Opinion Magazine
Number of visits: 9725713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભરઉનાળે મતદારો તરસ્યા રહેશે

સાગર રબારી|Samantar Gujarat - Samantar|2 March 2018

સરદાર સરોવર પ્રોજેક્ટના પાણીના લેવલની પરિસ્થિતિ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની વેબસાઈટ http://nca.gov.in/પર તપાસતાં ચોંકાવનારી વિગતો ઊપસી આવે છે. (૧) ડેમ પૂરેપૂરો ભરવાની ક્ષમતા અથવા ભયજનક સપાટી કહીએ તો ૧૩૮.૬૮ મીટર છે. (ર) પાણીની સપાટી ચોમાસા દરમ્યાન આ પ્રમાણે હતી.

આંકડા જોતાં સાફ દેખાય છે કે, ૧ ડિસેમ્બર ર૦૧૭ના રોજ ડેમમાં ૧૯૪૬ મીલિયન ક્યુબિક મીટર પાણી હતું અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. બહુ સારી રીતે જાણે છે કે એને ઉનાળા દરમ્યાન, બીજા ચોમાસા સુધી ગુજરાતના લોકો માટે પીવાનું કેટલું પાણી જોઈશે. છતાં, ડિસેમ્બરના એક જ મહિનામાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ૯૬૭ મીલિયન ક્યુબિક મીટર પાણી વાપરી નાખ્યું, જેથી ડિસેમ્બરના અંતે સરદાર સરોવર નર્મદા નિગમ લિ. પાસે માત્ર ૯૭૯ મીલિયન ક્યુબિક મીટરનો લાઈવ સ્ટોરેજ બચ્યો હતો. જ્યારે મુખ્ય મંત્રીશ્રીએ, ચૂંટણી વીત્યા પછી પાણીની અછતની જાહેરાત કરી ત્યારે, ૧ર જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ હતું ૬૩૮ મીલિયન ક્યુબિક મીટર. છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર તા. રપ-૧-૨૦૧૮ના રોજ ડેમની સપાટી બચી છે ૧૧૩.૬૯ ફૂટ અને પાણીનો લાઈવ સ્ટોરેજ છે માત્ર ૩ર૮ મીલિયન ક્યુબિક મીટર. જો ચોમાસા દરમ્યાન ડેમમાં પાણીની આવક જોઈએ તો, વેબસાઈટ પરના આંકડાઓ અનુસાર, પહેલી જુલાઈ ર૦૧૭ના રોજ ડેમમાં ૧૧૪.૯૭ મીટર પાણીની સપાટી હતી. ચોમાસાની શરૂઆતમાં, ૩૧ જુલાઈના રોજ ડેમની સપાટી વધીને ૧ર૦.૬૯ મીટર થઈ, સપાટીમાં પ.૭ર મીટરનો વધારો થયો. ૩૧ ઓગસ્ટના રોજ ડેમની સપાટી વધીને ૧ર૪.૪૩ મીટર થઈ, ૩.૭૪ મીટરનો વધારો થયો. પહેલી ઑક્ટોબર, ર૦૧૭ના રોજ, ડેમમાં સપ્ટેમ્બર મહિનાના વરસાદનું પાણી ઉમેરાતાં સપાટી વધીને ૧૩૦.પ૯ મીટર થઈ. એ પછી પાણીની સપાટી ઘટવાની શરૂઆત થઈ. ૩૧ ઑક્ટોબરના રોજ ડેમની સપાટી હતી ૧ર૮.૬૯ મીટર. મહિના દરમ્યાન ૧.૯ મીટર ઓછી થઈ છતાં, અગાઉ કરતાં ૪.ર૬ મીટર વધારે હતી. તા. ૩૧ નવેમ્બર ર૦૧૭ના રોજ પાણીની સપાટી ઝડપથી ઘટીને ૧ર૪.રર મીટર થઈ, સીધો ૪.૪૭ મીટરનો ઘટાડો.

તા. ૩૧ ડિસેમ્બરના રોજ પાણીની સપાટી ઘટીને ૧૧૮.૩૩ મીટર થઈ, સીધો પ.૮૯ મીટરનો ઘટાડો થયો અને ૧ર ડિસેમ્બર, જ્યારે ચૂંટણીના છેલ્લા ચરણના મતદાનનો પ્રચાર બંધ થયો ત્યારે ડેમની સપાટી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ. બહુ સાદી ગણતરી દર્શાવે છે કે, ચૂંટણી દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ સત્તાધારી પક્ષની તરફેણમાં બહુ જ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે, સત્તાધારી પક્ષને રાજી રાખવા માટે ગુજરાત માટે અતિમૂલ્યવાન એવું પાણી વેડફ્યું. ચૂંટણીના અઢી મહિના દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ખૂબ  ઉદારતાપૂર્વક, બિનજરૂરી હોવા છતાં, ઉદ્‌ઘાટનો માટે ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રાખ્યું. એને કારણે આશ્ચર્યજનક રીતે, ડેમમાં પાણીની સપાટી ૧૩૦.પ૯ મીટરથી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ, સત્તાધારી પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ મળીને ૧૪.૬૪ મીટર પાણી ગુજરાતના લોકો પાસેથી બિનજરૂરી રીતે ઝૂંટવી લીધું.

આમાં મહત્ત્વની વાત એ છે કે, સપ્ટેમ્બર-ઑક્ટોબર ચોમાસાના અધિકૃત મહિના છે. ડેમના  પાણીનો  સૌથી  વધુ  હક  અને  વપરાશ  જેનો  છે  એ  ખેતીમાં  આ  મહિનાઓ  દરમ્યાન પાણીની જરૂર પડતી નથી. એટલા માટે જ અમે વારંવાર પૂછીએ છીએ કે નર્મદાનું પાણી ક્યાં ગાયબ થઈ ગયું? સરકાર કે સરદાર સરોવર નર્મદા નિગમ આટલો સાદો હિસાબ કરીને લોકોને જવાબ આપવા તૈયાર નથી!

સત્તાપક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. સ્વેચ્છાએ લોકોની માગણી સ્વીકારીને એમણે ગેરઉપયોગ કરેલા પાણીનો વિગતવાર હિસાબ આપવા ભલે તૈયાર ના હોય, પરંતુ ખેડૂતો એમના ભાગના, મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમે દુરુપયોગ કરેલા ટીપે ટીપાં પાણીનો હિસાબ આપવા ફરજ પાડવા મક્કમ છે.

E-mail : sagar45rabari@gmail.com

સૌજન્ય : નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 15 

Loading

2 March 2018 admin
← ધાડ : મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર
વેરાન ભૂમિ પર સંગીતનો જાદુ →

Search by

Opinion

  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved