ભારતમાં કોરોનાને કારણે થયેલાં ડેથ 445k છે
અને યુ.ઍસ.એ.માં થયેલાં ડેથ – 674k છે.
Worldometer અને બીજી અનેક એજન્સીઓ ડેથ્સ ઉપરાન્ત કોરોનાકેસિઝ અને સંલગ્ન તમામ બાબતોના આંકડા રોજે રોજ આપે છે.
પણ જનસામાન્યની આંખ ઊઘડતી નથી.
એથી મેળવવી જોઈતી શીખ મેળવાતી નથી.

Picture courtesy : Eyewitness News
એટલે –
જે મિત્રો, જે સ્નેહીઓ, જે પ્રજાજનો માસ્ક નથી પ્હૅરતા, ના પાડે છે;
સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવતા, શી જરૂર છે એવું કહે છે;
જાત-અલગાવ સ્વીકારીને કૉરન્ટાઇન નથી થતા,
એટલે કે, જાતે જ પોતાને કોરાણે નથી મૂકતા;
વૅક્સીન લેવાની પણ ના પાડે છે, કહે છે, એથી જ કોરોના થઈ જાય …
હું એ સૌને કહું છું, બસ આટલું કરો —
કોરોના, ડેથ અને વૅક્સીન
એ ત્રણમાંથી
કોઈ પણ બે-ને પ્રેમથી પસંદ કરી લો,
મગજ ઠેકાણે આવી જશે ને બધું આપોઆપ સરળતાથી સમજાઈ જશે …
= = =
(September 19, 2021: USA)
![]()


ઑગસ્ટ ૨૮, ૨૦૨૧ના રોજ ઝવેરચંદ મેઘાણીના જન્મની સવા શતાબ્દીની સરકારી રાહે ઉજવણી કરવામાં આવી. ‘સરકારી રાહે’ એટલા માટે કે તેના નિમંત્રણકાર્ડમાં મેઘાણીની તસવીરો હતી, પણ નિમંત્રણકાર્ડના કવર પર વડા પ્રધાન સહિત પાંચ મંત્રીઓના જ ફોટા હતા – ઝવેરચંદ મેઘાણીનો ફોટો કે ચિત્ર ત્યાં ન હતાં. સોશિયલ મીડિયા પર ટીકા થઈ, એટલે બેશરમ ભક્તસમુદાય વળતી દલીલ કરવા લાગ્યો કે ‘મેઘાણીના ફોટા કાર્ડમાં છે તો ખરા.’


