Opinion Magazine
Number of visits: 9449071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યક્ષપ્રશ્રઃ ઓવેસીના હિંદમાં બંદૂકવાલાનું હોવું

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|19 January 2013

 – નક્કી કરો, તમે સર્વધર્મસમભાવી, સર્વસમાવેશક ભારત ઇચ્છો છો કે પાકિસ્તાનનું અડધિયું
 
શુક્રવારે અનાયાસ જ એ એક સૂચક જોગાનુજોગ બની રહ્યો કે આંધ્રપ્રદેશના માનવ અધિકાર પંચે અકબરુદ્દીન ઓવેસીના ઝેરીલાં ભાષણોની તપાસ માટે પોલિસ કમિશનરને પૂછયું હોવાના તેમ જ નવા કેસ વચ્ચે એક જૂના કેસના સિલસિલામાં 'પ્રિઝનર ઈન ટ્રાન્ઝિટ’ની જેમ જેલ અને અદાલત વચ્ચે ઓવેસી ખુદ ફરી રહ્યા હોવાના હેવાલો વચ્ચે ગુજરાતમાં પ્રોફેસર જે. એસ. બંદૂકવાલાને માનવ અધિકાર એવોર્ડ અપાઈ રહ્યો હતો.

આ ઓવેસીએ (જેમણે કયારેક તસલીમા નસરીન સામે ઉપાડો લીધો હતો એમણે) આ દિવસોમાં એક વિધેષવિષાકત વિધાન કર્યું હતું કે એક વાર તમારી પોલિસ ખસેડી લો પછી જુઓ વિપળવારમાં અમે (મુસ્લિમો) બહુમતી હિંદુઓના શા હાલ કરીએ છીએ. વાજબી રીતે જ ઓવેસી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, અને કાયદો કાયદાનું કામ કરશે જ. જે બધા સુષુપ્ત પડેલા કાયદાઓ ગુજરાતમાં નાગરિક ચળવળ પછી દસ વરસે સહસા કાઠું કાઢતા અને ન્યાયિક પ્રક્રિયામાં ગુજરાત ગૌરવનું પુન: સ્થાપન કરતાં માલૂમ પડ્યા છે, તે ત્યાં પણ કામ કરશે. ઓવેસી, આમ તો, એ રઝાકાર પરંપરાના રાજકારણમાંથી આવેલા છે જેણે નિઝામ હસ્તકના હૈદરાબાદમાં હિંસાક્રોમી રાહ લીધો હતો. વલ્લભભાઈ, જનરલ ચૌધરી અને કનૈયાલાલ મુનશીએ આગળ ચાલતા પરિસ્થિતિ સંભાળી લીધી હતી, એ અલબત્ત જાણીતો ઇતિહાસ છે.

રઝાકાર પરંપરાના મજલિસે ઇત્તહાદુલ મુસલમિનના ઓવેસી કદાચ કોલકાતાના 'ડાઇરેક્ટ એક્શન’ ઘરાણાની માનસિકતા ધરાવતા જણાય છે. એથી ઊલટું, બંદૂકવાલાને હંમેશ એમ લાગ્યું છે કે પાકિસ્તાની રચનાના પૂર્વરંગ સમી આવી કારવાઈ કદાપિ ધન્ર્ય નહોતી અને ન હોઈ શકે. ઉદાત સંસ્કૃિત પરંપરામાં 'ધર્મ્ય’ જેવો પ્રયોગ અહીં જાણીબૂઝીને કર્યો છે, કેમ કે, બંદૂકવાલા એક ધર્મભીરુ જણ છે અને વતનને ચાહવું તે પણ ઇમાન છે એવી સમજથી ન્યૂક્લીઅર ફિઝિકસનેડે ક્ષેત્ર ગ્રીનકાર્ડ કારકિર્દીનાં કાગળિયાં ફાડી નાખીને દેશમાં દાયકાઓ પૂર્વે પાછા ફરેલા છે.

કુરાનમાં જે 'રબ’ની વાત આવે છે તે કેવળ મુસ્લમાનોના નહીં સર્વના માલિકીની – એટલે કે અલ્લા અગર ગૉડ કે ભગવાનની – જિકર છે એવી સમજ સાથે કાર્યરત બંદૂકવાલાને પક્ષે છેલ્લા દાયકાઓના વિશિષ્ટ સંજોગોમાં 'મુસ્લિમ-સ્પેિસફિક’ કામગીરીઓ આવી છે અને એમણે ઊંડી ધર્મબુદ્ધિથી બધાં જોખમો વહોરીને તે ચલાવી છે. આ બધું કરતી વેળાએ એમની એક સમજ રહી છે કે છેવટ જતાં પાકિસ્તાનને મુલ્લાઓ, લશ્કર અને અમેરિકાના ખોળામાં ધકેલી દેનાર ઝીણાની મહત્ત્વાકાક્ષાએ નહીં, પણ ગાંધી અને ટાગોરના સ્વપ્નનો ભારતદેશ જ હિંદુ-મુસ્લિમ સૌ નાગરિક ભાઈ-બહેનોનાં હિ‌તમાં છે.

એક આબાદ રજૂઆત તો સાચર સમિતિ સમક્ષ બંદૂકવાલાની એ રહી છે કે મુસ્લિમોને વિશે અનામતની રીતે કૃપા કરીને વિચારશો નહીં. વળતા કોમી દુર્ભાવના દૃઢીકરણનું તો જાણે સમજ્યા, પણ વિશેષ તો આવી જોગવાઈઓ ક્રિમીલેયરમાં અટવાઈ જતી હોય છે અને એથીએ અધિક તો મુસ્લિમોમાં 'જકાત’ અને 'વકફ’ની જે સંભવિત સોઈ છે એને જ આપણે શિક્ષણ અને આરોગ્યમાં કેમ ન વાળી શકીએ, એ એક ધર્મભીરુ જણ હોવાને નાતે એમની મથામણ છે.

બંદૂકવાલા, દેશની વ્યાખ્યા હિંદુ કે મુસ્લિમ એવી કોઈ ધર્મકોમને આધારે ન કરવી જોઈએ એવી ભૂમિકાને ધોરણે 'સેક્યુલર’ જરૂર છે, પણ ઇમાન પરનો એમનો ભાર, વધુ તો, એમને સામાજિક સ્તરે સર્વધર્મસમભાવની ભૂમિકામાં સ્થાપી આપે છે. એ અર્થમાં પ‌શ્ચિ‌મદીધી લિબરલ ડેમોક્રેસીના મેળમાં ગાંધી પરંપરા સાથે એમનું અનુસંધાન જોઈ શકાય.

જ્યાં સુધી રાજકારણનો સવાલ છે, બંદૂકવાલાને મતે સાવરકર અને ગાંધી એ બે વિકલ્પો વચ્ચે ગાંધીમાર્ગ જ એવો છે જેમાં સૌને સાથે લઈ શકાશે. જો કે, મુસ્લિમો મતદાનમાં સર્વધર્મસમભાવી બિનસાંપ્રદાયિક ભૂમિકાએ અવશ્ય સક્રિયતા દાખવે એવું ઇચ્છતે છતે એમને લાગે છે કે હાલના માહોલનાં કોઈ સીધા રાજકીય ભાવિની તલાશને બદલે શૈક્ષણિક અને વ્યાવસાયિક સજ્જતા તેમ જ ઉદ્યોગસાહસિક અભિગમ કેળવવો ઇષ્ટ છે. દેખીતી રીતે જ, મતબેન્કને ધોરણે સામસામા સોદાકડદાની ગણતરીઓને બદલે ભારતીય નાગરિક સમાજના એક અંગ તરીકેનું સશકિતકરણ તેઓ તાકે છે.

ધર્મકોમી મુસ્લિમ રાજકારણ, સાંપ્રદાયિકતાને વિકાસનો ઢોળ ચઢાવી વિચારધારારૂપે સ્થાપતું હિંદુ રાજકારણ, બેઉને આવા વિચારો પલ્લે ન પણ પડે બલકે, નથી જ પડતા. ક્યારેક કોઈક ઝનૂનીઓએ એમને 'વાજિબે કત્લ’ પણ કહ્યાંનું આ લખતી વેળાએ સાંભરે છે. મુદ્દે, આવી ચિંતા અને ચર્ચા ઓવેસી જેવાઓનાં વિધાનો વચ્ચે કોઈ એક વાતે હોય તો તે તમારી ભારતની કલ્પના અને સમજ શું છે તે છે. 

શું ઓવેસી, શું તોગડિયા — સૌ 'ધ અધર’ને બાકાત રાખવામાં કે નિશાન બનાવવામાં રમે છે. બંદૂકવાલાની 'મુસ્લિમ-સ્પેિસફિક’ ભૂમિકા ભાતીગળ સર્વસમાવેશી ભારતમાં બરાબરીનો હિ‌સ્સેદારીની ધોરણે હક અને ફરજ બેઉની છે. જણે જણનું સ્વરાજ દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, સ્ત્રીઓ સૌ અનુભવે એ માટે નાગરિક સમાજના વ્યાપક ખયાલ સાથે આવી દેખીતી સીમિત ચળવળોની ચોક્કસ જરૂરત હતી અને છે.

આ આખો પ્રશ્ર ખરું જોતાં કૉંગ્રેસ અને ભાજપ એવી ચર્ચામાં સીમિત ન રહી શકે. અથવા તો, કથિત ત્રીજા મોરચામાં પણ તે બદ્ધ ન રહી શકે. એક સમગ્ર અભિયાન અને અભિગમના વ્યાપક સંદર્ભમાં જ તે ચાલી શકે. ઝીણાને છેડેથી અગર તો એમના હિંદુ અડધિયાઓને છેડેથી વિચારવું તે ભારતવર્ષના ઇતિહાસકર્તવ્યથી વિપરીત અને વિપથગાની બની રહેશે.

[સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19.01.2013]

Loading

19 January 2013 admin
← Gandhi Will Live On
Handling Pakistan →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved