Opinion Magazine
Number of visits: 9447098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ જગતમાં તમારા ડેટા કોઈ જગ્યાએ સુરક્ષિત નથી પછી ધિરાણ કંપની દેશી હોય કે વિદેશી

રમેશ ઓઝા|Opinion - Opinion|18 October 2018

મારા મિત્ર ડૉ. સંજીવ ચાંદોરકર તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સ્ટડીઝમાં અર્થશાસ્ત્ર ભણાવે છે. તે કહે છે કે છેલ્લા એક દશકમાં નવમૂડીવાદનો ચહેરો એટલી હદે બદલાઈ ગયો છે જેનાં વિષે લોકો બહુ ઓછું જાણે છે અને ડાબે કે જમણે કોઈ ભૂમિકા લઈને આર્થિક નીતિ વિષે ઊહાપોહ કરે છે. છેલ્લા એક દાયકા દરમિયાન અર્થશાસ્ત્રનું વિત્તીયકરણ (ફાયનાન્શિયલાઈઝેશન) થઈ ગયું છે એ આપણા ધ્યાનમાં આવતું નથી. સાયન્સ, ટેકનોલોજી, મૂડીનું રોકાણ, શ્રમ, કાચો માલ, બજાર, ખરીદશક્તિ વગેરે અર્થશાસ્ત્રના જૂના માપદંડો કાલબાહ્ય થઈ રહ્યા છે. જૂનાં અર્થશાસ્ત્રને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના માંગ અને પુરવઠા સાથે સંબંધ હતો. જ્યારે નવમૂડીવાદી અર્થતંત્ર ધિરાણ પર આધારિત છે. અંગ્રેજીમાં આને ડેબ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે. પહેલાં આપણે બધા ગ્રાહક હતા અને આજે આપણે મુખ્યત્વે રોકાણકાર કે દેણદાર છીએ. એના કેન્દ્રમાં આવતીકાલ છે. માણસ પોતાની આવતીકાલને સુધારવા દેવું લે છે અને આવતીકાલ સદ્ધર કરવા ધિરાણ આપે છે. બન્નેમાંથી કોઈને ખાતરી નથી એક આવતીકાલ કેવી હશે.

સંજીવ કહે છે કે ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈમાં રહેતો યુવક આગળ ભણવા માટે દસ હજાર રૂપિયાની શૈક્ષણિક લોન લે છે ત્યારે તેને અને લોન આપનાર નાણાસંસ્થાને ખબર નથી હોતી કે એ પૈસા અમેરિકામાં કેલિફોર્નિયામાં દુકાન ચલાવનારા અમેરિકનના હોય છે. રોકાણ કરીને આવતીકાલ સદ્ધર કરવા માંગતો અમેરિકન અને લોન લઈને આવતીકાલ સુધારવા માંગતો ડાંગનો આદિવાસી યુવક એકબીજાને ઓળખતા નથી. તેમની વચ્ચેની આર્થિક લેવડ-દેવદની પણ તેમને જાણ નથી. પૈસાના પ્રવાહનો વચ્ચે મોટો રૂટ છે જે અત્યંત અટપટો છે. પ્રવાહની ધારાઓ, ઉપ-ધારાઓ અને તેનાથી પણ બારીક ઉપ-ઉપ-ધારાઓ ન સમજાય નહીં એવી હોય છે. જેમ કે મિ. ‘બ’ તેને પૈસા આપનારા મિ. ‘અ’ ને ઓળખે છે અને તે જેને પૈસા આપે છે એ મિ. ‘ક'ને ઓળખે છે. બાકી ઉપરવાસની અને નીચેની ધારાઓની તેને જાણ હોતી નથી. નદીનાં મૂળ અને ઋષિના કુળ નહીં પૂછવાની આપણે ત્યાં કહેવત છે. હવે તેમાં નાણાંનો ઉમેરો કરવો જોઈએ. નાણાંનાં મૂળ અને કુળ બન્ને જાણવા દુર્લભ છે.

આની વચ્ચે ગઈ છઠ્ઠી એપ્રિલના રોજ રિઝર્વ બૅન્કે એક આદેશ બહાર પડ્યો હતો કે ૧૫મી ઓક્ટોબર સુધીમાં વ્હીઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ વગેરે વિદેશી કંપનીઓ ભારતમાં જે નાંણાકીય વ્યવહાર કરે છે તેની માહિતી દેશની બહાર ન જાય તેની જોગવાઈ કરે.

શું જોગવાઈ કરે એ અંગે બૅન્કે ૨૫મી એપ્રિલે માર્ગદર્શિકા બહાર પાડી હતી અને કહ્યું હતું કે નાણાંકીય વ્યવહાર કરનારી વિદેશી કંપનીઓએ એવી કોપ્યુટર સિસ્ટમ વિકસાવવી જે શુદ્ધ ભારતીય હોય. આ ત્રણ કંપનીઓ અમેરિકન છે અને નાણાંકીય વ્યવહારની સિસ્ટમ તેની પોતાની છે જે અમેરિકન હોવાની પૂરી શક્યતા છે. બૅન્ક એમ માને છે જો કોમ્પ્યુટર સિસ્ટમ દેશી હશે તો ભારતના રોકાણકારો કે ધિરાણ લેનારાઓની માહિતી દેશની બહાર નહીં જાય.

૧૫મી ઓક્ટોબરની મુદત પૂરી થઈ ગઈ છે. કોઈ નાણાસંસ્થાએ દેશી કોમ્પ્યુટર સિસ્ટમ વિકસાવી નથી કે અપનાવી નથી. એ કંપનીઓએ રિઝર્વ બૅન્કને કહી દીધું હતું કે એ શક્ય નથી અને દેશી કે વિદેશીથી કોઈ ગુણાત્મક ફરક પડતો નથી. આ બાજુ રિઝર્વ બેન્કે તેની દલીલ સ્વીકારી નથી કે મુદ્દત વધારીને આપી નથી. તો આનો અર્થ તો એટલો જ થયો કે વિદેશી નાણા સંસ્થાઓએ રિઝર્વ બૅન્કના આદેશની અવગણના કરી છે. રિઝર્વ બેન્કે કાં તો વ્હીઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ જેવી સંસ્થાઓની દલીલ સ્વીકારીને આદેશ પાછો ખેંચવો જોઈએ અને કાં તેમની દલીલ ગળે ઊતરે એવી નથી કહીને વળતી દલીલો કરીને આદેશનો અમલ કરવો જ પડશે એમ સ્પષ્ટ કહી દેવું જોઈએ. રિઝર્વ  બેન્કે આમાંનું કાંઈ કર્યું નથી. હા, વિદેશી નાણા સંસ્થાઓ એ સધિયારો આપવાનું ચૂકી નથી કે અમારે ત્યાં ભારતીય ગ્રાહકોના ડેટા સુરક્ષિત છે. આ આજકાલ રિવાજ છે. આધાર કાર્ડ આપનારી ઓથોરિટી પણ કહે છે કે અમારે ત્યાં ડેટા સુરક્ષિત છે, તો વિદેશી વેપારી સંસ્થા કહે એમાં કોઈ આશ્ચર્ય નથી.

વિદેશી ધિરાણ સંસ્થાઓએ કરેલી રિઝર્વ બૅન્કના આદેશની અવગણના અને રિઝર્વ બૅન્કના પક્ષે આગ્રહનો અભાવ એમ સૂચવે છે કે  ડેટા કોઈ જગ્યાએ સુરક્ષિત નથી, પછી સિસ્ટમ ભારતીય હોય કે વિદેશી. કોઈના પણ ડેટા હેક થઈ શકે છે. જો માહિતી હોય તો માહિતી લીક થઈ શકે છે. જો  કંપનીની માહિતી વેચવાની પોલિસી ન હોય તો કર્મચારી વેચી શકે છે. એમાં વળી બેંકો અને ધિરાણ સંસ્થાઓ પાસે તો પ્રોસેસ્ડ કરેલા ડેટા હોય છે. રેડી ટુ યુઝ.

તો પછી રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડ્યો શા માટે? આનું કારણ વાણિજ્યનો રાષ્ટ્રવાદ છે. એક જમાનામાં ઉદ્યોગપતિઓ વિદેશી કંપનીઓ ભારતમાં પ્રવેશ ન કરે એ માટે લોબિંગ કરતા હતા. ભારત સરકારે મોટી કંપનીઓને ભારતમાં પ્રવેશ આપવાની જગ્યાએ માત્ર ટેકનોલોજીની આયાત કરવી જોઈએ જેવી દલીલો કરતા હતા. દેશનો નફો દેશમાં રહેવો જોઈએ એ તેમની બીજી દલીલ હતી. તેમનો સ્વદેશપ્રેમની પાછળ સ્વાર્થ હતો. દેશપ્રેમનું ઓઠું વાપરીને તેઓ હરીફાઈ ટાળવા માંગતા હતા. આજે ‘પે ટીએમ' જેવી કંપનીઓ આવી જ દલીલનો સહારો લે છે. વિદેશી ધિરાણ કંપનીઓને ભારતમાં ધંધો કરતો રોકી શકાય એમ તો છે નહીં ચાલો દેશના ડેટાની સુરક્ષાની વાત આગળ કરે છે. સિસ્ટમ ભારતીય હોવી જોઈએ. ભારતીય કંપનીઓ ભારતીય છે એ વાત સાચી પણ તેમના પણ નૈતિકતાના પ્રશ્નો છે. ‘પે ટીએમ’ એ કાશ્મીરની ખીણના ડેટા વડા પ્રધાનના મંત્રાલયે માગ્યા ત્યારે આપી દીધા હતા જેનો ઉપયોગ ચૂંટણી માટે કરવામાં આવ્યો હતો.

એક વાક્યમાં કહેવું હોય તો આ જગતમાં કોઈ જગ્યાએ ડેટા સુરક્ષિત નથી એટલે તેના પર રાષ્ટ્રવાદનો વરખ ચડાવવાનો કોઈ અર્થ નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 અૉક્ટોબર 2018

Loading

18 October 2018 admin
← શોષણ સામેનો સંઘર્ષ : # MeToo અને # YouToo
એમ. જે. અકબરનું પતન ‘મીટૂ’ના કારણે નથી થયું, માનવતાવાદી પત્રકારો સ્વીકારી ન શકે એવાં સમાધાનો કરવાને કારણે થયું છે; ‘મીટૂ’ તો એક નિમિત્તમાત્ર હતું →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved