Opinion Magazine
Number of visits: 9450312
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતો અને રૅશનાલિટી

કિરણ ત્રિવેદી, કિરણ ત્રિવેદી|Opinion - Opinion|16 August 2019

દલિતોના સંદર્ભે અધ્યાત્મ હોય, રૅશનાલિસ્ટ હોય કે સમરસતા – આ બધું બહુ મોટા દલિતવર્ગની પહોંચ, સમજ કે જરૂરિયાત બહારની મગજમારીઓ છે. હા, એક સમાનતાનો મુદ્દો છે, જે એમને સીધો સ્પર્શે છે, જીવનજરૂરી પણ છે. ખેર, આપણને લાગે કે આ બધામાં પણ રૅશનાલિટી તો દલિતો માટે એકદમ એલિયન / પરગ્રહી ખ્યાલ હશે – પણ દલિતોનો એક વર્ગ જે ભણીગણીને, સમજદારી કેળવીને મુખ્ય ધારામાં ઊતરી ચૂક્યો છે, એ ખૂબ આશ્ચર્યજનક રીતે રૅશનાલિટી દાખવી રહ્યો છે. અપનાવી રહ્યો છે.

રૅશનાલિટી માનસિક અભિગમ અને વૈચારિક સજ્જતાનો મુદ્દો છે. રેશનાલિટી એટલે વિવેકબુદ્ધિ, સારાસારની સમજ, નિરીક્ષણ અને તર્કબદ્ધ વિશ્લેષણને અંતે વિચારી-સમજીને નિર્ણય પર પહોંચવું કે શું યોગ્ય છે, શું અયોગ્ય છે. એવું યોગ્ય તારણ જ સૌના લાભનું અને ભલા માટેનું હોય તેને સ્વીકારો અને તે રીતે જીવો. રૅશનાલિટીમાં રહેલો ધર્મવિરોધ પણ આ સમજદારીમાંથી આવે છે. એટલે કે રૅશનાલિસ્ટોમાં ધર્મવિરોધ અને નાસ્તિકતા રૅશનાલીટીના રસ્તે આવે છે. દલિતોમાં કદાચ એવું પણ બને કે ધર્મવિરોધના રસ્તે રૅશનાલિટી આવે! જો કે રૅશનાલિટી એટલે માત્ર ધર્મ અને ઈશ્વરનો ઇન્કાર એટલું જ નથી. રૅશનલ થિંકિંગ રોજિંદા જીવન અને સમાજને સ્પર્શતા દરેક મુદ્દામાં તમને સ્પષ્ટતા, સરળતા, નૈતિકતા અને માનવતા બક્ષે છે.

અમે રૅશનાલિસ્ટો ધર્મ, ઈશ્વર, પરંપરાના સૌથી વધુ બોલકા ટીકાકારો છીએ. દલિતોને પણ આવું કરતા જોયા છે. પણ તેઓમાં આ ગુણ બ્રાહ્મણવાદી સમાજવ્યવસ્થામાં સદીઓથી કચડાતા આવ્યાની શોષણ-દમન-અન્યાયની ભાવનામાંથી આવે છે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે દલિતો અને રૅશનાલિસ્ટો એકમેકના natural allies (કુદરતી સાથીદારો) છે. અને અમારા સોશ્યલ મીડિયા ગૃપ ‘અપના અડ્ડા’એ એ વાત ઘણે અંશે સાબિત કરી છે.

વર્ણવ્યવસ્થા સનાતનધર્મ દ્વારા ખોદાયેલી ઘોર છે … અને એટલા શાતિર દિમાગોની ઊપજ છે કે હજુ સુધી ટકી છે. આજે હવે વધુ ઊંડી બનવાનાં એંધાણ છે; એની સૌથી વધુ શેતાની ગોઠવણ એ છે કે બધી જ જ્ઞાતિ – જાતિઓને પોતાને ઊંચા ગણવા માટે એમનાથી નીચા કોઈ ને કોઈ મળી રહે! અને દલિત તો પાછા ચતુર્વર્ણના આ પિરામિડમાં પણ નથી, એ તો ચારે ય વર્ણમાં નીચેના શૂદ્રોથી પણ નીચે દબાયેલા પંચમ વર્ણ ગણાય છે.

રૅશનાલિટીના દલિતો સાથેના આંતરસંબંધો ચકાસતાં મને એક સવાલ થયેલો. દલિતોએ હિન્દુ કહેવાતો આ બ્રાહ્મણધર્મ હજુ સુધી સર્વથા કેમ નથી છોડ્યો?! મારે જાણવું હતું કે અન્યાય દમનનો વિરોધ તો કદાચ દરેક જનરેશને કર્યો છે. પણ અત્યારે જે નામજોગ બ્રાહ્મણવાદ અને હિન્દુધર્મ સામે આક્રોશ દેખાય છે તે બાબાસાહેબ આંબેડકરે લાવેલી જાગૃતિ પછીનો જ છે કે એ પહેલાં પણ હતો? આ સવાલ ઉપર ‘અપના અડ્ડા’માં જ ચર્ચા થઈ. જે સ્પષ્ટતા મળી તે મુજબ અછૂતોની અવદશા માટે સનાતન ધર્મને સીધો જવાબદાર ગણાવીને તેની સામે બળવો પોકારવામાં સૌથી મજબૂત નામ જ્યોતિબા ફુલેનું લેવું પડે. (એમની પહેલાંના સંદર્ભો પણ ઘણા છે, પણ અહીં મારી નિસબત ધર્મ સામે મોરચાની વધુ છે). ફુલે દ્વારા ૧૯મી સદીના મધ્યમાં ધર્મ સામેની લડત ચાલુ થઈ અને ૨૦મી સદીમાં ભીમરાવ આંબેડકરે આ લડતને પૂરેપૂરી રૅશનલ એવી તીવ્રતમ સ્પષ્ટતા સાથે આગળ ધપાવી. આંબેડકરની સમાંતરે દક્ષિણમાં ઈ.વી. રામાસ્વામી પેરિયારે પણ તેમાં ખૂબ મોટું પ્રદાન કર્યું છે, જેને કારણે આજે પણ હિન્દુ ધર્મના નામે સત્તાના ખેલ પાડતી પાર્ટીને દક્ષિણમાં પગ પસારવાના ફાંફાં પડે છે.

આ નોંધ હું એટલે લઉં છું કે દલિતો માટે સામાજિક સમાનતા, ન્યાય અને હકની લડાઈમાં રૅશનાલિસ્ટનો દૃષ્ટિકોણ ફુલે-આંબેડકર-પેરિયાર જેવા મહાનુભાવોથી જોડાઈ ગયેલો ગણો. આંબેડકર સંપૂર્ણપણે રેશનલ હતા. એમનું સમગ્ર સાહિત્ય રૅશનાલિટીની દૃષ્ટિએ લખાયેલું ધારદાર વિશ્લેષણ છે. એ સાહિત્યના સહારે જાગૃત થયેલો દલિતવર્ગ વૈચારિક રીતે થોડો તો રૅશનલ થવાનો જ.

… અને અમને, ‘અપના અડ્ડા’ના આયોજકોને એ સ્પષ્ટપણે દેખાય છે. અને હિન્દુત્વથી પ્રભાવિત સવર્ણ લોકોના વિચારો, અભિગમો, અભિવ્યક્તિના કૉન્ટેક્સ્ટમાં તો આ દલિતો ગૌરવપ્રદ રીતે સજ્જ અને સજ્જન બનીને ઊભરી આવે છે. અડ્ડાની રૅશનલ, લિબરલ અને સેક્યુલર વિચારધારાને કારણે અમારું વલણ હંમેશાં ન્યાય-સમાનતા-સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી તરફી રહ્યું છે. તેને કારણે પહેલેથી જ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના દલિત યુવાનો અડ્ડા તરફ આકર્ષાયા છે. કોઈને અમે પકડીપકડીને ત્યાં જમા નથી કર્યા! જે રીતે એમણે રૅશનાલિટીને embrace કરી છે, આત્મસાત્‌ કરી છે એ મારે માટે આશ્ચર્યજનક હતું. ઉગ્ર ચર્ચાઓમાં સવર્ણોને મિજાજ ગુમાવીને બેફામ અપમાનજનક બોલતા, અશ્લીલ અને અપશબ્દો પર ઊતરી આવતા વારંવાર જોયા છે; પણ એવો દલિત જવલ્લે જ મળે! અડ્ડામાંથી રિમૂવ કે બ્લૉક થતા સભ્યોમાં સવર્ણો અને ક્ષત્રિયો જ વધારે હોય છે. તો પણ હું કોઈ એવા વહેમમાં નથી કે આને રૅશનલ ક્રાંતિ હોવાનો દાવો કરું, પણ આ ખૂબ સારી શરૂઆત જરૂર છે.

આમ તો દલિતોનાં હક, ન્યાય, સમાનતા માટેની અનેક રાજકીય સામાજિક લડતો, આંદોલનો ચાલે છે. આંબેડકરવાદી, બહુજનસમાજવાદી ડાબેરી સામ્યવાદી, સંધિ સમરસતાવાદી વગેરે. હવે એમાં એક આ વિવેકબુદ્ધિવાદી / રૅશનાલિસ્ટ ધારાનો પણ સમાવેશ ગણજો. મારો વ્યક્તિગત મત તો એ જ છે કે આમાંની કોઈ લડતો ધર્મ-ઈશ્વર છોડો, જ્ઞાતિ-જાતિ તોડોની વાત નથી કરતી. આ હિન્દુ માળખામાં રહીને જ સમાનતા / હકની વાત કરે છે. જે ક્યારે ય નથી મળવાના. આંબેડકરે પણ એટલે જ હિન્દુ ધર્મ છોડેલો. માત્ર રૅશનાલિઝમ એ બધું છોડવાની વાત કરે છે. એટલે જે લડત વૈચારિક રીતે રૅશનાલિસ્ટને અપનાવશે એ જ દલિતો માટે ન્યાય -સમાનતા હાંસલ કરી શકશે.

(તા. ૧૯-૬-૨૦૧૯ના રોજ વિનોદ વ્યાસ-જટાયુ આયોજિત કાર્યક્રમમાં આપેલું વક્તવ્ય)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 10 – 11

Loading

16 August 2019 admin
← એક પત્રકાર અને એક એમ.એલ.એ.ની વાત
મેડિકલ શિક્ષણ : ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનાં પરિણામો →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved