સ્નેહ અને કારુણ્ય વરસાવતાં બાપુનાં નેત્રોએ ઘણાંને મુગ્ધ કર્યાં છે. એમના જીવનમાં એક આકર્ષક તત્ત્વ હતું અને તે એમનું ‘અકોદ્ધેન જિને કોધ.’ અક્રોધથી ક્રોધને જીતવાની એમની શક્તિ અજબ હતી. પોતાની સામે ઊઠતા વિરોધનો તેઓ શાંતિથી અને વિશ્વાસપૂર્વક પ્રતિકાર કરતા.
કોઈકવાર વિરોધીઓ સામે કડક હાથે કામ લેવાનું પણ મિત્રો સૂચવતા. બાપુ શાંતિથી કહેતા : “મારા વિરોધીઓ પહેલાં હતા તેમ આજે પણ છે. છતાં મને તેએાના પ્રત્યે રોષ નથી આવ્યો. સ્વપ્નામાંયે મેં તેમનું ભૂંડું નથી ઈછ્યું. પરિણામે ઘણા વિરોધીઓ મિત્ર બન્યા છે. કોઈનો વિરોધ મારી સામે આજ લગી કામ નથી કરી શક્યો. ત્રણ વાર તો મારી જાત ઉપર ગયા (હુમલો કર્યો) છતાં હજુ લગી ઊભો છું. તેનો અર્થ એમ નથી કે વિરોધી કોઈ દહાડો પોતે ધારેલી સફળતા ન જ મેળવે. મેળવે કે ન મેળવે તેની મારે લેવા દેવા ન હોય; મારો ધર્મ તેમનું હિત ઈચ્છવાનો છે, અને પ્રસંગ આવ્યે તેમની સેવા કરવાનો છે. આ સિદ્ધાંતનો મેં યથાશક્તિ અમલ કર્યો છે. એ મારા સ્વભાવમાં રહેલી વસ્તુ છે એમ મારી માન્યતા છે. લાખો લોકો મારી પૂજા કરે છે ત્યારે મને થાક ચડે છે. કોઈ દહાડો એ પૂજામાં રસ આવ્યાનું કે તેથી તેને યોગ્ય છું એમ મને નથી ભાસ્યું; પણ મારી અયોગ્યતાનું ભાન રહ્યું છે. માનની ભૂખ મને કોઈ દિવસ રહી હોય એવું યાદ નથી. પણ કામની ભૂખ રહી છે. માન આપનારની પાસેથી કામ લેવા મથ્યો છું. તે નથી આપ્યું ત્યારે તેના માનથી હું ભાગ્યો છું. હું કૃતાર્થ તો ત્યારે થાઉં કે જ્યારે મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચું.”
આશ્રમમાં પણ બાપુ બાળકો, યુવાનો તેમ જ મોટાઓ આવી ઉદારતા વિરોધીઓ સામે કેળવે એમ ઈચ્છતા.
આશ્રમમાં ભણતી એક બહેનને સંજોગવશાત્ ભાવનગર જવાનું થયું. બાપુના આશીર્વાદ મેળવવા જ્યારે તે બહેન વહેલી સવારે પહોંચી ત્યારે બાપુએ જોરથી ધબ્બો મારી પ્રેમલ હાસ્ય વેરી કહ્યું : ‘શરીરને લોખંડ જેવું’ બનાવી તારા અભ્યાસ સાથે ખાદીના પણ પ્રચાર કરજે.’ બહેને વચન આપ્યું અને બાપુની વિદાય લીધી.
થોડા દિવસ પછી એ બહેનનો બાપુ ઉપર લાંબો પત્ર આવ્યો. ખાદીની વાતો કરે તો આજુબાજુના પડોશીઓ એને ન અપનાવવા માટે કેવો લૂલો બચાવ કરે છે અને કેવી ગરમ ચર્ચા થાય છે તેનું એમાં વર્ણન હતું.
બાપુએ તે બહેનને લખ્યું :
“જે બાઈની સાથે તેં ખાદીની વાત કરી તેઓની સાથે એક જ જાતનો વહેવાર હોય. એ જ વસ્તુનું વિનયપૂર્વક સિંચન કર્યા કરવું. બીજાઓનાં ઉદાહરણ આપવા. નિરાશ ન જ થવું ને તેઓની સેવાના પ્રસંગ શોધી લેવા. સેવા ને ખાદીને સંબંધ નથી છતાં સેવા પ્રેમ ઉત્પન્ન કરે છે ને જેની ઉપર પ્રેમ પેદા થાય તેની વાત વહેલી ગળે ઊતરે છે.”
સેવાનું કાર્ય અત્યંત મુશ્કેલીભર્યું હોય છે. એમાં ધીરજની પણ ઘણી જરૂર રહે છે. સેવાના કામમાં ઘણીવાર એવું બને છે કે જેઓની આપણે સેવા કરવા ઇચ્છીએ છીએ તેઓ અજ્ઞાનને કારણે અથવા ચાલી આવતા રીતરિવાજોને કારણે કે રહેણીકરણીને કારણે તેમ જ આળસ, મંદતા કે શિથિલતા લીધે આપણે તેઓને કેટલી ય સારી વસ્તુ કહીએ તોયે તેઓને એ વાત ગળે ઊતરતી નથી અને ઘણી વાર તેઓ સારી વસ્તુનો ૫ણ વિરોધ કરવા લાગી જાય છે. એવે સમયે આપણે બહુ ધીરજ ધરીને તેઓ પર જરાયે ગુસ્સે થયા વિના, બધો વિરોધ હસતે મુખે સહન કરીને તેઓની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. શુદ્ધ પ્રેમભાવ સામી વ્યક્તિના હૃદય પર અસર કર્યા વિના રહેતો જ નથી. અવશ્ય એ પ્રેમ બાહ્ય દેખાવ પૂરતો નહિ પણ હૃદયની સચ્ચાઈભર્યો હોવો જોઈએ. નિષ્કામ પ્રેમભાવે કરેલી સેવા જ શુભફળદાયી લાંબે ગાળે પણ બને જ છે. તેથી આપણામાં પ્રથમ પ્રેમભાવ અને તેમાંથી નીપજતો સેવાભાવ હોવો જરૂરી છે એમ બાપુ માનતા.
(આવા હતા બાપુ)
28 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 326
![]()



જરા આ લેખકને ઓળખીએ. જિમ ડગ્લાસ એટલે કે જેમ્સ ડબલ્યુ. ડગ્લાસ અમેરિકન લેખક, સંશોધક, થિયોલોજિસ્ટ અને ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ છે. શાંતિ અને અહિંસા માટે કામ કરતા કર્મશીલ છે. અત્યારે 88 વર્ષની ઉંમરે પણ એમનાં શાંતિકાર્યો ચાલુ છે. એમનાં પુસ્તકોમાં સૌથી વધારે જાણીતું છે ‘જે.એફ.કે. એન્ડ ધ અનસ્પીકેબલ : વ્હાય હી ડાઈડ એન્ડ વ્હાય ઈટ મેટર્સ’
અહિંસાની તાલીમ લેતાં લેતાં ગાંધીજી મરવાની કલા શીખી રહ્યા હતા. સત્યાગ્રહની શોધ થઈ એ પહેલાથી.
ગાંધીજીએ હત્યા પછીનું વાતાવરણ, મદનલાલને ફાંસી, લંડનનો ખળભળાટ આ બધું જોયું. તેમણે કહ્યું, ‘મારા મતે ઢીંગરા પોતે નિર્દોષ છે. હત્યા એક પ્રકારના નશામાં થઈ છે. અર્થ વગરનાં લખાણોના અપચાનું આ પરિણામ છે. ઢીંગરાનો બચાવ પણ કોઈનો શીખવેલો, ગોખાવેલો લાગે છે.’ અગાઉના અનુભવ પછી વાયલીની હત્યામાં સાવરકરની ભૂમિકા કલ્પવી તેમને માટે અઘરી ન હતી.
1921માં સરકારે સાવરકરને આંદામાનથી રત્નાગિરિ જેલમાં મોકલ્યા. અહીં સાવરકરે હિન્દુત્વ પરનું તેમનું પ્રસિદ્ધ પુસ્તક લખ્યું. સાવરકર જેલમાં પણ ગાંધીજી અને તેમની લડતની ટીકા કરતા, ‘આ લડત સત્ય અને અહિંસાના વિકૃત નમૂના સમી છે. અસહકાર આંદોલન નિર્બળ છે અને એક દિવસ દેશને શક્તિવિહોણો બનાવશે. દેશને વાવાઝોડાની જરૂર છે જે બધું સાફ કરી નાખે. સત્યાગ્રહ એક રોગ છે, ભ્રમણા છે, સામૂહિક ગાંડપણ છે. ચરખાથી સ્વરાજ મેળવવાની વાત, ખિલાફતમાં મુસ્લિમોને ટેકો આપવાની વાત આ બધુ ધતિંગ છે.’
અહિંસાનું જ્યાં સામ્રાજ્ય જામે ત્યાં વૈરત્યાગ સ્વાભાવિક થઈ જાય છે એવા બ્રહ્મસૂત્રો પર બાપુ આશ્રમમાં પ્રવચનો કરતા નહિ; પણ મેં બાપુજીને આશ્રમની ગૌશાળામાં મરણપથારીએ પડેલા વાછડાની કલાકોના કલાક સુધી ભાવપૂર્વક સેવા કરતા જોયા છે. આશ્રમની સાયં પ્રાર્થના વખતે બાપુની પછેડી પર સર્પ ચડેલો હતો તે જરા પણ ગભરાયા વિના ખંખેરી નાખતા જોયેલ છે. આશ્રમમાંથી નાની મોટી ચોરી કરનાર એક ચોક્કસ કોમની વ્યક્તિઓને પકડીને બાપુ પાસે રજૂ કરવામાં આવતા તેમને સમજાવીને જમાડતા બાપુને મેં નજરોનજર જોયા છે.