Opinion Magazine
Number of visits: 9449073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી અનામત : જુમલે સે આગે જહાઁ ઑર ભી હૈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 January 2019

શું કહીશું, આને : ઘડિયાં લગન, કે એક ઓર જુમલો – બલકે, સામી ચૂંટણીએ તો કદાચ ધ જુમલો. વર્ણસગાઈની વહેવારુ સગવડને ધોરણે તમે એને મોદીનો માસ્ટર સ્ટ્રોક પણ ચાહો તો કહી શકો. અહીં ઇશારો અલબત્ત નવા આરક્ષણને અંગે છે. એક રીતે, જે સંચિત મિજાજ પાટીદાર અનામતની હાર્દિક જેહાદ વાટે પ્રગટ થયો છે, એને વિશે મુજરાનો નહીં તોપણ દાણા નાખવાનો મનોવૈજ્ઞાનિક ઉપચાર આ ખસૂસ છે.

સદીઓનાં સંચિત અન્યાય અને શોષણની નાબૂદી તો શું પણ યથાસંભવ દોષદુરસ્તી માટે ય અનુસૂચિત જાતિ-જનજાતિ સારુ અનામતની જોગવાઈનું એક લૉજિક હતું અને છે. ગાંધીનાં અનશન અને પુણે કરાર સહિતના સ્વરાજસંગ્રામના ઘટનાક્રમમાં આગળના પડાવ રૂપે આ દિશામાં કદમ ભરવાનું થયું એ વીતેલી સદીના છેલ્લા દાયકાઓની તવારીખ છે. વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલશાસ્ત્રનો પણ હવે એક ગાળો પસાર થયો છે. મુદ્દો એ છે કે આ બધાને છેડે આર્થિક-સામાજિક વિકાસ અને સમતાની કસોટીએ આપણે ક્યાં ઊભા છીએ. વિકાસનો ઢોળ ચડાવેલું હિંદુત્વ ૨૦૧૪માં દિલ્હી દરબારમાં બેઠું ન બેઠું અને પરવાનો તાજો કરવાનું ટાણું આવતે આવતે અપેક્ષિત દુબારા-દુબારાના ફુગ્ગામાં, કેમ કે ‘વિકાસ ગાંડો થયો છે’, એકદમ જ કાણું પડતું લાગ્યું એના વારણની લાયમાં આ નવા આરક્ષણની આર્થિક રીતે નબળા હોવાને ધોરણે આરક્ષણની વાત આવી પડી છે.

પોતપોતાને છેડેથી ઊભરેલાં યુવા વ્યક્તિત્વ, હાર્દિક અને જિજ્ઞેશ, હમણેના ગાળામાં ચાલુ સત્તા-પ્રતિષ્ઠાન સામે પડકારનાં પ્રતીક તરીકે ઊભર્યાં એનો આ ફૉલ આઉટ છે. તમે દેખીતી રીતે જ એની એક સંમિશ્ર પ્રતિક્રિયા કે પ્રતિભાવ રૂપે ભા.જ.પ.ના શીર્ષ નેતૃત્વની આ નવ્ય અનામત ચેષ્ટાને ઘટાવી શકો. સંમિશ્ર એટલા માટે કે અનામત જોગવાઈના મૂળ લૉજિકને પડકારનારા અને સ્વીકારનારા એમ બેઉ છેડા અહીં જોડાઈ જતા માલૂમ પડે છે.

ભા.જ.પ.ના આ છેવટ ઘડીના ગુગલી જુમલા અને હુમલા સામે વિપક્ષ કને પણ પ્રોસીજરલ આડીતેડી જેવા નકો નકો વિરોધવ્યૂહ સાથે સરવાળે સંમત થઈ જવા સિવાયનો વિકલ્પ નથી એ સમજી શકાય એવું છે. આપણાં પ્રતિનિધિગૃહો માટે અનામત બેઠકોની જોગવાઈ દર નિયત મુદતે વધારવામાં એ સૌ સાથે જ હોય છે ને. જેમ કિસાનોની દેવાનાબૂદી, લોનમાફી વગેરેમાં પણ તમે જોશો કે ઘટતા વિરોધ અવાજો પછી અને છતાં દરેક સત્તાપક્ષ એ પંથના પથિક છેવટે તો બની રહે છે.

તો, વાત તો જાણે કે સાફ છે કે આપણા સામાજિક હાડમાં પચી ગયેલ ગેરબરાબરી અને નાતજાતગત અન્યાય બાબતે નિવારણ વિના સ્વરાજ બેમતલબ છે. આ દૃષ્ટિએ અનામતથી માંડી દેવામાફી સહિતની જોગવાઈઓની એક ભૂમિકા ખસૂસ છે.

પણ, કાશ, આટલેથી જ વાર્તા પૂરી થઈ શકતી હોત! જ્યાં સુધી ખેડૂતોને ઋણરાહત પ્રકારના પ્રશ્નો છે, મૂળમાં જઈ નીતિ વિષયક પરિવર્તન વિનાની થાગડથીગડ કારાવાઈઓથી તત્કાળ રાહત મળતી હશે, નિયતિ તો એ જરીપુરાણી અને જરીપુરાણી જ રહે છે. પણ હમણાં આપણે એ ચર્ચામાં નહીં જતા અનામત જોગવાઈ પર લક્ષ કેન્દ્રિત કરીએ તો આ જોગવાઈ છતાં જાહેર નોકરીઓ ને કામગીરીઓમાં ફાળવાયેલા ટકાવારી વણભરાયેલી રહે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે. ખાનગી ક્ષેત્રે સવાલ ઊભો રહે એ તો જાણે કે સમજ્યા, પણ જાહેર ક્ષેત્રમાં જો આ સ્થિતિ હોય તો એમાં જે પણ કારણો હોય એક અર્થ નક્કી છે કે તંત્રોમાં  જે માનસિકતા કામ કરે છે તેમાં એમની બાદબાકીનું ધોરણ સ્થપાયેલું છે. જાહેર ક્ષેત્રમાં આ સ્થિતિ હોય તો ખાનગી ક્ષેત્રમાં શું હશે અને કેમ હશે એ ચર્ચા જ અસ્થાને છે. આખી બાબત નકરી ચર્ચાના દાયરામાંથી નીકળી જઈ એક પ્રજા તરીકે આપણને ચિંતા અને સક્રિય નિસબતના ઇલાકામાં લઈ જાય છે.

હવે સૂચિત નવી અનામતની વાત. સવાલ આ છે : બીજાઓને આપી દીધું, અને અમે રહી ગયા એવી ખરીખોટી ફરિયાદના જવાબ તરીકે એક મનોવૈજ્ઞાનિક પાસાથી વધુ એનો કોઈ માયનો છે ખરો? આપણે જેને નવી આર્થિક નીતિ તરીકે ઓળખીએ છીએ એનું વલણ જાહેર ને સરકારી ક્ષેત્રના ઉત્તરોત્તર સંકોચનનું છે. તેથી જે ઘટતી નોકરીઓ છે એની સામે વધુ ઉમેદવારોને સમાવવાનો તકાજો છે. બીજું, ખાનગી ક્ષેત્ર તો હાલની અનામતની જોગવાઈઓ બાબતે અમથું પણ બંધ છે.

જે યુવા નેતૃત્વે (અને વાસ્તવિક લોક અંજપાએ) સત્તાપક્ષને આ નવા જુમલા વાસ્તે પ્રેર્યો તેણે હવે હરખની હેડકીએ કે ઊલટ પક્ષે આ ચેષ્ટાની લોલીપોપ તાસીર બોલી બતાવવાએ અટકવાપણું નથી. છૂટાછવાયા ઉદ્‌ગારો કે તત્કાળ ટિપ્પણીઓ અને બાઈટની બડઘટાડી કે તેજતર્રાર ટિ્‌વટમારીથી હટીને અને ઊંચે ઊઠીને આમૂલ નીતિપરિવર્તનનો આગલો મોરચો ખોલવો ઘટે છે. અનામત વિચારની ચોક્કસ ભૂમિકા સ્વીકાર્યા પછી અને છતાં સમજવું રહે છે કે (૧) સમાજસુધારાની સઘન ચળવળ અને માનસિકતા પરિવર્તન વિના મજલ કપાવાની નથી; (૨) આખો સમાજ કંઈ નોકરિયાતોનો સમાજ હોઈ શકવાનો નથી. નાનીમોટી સ્વયં રોજગાર સંભાવનાઓનું વિતરણ જરૂરી હોવાનું છે. ચંદ્રભાણ પ્રસાદ દલિત કૅપિટલિઝમમાં જે ઉગાર શોધે છે તે આજની વ્યવસ્થા એટલે કે અનવસ્થામાં સમજી શકાય એવો છે. માત્ર, કોર્પોરેટવાદમાં નહીં સરી પડતાં આ દિશામાં વિચારવું રહે છે.

આજના કોર્પોરેટવાદમાં અંતર્નિહિત નવ્ય સવર્ણવાદ સામે વ્યાપક લડાઈની તાકીદ સામી ભીંતે બેનર હેડલાઈન પેઠે લખાયેલી છે; એ ન વાંચવી હોય તો જ ન વંચાય એટલી દૈત્યકાળ છે. ૧૯૯૧ની નરસિંહરાવ મનમોહનસિંહની નવી આર્થિક નીતના વડા લાભાર્થીઓ અને અણ્ણા આંદોલનના વડા લાભાર્થીઓના બરની વાત આ નથી. જરી વધુ સમજપૂર્વક આર્થિક-સામાજિક નીતિનિર્ધારણ અને કાર્યાન્વયનો પ્રશ્ન આ છે. સંસદની મેરેથોન ટોકેથોનમાં એનાં ઈંગિતો છેક જ નથી ને નહોતાં એવું કહેવાનો આશય નથી. પરંતુ ઘડિયાં લગન અને જુમલાશાઇ અફરાતફરીમાં આવાં ઇંગતો હોય તો પણ નથી પકડાતાં તે નથી પકડાતાં.

દરમ્યાન, પાપપુણ્યની બારીમાંથી પસાર થવા જેવા આ પ્રજાસૂય પડકારની પળે સમજી લઈએ કે હિંદુત્વ વત્તા વિકાસના ચૂંટણીવ્યૂહ અને  કૉંગ્રેસ વત્તા ગાયની શાસનશૈલી, હવે રોકડો જવાબ અને સીધો પડકાર માગે છે. ધારો કે ભા.જ.પ.નો પરાજય થયો તો પણ સામે પક્ષે એના જેવી જુમલે સે જુમલે શૈલીએ અગર તો જવાબી જુમલા માત્રથી જનસાધારણનો જયવારો થવાનો નથી. કબૂલ કે મે ૨૦૧૯ આડે થોડા મહિના (અને ચૂંટણી જાહેરાત આડે થોડાં અઠવાડિયાં) માંડ રહ્યા હોય ત્યારે વ્યૂહાત્મક અભિગમ અગ્રતા માગે છે, તેમ છતાં –

જાન્યુઆરી ૧૦, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 03

Loading

12 January 2019 admin
← કમલ વોરા-સર્જિત અનેકએક વિશે
15 લાખ રૂપિયા જમા કરાવવાના શાબ્દિક જુમલામાં અને 10 ટકા અનામત આપવાના કાનૂની જુમલામાં કોઈ ફરક નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved