
સુમન શાહ
કુન્તકના અધ્યયન દરમ્યાન મને ગમી ગયેલી એમણે પ્રયોજેલી વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ સંજ્ઞાઓ વિશે આ અગાઉના લેખોમાં ચર્ચા કરી છે.
આજે, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓ સમજીએ.
વક્રકવિવ્યાપારથી કવિતાનું સ્વરૂપ – નેચર – સૂચવાય છે અને વૈદગ્ધભંગીભણિતિથી કવિતાની રૂપરચના – ફૉર્મ – સૂચવાય છે તેમ શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓથી કવિતાનું કાર્ય -ફન્કશન- સૂચવાય છે.
શોભાતિશય એટલે ઉક્તિની વક્રતાથી જનમેલું વાણીનું સૌન્દર્ય, એટલે કે, ભાષિક સાહિત્યિકતા, લિટરરીનેસ, વર્ડ-બ્યુટિ. અતિશય કેમ? સામાન્ય ભાષાની સાદીસીધી ઉક્તિશોભામાં વધારો થઈ ગયો હોય છે તેથી શોભાતિશય. ‘તમે ક્યાંના રાજા છો?’ એ પ્રશ્નોક્તિને સ્થાને ‘આપના આગમનથી આપ કયા નગરની પ્રજાને વિરહિત કરી રહ્યા છો?’ એમ પુછાય એટલે શોભાતિશયનો અનુભવ થાય.
વક્રોક્તિનું એક કાર્ય શોભાતિશય. શોભાતિશયનું કાર્ય સહૃદયાહ્લાદકારીત્વ; એટલે કે, એથી સહૃદયો આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી જેનું ચિત્ત મુકુરીભૂત થયેલું છે તેને સહૃદય કહેવાય છે. સાર એ કે સાહિત્યકલાના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં ભાવનની ગુંજાઇશ હોવી જોઇશે.
શોભાતિશયનું બીજું કાર્ય તદ્વિદાહ્લાદકારીત્વ; એટલે કે, એથી એનો જાણકાર, તદ્વિદ, અધિકારી, આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. તદ્વિદ એટલે જેને કૃતિના સ્વરૂપની, રીતિની, અને સઘળા વ્યાપારની તથા સાહિત્ય સમગ્રની જાણકારી છે, એવો જેનો અધિકાર છે તેવી વ્યક્તિ. સાર એ કે કૃતિના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં સાહિત્યજ્ઞાનની ગુંજાઇશ હોવી જોઇશે.
આમ, કવિતાનું કાર્ય શોભાતિશય છે એ ખરું, પણ એનો આનન્દ તો અધિકારીને જ થશે. આ અધિકારીતા કલાનુભવની શરત બને છે અને તેથી વ્યાપક પ્રજાસમૂહોની બાદબાકી થઈ જાય છે, જો કે એ જુદી વાત છે.
સહૃદય અને તદ્વિદને ‘આઇડીયલ રીડર’ કે ‘ટારગેટ રીડર’ કહી શકીએ કે કેમ? લૂઇસ રોસેનબ્લાટ આદિ સમીક્ષકોએ શરૂ કરેલા ‘રીડર રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’-ને કુન્તકના આ વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમજ તદ્વિદાહ્લાદકારી વિભાવો સાથે સરખાવીને તુલનાવાચી અધ્યયન કરી શકાય, જો કે એ પણ જુદી વાત છે.
= = =
(06/18/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




મારા ભાઉ અને જ્ઞાનમાર્ગી અધ્યાપકો પછી મારા વાચન પર પ્રભાવ પાડનાર મહત્ત્વની વ્યક્તિ એટલે મહેન્દ્રભાઇ મેઘાણી. તેમના સંપર્કમાં ૧૯૯૬માં આવ્યો. તેમનાં જીવનકાર્યને નજીકથી જોયું. તેનો અભ્યાસ કર્યો. તેનાથી પુસ્તક, લેખન અને વાચન તરફ જવાનો મારો દૃષ્ટિકોણ ઘણો બદલાયો, મારી તે અંગેની સમજમાં ઉમેરો થયો. વ્યક્તિ અને સમાજના પરિવર્તનના માધ્યમ તરીકે પુસ્તકોનું મહત્ત્વ મને નક્કર રીતે સમજાયું. સંપાદન અને પ્રકાશન દ્વારા રસપ્રદ તેમ જ મૂલ્યલક્ષી વાચનસામગ્રી સામાન્ય વાચક સુધી પહોંચાડવાનું મહેન્દ્રભાઈનું કામ લગભગ લોકોત્તર છે. બીજાના ખપમાં આવવાનો, ઘસાઇને ઉજળા થવાનો બીજો દાખલો. વાચનની દુનિયાના સંદર્ભે તો, મહેન્દ્રભાઇ સિવાય બીજો નથી એમ હું માનું છું.






પણ ફ્રાંસ હંમેશાંથી સાહિત્યિક પ્રવાહો સ્થાપિત કરવામાં અગ્રેસર રહ્યું છે. ફ્રાંસના એ સમયના કોઈ પ્રકાશકે ચેસ્ટર હાઈમ્ઝની જાસૂસી નવલકથાઓ પ્રકાશિત કરવાનું બીડું ઝડપ્યું. અને એ રીતે, પહેલીવાર, હાઈમ્ઝની જાસૂસી નવલકથા ‘અ રેજ ઈન હાર્લેમ’ (હાર્લેમમાં અફરાતફરી) પ્રકાશિત થઈ. ફ્રાંસ અને યુરોપમાં તેને ખૂબ ખ્યાતિ મળી. એટલે અમેરિકન વિવેચકોએ વાંકા વળીને નવલકથાને વધાવવી પડી (આવું જ આલ્ફ્રેડ હિચકોકના કેસમાં બનેલું. બ્રિટન અને અમેરિકામાં એ ઘણા સમયથી હોરર-થ્રીલર ફિલ્મો બનાવતા, પણ ફ્રાંસના જાણીતા વિવેચક અને ફિલ્મમેકર ફ્રાન્સવા ત્રુફોએ જ્યારે હિચકોકને વધાવ્યા ત્યારે અમેરિકન ફિલ્મમેકરોને અને વિવેચકોને સમજાયું કે આપણે ત્યાં તો આવો અદ્ભુત ફિલ્મમેકર પડેલો છે!).
તેમની એક નવલકથા વાંચી—‘ધ મેડ એન્ડ ધ બેડ’ (એક ગાંડો, અને એક દુષ્ઠ). ૧૯૭૨માં પ્રકાશિત. માન્ચેતેએ જાસૂસી નવલકથાઓ થકી એ સમયની ફ્રેંચ સરકારની અનેક નીતિઓનું ખંડન કર્યું છે. આ રાજકીય-સામાજિક સંદર્ભ વગર પણ કૃતિ મજા જ કરાવે છે.