આવ્યો, આવ્યો કોરોનાનો કાળ જો,
માડી લેજે તું જ હવે સંભાળ જો …
મરવાની લોકોને પડતી ફાળ જો,
અંબે માડી કર તું એનો કાળ જો …
ઘરમાં કેદી થૈને બેઠાં બાળ જો,
એની તો છે તું જ હવે રખવાળ જો …
કોરોના આવ્યો એવો વિકરાળ જો,
તું છે તો ના થાશે વાંકો વાળ જો …
ગરીબને ભડભડ બાળી ગઈ ઝાળ જો,
માડી લોક થયાં છે સૌ કંગાળ જો …
સુખની મળતી ક્યાં ય નથી કૈં ભાળ જો,
કાપે માડી દુઃખની સૌ જંજાળ જો …
કોરોનાએ તોડી સઘળી પાળ જો,
આપજે માડી તું આશિષ હેતાળ જો …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


પહેલાં એ જણાવું કે વિવેચન ‘પ્રત્યક્ષ’ અને ‘સિદ્ધાન્ત’ એવી બે પાંખો ધરાવે છે. વિવેચનનો દેહ એવો દ્વિદળ છે. બક્ષીની ‘આકાર’ નવલ વિશેનો વિવેચનલેખ પ્રત્યક્ષ વિવેચન કહેવાય – ઍપ્લાઈડ ક્રિટિસિઝમ. પરન્તુ ‘નવલકથામાં પાત્રાલેખન’ કે ‘ટૂંકીવાર્તામાં અન્ત’ કે ‘કાવ્યનાં પ્રયોજન’ કે ‘કલ્પન અને પ્રતીક’ કે ‘નાટકમાં કાર્યવેગ’ કે ‘નાટકમાં સ્થળ-કાળની એકતા’ વગેરે લેખો સિદ્ધાન્ત વિવેચન કહેવાય – થિયરેટિકલ ક્રિટિસિઝમ.