Opinion Magazine
Number of visits: 9446693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સમયે કૉન્ગ્રેસની જરૂરિયાત બનેલી શિવસેનાની જરૂરિયાત હવે કૉન્ગ્રેસ બનશે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 November 2019

શિવસેનાની સ્થાપના આજની વાણિજ્ય પરિભાષામાં કહીએ તો સ્પેશિયલ પર્પઝ વેહિકલ (એસ.પી.વી.) તરીકે કૉન્ગ્રેસે કરી હતી. આ ૧૯૬૦ના દસકાની વાત છે જ્યારે મુંબઈના ઉદ્યોગજગતમાં સામ્યવાદીઓનાં મજૂર સંગઠનોનો દબદબો હતો. ગુજરાતી ઉદ્યોગપતિઓ તાજા સ્થપાયેલા ગુજરાતમાં ઉદ્યોગધંધા ન ખસેડે એ માટે તેમને મજૂરોની અશાંતિથી મુક્ત કરી આપવા જોઈએ એમ એ સમયના મહારાષ્ટ્રના શાસકોને લાગ્યું હતું. મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ તક જોઈને આવી માગણી કરતા હતા.

એ સમયના શાસકો હજુ શાસક તરીકે મર્યાદાધર્મ પાળતા હતા એટલે કાયદાની ઐસીતૈસી કરવા જેટલે આગળ નહોતા જતા. આજે તો વડા પ્રધાન પોતે ચૂંટણી વખતે આચાર સંહિતા તોડીને કાયદાની ઐસીતૈસી કરે છે. આમાં મર્દાનગી જોવામાં આવે છે. એ સમયે વિકૃતિ આટલી હદે નહોતી ફેલાઈ, પણ વાત તો એ જ હતી. તમે પોતે કરો કે કરાવો એનાથી પરિણામમાં કોઈ ફરક નથી પડતો.

કૉન્ગ્રેસે સામ્યવાદી મજૂર સંગઠનોની તાકાત તોડવા માટે એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે શિવસેનાની સ્થાપના માટે રસ્તો કંડારી આપ્યો હતો. મહારાષ્ટ્ર હજુ તાજું તાજું અલગ રાજ્ય બન્યું હતું એટલે શિવાજીને મરાઠી અસ્મિતાના દૈવત બનાવાયા, મરાઠીઓને ન્યાયનો ધ્યેયધર્મ અપનાવ્યો. મુખ્ય ધ્યેય તો આગળ કહ્યું એ હતું. સેનાએ કાયદાની ઐસીતૈસી કરવાની હતી પણ માફકસર. એમાં કૉન્ગ્રેસનો વિરોધ કરવાની, ગાળો દેવાની, કૉન્ગ્રેસના નેતાઓની ઠેકડી ઊડાડવાની માફકસરની છૂટ હતી.

આ માફકસરે આ દુનિયામાં ભલભલાને છેતર્યા છે. આ જ કૉન્ગ્રેસીઓને, કહો કે તેમની આગલી પેઢીના કૉન્ગ્રેસીઓને અને એ પણ દિગ્ગજ કૉન્ગ્રેસી નેતાઓને મુસલમાનોના કોમવાદને ખાળી શકાય એ માટે ગાંધીજીની હત્યા પછી પ્રતિબંધિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરનો પ્રતિબંધ ઊઠાવીને બચાવી લીધો હતો. એ સમયે આર.એસ.એસ. કેટલાક હિંદુ પક્ષપાત ધરાવનારા કૉન્ગ્રેસીઓનું સ્પેશિયલ પર્પઝ વેહિકલ હતું. તેમને ત્યારે એમ લાગ્યું હતું કે મુસલમાનોના કોમવાદનું સંતુલન કરવા માફકસરનો હિંદુ કોમવાદ જરૂરી છે. સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં મદદ કરનારાઓ હિન્દુત્વવાદી નહોતા, પણ હિંદુ પક્ષપાતી હતા.

માટે માફકસરે એ લોકોને છેતર્યા છે જેમણે માફકસરની કલ્પના કરી હતી, માફકસરનું પ્રમાણ નક્કી કર્યું હતું અને માફકસરની લાલચ અનુભવી હતી. સનાતન સત્ય એ છે કે ખોટું માફકસરનું હોતું નથી. ખોટું એ ખોટું હોય છે અને એ ગમે ત્યારે, તમારી અનિચ્છાએ પણ મર્યાદા ઓળંગી શકે છે. બીજું, આપણે ખાદીના ધોળા બાસ્તામાં ફરીએ અને ખોટાં કામ બીજાં પાસે કરાવીએ એ એરેન્જમેન્ટ કાયમ માટે ટકતી નથી.

મહારાષ્ટ્રમાં એવું જ બન્યું. શિવસેનાનું માફકસરનું રાજકારણ કૉન્ગ્રેસને માફક ન આવે એવું બનતું ગયું. કૉન્ગ્રેસનું વિભાજન થયું, શરદ પવાર જેવા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ કૉન્ગ્રેસમાંથી બહાર આવ્યા અને કૉન્ગ્રેસની સામે પડ્યા, મહારાષ્ટ્રનું ઝડપભેર શહેરીકરણ થવા લાગ્યું, દેશમાં મોટી સંખ્યામાં મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો જે નોકરીધંધા માટે મુંબઈમાં ઠલાવાતો ગયો તો સામી બાજુએ મહારાષ્ટ્રમાં પણ મધ્યમવર્ગ પેદા થયો જેને પરપ્રાંતિયો માટે અસૂયા પેદા થવા લાગી. લાંબા સમયનાં શાસનના કારણે ભ્રષ્ટાચાર, તુમાખી અને પરિવારવાદ દિલ્હીથી લઈને રાજ્યો સુધી વકરતો ગયો. આ ઉપરાંત કૉન્ગ્રેસે શાહબાનો કેસનો ચુકાદો ઉલટાવવા જેવી કેટલીક ગંભીર ભૂલો પણ કરી હતી. ટૂંકમાં એસ.પી.વી. તરીકે શિવસેનાની સ્થાપના કરવામાં આવી એ પછીના બે દાયકામાં સ્થિતિ એવી બની કે સેનાએ તેના પરની માફકસરની મર્યાદા ધીરેધીરે ફગાવવાનું શરૂ કર્યું.

શિવસેનાએ કૉન્ગ્રેસના અને મુંબઈના ઉદ્યોગપતિઓના એસ.પી.વી. બની રહેવાની જગ્યાએ ગંભીર રાજકીય પક્ષ તરીકે દાવેદારી કરી. જો કે આમાં બાળ ઠાકરે તેમના સ્વભાવની અને રાજકીય શૈલીની મર્યાદાઓના કારણે પાછળ હતા. બીજાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ કૉન્ગ્રેસની વિરુદ્ધમાં બહુ ઝડપથી કાઠું કાઢ્યું હતું, પણ બાળ ઠાકરે જેટલી જોઈએ એટલી ગંભીરતા અને જદ્દોજહદ સાથે રાજકારણ નહોતા કરતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર બિન કૉન્ગ્રેસી પક્ષો માટે બહુ અનુકૂળ ભૂમિ નથી એ પણ ખરું. આમ છતાં ય સેના માટે જગ્યા બનતી ગઈ. કેટલીક વાર તો વગર માગ્યે અને વગર મહેનત કર્યે પણ જગ્યા બનતી ગઈ.

કૉન્ગ્રેસના હવે વળતાં પાણી થવાનાં છે અને તેની જગ્યા ધીરે ધીરે જમણેરી પરિબળોને મળી શકે એમ છે એમ ભારતમાં સૌ પ્રથમવાર ભાખનાર બાળ ઠાકરે હતા એમ બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજને પચીસ વરસ પહેલાં એક દિવાળી અંકમાં લખેલા લેખમાં લખ્યું હતું. બાળ ઠાકરેએ મરાઠી પ્રાંતવાદને બાજુએ કરીને હિંદુ કોમવાદનું રાજકારણ કરવાનું શરૂ કર્યું હતું. બી.જે.પી. કરતાં પણ આક્રમક રીતે. ૧૯૯૦ સુધીમાં શિવસેના કૉન્ગ્રેસના હાથમાંથી નીકળી ગઈ હતી. તે હવે કૉન્ગ્રેસની એસ.પી.વી. રહી નહોતી. માફકસરનું તત્ત્વ તો ક્યારનું જતું રહ્યું હતું.

એક સમયે શિવસેના કૉન્ગ્રેસની સ્પેશિયલ પર્પઝ વેહિકલ હતી. આજે એસ.પી.વી. કૉન્ગ્રેસ પાસે સરકાર રચવા મદદ માગી રહી છે અને કૉન્ગ્રેસના નેતાઓ એ વિષે વિચારણા કરી રહ્યા છે. શ્વાન પૂછડી હલાવે, પણ ક્યારેક વખત આવ્યે પૂછડી શ્વાનને હલાવે એ આનું નામ. જો કૉન્ગ્રેસ સેનાના નેતૃત્વવાળી સરકારને ટેકો આપશે અથવા સરકારમાં જોડાશે તો એમ માનવું રહ્યું કે વર્તુળ પૂરું થયું. અન્ય રાજકીય પક્ષો માટે પણ આમાં ધડો છે, પરંતુ સત્તાની લાલચ એટલી પ્રબળ હોય છે કે કોઈ રાજકીય પક્ષ કાંઈ શીખતો નથી. તાત્કાલિક સ્વાર્થ પ્રબળ હોય છે.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 નવેમ્બર 2019

Loading

21 November 2019 admin
← તેમના હાથમાં ગાંધીની આત્મકથા મુકતા આખા શરીરમાં જાણે રોમાંચ પ્રસરી ગયો
Islamophobia: What’s Common between Payal Tadvi and Fathima Latif →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved