
નેહા શાહ
બાનુ મુશ્તાક અને એમની વાર્તાના અનુવાદક દીપા ભાસતીને ૨૦૨૫નું આંતરરાષ્ટ્રીય બુકર્સ પ્રાઈઝ મળ્યું. ભારત માટે આ ગૌરવની ઘડી છે. આ સાથે પહેલીવાર ટૂંકી વાર્તાના સંગ્રહને બુકર્સ ઇનામ મળ્યું અને પહેલીવાર ભારતની પ્રાંતીય ભાષામાં (કન્નડ) લખાયેલા સાહિત્યને આ સન્માન મળ્યું. ૭૭ વર્ષનાં બાનુ બુકર્સ જીતનારાં સૌથી વયસ્ક લેખિકા છે.
બાનુ જ્યારે આઠ વર્ષના હતાં ત્યારે તેમના પિતાજી તેમને મિશનરી સ્કૂલમાં દાખલ કરાવવા લઇ ગયા. ઘરમાં ઉર્દૂનો પ્રયોગ થતો હોઈ, તેઓ સરખું કન્નડ બોલી શકતાં ન હતાં. સ્કૂલ પ્રશાસને શરૂઆતમાં તો પ્રવેશ આપવાની ના પાડી, પણ ખૂબ આજીજી કર્યા પછી તેમને એ શરતે પ્રવેશ મળ્યો કે છ મહિનામાં એમણે કન્નડ લખતા અને વાંચતા શીખી જવું પડશે, નહીંતર તેમનો પ્રવેશ રદ્દ થશે. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે બાનુએ થોડા દિવસમાં જ કન્નડ વાંચતા લખતા શીખી લીધું. બાળપણમાં શિક્ષણનાં બીજ તેમના પિતાએ રોપ્યા અને તેમની લખવાની વૃત્તિને પ્રોત્સાહન આપ્યું. લગ્ન પછી પતિએ પૂરો સાથ નિભાવ્યો. અને આજે તેઓ એ મુકામ પર છે જ્યાં કન્નડ સાહિત્યના તેમના યોગદાન માટે વિશ્વ કક્ષાએ તેમની નોંધ લેવાઈ છે!

બાનુ મુશ્તાક
બાનુ મુશ્તાકના ઘડતરની શરૂઆત થઇ હતી ૧૯૭૦ અને ૧૦૮૦ના દાયકાથી જ્યારે કન્નડ સાહિત્યમાં ‘બન્દાયા’ એટલે કે વિરોધનું સાહિત્યની ચળવળ શરૂ થઇ. બાનુ એની સાથે જોડાયાં. આશરે બે દાયકા જેટલી ચાલેલી આ ચળવળ ખૂબ રસપ્રદ છે. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં કન્નડ સાહિત્ય પર ઉચ્ચ જ્ઞાતિ અને પુરુષોના વર્ચસ્વને પડકારી વૈકલ્પિક સાહિત્યની રચના શરૂ થઇ. સામાજિક પ્રશ્નો સાથે નિસ્બત ધરાવતા સાહિત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું. અન્યાયની સામે અવાજ ઉઠાવવા કવિતાનો એક સાધન બનાવ્યું. તેમનું મુખ્ય સૂત્ર હતું કે જો તમે લેખક છો તો તમે એક યોદ્ધા છો. આ ચળવળમાં સર્જાયેલું સાહિત્ય રાજ્ય અને સમાજના શક્તિશાળી વર્ગો પર સવાલ ઉઠાવતું રહ્યું અને જન-સામાન્યમાં લોકશાહીની આકાંક્ષા જગાવતું રહ્યું. ઘણાં મહિલા, દલિત તેમ જ લઘુમતી સમુદાયના લેખકો માટે આ થકી નવી દિશા ખૂલી. આ ચળવળ કર્ણાટકી સમાજમાં ઘણા સામાજિક સુધારા માટે નિમિત્ત બની હોવાનું કહેવાય છે.
બાનુ મુશ્તાકે આ જ સમય દરમ્યાન લખવાનું શરૂ કર્યું. બન્દાયા વર્તુળોમાં તેઓ ઘણાં સક્રિય હતાં, જ્યાં તેમની લેખન શૈલી ઘડાઈ. આ સાથે તેઓ રાજ્ય રૈથા સંઘ, દલિત સંઘર્ષ સમિતિ, પ્રગતિશીલ નાટ્ય પ્રવૃત્તિ અને ફેમીનીસ્ટ મુવમેન્ટ સાથે પણ સંકળાયેલા રહ્યાં અને ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે લિંગના આધારે વિભાજીત કરતા પરિબળોનો વિરોધ કરતાં રહ્યાં. પહેલા પત્રકાર અને પછી વકીલ તરીકેના વ્યવસાયને કારણે લોકોનાં પ્રશ્નો અને પીડા તેમણે પ્રત્યક્ષ જોયાં. બન્દાયાની સક્રિયતા અને વ્યાવસાયિક અનુભવોને કારણે પ્રશ્નોની સમજમાં ઉંડાણ ઉમેરાયું. તેમની વાર્તાઓના કેન્દ્રમાં વંચિત સમાજની બહેનોની રોજીંદા જીવનના સંઘર્ષ છે, જે કર્ણાટકના મુસ્લિમ પરિવારો, તેમની ધાર્મિકતા, પિતૃસત્તાક વ્યવસ્થા, એમાંથી જન્મતા લીન્ગ ભેદ અને હિંસાના વિષય પર વણાયેલી છે. સામાન્ય મહિલાઓની સામાન્ય જિંદગીને સંવેદના સાથે આલેખવી એ એમની વાર્તાઓની ખાસ વાત ગણાય છે. બુકર્સ પારિતોષ જીતનાર પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ અગિયાર ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. આ વાર્તાઓ ૧૯૯૦થી ૨૦૨૩ દરમ્યાન લખાઈ છે, જે એમના છ વાર્તા સંગ્રહમાંથી પસંદ કરાઈ છે. વિવેચકોનું કહેવું છે કે આ વાર્તા માત્ર ભારતના જ નહિ પણ દુનિયાના દરેક ખૂણામાં પ્રવર્તતી પિતૃસત્તાક સંદર્ભે પણ એટલી જ પ્રસ્તુત છે. બુકર્સ જજની પેનલે ટિપ્પણી પ્રમાણે બોલચાલની જીવંત ભાષામાં લખાયેલાં એમના લખાણમાં વ્યંગ, ભાવુકતા અને તીવ્રતાનું અનોખું સંયોજન છે.
બાનુ કહેતાં હોય છે કે વ્યંગનો પ્રયોગ એ વિચારપૂર્વક પસંદ કરેલી શૈલી છે કારણ કે એ રીતે પિતૃસત્તા, ધર્મ અને રાજકારણથી ઊભા થતાં સત્તાના ઢાંચાને પડકારી શકે છે, જો ગંભીર શબ્દોમાં આ જ વાત કરવી હોય તો એના પ્રત્યાઘાત માટે તૈયાર રહેવું પડે. વર્ષ ૨૦૦૦માં તેઓ ફતવાનો સામનો કરી ચુક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ માટે મસ્જીદમાં પ્રવેશ કરવાનો ઇસ્લામમાં નિષેધ નથી. આ પિતૃસત્તાક પ્રથા ગેરકાનૂની છે. તેમના આવા વિધાનથી ધર્મગુરુઓ નારાજ થયા અને તેમની પર સામાજિક પ્રતિબંધ મુકવામાં આવ્યા. એ કાળ એમને માટે કપરો હતો. પણ બાનુ અને અન્ય પ્રગતિશીલ લોકોએ ઉઠાવેલા પરિણામો આજે ઘણી મહિલાઓને મસ્જીદ પ્રવેશની મંજૂરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાર્તા પરિવર્તનનું સાધન બની શકે છે. વાર્તા થકી લોકોને તેમના અધિકાર અંગે જાણ થાય, એ પ્રત્યે સભાનતા ઊભી થાય, લોકો ચુપ્પી તોડીને બોલવાનું શરૂ કરે અને હક માટે સંઘર્ષનો રસ્તો અપનાવી શકે. આ ધીમું પરિવર્તન વાર્તા કે કોઈ પણ કળા દ્વારા આવી શકે છે.
એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે કહ્યું કે આ મારું વ્યક્તિગત સન્માન નથી, પણ એ બધા વંચિતોના અવાજનું સન્માન છે જે મારી વાર્તા થકી બોલે છે. એમણે એવોર્ડ પોતાના મુલ્ક – ભારતને તેમ જ દેશમાં શાંતિ અને અમન સ્થપાય એ ઉદ્દેશ્યને સમર્પિત કર્યો છે. ધરાતલના લોકોના સંઘર્ષની પ્રગતિશીલ કલમે લખાયેલું સાહિત્ય બુકર્સ સુધી પહોંચ્યું એ વાત એ ઘણી મોટી વાત છે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


‘લેટિન અમેરિકન સ્ત્રીઓની પ્રેમ વ્યક્ત કરવાની એક ખાસ રીત છે.’ આ વાક્ય ટાગોરે જેને માટે કહ્યું હતું એ હતી વિક્ટોરિયા ઓકામ્પો. તેણે ટાગોરને એક આરામખુરશી ભેટ આપેલી. 1924માં ટાગોર વિક્ટોરિયા ઓકામ્પોના અતિથિ હતા ત્યારે આ આરામખુરશી પર બેસતા. આ ખુરશી ટાગોર બ્યુએનોસ એરિસથી ભારત લઈ જાય એવી વિક્ટોરિયાની ઈચ્છા હતી. પણ ખુરશી એટલી મોટી હતી કે ટાગોરની સ્ટીમર-કૅબિનમાં ગઈ નહીં. વિક્ટોરિયાએ કૅપ્ટનને બોલાવી કૅબિનનો દરવાજો તોડી મોટો બનાવવાનું ફરમાન કર્યું. એટલું જ નહીં, પોતાની વગનો ઉપયોગ કરી ટાગોર માટે બે બેડરૂમવાળી ખાસ કૅબિનની વ્યવસ્થા કરી. આ બધું જોઈ ટાગોરે ઉપરનું વાક્ય કહ્યું હતું.
ટાગોરની ઉંમર ત્યારે 63 વર્ષની. 34 વર્ષની વિકટોરિયાના સંપર્કથી તેમનામાં નવી ઊર્જાનો સંચાર થયો. તેમની સર્જકતા પ્રજ્વલિત થઈ ઊઠી. વિક્ટોરિયા ઓકામ્પો લેખિકા હતી, પિતૃસત્તાક આર્જેન્ટિનાની એકેડમી ઑફ લેટર્સની તે પ્રથમ સ્ત્રીસભ્ય હતી, એક સાહિત્યસામયિક ચલાવતી, દુનિયાભરમાં ફરતી અને યુરોપના – ખાસ કરીને ફ્રાંસના કલાવિશ્વમાં પંકાતી. ‘ગીતાંજલિ’ વાંચીને તેને સળગતા હૃદય પર ઝાકળબિંદુઓનો છંટકાવ થયો હોય તેવી રાહત થઈ હતી. ટાગોરની રચનાઓને તે ‘મેજિકલ મિસ્ટિસિઝમ’ કહેતી. તે બાળપણથી જે ઈશ્વરને ઓળખતી હતી તે કઠોર માગણીઓ કરતો ને બદલો લેતો જાલિમ હતો. ટાગોરે વર્ણવેલું ઈશ્વરનું સૌમ્ય, પ્રેમપૂર્ણ, આનંદ અને પવિત્રતાનાં કિરણો પ્રસારતું કલ્યાણકારી રૂપ તેને ગમી ગયું. ટાગોરની બૌદ્ધિક અને આધ્યાત્મિક ઊચ્ચતાથી તે અભિભૂત હતી અને તેમની પાસે નાના બાળકની જેમ શરમાતી, ભાગ્યે જ બોલતી અને ચાતકની જેમ તેમની વાતો સાંભળ્યા કરતી. પછીથી તેણે ટાગોરના સેન અસીડ્રા નિવાસ પર એક લેખ અને એક પુસ્તક લખ્યાં હતાં. વિક્ટોરિયા ટાગોરના પૂરબી કાવ્યોની પ્રેરણા હતી, તેમાં તેમણે તેને ‘વિજયા’ કહી છે અને આ કાવ્યો તેને અર્પણ કર્યાં છે.
ટાગોરમાં રહેલા ચિત્રકારને બહાર લાવનાર પણ વિક્ટોરિયા જ હતી. બ્યુએનોસ એરિસમાં ટાગોરના રેખાંકનો જોઈને તેણે ટાગોરને ગંભીરતાપૂર્વક ચિત્રો કરવા પ્રેર્યા. મે 1930માં તેણે ટાગોરનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન પેરિસમાં પોતાના ખર્ચે દબદબાપૂર્વક યોજ્યું હતું. આ તેમની બીજી અને છેલ્લી મુલાકાત હતી. ત્યાર પછી બન્ને કદી મળ્યાં નહીં, પણ ટાગોરના મૃત્યુ સુધી બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો,
સોક્રેટિસ : મને કહો, ચીનમાં, જ્યારે ત્યાંના નેતાઓ કોઈ નવી તકનીકી શોધ કરવાનું નક્કી કરે છે ત્યારે તેઓ શું કરે છે?
સોક્રેટિસ : આહ! તો તમે માનો છો કે ફક્ત ચૂંટણીઓ સુધી જ જવાબદારી સુનિશ્ચિત કરવા માટે રાહ જોવાની જરૂર નથી. પણ મને કહો, શું આ બીજી પદ્ધતિઓ – કાયદા, અદાલતો, પ્રેસ- યોગ્ય રીતે કાર્ય કરે છે? શું તેવી સંસ્થાઓ સત્તામાં રહેલા લોકોને ખરેખર તેમનાં કાર્યો માટે જવાબદાર ઠેરવે છે?