Opinion Magazine
Number of visits: 9450672
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ય.દો.ની યાદયાત્રા, નગીનદાસ સંગે

ડંકેશ ઓઝા|Opinion - Opinion|17 September 2019

આજકાલ અમદાવાદ ખાતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિઓથી ધમધમે છે. વિવિધ પ્રકારનાં કાર્યક્રમો અને પ્રદર્શનો, વક્તવ્યો ત્યાં યોજાય છે. જેનો રસિક અને ઉત્સુકજનો પૂરતો લાભ લે છે. તા. પમી સપ્ટેમ્બરના રોજ આવો જ એક કાર્યક્રમ યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીનો યોજાઈ ગયો. એમાં જાણીતા રાજકીય સમીક્ષક, અનુવાદક, ઇતિહાસ તથા બંધારણના અભ્યાસી નગીનદાસ સંઘવીએ ‘યશવંત દોશીનું જીવન અને કવન’ વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. આ નિમિત્તે ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક દીપક મહેતાએ વક્તાનો વિગતે પરિચય આપ્યો હતો અને દીપક મહેતા લિખિત ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી યશવંત દોશી’ વિશેની ૭૨ પાનાંની નાનકડી પુસ્તિકાનું શતાયુ નગીનદાસ સંઘવીએ વિમોચન પણ કર્યું હતું.

યશવંત દોશી (૧૯૨૦-૧૯૯૯) આપણા ગ્રંથસમીક્ષાના સામયિક ‘ગ્રંથ’ના તંત્રી અને પરિચય પુસ્તિકાના સંપાદક તરીકે પૂરતા જાણીતા છે. આપણે ત્યાં અંગ્રેજીમાં ગ્રંથસમીક્ષાનાં થોડાં સામયિકો જોવા મળે છે. પરંતુ ગુજરાતી ભાષામાં ગ્રંથ અને પરિચય પુસ્તિકા એ એક અવનવું કાર્ય હતું. એ પ્રવૃત્તિ પાછળ વાડીલાલ ડગલી અને યશવંત દોશીની મિત્રબેલડી હતી. ‘ગ્રંથ’ સામયિક ૧૯૬૩માં શરૂ થયું, પરિચય પુસ્તિકા ૧૯૫૮માં. ‘ગ્રંથ’ સામયિક કાળક્રમે ૧૯૮૬ના વર્ષમાં આટોપી લેવાયું. પરિચય પુસ્તિકાની પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે! યશવંત દોશીએ પોતે આઠ જેટલી પરિચય પુસ્તિકા લખી છે. જેમાંની સૌથી વધુ જાણીતી છે : સાચી જોડણી અઘરી નથી. (૧૯૫૯) આ ઉપરાંત તેમણે કેટલાંક સંપાદન અને કેટલાક અનુવાદો ઉપરાંત મોરારજી દેસાઈ વિશેની ચરિત્ર પુસ્તિકા અને સરદાર પટેલનું બે ભાગમાં જીવનચરિત્ર લખ્યું છે. આ જીવનચરિત્ર નવજીવન પ્રકાશિત છે.

યશવંત દોશી નગીનદાસ સંઘવીના પરમ મિત્ર. મુંબઈના કાંદિવલીમાં કવિ પ્રહ્‌લાદ પારેખના અવસાન સમયે આ મિત્રનો પરિચય થયેલો. પછી પરિચય ટ્રસ્ટની ઑફિસમાં અઠવાડિયે બે-ત્રણ વાર લગભગ નિયમિત જવાનો અને ચા પીવાનો ઉષ્માભર્યો સંબંધ તેમનો રહ્યો. ડગલી અને દોશી બંને મિત્રોએ પરિચય ટ્રસ્ટના કામ માટે પોતપોતાની નોકરી છોડવાનું નક્કી કરેલું. દોશીએ યુનાઈટેડ સ્ટેટસ ઈન્ફરમેશનની સર્વિસની ઊંચા હોદ્દાની અને અમેરિકન ડૉલરમાં મળતા પગારની નોકરી છોડી દીધી, અને ડગલીએ ન છોડી. મિત્ર નગીનદાસનું કહેવું હતું કે પોતાનું જીવન યશવંતભાઈએ પરિચય ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં આપી દીધું. મિત્રોએ યથવંતભાઈને ઘણો અન્યાય કર્યો છે, યશવંત દોશીએ તે મૂંગે મોઢે સહન કરી લીધો છે. સૌથી વધુ પરિચય પુસ્તિકા નગીનદાસ પાસે તેમણે લખાવી. લખવાની શિસ્ત પોતે યશવંતભાઈના કારણે શીખ્યા, પોતાના લેખન ઘડતરમાં યશવંત દોશીનો અમૂલ્ય ફાળો છે એમ નગીનદાસે જાહેર કબૂલાત કરી. ય.દો. અજાતશત્રુ હતા. પરિચય ટ્રસ્ટની પ્રવૃત્તિ તેમને માટે બીજી પત્ની જેટલી મૂલ્યવાન હતી.

કશા કારણ વિના ૧૯૭૭ના વર્ષ દરમ્યાન ‘ગ્રંથ’ મુંબઈથી અમદાવાદ ગયું અને કવિ નિરંજન ભગતે તે સમય દરમિયાન તેનું સંપાદન કર્યું. માતાના ખોળામાંથી બાળક ઝૂંટવી લેવાય એવી વેદના એ કાળે ય.દો.એ અનુભવી. પોતાની વ્યથા તેમણે કદી પ્રગટ કરી નહીં. ફરીથી સંપાદન સંભાળવાનું આવ્યું ત્યારે એક માતાની લાગણીથી એ બાળકને પુનઃ તેડી લીધું! ડગલીના  અવસાન પછી ડગલીનાં પત્ની ઇન્દિરાબહેન ટ્રસ્ટમાં દાખલ થયાં. ક્રમશઃ યશવંતભાઈ તેમાંથી મુક્ત થયા. ૨૨ વર્ષ તેમણે ‘ગ્રંથ’નું સંપાદન સભાળ્યું. તે પછી ‘સમકાલીન’ અને અન્ય પત્રમાં તેમણે કોલમ-લેખન કર્યું, જે લેખોના ત્રણેક સંચયો પ્રગટ થયા છે.

રાજમોહન ગાંધીએ અંગ્રેજીમાં સરદારનું દળદાર જીવનચરિત્ર લખીને પ્રગટ કર્યું તે જ સમયે ય.દો.નું આ જ વિષયનું ચરિત્ર બે ભાગમાં નવજીવન દ્વારા પ્રકાશિત થવાનું હતું. રાજમોહનની પ્રતિભા અને આગ્રહને કારણે બંને ચરિત્રો એક સાથે પ્રગટ ન થયાં, ય.દો.નું પુસ્તક પછીના વર્ષે પ્રગટ થયું જ્યારે તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા! નગીનદાસ તો રાજમોહનના પુસ્તકના અનુવાદક રહ્યા છે. તેમનું પ્રગટ મંતવ્ય હતું કે ય.દો.નું ચરિત્ર રાજમોહનના ચરિત્ર કરતાં ચોક્કસ ચઢિયાતું છે.

પરિચય ટ્રસ્ટમાં તેમના બીજા મિત્ર ભૃગુરાય અંજારિયા પણ નિયમિતપણે મળવા આવતા. ક્યારેક લેખકમેળો જામતો. ચંદ્રકાંત શાહ, દીપક મહેતા, હસમુખ ગાંધી, સૌરભ શાહ જેવા સાથી કર્મચારીઓને ય.દો. પાસેથી લેખન સંપાદનનો ઘણો અનુભવ પ્રાપ્ત થયો છે. દૈનિક ‘સમકાલીન’નું નામકરણ પણ ય.દો.ના નામે જ જમા છે.

મિત્ર વિશે બોલવાના આનંદ અને વ્યથા નગીનદાસે એક સાથે પ્રગટ કર્યાં. સહન કરવાનું જીવનમાં ઘણાને ફાળે આવે છે જેનો ક્યારેક કોઈ વિકલ્પ હોતો નથી. પણ ય.દો.એ તેમના સ્વભાવ મુજબ જે સહન કર્યે રાખ્યું તેનો જોટો મળવો મુશ્કેલ છે. એ તિતિક્ષાની કક્ષાનું હતું એમ કહી નગીનદાસે તિતિક્ષાની વ્યાખ્યા કરતો શંકરાચાર્યનો શ્લોક ટાંક્યો હતો. માનવીય ગુણોથી ય.દો. ભર્યાભર્યા હતા. આવો મિત્ર ભાગ્યે જ કોઈને મળે એમ પણ તેમણે કહ્યું.

આજનો સમય આત્મપ્રશંસાનો અને બધે કહી બતાવવાનો છે ત્યારે આવા મૂક સેવકોને યાદ કરવા એ પણ એક મહત્ત્વનું કાર્ય છે. નગીનદાસ કહેતા હતા કે ૧૦૦ વર્ષની મારી ઉંમરમાં અમદાવાદ જાહેરમાં બોલવાનો મારે માટે કદાચ આ પહેલો પ્રસંગ છે. મોટા માણસોના દાંભિક આચરણનો નગીનદાસે વક્તવ્ય દરમ્યાન નામો દઈને પર્દાફાશ પણ કર્યો. ચંદ્રકાંત બક્ષી અને ‘કુત્તી’ વાર્તા નિમિત્તે થયેલો વિવાદ પણ તેમણે યાદ કર્યો. દર્શકની ‘સોક્રેટિસ’ નવલકથા પોતે કરેલી સમીક્ષા અને દર્શકે અન્યત્ર તેનો કરેલો જવાબ પણ બાદ કર્યાં. ય.દો.ની ભાષા સંઘેડા ઉતાર હતી એમ પણ તેમણે કહ્યું. સોમા વર્ષે ટટ્ટાર ઊભા રહીને જુસ્સાપૂર્વક થયેલું નગીનદાસનું વ્યાખ્યાન સાંભળવું એ એક યાદગાર લહાવો બની રહ્યો.

E-mail : dankesh.oza20@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 19 તેમ જ 22

પ્રા. નગીનદાસ સંઘવીના આ પ્રવચનની લિન્ક :

https://www.facebook.com/gujaratvishvakosh.trust.94/videos/520007068764770/?__tn__=%2CdlCH-R-R&eid=ARCKb-_F6-sGXbnqo8Vrz9tMu4EUvsufu5W6VQcOMv7_n9WrvDAxHVaAsUKS4zlVkTtz1j6y4TBy-tpt&hc_ref=ARR58BfB50e8CVLpnsdNmnPlSmtGmUN4QIRGCUOXAr9y13245TzMV0i3I56lS2fjr5g

Loading

17 September 2019 admin
← નિર્મૂલન અધિનિયમ, ૨૦૪૦
કૉન્ગ્રેસની કાયાપલટ શક્ય છે? →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved