કોરોનામાં દૂરી જરૂરી :
તરછોડ્યા નથી કોઈને, મેં થોડી દૂરી રાખી છે,
સહુની સલામતી માટે એ વાત જરૂરી લાગી છે.
ખુશી નથી, તો એવી નારાજગી પણ ક્યાં છે!
સ્વેચ્છાએ સ્વીકારેલ શરત જરૂરી લાગી છે.
કંટાળો આવે એવી તો લેશમાત્ર હાલત નથી,
યંત્રવત આ જીવનમાં મરામત જરૂરી લાગી છે.
સરળ શબ્દોમાં સમજતી જ નથી માનવજાત,
તેથી જ વિધાતાને આ કરામત જરૂરી લાગી છે.
સહેલાઈથી જ સમૃદ્ધિ મેળવવાના નીચ ઇરાદે,
એક પ્રદેશને ગુનાહિત શરારત જરૂરી લાગી છે.
ડરી ગયા નથી આ તત્કાલીન સમસ્યાથી ‘મૂકેશ’,
સાચવવી હવે દેહરૂપી ઇમારત જરૂરી લાગી છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.; મે, ૨૦૨૦
e.mail : mparikh@usa.com
![]()







ભાવનગરમાં ભાગ્યે જ કોઈ પુસ્તકપ્રેમી/વાચનપ્રેમી એવી વ્યક્તિ હશે જે ‘મિલાપ', ‘પ્રસાર’ના માધ્યમથી સર્વશ્રી મહેન્દ્રભાઈ મેઘાણી તથા જયંતભાઈ મેઘાણીના સંપર્કમાં ન આવી હોય. વાચનપ્રેમીઓની અનોખી માવજત કરનારા બંને પુસ્તક પ્રસારકો. તાજેતરમાં જયંતભાઈનું દુ-ખદ નિધન થયું. અંતિમ ક્ષણ સુધી કમ્પ્યૂટર પર કાર્યરત હતા તેમ જાણવા મળ્યું છે. કેટલાક સમય પહેલાં ‘પ્રસાર’ની પ્રવૃત્તિ જયંતભાઈએ સંકેલી લીધી હતી અને ‘નિરીક્ષક’ના માધ્યમથી સૌ મિત્રો, ચાહકો, પ્રસંશકોને આવજો કહ્યું હતું. તે સમયે કેટલાંક સ્મરણો-‘પ્રસાર’ સાથેનાં મેં ‘નિરીક્ષક’ના માધ્યમથી વાગોળ્યાં હતાં. વાંચીને જયંતભાઈએ ફોન કર્યો હતોઃ “અજયભાઈ, બહુ યાદ રાખ્યું છે!” અને મેં પણ ઉષ્માપૂર્ણ ઉત્તર વાળ્યો હતો.