Opinion Magazine
Number of visits: 9449114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધ પડીકે યુનિફૉર્મ સિવિલ કોડની ચર્ચા છેડવાનો શો અર્થ

રમેશ ઓઝા|Opinion - Opinion|13 July 2023

રમેશ ઓઝા

સમાજના પ્રશ્નો મોટાભાગે સંકુલ હોય છે અને ભારત જેવા દેશમાં એ વધારે સંકુલ હોય છે. માટે જેવું નજરે પડે છે અથવા નજરે પાડવામાં આવે છે એ બધું એના એ જ સ્વરૂપમાં સાચું હોય એ જરૂરી નથી. નાગરિક તરીકે કોઈ પણ બાબતને સમજવાની આપણી પણ ફરજ છે.

૨૦૧૪ની સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કોમી ધ્રુવીકરણ કરવા શાસક પક્ષે એક સમાન નાગરિક ધારાનો પ્રશ્ન છેડ્યો છે અને તેમની અપેક્ષા મુજબ સમજ્યા-કર્યા વિના અનેક લોકો ધાર્મિક અંચળો ઓઢીને એમાં કૂદી પડ્યા છે. હજુ હમણાં જ ૨૦૧૮ની સાલમાં ૨૧માં કાયદાપંચે યુનિફોર્મ સિવિલ કોડ વિષે કહ્યું હતું કે જે તે સમાજવિશેષના કૌટુંબિક કાયદાઓનો અભ્યાસ કરવામાં આવે અને તેમાં સ્ત્રીઓને કે બીજા કોઈને અન્યાય થતો હોય એવી જોગવાઈ દૂર કરવામાં આવે તો એ પછી યુનિફોર્મ સિવિલ કોડની જરૂર જ શું છે? હેતુ જેને અન્યાય થતો હોય તેને ન્યાય અપાવવાનો છે કે પછી એકસરખાપણાનો? ઊલટું લગ્ન, વિવાહ અને બીજા સામાજિક રીતિરિવાજોમાં જોવા મળતું વૈવિધ્ય ભારતની શોભામાં વધારો કરે છે. વૈવિધ્ય નિર્દોષ હોય એટલું પૂરતું છે. યાદ રહે, ૨૧માં કાયદાપંચની રચના ૨૦૧૫માં નરેન્દ્ર મોદીની સરકારે કરી હતી.

બાવીસમા કાયદાપંચે લોકોના અભિપ્રાય મંગાવ્યા છે અને અત્યાર સુધીમાં ૪૫ લાખ અભિપ્રાય મળી ચુક્યા છે. સમજદાર લોકોની, ખાસ કરીને મુસ્લિમ તેમ જ અન્ય કોમની મહિલાઓની દલીલ એવી છે કે પહેલાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો બનાવો અને લોકોની ચકાસણી તેમ જ અભિપ્રાય માટે ઉપલબ્ધ કરી આપો. ઉદ્દેશ સ્ત્રીઓને ન્યાય અપવવાનો છે તો એમાં કોને કેટલો ન્યાય મળવાનો છે એની ચકાસણી સ્ત્રીઓને જ કરવા દો. એ કેટલો યુનિફોર્મ છે કે પછી કેટલો બહુમતી કોમ તરફી પક્ષપાતી છે એની પણ ચકાસણી કરવામાં આવે. બંધ પડીકે યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા છેડવાનો શો અર્થ!

સમજદાર મહિલાઓની આ માગણી અનુચિત છે? પણ અહીં હિન્દુત્વવાદીઓ અને તેમના સમર્થકો ચૂપ રહેશે. તેઓ એક બીજા મુદ્દે પણ ચૂપ છે અને કોઈ પ્રકારની ચર્ચા કરતા નથી. એ મુદ્દો છે તરુણ યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ બાંધવાની સંમતિ વય જેને અંગ્રેજીમાં એજ ઓફ કન્સેન્ટ કહેવામાં આવે છે. ભારતમાં ૧૮ વરસની નીચેના યુવક-યુવતી સંમતિ સાથે પણ શારીરિક સંબંધ બાંધે તો એ ૨૦૧૨ના પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીઝ એક્ટ ૨૦૧૨ હેઠળ સજાપાત્ર ગુનો બને છે. અને ગુનો શેનો? બળાત્કારનો. નિર્ભયા આંદોલન પછી લોકોને રાજી કરવા આવો કાયદો ઘડવામાં આવ્યો હતો જેની સામે માત્ર એક દાયકામાં પ્રશ્નો પેદા થયા છે. બાવીસમાં કાયદાપંચે ગયા જાન્યુઆરી મહિનામાં કેન્દ્રના બાળવિકાસ મંત્રાલયને આ બાબતે અભિપ્રાય આપવાનું કહ્યું હતું. કાયદાપંચે કહ્યું છે કે કર્ણાટક અને મધ્ય પ્રદેશની વડી અદાલતોની રેફરન્સ અરજી (કાયદાકીય અભિપ્રાય) અમારી પાસે પડી છે અને અમારે તેનો નિકાલ કરવાનો છે. હજુ સુધી તો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

પ્રસ્તાવ એવો છે કે યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ માટેની સંમતિ વય ૧૮થી ઘટાડીને ૧૬ની કરવી જોઈએ. ૧૬ વરસની વયે શારીરિક સંબંધ બાંધવા યુવક અને યુવતી શારીરિક અને માનિસક એમ બન્ને રીતે સક્ષમ હોય છે. આરોગ્યની કોઈ હાનિ થવાની નથી. બીજું ભારતમાં પણ હવે પશ્ચિમના દેશોની જેમ છોકરા છોકરી લગ્નપૂર્વે સેક્સ કરે છે અને તેનાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ટરનેટના આવ્યા પછી જગતનો કોઈ કાયદો કે સામાજિક બંધનો લગ્નપૂર્વે કરાવામાં આવતા સેક્સને રોકી શકે તેમ નથી. OTT જેવાં પ્લેટફોર્મ પર ફિલ્મો અને સિરિયલો જોનારા તરુણો જાણે છે કે તેઓ શું જુએ છે. ટૂંકમાં અવ્યવહારુ આગ્રહો ધરાવવાનો કોઈ અર્થ નથી. એને બળાત્કાર જેવો ગંભીર આરોપ કરીને સજા કરવી એ હાસ્યાસ્પદ સ્વરૂપનો અન્યાય છે. એટલે તો દેશના મુખ્ય ન્યામૂર્તિ ધનંજય ચ્ન્દ્રચૂડે પણ કેન્દ્ર સરકારને કહ્યું છે કે દાયકા જૂના કાયદા વિષે પુનર્વિચાર કરવામાં આવે.

બીજું સેક્સ માટેની સંમતિ વય અને લગ્નવય એ બે જુદી વસ્તુ છે. સંમતિ વય અને લગ્ન વય એક જ હોવી જોઈએ એવો આગ્રહ નિરર્થક છે. સેક્સ માટે પુખ્ત યુવા યુવતી સંસાર ચલાવવા માટે પુખ્ત હોય એ જરૂરી નથી. મોટાભાગે નથી હોતાં. તો ઉત્તમ એ છે કે આવા આગ્રહો છોડીને વ્યવહારુ માર્ગ અપનાવવામાં આવે અને યુવા યુવતીની આઝાદીનો સ્વીકાર કરવામાં આવે.

પણ આ વિષે કોઈ કશું બોલતું નથી અને યુનિફોર્મ સિવિલ કોડ વિષે ગોકીરો કરે છે.  ચૂંટણીનો ખેલ છે. ન્યાય, કાયદાકીય વ્યવહારુતા અને તેની પ્રાસંગિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

અહીં બીજા છેડાનો ઇતિહાસ નોંધવો રસપ્રદ રહેશે. આજથી ૧૪૦ વરસ પૂર્વે ૧૮૮૧ની સાલમાં બહેરામજી મલબારીએ સંમતિ વયનો ખરડો લાવ્યા હતા જેમાં માગણી કરી હતી કે સંમતિ વય ૧૨ વરસની કરવી જોઈએ. કમ સે કમ કન્યા રજસ્વલા હોવી જોઈએ. ૧૮ની જગ્યાએ ૧૬ની બાબતે ચૂપ રહેનારાઓના વૈચારિક પૂર્વજોએ ૧૨ વરસની સંમતિ વયનો વિરોધ કર્યો હતો.

માટે પ્રારંભમાં કહ્યું એમ સામાજિક પ્રશ્નો જટિલ હોય છે અને ભારતમાં તો જટિલતમ હોય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2023

Loading

13 July 2023 Vipool Kalyani
← થોડું હૃદ્ગત, પોસ્ટ-ટ્રુથ બલિહારી વચ્ચે
સિંગિંગ ઇન ધ રેઈન: મંઝિલનો વરસાદ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved