આજે (20 જૂન 2014) બાણુંમો જન્મદિવસ ઉજવી રહેલા લોકોત્તર વાચનપ્રસારક મહેન્દ્ર મેઘાણી એક નવું પુસ્તક ‘દર્શક સાથે વિચારયાત્રા’ તૈયાર કરી રહ્યા છે. દર્શકની જન્મશતાબ્દીએ તેમનાં ચૂંટેલાં ચિંતનાત્મક લખાણોનાં સો પાનાંના પુસ્તક માટેનું છેલ્લું પ્રૂફ મહેન્દ્રભાઈ વાંચી રહ્યા છે. હંમેશની જેમ તેની લાખ નકલો છપાવીને ઘરે ઘરે પહોંચાડવાનો ઉમંગ છે. હાથ પર બીજું કામ છે તે ગયા છ મહિના દરમિયાન પ્રકાશિત થતી રહેલી ‘મિલાપની વાચનયાત્રા’ શ્રેણીનાં તેરમાથી સોળમા ક્રમનાં પુસ્તકો તૈયાર કરવાનું.
મહેન્દ્રભાઈ બંને કામ માટેની કાચી સામગ્રી દીકરીને ત્યાં પહેલી એપ્રિલે અમેરિકા ગયા ત્યારે લઈને ગયા હતા. અત્યારે મનરોના ઘરે પરોઢે પાંચ વાગ્યે ઊઠીને દિવસના છ-આઠ કલાક કામ કરે છે. બાકીના સમયમાં આંખોને વધુ કામ માટેનો આરામ આપવાનું, વાંચવાનું, થોડું ચાલવાનું. શક્ય હોય ત્યારે અમેરિકા જેના માટે જાણીતું છે તે જાહેર ગ્રંથાલયો કે પુસ્તકભંડારોમાં મ્હાલવાનું !
ગુજરાતીમાં બધાને જ ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ અને વૈવિધ્યપૂર્ણ વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરના લોકમિલાપ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં. ’પુણ્યનો વેપાર’ કરવા માટે આ ધંધામાં પડ્યા હતા, એટલે નહીં નફો, નહીં નુકસાન જેવી આર્થિક ગોઠવણ ‘પૂરતાં શાકરોટલા મળે’ એવી કુનેહથી કરી હતી. બીજા પ્રજાસત્તાક દિવસથી પચાસ વર્ષ દરમિયાન આપણો સાહિત્ય વારસો, મેઘાણી સાહિત્ય, ચંદનનાં ઝાડ, કાવ્યકોડિયાં અને ખિસ્સાપોથીઓ જેવી યોજનાઓ થકી દરેક પ્રકારનું સરસ ગુજરાતી સાહિત્ય ઘરેઘરે પહોંચ્યું. તમામ પ્રકાશનોમાં એવું જ સાહિત્ય હોય કે જેના વિષયો અને નિરુપણમાં અદનો માનવી કેન્દ્રમાં હોય.
નવી સદીથી ‘અરધી સદીની વાચનયાત્રા’ તેમ જ રોજેરોજની અને કેટલાક લેખકો સાથેની વાચનયાત્રા જેવી પુસ્તકમાળાઓથી મહેન્દ્રભાઈ નવી પેઢીમાં પણ ઠીક જાણીતા થયા. ઓછા જાણીતા મહેન્દ્ર મેઘાણી એટલે ગરીબો માટે દિલ કપાતું હોવાથી વર્ષો લગી ચપ્પલ નહીં પહેરનારા પ્રકાશક. થેલીમાં જુદી જુદી સાઇઝનાં ચપ્પલ ભરીને અડવાણે પગે મજૂરી કરતી બહેનોને એ પહેરાવતા. સાયકલ અને એસ.ટી. બસ સિવાય કોઈ વાહનનો ઉપયોગ ન કરતા. આજે પણ અમદાવાદ હોય ત્યારે બગીચામાં ચાલતાં ચાલતાં ઉપાડાય એટલો કચરો ઉપાડે છે.
વર્ષો સુધી દરરોજ ઘરની ઘંટીએ જુદાં જુદાં અનાજ દળીને ખુદના શરીરની અને પરિવારના મહિલા વર્ગની સંભાળ લેનારા, તેમનાં સંતાનોનાં મમ્મી. ઘઉંનો જાતે દળેલો લોટ ભાવનગરના ખાદીઉદ્યોગના બેકરીવાળાને આપી એનાં બિસ્કિટ બનાવડાવવાની ગુજરાતમાં પહેલ કરનારા મહેન્દ્રભાઈ. બહેનોનાં સમય-શક્તિ રોટલા વણવામાં જતાં હોવાથી તેમનો વિકાસ રુંધાય છે એવી સમજથી પુરુષોએ દળેલાં ઘઉંના લોટની સારી જાતની બ્રેડ બેકરીમાં બનાવડાવીને ખાવી જોઈએ એવું ય તે માનતા.
ભાવનગરમાં પુસ્તકની લારી લઈને બજારમાં ઊભા રહેતા. દેશવિદેશમાં પુસ્તકમેળા કરતા. આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ નિમિત્તે પુસ્તકપ્રદર્શન માટે અમેરિકા અને યુરોપ જવાનું હતું. વિમાનની ટિકિટ પોષાય એવી ન હતી. એટલે લોકમિલાપે એર ઇન્ડિયાને સૂચન કર્યું કે તમે અમારી પાસેથી બાળકોનાં પુસ્તકો ખરીદો, તમારી દુનિયાભરની ઑફિસો તેમ જ મુસાફરોને આપો, અમને એ પુસ્તકો માટે પૈસા નહીં પણ એટલી કિંમતની ટિકિટ આપો. મહેન્દ્રભાઈની પુસ્તક-પસંદગી, શાખ, રજૂઆત અને સાચકલાઈના કીમિયાથી આ સૂચન અમલમાં મૂકાયું !
નાગરિક મહેન્દ્રભાઈ સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા અને માનવ અધિકારના પ્રખર પુરસ્કર્તા છે. પિતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓના ઉપયોગની રૉયલ્ટી માટે લેખકના ગૌરવના મુદ્દે આકાશવાણી સામે લડ્યા હતા. ઉત્તમ સંકલન સામયિક ‘મિલાપ’ (1950-78)ના પ્રકાશક-સંપાદક તરીકે કટોકટીમાં શાસનની સેન્સરશીપ સામે લડ્યા હતા. ઓરિસ્સાના ખ્રિસ્તી ધર્મગુરુ ગ્રેહામ સ્ટેઇન્સ અને તેના બે કિશોર દીકરાને હિંદુ ધર્મઝનૂનીઓએ 1999ના જાન્યુઆરીમાં બાળી નાખ્યા. તેનાં પત્ની ગ્લૅડિસ સ્ટેઇન્સ પ્રત્યે સંવેદન વ્યક્ત કરવા મહેન્દ્રભાઈએ તેને પુસ્તકો મોકલ્યાં.
‘બુક અને બૅલેટ’થી ક્રાંતિ લાવવાનું સપનું જોનારા મહેન્દ્રભાઈએ ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણી વખતે ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ એવી સોળ પાનાંની ખિસ્સાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી. હમણાંની ચૂંટણીમાં પણ તેમણે ભાવિ સંસદસભ્યો સંસદમાં ગેરવર્તણૂક ન કરે તેવી લેખિત બાંહેધરી મતદારોએ ઉમેદવારો પાસેથી લેવી જોઈએ તે માટેની ઝુંબેશ ચલાવવાની કોશિશ કરી હતી.
ઇશાવાસ્ય ઉપનિષદનો બીજો જ શ્લોક કહે છે કે કામ કરતાં કરતાં સો વર્ષ જીવો. એ ઈશવચન આજે જાણે મહેન્દ્રભાઈ માટે છે.
