૫થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત અંતર પર, ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય, જેને અંગ્રેજીમાં hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય.
દરેક અંતર પ્રમાણે ગોલ્ફર, બોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે. દરેક ક્લબના પણ જુદા જુદા નામ હોય જેવાં કે, લાંબા અંતર માટે ડ્રાઇવર, આયર્ન. ટૂંકા અંતર માટે પટર વગેરે, વગેરે … ઘણીવાર બોલ, રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે! એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે. અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે!
આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય. વધુમાં મને તો એમાં જીવન-દર્શન દેખાય!
આટલી ભૂમિકા પછી તેને જ આધારે લખેલી એક અછાંદસ રચનાઃ
ગોલ્ફ
જિંદગી છે ગોલ્ફની રમત જેવી ..
રમતા આવડે તો ગમ્મત જેવી.
હજારો યાર્ડની દૂરી પર
એક પછી એક
કુશળતાથી તાકવાના
અઢાર અઢાર નિશાન !
અભિમન્યુને હતા કોઠા સાત,
અર્જુનની સામે એક જ આંખ ..
એક જ પક્ષીની ..
ગોલ્ફમાં તો અઢાર નિશાન.
બોલ કદી વાડમાં અટવાય,
કદી ખાડામાં અથડાય,
ક્યારેક ઝાડીમાં ફસાય,
ક્યારેક પાણીમાં પછડાય.
એક પછી એક
તાકવાના અઢાર નિશાન.
શાંત, સ્થિર મનથી,
સિફતપૂર્વક, સરળતાથી,
નાનકડા સફેદ ગોળાને
સીધા રાહ પર લઈ જઈ
ઓછામાં ઓછા ઝટકાથી,
છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો!
‘પાર’ થાય તો સ્મિત,
‘બોગી’ થાય તો રુદન.
‘બર્ડી કરો’ તો શાન,
‘ઈગલ’ કરો તો અભિમાન.
અને એમ,
પરિસ્થિતિની પરવા કર્યા વગર,
હસતા, રમતા, આનંદપૂર્વક,
નાનકડા શ્વેત ગોળાને,
છેલ્લાં ગોળાકારમાં ઢાળી દેવાનો ..
અંતિમ લક્ષ્ય સુધી …
આદિથી અંત સુધી.
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com
![]()


એક સમય હતો જ્યારે વિદેશના સમાચારોનું પ્રમાણ ઓછું જ રહેતું અને દૈનિકોમાં પહોંચતાં તેને દિવસો લાગતા. શહેરમાં હત્યાની કોઈ ઘટના બનતી તો રાત્રે રસ્તાઓ સૂમસામ થઈ જતા. હવે એ સ્થિતિ નથી. હત્યા, બળાત્કાર, લૂંટની ઘટનાઓ એટલા પ્રમાણમાં બને છે કે લોહિયાળ સમાચારોનું જ દૈનિક પ્રગટ થઈ શકે. ઘણીવાર તો પ્રશ્ન થાય કે ગુના વધે છે તે છાપાંમાં આવે છે કે છાપાંનું જોઈને ગુના વધે છે? એ સાચું કે ગુનાખોરી વધી છે, પણ વર્તમાનપત્રો તેના પ્રચારની ભૂમિકામાં ન રહે તે ઈચ્છવા જેવું છે. પૂર્તિઓમાં કે અન્યત્ર, અઠવાડિયે જ નહીં, રોજ જ નવલકથાનું પ્રકરણ પ્રગટ થાય છે, એમાં પણ ગુનાખોરી, રહસ્ય કે ચીલાચાલુ પ્રણય પ્રાધાન્ય ભોગવે છે. આમાં વાચકોની રુચિને ઘડવા કરતાં તેને અનુકૂળ થવાનો પ્રયત્ન વધારે છે.
આજે મારે એક હિંદુ તરીકે મારા હિંદુ મિત્રો સાથે ચર્ચા કરવી છે. આપણે જ્યારે આપણા દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા નીકળ્યા છીએ ત્યારે એક વાત નક્કી કરી લેવી પડશે કે આપણને હિંદુ રાષ્ટ્ર શક્તિશાળી જોઈએ છે કે માથાભારે? આ બે અલગ ચીજ છે. શક્તિશાળી, બહાદુર, નિર્ભય અને લોંઠકા અથવા કે માથાભારે એ એક જ અર્થના શબ્દો ભાસે છે, પણ એવું છે નહીં. આ ચારમાં બહાદુરી અને નિર્ભયતા વ્યક્તિના ગુણ છે, સમાજના નથી. વળી બહાદુર માણસ દરેક બાબતે બહાદુર હોય એવું પણ બનતું નથી. મારા પિતા બીજી અનેક રીતે બહાદુર હતા, પરંતુ ઘરમાં કોઈ ગંભીર રીતે બીમાર હોય તો ઢીલા ઢફ થઈ જતા. આસક્તિ માણસને ડરાવે છે અને બહાદુરીને ધોઈ નાખે છે. મહાભારતના યુદ્ધમાં વીર અર્જુન પોતાનાં સ્વજનોને જોઈને ઢીલો પડી ગયો હતો. એક માત્ર નિર્ભયતા છે જે માણસ સંપૂર્ણપણે કેળવી શકે છે અને તે દરેક સ્થિતિમાં સાથ પણ આપે છે, પરંતુ એ માટે અનાસક્તિ કેળવવી પડે જે આધ્યાત્મિકતાનો પ્રદેશ છે. ગાંધીજી નિર્ભય હતા કારણ કે તે અનાસક્ત હતા. તેમને પોતાના જીવન માટે પણ આસક્તિ નહોતી જે સામાન્યતઃ દરેક જીવમાં હોય છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ પશુ અને મનુષ્યમાં એક સરખાં જોવા મળે છે, પરંતુ મનુષ્ય તેમાં વિવેક કરી શકે છે એ મનુષ્યની વિશેષતા છે એમ મહાભારતકારે કહ્યું છે. અનાસક્તિ દ્વારા ભયમુક્ત થઈ શકાય છે, જેમ ગાંધીજી થયા હતા.