હે મારા દેશના કહેવાતા
રાજકીય નેતાઓ!
દેશની દીકરીઓને
સળગાવીને એ જ
ભઠ્ઠી ઉપર રાંધવાનું
હવે તો રોકો!
‘દીકરી બચાવો’ના
ખોખલા
નારા લગાવવાનું
હવે તો રોકો!
શહીદ દીકરીઓનાં
નામ વટાવીને
મતપેટીઓ ભરવાનું
હવે તો રોકો!
ખાખી વરદી આપીને
બહાદુર જવાનોને
કઠપૂતળી બનાવવાનું
હવે તો રોકો!
દેશની સંસ્કૃતિનું
ગુંડાઓ થકી સરેઆમ
લિલામ કરાવવાનું
હવે તો રોકો!
રામ-રહીમ અને
કૃષ્ણની પાવન ભૂમિને
નર્કાગાર બનાવવાનું
હવે તો રોકો!
ઓક્ટોબર ૧, ૨૦૨૦
https://www.facebook.com/mukesh.parikh.90
![]()


પ્રાદેશિક ભાષાના માધ્યમવાળી કોઈ શાળા બંધ થાય એ હવે સમાચાર નથી રહ્યા. આમ છતાં, તાજેતરમાં આવા એક સમાચાર ધ્યાન ખેંચનારા બની રહ્યા. એ મુજબ, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી તમિલ માધ્યમ ધરાવતી એક માત્ર શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનાં ધોરણો ધરાવતી આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વરસોવરસ ઘટતી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં તે 84થી ઉત્તરોત્તર ઘટીને 31 વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત થઈ ગઈ હતી. તેને પરિણામે શાળાના સંચાલક મંડળે આ શાળા બંધ કરવાનો નિર્ણય લીધો. તમિલ માધ્યમવાળી અન્ય શાળા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં હતી. તમિલ માધ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મુખ્યત્વે વિસ્થાપિત મજૂરોનાં સંતાનો છે.
‘ભાયા, જરા જુઓ ને મારાં ચશ્માંની દાંડી ગુલ થઈ છે તે! ઓપરેશન થઈ શકે તો ઠીક, નહિ તો નવી જ ઠપકારી દિયો’, આગંતુક ગ્રાહકે ધીરગંભીર ચહેરે કહ્યું.