આડે દિવસે જે કાગડા છે
તે શ્રાદ્ધમાં પૂર્વજો બની જાય છે
આડે દિવસે છત પર આવે તો
તેને ઉડાડી મૂકાતા હતા
તેની શ્રાદ્ધમાં હવે રાહ જોવાય છે
આડે દિવસે કાગડા એટલે ઉડાડાતા
કારણ તે છત પર બેસે તો
કાગડા જેવા મહેમાનો આવતા
શ્રાદ્ધમાં તો કાગડા જ મહેમાન હોય છે
જે દાદાને વાટકી દૂધ નો'તું અપાતું
તેને છાપરે દૂધપાકનો વાસ મૂકાય છે
જે દાદીથી ભાખરી ચવાતી નો'તી
તેને વાસમાં લાડુ પીરસાય છે
જેને આપણે ભૂખે માર્યાં તે સગાં
છાપરે વહાલાં થઈ જાય છે
ખરેખર તો છત છાંટીને આપણે જ
લાડુદૂધપાક ઝાપટીએ છીએ!
શ્રાદ્ધ એટલે પેટ ભરીને કરાતું પ્રાયશ્ચિત …
૦
કાકાકૌવા
૦
કાકાકૌવામાં
કાકા છે ને કૌવા પણ છે
પણ તેનું આહ્વાન શ્રાદ્ધમાં નથી થતું તો
કાગડાને જ છાપરે કેમ તેડાય છે?
ચકલી, કાબર, પોપટ નહીં ને કાગડો?
બહુત નાઈન્સાફી હૈ
બધાં પંખીઓએ તો રીટ ફાઈલ કરી છે :
કાગડાને ગણો તો અમને પણ પૂર્વજ ગણો
અમને પણ પેટ છે
વળી અમે તો તમારાં 'પેટ' પણ છીએ
અમને પણ શ્રાદ્ધનો બેનિફિટ મળવો જોઈએ
જો કે કોર્ટનો હુકમ આવતાં પહેલાં
ઘણા જજ પૂર્વજ થઈ જાય એમ બને
બને કે કાબર, પોપટ પણ જન્મ બદલી કાઢે
ને એ જજ બનીને ચુકાદો આપે
પણ કૌવા ને પૌંવાનો પ્રાસ બેસે છે
એટલે છાપરું તો એ જ બગાડશે
તે એટલે પણ કે
કાગડાને પૂર્વજન્મનું જ્ઞાન હોય છે
એ જાણતો હોય છે કે ગયા જન્મમાં
એ આપણો દાદો હતો
પેલી સાસુ જેવી દેખાય છે તે
ખરેખર કાગડી જ છે
એટલે પૂર્વજ થવાની લાયકાત તો
તે જ ધરાવે છે
જો કે કોઈ કાગડાએ જાહેર નથી કર્યું
કે તેને પૂર્વજન્મનું જ્ઞાન છે
ને જેમને વધારે રસ હોય તે કૌવાવતાર
ધારણ કરી ને જાણે તો વાંધો નથી …
૦
અટપટું ચટપટું
૦
'હવે લગ્નની અંતિમવિધિમાં કેટલા જોડાશે?'
'ડોબા, લગ્ન અને અંતિમવિધિ એ બે જુદાં છે.'
'અગ્નિ બન્નેમાં પ્રગટે છે એટલે કહ્યું.'
૦
શિક્ષક: લુચ્ચા,જુઠ્ઠા બેઈમાન માટે એક શબ્દ ?'
વિદ્યાર્થી : ચીન.
૦
'અત્યારે સૌથી વધારે અશાંત કોણ વર્તાય છે?'
'પ્રશાંત અને સુશાંત.
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 09 સપ્ટેમ્બર 2020
![]()


મંગળવાર એટલે કે 1 સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0 લાગુ કરવામાં આવ્યું છે. તેનો અર્થ શું છે તેની ગણતરી કરવાનું હવે બંધ કરી દીધું છે અને કોઈ તેને સાચા અર્થમાં સમજી શકે તેમ નથી. ભારત સરકાર ખરેખર ઘણી વસ્તુઓ બંધ રાખી કોરોના ચેપને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહી હતી. જો સરકાર લોકોને એકબીજાથી દૂર રાખે અને સેવાઓથી વંચિત રાખે છે, તો કોરોનાનું સંક્રમણ ધીમું થાય. આના માટે કેટલાક નિયમો બન્યા, જે સમજાવા અઘરા છે. ઉદાહરણ તરીકે, વિમાની મુસાફરી મે મહિનાથી શરૂ થઈ છે પરંતુ લૉક ડાઉનની શરૂઆતથી જ રેલવે બંધ કરાઈ છે. દરરોજ લગભગ 17,000 જેટલી નિયમિત ટ્રેનની જગ્યાએ ફક્ત 230 વિશેષ ટ્રેનો દોડી રહી છે. વિમાનો સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલી શકે, પણ ટ્રેન દોડી ન શકે તેમાં તર્ક શું છે? કેમ કે, વિમાનમાં પણ મુસાફરો વચ્ચે દો ગજકી દૂરી હોતી નથી.
(૧) જી.ડી.પી. એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમિયાન જે જી.ડી.પી. હતી તેની તુલનાએ થયો છે.