સૌજન્ય : (http://epaper.navgujaratsamay.com/details/638-5089-1.html)
![]()


Several months ago I had spoken to Suresh Oza on the phone. I wanted to tell him that we were most likely to visit India at the beginning of 2014. I called him in January to tell him that we were visiting Gujarat in February and March. I was reaching Bhavnagar in mid-February to spend a fortnight with my last remaining Samaldas College friends. At the end of February I was going to Ahmedabad. I made a number of phone calls without getting any response from him. Normally I would have written to him but Royal Mail stopped selling airmail letters and this weakened my willingness to use envelopes for overseas posting. It is likely that I had checked his number with Girishbhai but there was no word from Suresh. We had a very hectic time in Ahmedabad. My phone calls to Suresh did not bring forth any response. It is only now after I had a message from Girishbhai, I learned that he died in January and my search for him in early March, sadly, would not have brought us together. I feel deeply sad that I did not personally go to his Ambavadi residence where I would have been told by his neighbours that he was no longer alive.
He had already sent me a copy of his short story collection Sanket which he had published himself with the financial assistance from Gujarat Sahitya Academy and had dedicated to his brother Shree Divyakant Oza. In 1994, Parth Prakashan Ahmedabad published his second collection titled Irsha. He airmailed me a copy that bears his signature and dated 14th January 2003. I was grateful for the effort that he had made to keep me aware of his writing. He was a keen observer of life of ordinary people. His stories contained characters and people who were drawn from what he had seen and observed around him. I plan to read these stories again and offer a comment on what they convey about Suresh’s view of Gujarati social life as it unfolded around him.
(હીરાબાઈનો જીવનકાળ સાલ 1905થી 1989નો જોવા મળે છે. વડોદરાનાં રાજમાતાના ભાઈ સરદાર મારુતિરાવ રાણે. તેમના દીકરી તારાબાઈ માને. તેઓ રાજગાયક ઉસ્તાદ અબ્દુલ કરીમખાંસાહેબ પાસે સંગીત શીખતાં. એ દરમ્યાન બન્ને વચ્ચે પ્રણય થયો અને લગ્નમાં પરિણમ્યો. પણ આ લગ્ન તારાબાઈનાં કુટુંબીજનોને મંજૂર ન હોવાથી તેઓ મુંબઈમાં સ્થાયી થયાં. થોડાં વર્ષો પછી તે બન્ને છૂટા પડ્યાં. સંતાનોમાં તેમને સુરેશબાબુ માને, ક્રિષ્ણરાવ માને નામના બે પુત્રો હતા તેમ જ હીરાબાઈ બડોદેકર, કમલાબાઈ બડોદેકર અને સરસ્વતીબાઈ રાણે નામે ત્રણ પુત્રીઓ હતી.
તુલસીજી જેવો જ શામળો વર્ણ, કાનમાં મોતીના કાપ, હાથમાં બંગડી, ગળામાં મોતીની એક સેર. એ સેરમાંનાં મોતીનું પાણી લીધેલી ભાવવાહી આંખો, કોઈ પણ જાતના ભડકતડક વગરની સાડી, બેઠકમાં થતો પ્રવેશ પણ એકદમ સહજ. હાથમાં તાનપુરો લઈને શાલીનતાથી બેસવાની એમની રીત, સામેના શ્રોતાઓને કુલીનતાથી થયેલાં નમસ્કાર કે જેમાં ક્યાંયે અતિ નમ્રતાનું નાટક નહીં, કોઈ જાતનો દેખાડો નહીં, એક બાજુએ હારમોનિયમ પર સુરેશબાબુ, સારંગી પર બાબુરાવ કુમઠેકર અને શમસુદ્દીનખાંસાહેબ તબલાં પર. ગાતાં ગાતાં તર્જની અને મધ્યમા ભેગી કરીને સૂર દર્શાવવાની એ શૈલી જે દૃશ્ય કેટલાં ય વર્ષો સુધી મેં જોયું છે. એ ગાનમાં કોઈને મહાત કરવાની જરાયે જિદ નહીં, કોઈ ચમત્કારનો દેખાવ નહીં, નખરાં નહીં, તબલચી પર ડોળા ફાડવાનાં નહીં, સ્ત્રીસ્વભાવ સાથે વિસંગત એવો લયકારીની ધમાચકડી નહીં. છે તો ફક્ત એક મોહક, સ્નેહાર્દ્ર, શીતળ સ્વર અને શી વાતે અછો અછો કરતો લય.