Opinion Magazine
Number of visits: 9634679
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમિત શાહનો ઠપકો : બિહારમાં કદાચ અનુકૂળતા નજરે નથી પડતી

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|21 October 2015

વડા પ્રધાનને એમ હતું કે સબ કા સાથ સબ કા વિકાસમાં બધું આવી જાય છે. હવે તેમને બ્રહ્મજ્ઞાન થયું છે કે આટલું પૂરતું નથી. હવે સ્થિતિ એવી બની છે કે સબ કા સાથ તમારો પણ વિકાસ એમ કહેવાથી પણ કામ ચાલે એમ નથી. હવે તો એમ કહેવું પડી રહ્યું છે કે તમને નુકસાન પહોંચાડવામાં નહીં આવે. આવી અમે અને તમેની સ્થિતિ કોણે પેદા કરી?

રાષ્ટ્રપતિનો ઠપકો હોય, સાહિત્યકારોનો અસહિષ્ણુતા સામેનો વિરોધ હોય કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણી હોય, BJPએ હવે આબરૂ બચાવવાની એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે. BJPના પ્રમુખ બિહારનો ચૂંટણીમોરચો છોડીને ખાસ દિલ્હી આવ્યા હતા અને પક્ષના તોફાની નેતાઓને ઠપકો આપ્યો હતો. મહેશ શર્મા, સાક્ષી મહારાજ, સંગીત સોમ અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર ખટ્ટર વગેરેને બોલાવ્યા હતા અને તેમને સંયમ જાળવવાની સલાહ આપી હતી. આ સલાહ જો વહેલી આપવામાં આવી હોત તો આટલી હદે આબરૂ ન ખરડાઈ હોત. ‘બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી’, એવી હાલત છે. સવર્‍શક્તિમાન વડા પ્રધાને પહેલેથી જ આકરી ચેતવણી આપી હોત તો આવી સ્થિતિ પેદા ન થઈ હોત.

અમિત શાહે બીજો ખુલાસો એવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના દાદરીમાં અખલકની સામૂહિક હત્યા કરવામાં આવી એ માટે ઉત્તર પ્રદેશની સરકાર જવાબદાર છે અને બેલગામમાં કન્નડ સાહિત્યકાર એમ. એમ. ક્લ્બુર્ગીની હત્યા માટે કર્ણાટકની રાજ્ય સરકાર જવાબદાર છે. તો પછી ગોવિંદ પાનસરેની હત્યા માટે, મહારાષ્ટ્રમાં ગુલામ અલીના શો નહીં થવા દેવા માટે અને સુધીન્દ્ર કુલકર્ણીના મોઢે મેશ લગાડવામાં આવી એ ઘટના માટે મહારાષ્ટ્ર સરકાર જવાબદાર છે કે નહીં એ વિશે તેમણે સગવડ મુજબ ખુલાસો કર્યો નહોતો.

વાત તો સાચી છે. રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારોની છે અને રાજ્ય સરકારોને એ જવાબદારી સંભાળવાની રાજ્યો પર ફરજ પાડવી જોઈએ. અહીં એક વાત કહેવી જોઈએ કે જો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યોની છે તો રાજ્યોને એવી તક આપવાની જવાબદારી કેન્દ્રની ખરી કે નહીં? શા માટે દિલ્હીની ચૂંટાયેલી સરકારને દિલ્હી રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવાની તક આપવામાં આવતી નથી? રવિવારે નાણાપ્રધાન અરુણ જેટલીએ પોતાની ફેસબુકની વૉલ પર લખ્યું હતું કે ચૂંટાયેલા શાસકોની અવગણના કરનારા નિયુક્ત શાસકોની દાદાગીરી કેમ સાંખી લેવાય? દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોકો જોઈને ટોણો માર્યો છે કે તો પછી કેન્દ્ર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ ચૂંટાયેલી સરકારને કામ કરવા કેમ નથી દેતી? શું એ ટીરની ઑફ ધ અનઇલેક્ટેડ નથી?

જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચડ્ડી-બનિયાનધારીઓ ગૌમાતા અને હિન્દુ રાષ્ટ્રનાં ત્રિશૂળ લઈને વચમાં કૂદી ન પડ્યા હોત તો દાદરીની ઘટના માટે ઉત્તર પ્રદેશની સરકારને જ જવાબદાર ઠરાવવામાં આવી હોત. અખિલેશ યાદવ માટે આજે મોઢું છુપાવવાનો વખત આવ્યો હોત એની જગ્યાએ અખિલેશ સંઘપરિવાર સામે આંગળી ચીંધી રહ્યા છે અને પોતાની સરકારને અને ઉત્તર પ્રદેશ રાજ્યને હિન્દુ કાવતરાના શિકાર તરીકે ખપાવી રહ્યા છે. આ તક સંઘપરિવારે આપી છે. એક અઠવાડિયા સુધી હિન્દુત્વવાદીઓએ દેકારો મચાવ્યો હતો અને વડા પ્રધાન, નાણાપ્રધાન, ગૃહપ્રધાન અને પક્ષપ્રમુખ ચૂપ હતા. વડા પ્રધાન પાસે નવજોત સિંહ સિદ્ધુના ખબર પૂછવા માટે સમય છે, અખલક માટે સમય નથી.

હવે ડૅમેજ કન્ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે અને પક્ષપ્રમુખ અમિત શાહ ખાસ બિહારથી દિલ્હી આવ્યા એનું કારણ લાજ નથી, પરંતુ બિહારમાં નજરે પડી રહેલું નુકસાન છે. ચૂંટણીના પહેલા બે રાઉન્ડમાં જે મતદાન થયું એમાં NDA માટેનો મતદાતાઓનો ઉત્સાહ જોવા મળ્યો નહોતો એવા અહેવાલ છે. સરેરાશ પંચાવન ટકાના થયેલા મતદાનમાં મહિલાઓએ અને મુસ્લિમોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો એ BJP માટે ચિંતા ઉપજાવનારી વાત છે. મહિલાઓ નીતીશ કુમાર માટે સહાનુભૂતિ ધરાવે છે એમ તમામ સર્વેમાં કહેવામાં આવી રહ્યું છે અને દાદરી પછી મુસ્લિમો પોતાનો મત વેડફાય નહીં એની ચોંપ રાખી રહ્યા છે. એટલું જ નહીં, મોટા પ્રમાણમાં મતદાન કરી રહ્યા છે. વડા પ્રધાને પહેલાં તો પોતાનો ઘમંડ જાળવી રાખીને દાદરીની ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના હિન્દુ અને મુસ્લિમોએ સંપીને વિકાસ વિશે વિચારવું જોઈએ એવી સલાહ આપી હતી.

વડા પ્રધાનને એમ હતું કે સબ કા સાથ સબ કા વિકાસમાં બધું આવી જાય છે. હવે તેમને બ્રહ્મજ્ઞાન થયું છે કે આટલું પૂરતું નથી. હવે સ્થિતિ એવી બની છે કે સબ કા સાથ તમારો પણ વિકાસ એમ કહેવાથી પણ કામ ચાલે એમ નથી. હવે તો એમ કહેવું પડી રહ્યું છે કે તમને નુકસાન પહોંચાડવામાં નહીં આવે. આવી અમે અને તમેની સ્થિતિ કોણે પેદા કરી? મુસ્લિમોએ? સેક્યુલરિસ્ટોએ? આવી સ્થિતિ સંઘપરિવારે પેદા કરી છે અને એ એનો એજન્ડા પણ છે. સરવાળે અભિમાની વડા પ્રધાને ઘમંડ છોડીને દાદરી ઘટનાનો નામોલ્લેખ કરીને ઘટનાની નિંદા કરવી પડી છે.

સાહિત્યકારોનો આવો અણધાર્યો વિરોધ આવી પડશે એની કોઈએ કલ્પના નહોતી કરી. ત્રીસ જેટલા સાહિત્યકારોએ પોતાના ઇલકાબ પાછા આપ્યા છે. એક વાત તો નક્કી છે કે પોતાના પ્રદેશના રાજકારણી કરતાં પોતાની ભાષાનો સાહિત્યકાર સમાજમનમાં વધુ આદર ધરાવે છે. આટલું ઓછું હોય એમ રાષ્ટ્રપતિએ પખવાડિયામાં બીજી વાર વધતી અસહિષ્ણુતાની નિંદા કરી છે. વડા પ્રધાને કહ્યું હતું કે આપણે પ્રગલ્ભ રાષ્ટ્રપતિની સલાહ કાને ધરવાની છે. જો સલાહ કાને ધરવામાં આવી હોત તો રાષ્ટ્રપતિએ બીજી વાર શાસક સંઘપરિવારની નિંદા ન કરવી પડી હોત.

પાકિસ્તાનમાં કોઈને ઠેકાણે પાડવો હોય તો હુદુદના ગંભીર ગુનાનો આશરો લેવામાં આવે છે. ફલાણાએ કુરાનનું કે અલ્લાહનું કે પયગંબરનું અપમાન કર્યું હતું એવો આરોપ મૂકી દો પછી તમે તેની સાથે ગમે એવો વહેવાર કરી શકો છો.

ભારતમાં કુરાનની જગ્યા ગાય લઈ રહી છે અને હુદુદનો કાયદો વગર ઘડાયે અમલમાં છે. આખરે તેઓ લોકસભામાં બહુમતી ધરાવે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/bihar-bjp-election-results-are-not-clear-bihar-electon-results-are-not-clear-for-bjp

Loading

21 October 2015 admin
← ઇતિહાસનું પુનરાવર્તન : અરુણ જેટલી હવે મોહન કુમારમંગલમની ભાષા બોલી રહ્યા છે
Three Murders and a Lynching →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—326
  • શિક્ષણનું પરચુરણ …
  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved