રાક્ષસી અશોક,
તને એ યાદ તો છેને?
પટણાના એ ગોઝારા કૂવામાં
તારાં ત્રીસે-ત્રીસે ભાંડરુંને ભંડારીને જ
તું બેઠો’તોને સિંહાસને?
પછી તો તારી લોહીનીંગળતી ઇચ્છાઓને પાંખો ફૂટી!
પ્રદેશ પર પ્રદેશ પર પ્રદેશ ભરખવાની લ્હે લાગી’તીને?
તારા હણહણતા અશ્વમેધી અશ્વો પણ
તે દા’ડે કેમ થથરી ગયા’તા?
કલિંગ એ જમીનનો ટુકડો નહોતો, અશોક!
લાખોલાખોને વટાવતાં વટાવતાં તારા રથમાં
તું વિજેતા છતાં કેમ લાગતો’તો હારેલો?
એ વેળાએ જ હું તને સાંભર્યો?
પ્રદેશ પર પ્રદેશ પર પ્રદેશ જીતી શકાય છે કેવળ
કરુણાથી, નહીં કે લોહીનીંગળતી તલવારથી.
પછી તો તારાં દીકરા-દીકરી, ને સૈન્ય ફરી વળ્યાં
જૂનાગઢથી ચીન લગી, ચીનથી દિક્દિગંત!
યુગેયુગે આ વાત ગાંઠે બાંધી રાખજે
રાક્ષસી અશોક!
યાદ રાખજે, ભારતે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે !
પોખરણમાં અણુધડાકો કરીને
તારા પૂર્વજ કવિની જેમ ગાતો નહીં
બુદ્ધા ઇઝ સ્માઇલિંગ!
કલિંગની જેમ કાશ્મીરને વીંખીપાંખી નાખી
મને યાદ ન કરતો,
કરીશ તો મને થશે કે
ઓહ! હજુ આટઆટલી સદી પછી પણ
તું તો પેલ્લો જ
પટણાના ગોઝારા કૂવામાં, ત્રીસેત્રીસ ભાંડરુંને ભંડારી બેઠેલો
એ રાક્ષસી અશોક જ!
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 05
![]()


૧૧મી મે ૧૯૫૧ના દિવસે પ્રભાસ પાટણમાં સોમનાથના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે મંદિરમાં ભગવાન શિવજીની પ્રતિષ્ઠા કર્યા પછી તેમના ભાષણમાં કહ્યું હતું કે સોમનાથનું મંદિર બાંધવાનું કામ પૂરું થયું, હવે આપણે લોકોનાં સુખ અને સમૃદ્ધિનાં મંદિરો બાંધવાનાં છે. રાષ્ટ્રપતિએ પહેલાં તેમના ભાષણમાં સોમનાથનું મંદિર શા માટે બાંધવું જરૂરી હતું એ સમજાવ્યું હતું. ભગવાન સોમનાથનું મંદિર તોડવામાં આવ્યું ત્યારે ભારતીય પ્રજા પર વજ્રાઘાત થયો હતો. ત્યારથી લઈને આજ સુધી સોમનાથનું મંદિર પાછું બંધાય એ દરેક ભારતીયનું સ્વપ્ન હતું. “This faith and creative energy are more powerful than all arms, all the armies and all the emperors of this world.” એ પછી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સોમનાથની ઘટનામાં ઇતિહાસનો અમૂલ્ય પાઠ સમાયેલો છે અને તે ધાર્મિક અસહિષ્ણુતા અંગેનો છે. “Consequence but to produce bitterness and immorality among men. This is the lesson of history and I would like all my countrymen to grasp it firmly.” એ પછી તેમણે કહ્યું હતું કે સોમનાથ દ્વારા રાષ્ટ્રીય સન્માન સ્થાપિત કરી લીધા પછી હવે આપણે પ્રજાની સુખાકારીનાં મંદિરો બાંધવાનાં છે.
દેશના બહુમતી લોકોએ ‘કજિયાનું મોં કાળું’ ગણીને, કજિયાનું મૂળ ગયું એમ સમજીને ચુકાદાથી શાંતિ અનુભવી. પરંતુ દેશવાસીઓની ‘ન્યાય’ની રાહ ફળી? આ ચુકાદાથી એવું લાગે કે સર્વોચ્ચ ન્યાયાલયને ‘ન્યાય’ કરતાં ‘શાંતિ’ની ચિંતા વધુ હતી. ‘ન્યાય’ના સિદ્ધાંતો કરતાં વહેવારુપણા ઉપર ભાર હતો. એમાં ‘લવાદ’ની ભૂમિકાએ ‘વિવાદ’ના કાયમી શમન માટેની ગોઠવણને પ્રાધાન્ય હતું. આ ચૂકાદો રાજકીય લાગતો હતો અને એવા નિર્ણયનું એમાં પ્રતિબિંબ પડતું હતું જે રાજ્ય બહુ વર્ષો પહેલાં લઈ શક્યું હોત. આ ચુકાદાએ જાણે કે ‘પુરાવાના કાયદા’ ઉપર પ્રહાર કર્યો હતો. ઘણાંને માટે આ ચુકાદો, કેસ પૂરો થયો પરંતુ ‘ઘાવ’ ખુલ્લાનો હતો. વળી, આ ચુકાદાએ તથ્યો પર નહીં પણ ‘તથ્યોની સંભાવનાઓ’ પર આધાર રાખ્યો હતો. જો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો યોગ્ય દિશામાં નહોતો તો આ ચુકાદા વિશે પણ એવું જ કહી શકાય એમ છે. દેશના લોકશાહીપ્રેમી નાગરિકોએ તથા ન્યાય અને કાનૂન ક્ષેત્રના અગ્રણીઓએ પણ ચુકાદા અંગે અસંતોષની લાગણી જાહેર કરી છે.