેરિકન ચીજો હાલ કરતાં વધારે ઠલવાય. અને વોટ્સએપ દેશભક્તિ કરનારા ભારતીયો સસ્તી અમેરિકન ચીજો વધુ ખરીદે અને હાર્લી ડેવિડસન પર તિરંગો લહેરાવતા ફરે.
મોદીની ૫૬ ઇંચની છાતી કેટલી સંકોચાઈ ગઈ છે! સહેજ પણ હિંમત નથી કે એ ટ્રમ્પને એમ કહે કે થાય તે કરી લો, નહિ ઘટે આયાત જકાત.
ટેરિફ એટલે કે આયાત જકાતના એટલે કે વેપાર યુદ્ધમાં મોદી હારી રહ્યા છે.
કેમ? કારણ કે બે લાખ રૂ.થી માંડીને બે કરોડ રૂપિયાની બાઈક ફેરવનારા અને મોંઘોદાટ વિદેશી શરાબ ઢીંચનારા દેશભક્ત હિન્દુ ભારતીયોની મોદીને બહુ ચિંતા છે! કારણ એ છે કે એ હિન્દુત્વની બેંક છે. કોઈ પણ હિસાબે એમને તો રાજી રાખવા જ પડે ને.
બોલો, આત્મનિર્ભર મહાભારત કી જય!
તા.૨૭-૦૩-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




[7] સહજાનંદજી વિશે કિશોરલાલ મશરૂવાળાના વાક્યો ઘણા લોકો વિચાર્યા વિના વાપરે છે. શરુઆતમાં કિશોરલાલ સ્વામિનારાયણ ભક્ત હતા. કપાળે તિલક-ચાંદલો કરતા. પરંતુ પાછળથી તિલક-ચાંદલાનો ત્યાગ કર્યો હતો. કિશોરલાલ મશરૂવાળાએ ‘સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય’ નામનું પુસ્તક 1922માં લખ્યું હતું અને નવજીવન ટ્રસ્ટે છાપ્યું હતું. આ પુસ્તકના પેજ-111માં કિશોરલાલ લખે છે :”સ્વામિનારાયણ સંપ્રદાયની એક પણ પ્રસિદ્ધ વ્યક્તિ કોઈ કોઈનો અવતાર નથી મનાઈ એમ ભાગ્યે જ બન્યું છે ! એ કલ્પનાઓ જેને પ્રથમ સ્ફુરી હશે એની એમાં પ્રામાણિક શ્રદ્ધાયે હશે, પણ તેથી એનું કાલ્પનિક રૂપ ઓછું થતું નથી. મને પોતાને તો લાગે છે કે એવો પૌરાણિક કથાઓનો આધાર હોય તો જ સહજાનંદ સ્વામી પ્રત્યેની ભક્તિ અચળ રહે અથવા વધે એ સ્થિતિ ઇષ્ટ નથી. જો એમનું સીધું જીવનચરિત્ર એમને લોકોત્તર ન દાખવી શકે તો આવી કથાઓને આધારે એમને અલૌકિક દેખાડવાની મને ઈચ્છા નથી.” આ પુસ્તક લખ્યા પછી, 47 વર્ષ બાદ 1969માં કિશોરલાલે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક લખ્યું. આ પુસ્તક પણ નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કરેલ છે. આ 47 વરસમાં (જો કે કિશોરલાલે 11 ઓગસ્ટ 1947ના રોજ, આ કહ્યું હતું એટલે કે 25 વરસ પછી) કિશોરલાલ મશરૂવાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું છળકપટ / પાખંડ બરાબર સમજી ગયા હતા; એટલે તેમણે લખ્યું : “કોઈ મનુષ્યને પરમેશ્વર કે પેગંબરની કોટિમાં મૂકવો નહીં. કોઈને અસ્ખલનશીલ, જેના વિચાર કે વર્તનમાં ભૂલ હોઈ જ ન શકે એવો માનવો નહીં. અને તેથી તેનું એકેએક ચરિત્ર શુદ્ધ, દિવ્ય, શ્રવણ-કીર્તન યોગ્ય જ છે એમ સમજવું નહીં. સામાન્ય જગતના હિતમાં જે કમમાં કમ સદાચારના નિયમો માન્ય હોય, તેને ભંગ કરવાનો અધિકાર કોઈને ન હોય. તે વ્યક્તિની વિશેષ પવિત્રતાના સબબસર તો ન જ હોય. અશુદ્ધ વૃત્તિના મનુષ્યો સદાચારના નિયમોનો ભંગ કરે એમાં નવાઈ નથી. એ માટે સમાજ પોતપોતાની રીતે એનો નિષેધ કરવાનો અને તેને શિક્ષા પણ કરવાનો. શુદ્ધ વૃત્તિના મનુષ્યો તે નિયમોનું વધારે ચીવટથી પાલન કરે. તેમાંથી નીકળવાની ઈચ્છા ન કરે. માટે મહાત્મા પુરુષોએ સમાજહિતવિરોધી આચારો કર્યા હોય તો તેને છાવરવાનો પ્રયત્ન ન કરવો; તે એમની ઉણપો જ હતી એમ સ્પષ્ટ કહેવું. તેથી એવાં ચરિત્રોની પ્રશંસાનાં કીર્તનપદ-ભજન વગેરે ન કરવાં. એવાં રૂપકો પણ ન યોજવાં.” શું સ્વામિનારાયણના હરિભક્તો / સત્સંગીઓ આમાંથી કોઈ બોધ લેશે? કિશોરલાલ મશરૂવાળાને જે મોહભંગ થયો હતો હતો, તે સત્ય શા માટે છૂપાવવામાં આવે છે? શું યશવંત શુક્લે સ્વામિનારાયણનું પરચા સાહિત્ય વાંચ્યું હશે? શું તેમણે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક વાંચ્યું હશે? સાહિત્યકારોમાં પણ ક્લેરિટીનો અભાવ કેમ રહેતો હશે?