એક કવિ ગુજરી ગયા
આમ તો એમની કવિતાથી
ઘણા ગુજરી ગયેલા
પણ લોકલાજે વિબિનાર ગોઠવ્યો
બહુ દિવસથી મને કોઈએ જોયો નો'તો
તો એ બહાને લોકોને 'જોવા'નું થાય
આમે ય શોકસભા કે લોકસભા
જોવા માટે જ તો હોય છે
મને તો હતું કે ઘણાં જોડાશે
પણ કલાક સુધી તો કોઈ દેખાયું નહીં!
પછી એક જણ ઉત્સાહથી બોલ્યો :
'બહુ ખોટું થયું.'
'હા,ખોટું તો થયું.’ મેં કહ્યું.
'મારે કવિ પાસેથી પાંચ લાખ લેવાના હતા.'
'પણ કવિ જ ઊઠી ગયા છે ત્યાં -'
'પાંચ લાખનું ઉઠમણું થયું, બીજું શું?''
'કવિ છે એ જાણવા છતાં પાંચ લાખ આપ્યા?'
'હવે તો કવિઓને ઘરનું ઘર પણ હોય છે.'
'આમનું ઘર તો કવિતામાં વેચાઈ ગયેલું.'
'હવે પાંચ લાખ લેવા ક્યાં જાઉં?'
'તે લેવા જ હોય તો તમારી શોકસભા કરવી પડે.'
'જવા દો. હું પાંચ લાખ જતા કરું છું.'
બીજો એક કવિ બોલ્યો :
'મરનાર મારા દૂરના મામા થાય.'
'આમ તો એમણે ઘણાને 'મામા' બનાવેલા.'
'દૂરના મામા હતા એટલે નજીક નો'તા.'
'નસીબદાર છો.'
'તમે તો એમને જાણતા હશો.'
‘હા. છાપામાં આવ્યું એટલું જાણું.'
'એમની કવિતાઓ બહુ સરસ હતી.'
'તમે વાંચેલી?'
'વાંચી હોત તો બેસણું અત્યારે મારું હોત.'
ત્રીજો સ્ક્રીન પર બોલ્યો :
'મારે કવિતા વાંચવી છે.'
'બીજું કોઈ કામ નથી?'
‘છે ને! પણ કવિને અંજલિ આપવા કવિતા -'
'કવિની કવિતા હોય તો વાંચો.'
'એમની નથી, મારી છે.'
'એટલે તમારી કવિતા ખપાવવા તમે -'
'તે તમે બધા શું કવિ માટે ભેગા થયા છો?'
‘ના રે! આ તો એમને નામે થોડું ચરી ખાઈએ,'
'બાકી આપણી તો ફૂટી કોડી ય આવે એમ -'
'પણ મને કવિતા સમજાતી નથી.'
‘મને ય ક્યાં સમજાય છે?'
'ન સમજાય તે કવિતા જ હોય!'
‘ના, કવિને ય ન સમજાય તે કવિતા!'
'તો, કવિતા વાંચવાનું રહેવા દોને!'
'કવિની શોકસભા ને કવિતા જ નહીં?'
'કવિ જ નથી, તો કવિતા હોય તો ય શું?'
ચોથી કવયિત્રી બોલી, 'રડવું આવે છે.'
હવે તો મગરને ય મગરનાં આંસુ નથી આવતા.'
‘નહીં, રડું, બસ! બાકી, કવિ મારા સગા થાય.'
‘તો, તો એમને વિશે થોડું કહો.'
'એ નાનેથી મોટા થયેલા.'
તે તમે મોટેથી નાના થયેલાં?'
'એમને કવિતાનું વ્યસન હતું.'
'એ છોડાવવા જેવું હતું.'
'તમને હું વ્યસન મુક્તિ કેન્દ્ર લાગું છું?'
‘હેલો, હેલો. અવાજ સંભળાતો નથી. હેલો -'
ટેકનિકલ ખામી સર્જાતાં વેબિનાર અવગતે …
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 29 જુલાઈ 2020
![]()


વાતની શરૂઆત વીસેક વર્ષ પહેલાં થઈ. ત્યારે આઇ.આઇ.ટી., બૉમ્બેમાં ભણતા સુંદર ઐયરને તેમના એક સહાધ્યાયીની જ્ઞાતિ વિશે ખબર પડી. મૅરિટ લિસ્ટમાં તેમનું નામ ન જોવા મળતાં, તેમને જાણ થઈ કે એ ભાઈ દલિત છે અને અનામત બેઠક પર તેમણે આઇ.આઇ.ટી.માં પ્રવેશ મેળવ્યો છે. ત્યાંથી ભણી લીધાનાં વર્ષો પછી, અમેરિકાની વિખ્યાત આઇ.ટી. કંપની ‘સિસ્કો’/CISCOમાં વળી પાછું તે બંનેને સાથે કામ કરવાનું થયું. ત્યારે સુંદર ઐયરે બીજા ભારતીય સાથી કર્મચારીઓ સમક્ષ પોતાના જૂના સહાધ્યાયી-હાલના સહકર્મીની જ્ઞાતિ જણાવવાનું શરૂ કર્યું. ભારતીય ગમે ત્યાં હોય, પણ મોટે ભાગે તો તે જ્ઞાતિવાદનાં પોટલાં સાથે ઊંચકીને જ ગયા હોય. આઇ.આઇ.ટી.માં ભણ્યા પછી ને ‘સિસ્કો’ જેવી કંપનીમાં જોડાયા પછી પણ એ લક્ષણ જાય? સુંદર ઐયરના આવા જ્ઞાતિવાદી પ્રચારને કારણે તેમના દલિત સહકર્મી સાથે કંપનીમાં ભેદભાવભર્યું વર્તન થવા લાગ્યું.
કોરોના મહામારીના સમયમાં શાળાકૉલેજો ખોલવી જોઈએ કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. અનેક ખાનગી શાળાઓ ઑનલાઇન શિક્ષણનાં નામે નિયમિત હોય તેના કરતાં પણ વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. તો બીજી બાજુ UGCની નવી ગાઇડલાઇન પણ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ આપે છે. જો કે જ્યારે પરીક્ષા લેવાનો આદેશ અપાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ 11 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો મૃત્યુનો આંકડો 26 હજાર કરતાં પણ વધુ છે. દેશમાં રોજ સરેરાશ 35 હજાર સંક્રમણના કેસ અને 500 મૃત્યુ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છે. ટ્રમ્પ સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જે શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેમની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. (એ જુદી વાત છે કે તેમનો પુત્ર જે શાળામાં ભણે છે ત્યાંના સંચાલકોએ જ શાળા શરૂ કરવાની ના પાડી દીધી છે.)