Opinion Magazine
Number of visits: 9446244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલ્વિદા ગિરીશ કર્નાડ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 June 2019

એક્યાસી વરસનું સમૃદ્ધ એવું સહસ્રચંદ્રદર્શન પૂર્ણાયુષ ભોગવી એ ગયા. હમણે માંદા ચાલતા હતા – ગયા સપ્ટેમ્બરમાં ગૌરી લંકેશને ગયે વરસ થયું ત્યારે ‘મી ટુ અર્બન નક્સલ’ના હાંસડીપાટિયા સાથે એ હૉસ્પિટલમાંથી પરબારા હાજર થયા હતા. એટલે જવું અણચિંતવ્યું નહોતું. પણ ‘જબ તક સાંસ તબ તક આસ’ એ રીતે જોતાં જવું ખટકે તો ખરું; કેમ કે ન ઓલવાવા જેવા જે થોડાએક અવાજો, ગિરીશ કર્નાડ તે પૈકી હતા.

જો કે જે ઢબછબે એમના જવાના સમાચાર પ્રસર્યા અને ઉછળ્યા એ પણ હતું તો ખટકે એવું જ. ‘ઇન્ડિયા ટુ’એ  શરૂશરૂમાં જે ટીઝર (શું કહીશું, સળવળ સળવળ વલૂર વલૂર?) વેબડાવ્યું એ એવું હતું કે ‘ટાઈગર ઝિંદા હૈ’ના અભિનેતા કર્નાડ ગયા. એક સમૃદ્ધ જિંદગીને આમ ઓળખાવાતી હશે? હશે ભાઈ, આ તો આજનું હિંદ છે જ્યાં આવી ખતવણી એ કદાચ રાબેતો છે. મે ૨૦૧૪ પછી તરતના ગાળામાં અનંતમૂર્તિ ગયા, અને મે ૨૦૧૯ પછી તરતના ગાળામાં કર્નાડ ગયા. નકરા નવલકથાકાર કે નકરા નાટ્યકાર – કલાકારમાં એમને ખતવાય તો માસ મીડિયા અને માસિઝ બેઉને સવાલિયા દાયરામાં મૂકવાં રહે.

અનંતમૂર્તિ અને કર્નાડ, સવિશેષ કદાચ કર્નાડ વિષમ સંજોગોમાં પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે બહાર આવ્યા અને એમણે પોતપોતાના કલાહુન્નરને કોઈ ચંદન મહેલ(આઈવરી ટાવર)માં નહીં ગોંધવતા લોકમોઝાર ‘નો સર’થી લઈ ‘ઈટ્‌સ નૉટ ડન’ની અકુતોભય ભૂમિકા લીધી. પ્રતિભાશાળી કર્નાડ ઇંદિરા ગાંધીના વારામાં પુણેની પ્રતિષ્ઠિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા, પણ કટોકટીનું સમર્થન કરતી ફિલ્મ ઉતારવાની ‘વરધી’ આવી કે એમણે ચહીને ઊતરી જવું પસંદ કર્યું હતું. એ જ તરજ પરના પણ વધુ આકરા હોઈ શકતા વર્તમાન સંજોગોમાંયે એમની આ ભૂમિકા બરકરાર રહી.

મેધાવી એ અલબત્ત હતા. તેવીસ-ચોવીસના હશે અને ઑક્સ્ફર્ડ યુનિયનના અધ્યક્ષ ચુંટાયેલા ત્યારે સર્જનાત્મક આવિષ્કારો ઉપરાંત ર્‌હોડ્‌ઝ સ્કૉલરને નાતે ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા વિષયોના તેજસ્વી છાત્ર તરીકે સુપ્રતિષ્ઠ હતા. જે નાટક કે ફિલ્મમાં એમનું સુવાંગ સર્જન રહ્યું કે સિંહપહેલ રહી એમાં એક સમગ્ર દર્શનનો સૌને સાક્ષાત્કાર થતો. એમના ગુજરાત કનેક્શનને અમૂલખ્યાત ‘મંથન’થી વાજબી રીતે જે સંભારાય છે. પણ ૨૦૦૨થી વ્યથિત હોવું એ આ જોડાણને કંઈક ઓર જ ધાર, રિપીટ, ધાર અને આધાર સંપડાવે છે. નમોએ ટિ્‌વટ તો મોકાસર ને મજબૂત કીધું કે કર્નાડ પોતાને જે વિચારો યોગ્ય લાગે તે વિશે જિદ્દથી, રાગાવેશથી, પૅશનેટલી, બોલતા. અલબત્ત, આ માટે નિમિત્ત પૂરાં પાડતી રાજનીતિ અને મંડળી વિશે મોદીએ મલાજો પાળ્યો એ સમજી શકાય એવું છે.

દાયકાઓ પર ‘હયવદન’ નાટક જોયું ત્યારે એ થોમસ માનની લઘુનવલ પરથી ભારતીય સંદર્ભમાં સરજાયાનું જાણ્યું હતું. પછી ખયાલ આવ્યો કે માને લખ્યું એનાં મૂળિયાં કથાસરિત્‌ સાગરમાં પડેલાં છે. ‘સંસ્કાર’, ‘વંશવૃક્ષ’ અંગ્રેજી સબટાઈટલો સાથે જોવા મળી. એક પટ પર આ બધું જોતી વેળાએ સમજાયું કે આપણો સહૃદય એટલો જ સ્વાધ્યાયપુત કળાકાર બૌદ્ધિક છે, સેક્યુલર છે, પણ એને સારું સંસ્કૃતિનિષેધ એ પોતે કરીને કોઈ મજહબ નથી. એ સંસ્કૃતિ સાથે સાતત્યપૂર્વક વળગી રહેનાર જીર્ણમતિ અલબત્ત નથી. એને રસ શોધનમાં છે, નવ્ય અર્થઘટનમાં છે. એટલે નાયપોલ જેવો મુસ્લિમદ્વેષ એને વાસ્તે અગરાજ છે. રાજાજીનાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ વાંચેલાં … એથી કેળવાયેલ સંસ્કાર!

‘તુઘલક’ નાટકમાં આદર્શવાદી નેહરુ માટેના સહજ ખેંચાણ અને આશાવાદથી માંડી આગળ ચાલતાં અનુભવાયેલ નિરાશાનું એક સમીક્ષાચિત્ર અતીત નિમિત્તે વર્તમાન ટિપ્પણી રૂપ વરતાશે. દૂરદર્શનના પ્રસાર સાથે આર.કે. નારાયણના ‘માલગુડી ડેઝ’ના એક પાત્ર તરીકે એમની વ્યાપક ઓળખ બની. પણ ઉલ્લેખ કરવો જોઈએ યશપાલની સરળરોચક માંડણી સાથેની વિજ્ઞાનચર્ચા ‘ટર્નિંગ પોઈન્ટ’નો; એની પરિકલ્પના અને પ્રાયોજના કેવળ કર્નાડને જ સૂઝે. વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનપરિચયપોથી લખતા રવીન્દ્રનાથ કે રસળતી એવી જ અભ્યાસનીતરતી ભૂગોળ લખતા નાનાલાલ સાંભરે તમને. દર્શક આવી કામગીરીને કરુણાનું સાધારણીકરણ કહેતા. (એમનું એક પ્રિય ઉદાહરણ આનંદશંકરે ‘હિન્દુધર્મની બાળપોથી’ લખી એ હતું.)

કર્નાડ વિશે એક ટિપ્પણીમાં કહેવાયું કે આ એક મોટા સર્જક-કળાકાર છેલ્લા બે દાયકામાં કર્મશીલ તરીકે વધુ પંકાયા. અંદરબહારનો કોઈક ધક્કો જ એમાં કામ કરી ગયો હશે ને. આ ધક્કો પરિવારે પણ પ્રીછ્યો હોવો જોઈએ કેમ કે કર્ણાટક સરકારે રાજ્યસન્માન સાથે અંતિમવિધિનો જે વિવેક દાખવ્યો તે સાભાર – સવિનય નકારી એમણે સ્વજનો અને મિત્રોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કર્યા. અલબત્ત, ભીંત ફાડીને ઉગેલ જે પીપળો – અને અશ્વત્થ તો એની વિભૂતિ – કદી વિનષ્ટ થયો જાણ્યો નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 16

Loading

18 June 2019 admin
← સાહિત્યનું સ્થાન નક્કી કરે છે લેખકો અને વાચકો. એ સ્થાન ગમે ત્યારે ઊલળી પડે, પણ એનો નાશ નથી કરી શકાતો
માત્ર સફાઈ અભિયાનોથી નદીઓ ચોખ્ખી નહીં થાય ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved