Opinion Magazine
Number of visits: 9447389
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કથા-પુકુર : ૧

હિમાંશી શેલત|Opinion - Opinion|8 January 2018

ઊંઘ હરામ થઈ જાય એવું બનશે ઘણું-ઘણું. હાથ કલમ હેઠે મૂકવા તરફડશે પણ લખવું પડશે, લખ્યે જ પાર. સામે આગ લાગી હશે તોયે ઓલવવા માટે દોડાશે નહીં, માત્ર લખાશે, આગ … આગ !

અભિશાપ કહો તો અભિશાપ, આશીર્વાદ કહો તો આશીર્વાદ, હાથ ખેંચીને કોઈકે કલમ પકડાવી. પછી આનાકાની શી રીતે થાય ?

•

– તો કથા-પુકુરનું આ પહેલું બિંદુ.

રાજમાં દૈત્યનો ભારે ત્રાસ. પ્રજા મરણતોલ પીડામાં પહોંચી રાજદ્વાર. રાજા સામે દુખડાં ઠાલવ્યાં. રાજા આશ્ચર્યચકિત.

મારા છતાં તમને દુઃખ ? માનું જ નૈ, હું પ્રજાવત્સલ ને પ્રજાપ્રિય, કોણ કનડે છે તમને ?

પ્રજા કરગરીને નાકલીટી તાણી માંડ બોલી કે મા’રાજ, દૈતડાં પજવે છે. અતિશય ત્રાસ છે એમનો.

રાજા ગર્જ્યા, શી રીતે પજવે છે. ઝટ કહો. આ ઘડી પીડા દૂર કરું. હું તારણહાર, જીવનાધાર, મારા છતાં … પ્રજા બાપડી ક્ષીણ કંઠે બબડે કે રાખ્ખસની કનડગત એક હોય તો કહીએ, આ તો વાતે-વાતે એક છરી, નાક કાપું, લાવ તલવાર, માથું વાઢું, અને મોતને ઘાટ એમ ઉતારે જાણે પૃથ્વીપટે હતાં જ નહીં. એવાં કેટલાંયે બત્રીસલક્ષણાં જતાં રહ્યાં !

રાજા ચિંતનમાં પડ્યા. એમ ને એમ કંઈ દૈત્યો કનડે નહીં. પૂછી લીધું, તમારો કંઈ અપરાધ ? કશું કર્યું દૈત્યોને ના ગમે એવું ? પ્રજાએ તો પેટછૂટી કબૂલાત કરી.

જીવીએ છીએ એને વાંક ગણો તો એમ માઈબાપ, પણ એક વાર થોરને કાંટાળો કીધો, અને ઝેરકચોલાંને ઝેરી, આ એટલી ભૂલ ગણો તો ભૂલ!

રાજાએ કપાળે હાથ પછાડ્યો, અરેરે, આવી પહાડ જેવડી ભૂલ! દૈત્યોને ચોક્કસ માઠું લાગ્યું. બહુ સંવેદનાસભર, રાષ્ટ્રપ્રેમી, કૂણાં માખણ જેવાં હૈયાં છે એમનાં, એમને આવું કહેતાં પહેલાં જરા પૂછવું તો હતું! હવે કંઈ થાય નહીં. હાથે કરીને કુહાડો માર્યો પગે! પ્રજા વિમાસણમાં. તારણહાર દૈતડાંને રોકી ન શકે ? રાજા કહે કે ચિંતા ન કરો, તમે આપણી સમૃદ્ધિ જુઓ, આનંદ આવશે. આપણા વરિષ્ઠ ઉદ્યોગપતિનો મહેલ જોયો ? હાલમાં જેનું ઉદ્‌ઘાટન કર્યું એ મંગલભવન જોયું ? આ જ તકલીફ છે ને, જે જોવા જેવું છે તે તો જોતાં જ નથી તમે! દૈત્યોને છોડોને!

સમસ્ત જનગણ સ્તબ્ધ.

થોરને કાંટાળો કહ્યો અને ઝેરકચોલાંને ઝેરી, એ શું આવડો મોટો અપરાધ? મહારાજ તૌ દૈત્યોને નાથવામાં માનતા નથી અને એમાં તો દૈત્યોની નફ્ફટાઈ બેફામ છે. એમને જે નડે એમને પતાવી દીધાં પછીયે ઠરતાં નથી, ફટાકડા ફોડી હરખ કરે કરે છે, અને જમણવાર રાખે છે. એમને રોકે એવું કોઈ કરતાં કોઈ દેખાતું નથી. આ તે કેવું કલ્યાણરાજ ?

હવે આપણી પાસે એક જ માર્ગ છે. પીડિતોના અગ્રણીએ જાહેર કર્યું. સહુ એમની આસપાસ ફરી વળ્યાં. સઘળી આશા છોડીને થાકેલાં તમામ માટે આ રાહતના સમાચાર હતા. કયો ઉપાય હશે આપણા આગેવાન પાસે ?

આપણે સ્વાંગ સજવાનો છે દૈત્યોનો. ચહેરા એવા પહેરી લેવાના, એમના જેવા. ઢબછબ, બોલચાલ બધુંયે એમના જેવું, ભલભલા થાપ ખાઈ જાય એવો વેશ. પછી આપણને કનડગત નહીં, એમને થશે કે આપણે તો એમનામાંનાં જ છીએ, તે આપણને તો બરાબર ખબર હોય કે આપણે અલગ છીએ, ભલાં પરગજું, સત્યનિષ્ઠ. કેવો લાગ્યો આ ઉપાય ?

લાંબા વિચાર બાદ એક ચતુરે સવાલ કર્યો કે દૈત્યોનું તો સમજ્યાં, આપણે એકમેકને શી રીતે ઓળખી શકીશું, જ્યારે સહુ સરખેસરખાં જ દેખાતાં હશે ત્યારે ?

સવાલ એને ઠેકાણે છે અને જવાબ જડ્યો નથી આ ઘડી સુધી. બધો ગોટાળો એને કારણે ચાલી રહ્યો છે, ક્યાં સુધી ચાલશે, શી ખબર !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 15

Loading

8 January 2018 admin
← દશ કાવ્યો
ભારતના નાગરિક સમાજે બે મુદ્દે આંદોલિત થવાની આજે જરૂર છે : નો ફાંસી, નો EVM →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved