Opinion Magazine
Number of visits: 9569005
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

નેહા શાહ|Opinion - Opinion|19 December 2025

નેહા શાહ

નામ માં શું રાખ્યું છે? રોમિયો – જુલિયટ લખતા શેક્સપિયર આ સારી સલાહ આપી ગયો હતો. “નામ વ્યક્તિના સાચા પાત્રની ઓળખ નથી આપતું, એ તો માત્ર મથાળા છે.” એટલે કે ગુલાબનું નામ ગમે તે રાખો એની સુગંધમાં કોઈ ફરક નથી પડવાનો. વર્તમાન સરકાર યોજનાઓનાં નામ બદલાવાનો શોખ છે – નાના-મોટા ફેરફાર સાથે સ્વાવલંબન યોજના અટલ પેન્શન યોજના બની ગઈ, ઇન્દિરા આવાસ યોજનાનું નામ પ્રધાન મંત્રી આવાસ યોજના થયું, નિર્મલ ભારત યોજના હવે સ્વચ્છ ભારત યોજના છે. છેલ્લો ઉમેરો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના (મનરેગા) હવે બદલાઈ ને ‘વિકસિત ભારત ગ્રામીણ વિસ્તાર રોજગાર અને આજીવિકાની ખાતરી માટે મિશન (Viksit Bharat Guarantee for Rozgar and Ajeevika Mission Gramin — VB-G RAM G Bill) યોજના બનાવવાનો ખરડો સંસદમાં રજૂ થઇ ચુક્યો છે.

સરકારના પ્રવક્તા કહે છે કે યોજનાના નામ સાથે આત્મા બદલવા ની વાત છે – આ જરા સાવધ કરનારી વાત છે. કારણ કે, છેડછાડ તો આત્મા સાથે જ છે! મનરેગા યોજના નથી, પણ કાયદો છે જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સરકાર ૧૦૦ દિવસના રોજગારની માત્ર ખાતરી નહિ, અધિકાર આપે છે. ૨૦૦૫માં શરૂ થયેલી આ યોજનાનો આત્મા એટલે,

૧. ગરિમા પૂર્ણ રોજગાર ને મૂળભૂત અધિકાર ગણવાની સ્વીકૃતિ.

૨. રોજગારના અભાવમાં ગ્રામીણ વિસ્તારમાં સરકાર પાસે રોજગાર માંગવાનો અધિકાર.

૩. સમગ્ર દેશમાં એકસરખો અધિકાર

૪. વર્ષના ૧૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન સાથે રોજગાર પૂરો પાડવાનું સરકારનું દાયિત્વ.

યોજનાનો આત્મા દિવસની મર્યાદામાં નથી – આત્મા છે સાર્વત્રિક રીતે ગરિમાપૂર્ણ રોજગારને અધિકાર ગણવાની સ્વીકૃતિમાં. વળતરમાં માત્ર લઘુતમ મળે પણ, ભૂખ મારાથી બચવા માટે આનાથી વધુ ગરિમાપૂર્ણ વિકલ્પ શું હોઈ શકે? કોવીડ સમયે આપણે જોયું કે કરોડો લોકો અધિકારને કારણે ટકી ગયા.

આ કેન્દ્રીય યોજનાનો અમલ સમગ્ર દેશમાં એક સમાન રીતે થતો હતો અને કેવા પ્રકારનાં કામ લોકો પાસે કરાવી શકાય એ નિર્ણય રાજ્ય સરકાર લેતી રહી છે. નવા ખરડા કેટલીક જોગવાઈ રોજગારની બાંહેધરીની વિભાવના પર અસર કરે છે જે ચિંતાજનક છે. – એક, નવા ખરડામાં કેન્દ્ર સરકારના હાથમાં નિર્ણય લેવાની ઘણી સત્તા અપાઈ છે, જ્યારે આર્થિક ભારણ ઓછું કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં અને કયા વિસ્તારમાં આ યોજના લાગુ કરવી એનો નિર્ણય કેન્દ્ર સરકાર નક્કી કરશે. ક્યાં અને ક્યારે આ યોજના લાગુ પડશે એ અંગેનું જાહેરનામું સરકાર અવારનવાર બહાર પાડતી રહેશે. એટલે કે રોજગારની બાહેંધરી અધિકાર સમગ્ર ગ્રામીણ ભારતમાં સાર્વત્રિક રીતે લાગુ નહિ પડે! આ બાંહેધરી મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી.!!!

બે, મનરેગા પાછળ થતાં ખર્ચમાં વળતરની ચુકવણીનો ૧૦૦ ટકા અને સામગ્રી પાછળ ૭૫ ટકા ખર્ચ કેન્દ્ર સરકારની જવાબદારી હતી. એટલે લગભગ ૯૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર કરતી હતી. નવી યોજનામાં આ ગુણોત્તર ૬૦:૪૦નો રખાયો છે. આ મુદ્દો જરા પેચીદો છે, કારણ કે, ગરીબ પ્રદેશોની સરકાર પાસે આવક પણ ઓછી હોવાની, એમાં એમણે જો ૪૦ ટકા જેટલો ખર્ચ ભોગવવાનો આવે તો અમલમાં ધાંધિયા થવાની શક્યતા ખરી. જી.એસ.ટી. પછીના સમયમાં રાજ્ય સરકાર પાસે જ્યારે આવકના મર્યાદિત સાધનો બચ્યા છે તેવા સંજોગોમાં રોજગારના દિવસો વધારી એનું નાણાંકીય ભારણ રાજ્ય સરકાર પર વધે તો યોજનાનો અમલ કેટલો અસરકારક રીતે થશે એ સવાલ તો થાય. વળી, જ્યાં વિરોધ પક્ષની સરકાર છે એવા રાજ્યો પ્રત્યે કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન છૂપું નથી. પશ્ચિમ બંગાળમાં લગભગ ત્રણ વર્ષથી મનરેગાનું ફંડિંગ બંધ હતું, જે નાણાં છૂટા કરવાનો આદેશ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કેન્દ્ર-સરકારની મડાગાંઠમાં રોજગાર માંગનાર વ્યક્તિ જ અટવાઈ જાય.

ત્રણ, નવા ખરડામાં ૧૨૫ દિવસની ખાતરી અપાઈ છે જે વાવણી-લણણીની ઋતુના બે મહિના દરમ્યાન લાગુ નહિ થાય.

ચાર, કેવા પ્રકારનું રોજગાર આ યોજના થકી આપી શકાય એ માટે ચાર શ્રેણી વ્યાખ્યાયિત કરવામાં આવી છે – જળ સુરક્ષા, મુખ્ય ગ્રામીણ માળખાગત સુવિધાઓ, આજીવિકાનું માળખું અને આપત્તિ નિવારણ અને આબોહવાની સ્થિતિસ્થાપકતા. આ સિવાયની શ્રેણીમાં કામ ઊભું કરવાની લવચીકતા રાજ્ય સરકાર પાસે રહેશે કે નહીં, એ અંગે સ્પષ્ટતા નથી.

સરકારે રોજગારના દિવસો વધારવાની વાત તો કરી, પણ પાછલાં પાંચ વર્ષમાં કાયદાનો ટેકો હોવા છતાં સરેરાશ માત્ર પંચાવન દિવસ જ કામ અપાયું છે. જો કોઈ સુધારાની જરૂર હતી તો એવું માળખું ઊભું કરવાની કે જેથી લોકોને ૧૦૦ કે હવે ૧૨૫ દિવસનાં રોજગારની બાહેંધરીની બાહેંધરી આપવાની. વેતનના દર બજારના ભાવ પ્રમાણે સુધારવાની અને લોકોને સમયસર વેતન મળી રહે એ જોવાની.

મધ્યમ વર્ગના નાગરિકને મનરેગા જેવા કાયદામાં થયેલા ફેરફારથી ફરક ના પડે. પણ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે દેશના સાડા છ કરોડ કરતાં પણ વધુ લોકો આ યોજના પર આધાર રાખે છે. ગુલાબને કોઈ અન્ય નામ આપો તો ફર્ક નથી પડતો પણ ગુલાબમાંથી એની સુગંધ જ કાઢી નાખીએ તો? મનરેગા સાથે એવું જ કાંઇક થવા જઈ રહ્યું છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 December 2025 Vipool Kalyani
← હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
ચલ મન મુંબઈ નગરી—320 →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved